અમદાવાદમાં ‘કાંકરિયા કાર્નિવલ ઉત્સવ’ સંદર્ભે શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા ‘નો પાર્કિંગ ઝોન’, ‘નો સ્ટોપ’ તથા ‘નો યુ ટર્ન’ અંગેનું જાહેરનામું બહાર પડાયુંપોલીસ કમિશનર અમદાવાદ શહેરના હુકમ ક્રમાંક: ગ/ ઉપક/ટ્રાફીક/૪૬/૨૦૨૫ હું, જી.એસ.મલિક, IPS, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી) અને ગુજરાત મોટર વાહન નિયમો ૧૯૮૯ ના નિયમ-૨૦૭ મળેલી સત્તા અન્વયે અમદાવાદ શહેરના કાગડાપીઠ તથા મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાંકરિયા તળાવ ખાતે ‘કાંકરિયા કાર્નિવલ’ ઉત્સવનું આયોજન તા.૨૫/૧૨/૨૦૨૫ થી તા.૩૧/૧૨/૨૦૨૫ સુધી કરવામાં આવનાર છે.આ ઉત્સવ દરમિયાન મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતા લોકો તથા આમજનતા વચ્ચે વાહનોની અવર-જવર સરળતાથી…
Author: gujarat
તા.1-1-2026ની લાયકાતની તારીખના આધારે હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR)આગામી તા.18જાન્યુઆરી2026સુધી દાવા અને વાંધાઓ રજૂ કરી શકાશેAhmedabad, ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)હાથ ધરવામાં આવી છે. ગત તા.27ઓક્ટોબર2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલીSIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ19ડિસેમ્બર2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હવે તા.18જાન્યુઆરી2026સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે.જેના અનુસંધાને આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા.23ડિસેમ્બર સુધીમાં કુલ92,235નાગરિકો તરફથી ફોર્મ6/ 6Aમળ્યા…
એક વર્ષના ઇન્ટિગ્રેટેડ ADAM પ્રોગ્રામમાં સર્ટિફાઇડ મેઇન્ટેનન્સ ટેક્નિશિયન (CMT) અને ક્વોલિફાઇડ સર્વિસ ટેક્નિશિયન (QST) ટ્રેનિંગનો સમાવેશ થાય છે“મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા સંગઠિત, ઉદ્યોગ-સંકલિત ટ્રેનિંગ પ્રોગ્રામ્સ દ્વારા ભારતની ઓટોમોટિવ સ્કીલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે સતત પ્રતિબદ્ધ છે. ગુજરાતમાં અમારા પ્રથમ એડવાન્સ્ડ ડિપ્લોમા ઇન ઓટોમોટિવ મેકાટ્રોનિક્સ (ADAM) ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન પશ્ચિમ ભારતમાં એડવાન્સ્ડ ઓટોમોટિવ શિક્ષણની પહોંચ વધારવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. એલજે યુનિવર્સિટી સાથેના અમારા સહયોગ દ્વારા, અમે યુવા પ્રતિભાઓને ઇલેક્ટ્રિક મોબિલિટી સહિતના ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યો સાથે સજ્જ કરવા તેમજ ઓટોમોટિવ સર્વિસ ઇકોસિસ્ટમમાં ટકાઉ કારકિર્દીના માર્ગો બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.”શ્રી શેખર ભિડે, વાઇસ પ્રેસિડેન્ટ – કસ્ટમર સર્વિસીઝ, મર્સિડીઝ–બેન્ઝ ઈન્ડિયાઅમદાવાદ – ભારતની સૌથી પસંદગીની લક્ઝરી…
ગુડગાંવ, ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી અરવલ્લી પર્વમાળાનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ખાણકામને છૂટ આપવા માટે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની એક સમિતિએ અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા નિર્ધારિત કરી છે. આ વ્યાખ્યાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. હરિયાણા વન વિભાગના એક નિવૃત્ત અધિકારીએ દાખલ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે સ્વીકારી છે.૧૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડને જ ‘અરવલ્લી પર્વત’ માનવામાં આવશે, તેવી સમિતિની ભલામણને ૨૦ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખતા મોટો વિવાદ ઊભો થયો હતો. આનાથી બેફામ ખાણકામ ચાલુ થવાની અને પર્યાવરણને મોટું નુકસાન થવાની ચિંતાઓ ઊભી થઈ છે.આ અરજીમાં દક્ષિણ હરિયાણાના ભૂતપૂર્વ વન સંરક્ષક આર પી બલવાને દલીલ છે…
જૂનાગઢ, જૂનાગઢ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સાયબર ફ્રોડના એક મોટા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ કર્યાે છે. આશરે ૩૦૫ કરોડ રૂપિયાના આ રેકેટમાં ભાજપના પૂર્વ કોર્પાેરેટર અસલમ કુરેશીની સંડોવણી પણ બહાર આવી છે.પોલીસે આ મામલે કુલ ૧૯ શખ્સો સામે ફરિયાદ નોંધી નવ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે પૂર્વ કોર્પાેરેટર સહિત દસ શખ્સો હાલ પોલીસ પકડથી દૂર છે. તપાસ દરમિયાન પોલીસને ૫૨ જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ મળી આવ્યા છે, જેમાં ૯.૪૩ કરોડ જમા કરાવીને સગેવગે કરાયા હતા.આ એકાઉન્ટ્સ બાબતે નેશનલ સાયબર ક્રાઈમ રિપો‹ટગ પોર્ટલ પર દેશભરમાંથી ૧૯૨ ફરિયાદો નોંધાયેલી છે. રેકેટનું કનેક્શન દુબઈ હોવાનું પણ ખુલ્યું છે.હાલ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ આ…
મહેસાણા, મહેસાણાના પરા નજીક આધેડ ઉપર જીવલેણ હુમલાના કેસમાં આરોપીને મહેસાણા સેશન્સ કોર્ટે ૭ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ.૩૦ હજારનો દંડ ફટકાર્યાે હતો.મહેસાણાના ધોબીઘાટ રોડ પર સર્વમંગલ સોસાયટીમાં રહેતા કમલેશજી નથાજી ઠાકોર (ઉં.વ.૫૩) તા.૨૬-૧૧-૨૦ના રાત્રે આઠેક વાગ્યે પરા લાયબ્રેરી સામે પીકઅપ સ્ટેન્ડે બેઠા હતા ત્યારે મેહુલ મકવાણા તથા સન્ની જૈન એક સફેદ રંગની ઈકો ગાડીમાં ત્યાં આવ્યા હતા.કમલેશજીને અગાઉ મેહુલ સાથે મારામારી થઈ હતી ત્યારે તેણે પિતા-પુત્ર સામે એટ્રોસિટીની ફરિયાદ આપી હતી. જેથી મેહુલે તમે કેમ સમાધાન માટે દબાણ કરો છો? કહીંને કમલેશજીના માથામાં ડાબી બાજુએ ધારિયું મારી દેતાં તેઓ નીચે પડી ગયા હતા. ત્યાર બાદ મેહુલે તેમના…
અમદાવાદ, અમદાવાદના કાંકરિયા લેકળન્ટ ખાતે આગામી ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન યોજાનારા ભવ્ય ‘કાંકરિયા કાર્નિવલ’ પૂર્વે એક મોટો વિવાદ સર્જાયો છે. છસ્ઝ્ર દ્વારા મુલાકાતીઓની સુરક્ષા અને સંભવિત દુર્ઘટનાઓને ધ્યાને રાખીને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી અંદાજે ૫,૦૦૦ કરોડથી વધુનું સુરક્ષા કવચ લેવામાં આવ્યું છે.આ વીમો આતંકવાદ, ભૂકંપ અને આગ જેવી આપત્તિઓ સામે રક્ષણ પૂરું પાડે છે, જેના માટે તંત્રએ ૩ લાખ ૯૧ હજારનું પ્રીમિયમ પણ ચૂકવ્યું છે. જોકે, વીમા કંપનીના નિયમોને લઈને હવે કાયદાકીય ગૂંચ ઉભી થઈ છે, જેણે વિવાદને જન્મ આપ્યો છે.આ વિવાદનું મુખ્ય કારણ વીમા કંપનીની શરત છે, જે મુજબ કોઈ પણ અકસ્માત કે ઘટના સમયે વળતર મેળવવા માટે…
ગાંધીનગર, ઉત્તર ભારતથી લઈ ગુજરાત સુધી ફેલાયેલી અરવલ્લી પર્વતમાળમાં ખોદકામના મુદ્દે દેશભરમાં ‘અરવલ્લી બચાવા અભિયાન’ શરૂ થઈ ગયું છે. વિકાસના નામે વિનાશની પરવાનગીથી પર્યાવરણનો સફાયો થતાં ઈકો સિસ્ટમ પર તેની ખરાબ અસરો પડશે.ગુજરાત રાજસ્થાનની સરહદ પર પહાડો અને વનરાજીના અલૌકિક અદ્દભૂત દ્રશ્ય જોવા મળે છે. તસ્વીરમાં બનાસકાંઠામાં આવેલા જેસોર હિલથી દેખાતી અરવલ્લી પર્વતમાળાના અદ્ભુત દર્શન થાય છે. આવા સુંદર દેખાતા પર્વતો પર ‘બુલડોઝરો’ ફરી વળશે અને ખાનાખરાબી કરશે.ખનીજ માટેનું ખનન પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડશે.અરવલ્લીની ગીરીમાળાને લઈને સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ ગેરકાયદેસર ખનીજ ખનન થવાની સંભાવના વધી છે જેના પગલે રાજસ્થાનમાં વિરોધનો સૂર ઉઠયો છે જેની આગ ગુજરાતમાં પણ લાગી છે.…
Gujarat CMO Reshuffle: ગુજરાતમાં બીજા કાર્યકાળના ત્રણ વર્ષ પૂરા કર્યા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નવી ટીમ મળી ગઈ છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં નવા વર્ષની શરૂઆત પહેલા નવી ટીમની નિમણૂક થઈ ગઈ છે. આને મુખ્ય સચિવ એમ.કે.દાસની ટીમ માનવામાં આવી રહી છે. ગુજરાત કેડરના સિનિયર મોસ્ટ આઈએએસ (IAS) દાસ પંકજ જોશી પછી ચીફ સેક્રેટરી બન્યા છે. તેમના મુખ્ય સચિવ બન્યા પછી થયેલા IAS ની બદલીઓમાં સંજીવ કુમારને સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. આની સાથે ડો. વિક્રાંત પાંડે અને ડો. અજય કુમારને તેમની ટીમમાં રાખવામાં આવ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે હવે આ ટીમ આગામી બે વર્ષ કામ…
સામાન્ય સભામાં કોર્પોરેટરની બેઠકો પર ટેબલેટ મૂકવામાં આવશે : દેવાંગ દાણીઅમદાવાદ (પ્રતિનિધિ), અમદાવાદ મહાનગરપાલિકા ગુજરાતની સૌપ્રથમ ડિજીટલયુક્ત મહાનગરપાલિકા બનશે. અમદાવાદ મહાનગરપાલિકામાં દર મહિને સામાન્ય સભાનું આયોજન થતું હોય છે, તે અંતર્ગત બોર્ડમાં હવે પછીથી ડિજીટલ ઇન્ડિયાનાં ભાગરૂપે સમગ્ર કાર્યવાહી પેપરલેસ થશે. તેમાં લગભગ 500 જેટલી એજન્ડાની નકલો બોર્ડનાં મેમ્બર્સને અને 300 જેટલી નકલો કોર્પોરેટરોના ઘરે મોકલવામાં આવે છે અને જેનો સભામાં ઉપયોગ થાય છે.મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં વિઝન હેઠળ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઇ શાહનાં નેતૃત્વ હેઠળ ડિજીટલ ઇન્ડિયાના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકા ગુજરાતનું પ્રથમ શહેર…
