Author: gujarat

કંપનીઓ ખોલી એકાઉન્ટ ખોલાવવા મામલે સરકારી કર્મચારીઓની સંડોવણીની શંકા(એજન્સી)અમદાવાદ, બોગસ કંપનીઓ પર બેંક ખાતા ખોલાવી કરોડોની હેરફેર કરનાર સીએ સહીત બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓને કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરતા મેટ્રોપોલીટન કોર્ટે આરોપીઓના પ દિવસના રીમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. આ કેસમાં ઝડપાયેલા આકાશ સોની ચાર્ટડ એકાઉન્ટ છે. અને તેણે પ૪ બનાવેલી બોગસ કંપનીઓ મામલે પોલીસે તપાસઆદરી છે.બીજી તરફ વજે રીતે કંપનીઓ ખોલી એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. જોતા સરકારી કાર્યવાહીઓની સંડોવણીની શંકા પણ સેવાઈ રહી છે. આરોપી આકાશ પીયુષભાઈ સોની અને મનોજ કનૈયાલાલ રશામાવતને કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરવામાં આવ્યા હતા.જયાં રીમાન્ડ અરજી અંગે રજુઆત કરતા સરકારી વકીલ પી.વી.…

Read More

દંપતીની લૂંટનો ભેદ ઉકેલાયો છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે બે રીઢા આરોપીઓને દબોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છેબગોદરા, અમદાવાદ જિલ્લાના બગોદરા તારાપુર હાઈવે પર બે દિવસ અગાઉ થયેલી સનસનાટીભરી લૂંટના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે. દંપતીની લૂંટનો ભેદ ઉકેલાયો છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે બે રીઢા આરોપીઓને દબોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.બગોદરા પાસે બે દિવસ અગાઉ વડોદરાથી સુરેન્દ્રનગર પોતાના વતન જઈ રહેલા એક દંપતીને લૂંટારૂઓએ નિશાનો બનાવ્યા હતા. જેમાં બે શખસોએ દંપતીને આંતરી, ડરાવી-ધમકાવી લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.જે અંગે બગોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગુનાની ગંભીરતાને જોતા અમદાવાદ ગ્રામ્ય અને બગોદરા પોલીસની સંયુક્ત ટીમ…

Read More

સુરત, સુરતની ગ્લેમરસ ઈન્ફ્લુએન્સર હની પટેલ AAPમાં જોડાતા સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. પરંતું આપમાં જોડાયાના એક મહિના બાદ જ હની પટેલે આમ આદમી પાર્ટીને અલવિદા કર્યું છે. મોડલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને આપ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે.સુરતના ગ્લેમરસ મોડલ હની પટેલ ગત મહિને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેના બાદથી તે વિવાદમાં આવી હતી. હની પટેલ જોડાયા બાદ તરત જ ગાંજા અને બિયરના વીડિયોથી સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો હતો. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડલ હની પટેલ પાંચ દિવસ પહેલા આપમાં જોડાતા વિવાદ શરૂ થયો હતો. બિયરનો ગ્લાસ ભરતો અને ઈ-સિગારેટ પીતો હની પટેલનો એક વીડિયો વાઈરલ…

Read More

ગુજરાતી ફિલ્મ‘લાલો—કૃષ્ણ સદા સહાયતે‘ના કલાકારો અને સર્જકોદ્રારા એએમએનો‘એડવાન્સ્ડ ડિપ્લોમા ઇન ફિલ્મ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ‘ કોર્સ લોન્ચ કરાયો; અને “ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના બદલાતા પ્રવાહો:ફિલ્મ‘લાલો—કૃષ્ણ સદા સહાયતે‘ની સફળતાની ગાથા” વિષય પર પેનલ ડિસ્કશનનું આયોજન કરાયુંઅમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) દ્રારા‘રૂપા અને આનંદ પંડિત – એએમએસેન્ટર ફોર ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટ’હેઠળગુજરાતી ફિલ્મ‘લાલો—કૃષ્ણ સદા સહાયતે’ના કલાકારો અને સર્જકો દ્રારા એએમએનો‘એડવાન્સ્ડ ડિપ્લોમા ઇન ફિલ્મ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ’કોર્સ લોન્ચ કરવામાં આવ્યો હતો અને“ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના બદલાતા પ્રવાહો: ફિલ્મ‘લાલો—કૃષ્ણ સદા સહાયતે’ની સફળતાની ગાથા” વિષય પર એએમએખાતે એક વિશેષ પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પેનલ ડિસ્કશનમાં ફિલ્મના મુખ્ય કલાકારો અને સર્જકો શ્રી અંકિત સાખિયા (દિગ્દર્શક),શ્રી અજય પડરિયા (નિર્માતા),શ્રી શ્રુહદ…

Read More

ડિસેમ્બર-25ના રાજ્ય સ્વાગતમાં97જેટલા રજૂઆત કર્તાઓની રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ આવીખેડૂતો પ્રત્યે મુખ્યમંત્રીશ્રીની આગવી સંવેદનશીલતા જુનાગઢ અને મહેસાણા જિલ્લાના ખેડૂતોની સંપાદિત થયેલી જમીનનું વળતર તાત્કાલિક ચુકવવા જિલ્લા કલેકટરોને તાકિદGandhinagar, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ડિસેમ્બર-2025ના રાજ્ય સ્વાગતમાં રજૂઆત કરવા આવેલા નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળીને તેના યોગ્ય નિવારણ માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી.તેમણે રાજ્યના વિભાગો અને વહીવટી તંત્રના અધિકારીઓને આ સંદર્ભમાં એવી પણ તાકિદ કરી હતી કે,સ્વાગતમાં આવતી રજૂઆતોનું નિવારણ સામૂહિક પ્રયત્નોથી લાવવું જોઈએ.દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવતા “સ્વાગત” ઓનલાઇન જનફરિયાદ નિવારણના ઉપક્રમમાં ડિસેમ્બર-૨025ના રાજ્ય સ્વાગતમાં રાજ્યભરમાંથી97થી વધુ રજૂઆત કર્તાઓ પોતાની રજૂઆતો સાથે ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહિ,જિલ્લા સ્વાગતની1284અને તાલુકા સ્વાગતની2458રજૂઆતો-પ્રશ્નો…

Read More

ટીબી મુક્ત ભારત અંતર્ગત રાજ્યમાં ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશને ટી.બી. મુક્ત બનાવવાના દ્રઢ સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત રાજ્ય દ્રઢતા પૂર્વક કાર્ય કરી રહ્યું છે. રાજ્યમાં વર્ષ 2024માં ટી.બી.ના1,37,896દર્દીઓ નોંધાયા હતા,જ્યારે ચાલુ વર્ષે1,12,981નવા દર્દીઓ નોંધાયા છે.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે લોકભવન ખાતે આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સાથે ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા ટી.બી. નિયંત્રણ કાર્યક્રમોની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે,ટી.બી. સામેની લડતને સરકારી અભિયાનથી આગળ લઈ જઈને જનઆંદોલન બનાવવું અનિવાર્ય છે. સમાજના દરેક વર્ગની જાગૃત અને સક્રિય ભાગીદારી આ અભિયાનની સફળતાનું મુખ્ય આધારસ્તંભ…

Read More

લખનૌ, શાળાની પ્રાર્થના સભા દરમિયાન જો તમે બાળકોને અખબારો વાંચતા અને પાંચ નવા શબ્‍દોનો અર્થ સમજાવતા જોશો તો આશ્ચર્ય પામશો નહીં. સરકારે મોબાઇલ ફોનમાં ડૂબેલા કિશોરોને અખબારો સાથે ફરીથી જોડવા અને તેમને વિજ્ઞાન, સંસ્‍કૃતિ, ઇતિહાસ અને વધુ સહિતના અન્‍ય વિષયો સાથે જોડવા માટે એક મોટી પહેલ કરી છે.માધ્‍યમિક અને મૂળભૂત શિક્ષણ વિભાગના અધિક મુખ્‍ય સચિવ પાર્થ સારથી સેન શર્માએ જિલ્‍લા શાળા નિરીક્ષક, જિલ્‍લા મૂળભૂત શિક્ષણ અધિકારી અને તમામ વિભાગીય શિક્ષણ નિયામકોને એક સરકારી આદેશ જારી કરીને શાળાઓમાં દૈનિક અખબાર વાંચન, જૂથ ચર્ચાઓ અને સમાચાર ક્‍લિપિગ્‍સની જોગવાઈ ફરજિયાત બનાવી છે.વિદ્યાર્થીઓની વાંચન આદતોમાં વધારો તેમને સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓમાં જ મદદ કરશે નહીં, પરંતુ…

Read More

Corruption in Gujarat: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ભ્રષ્ટાચાર સામે કડક વલણની વાત કરે છે. તેઓ એજન્સીઓને સંપૂર્ણ સ્વતંત્રતા આપ્યાનો દાવો પણ કરે છે. પરંતુ જ્યારે આવી વાતો વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જેવી સંસ્થાઓ કોઈ કલેક્ટર કે નાની કડી પર દરોડા પાડે છે, ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે શું આ લડાઈ સાચે જ મૂળ સુધી પહોંચે છે કે પછી માત્ર બહારથી દેખાવ પૂરતી રહે છે.સુરેન્દ્રનગર કેસ અને પુનરાવર્તન થતી કહાણીસુરેન્દ્રનગરના હાલના કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને તેમના સહયોગીઓ સામે જમીન અધિગ્રહણમાં કરોડોની ગેરરીતિના આક્ષેપ થયા છે. માલવણ, લખતર અને પાટડી જેવા વિસ્તારોમાં મોટી જમીન ડીલમાં સરકારી તિજોરીને…

Read More

આ છે‘જંગલના ગુલાબજાંબુ’એટલે કે સીડબોલ : દુર્લભ વનસ્પતિના બીજ અને ખાતર મિશ્રિત માટીના દડાગુજરાતના ખૂણે-ખૂણે ૫ લાખ સીડબોલ પહોંચાડવાનું વિજેશભાઈનું વિરાટ લક્ષ્યવીજ ખાતામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિજેશભાઈને રાજ્યસ્તરે અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છેતાપી જિલ્લાના કાવલા ગામના વિજેશભાઈ ગામીતે પ્રકૃતિની સેવા કરવાની અનોખી અને અસરકારક રાહ અપનાવી છે. ઈશ્વરની રચનામાં વનસ્પતિનું વિશેષ મહત્વ છે,પરંતુ આજે અનેક દુર્લભ વનસ્પતિઓ વિલુપ્તિના આરે છે. આવા સમયે વિજેશભાઈના હાથમાં દેખાતા કાળા-ભૂરા રંગના માટીના ગોળા એ માત્ર માટી નથી,પણ જંગલના‘ગુલાબજાંબુ‘એટલે કે સીડ બોલ છે.ગાયનું છાણ,સેન્દ્રિય ખાતર અને માટીના મિશ્રણમાંથી બનેલા આ ગોળામાં કુદરતનો અણમોલ ખજાનો એટલે કે દુર્લભ વનસ્પતિઓના બીજ છુપાયેલા હોય છે. જ્યાં…

Read More

તારીખ: 25 ડિસેમ્બર, 2025, બુધવારસમય: બપોરે 2 થી 4સ્થળ: સૃષ્ટિ પરિસર (SRISTI) અમદાવાદસૃષ્ટિ સંસ્થા દ્વારા વીસરાતી વાનગીઓની વિશિષ્ટ હરીફાઈનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.વીસરાઈ રહેલી વાનગીઓને પુનઃ લોકભોગ્ય બનાવવાના ખાસ હેતુથી આ હરીફાઈ સૃષ્ટિ સંસ્થા ખાતે યોજાઈ.સામાન્ય રીતે રોજબરોજના જીવનમાં આપણે ઘઉં, ચોખા અને મકાઈ સિવાય વિશેષ કોઈ અનાજ ખાતા નથી. ત્યારે આ હરીફાઈમાં 70 મહિલાઓએ મિલેટ તથા અપ્રચલિત ભાજીઓનો ઉપયોગ કરી વિશિષ્ટ ફૂડ ફોર્મ્યુલેશન દ્વારા વિવિધ વાનગીઓ રજૂ કરી.બહેનોએ પોતાની વાનગી કૌશલ્ય અને આંખને ગમે તેવા વિશિષ્ટ સુશોભન સાથે હરીફાઈમાં ભાગ લીધો.આ હરીફાઈના જજ/તજજ્ઞ તરીકે એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાથી (1) ડૉ. સ્વાતી ધ્રુવ, (2) ડૉ. શ્વેતા પટેલ અને (3) ડૉ.…

Read More