Author: gujarat

શિનોરના બાવળીયા ગામમાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો સાથે પરિસંવાદમાં રાજ્યપાલશ્રીનો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધવડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામે આયોજિત ‘પ્રાકૃતિક કૃષિ… પ્રકૃતિના શરણે પરિસંવાદ’ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે સીધો સંવાદ કરતાં જણાવ્યું હતું કે,રાસાયણિક ખેતી માત્ર જમીનને બંજર બનાવે છે એટલું જ નહીં,પરંતુ કેન્સર અને અન્ય ગંભીર રોગો માટે પણ જવાબદાર છે. પ્રાકૃતિક કૃષિ અપનાવી જમીન અને લોકઆરોગ્યનું રક્ષણ કરવું એ પણ પૂજા સમાન છે.રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે,દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવામાં કોઈ જોખમ નથી. “પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું નથી,ઊલટું વધે છે;અને તે સ્વાસ્થ્ય તથા પર્યાવરણ માટે અમૃત સમાન છે,”એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.રાજ્યપાલશ્રીએ પોતાના અનુભવ…

Read More

નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠાના વડગામ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું કર્યું લોકાર્પણવડગામ સહિત ગ્રામ્ય વિસ્તારના યુવાનોની પ્રતિભાને મળશે નવી દિશા:- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીસરકાર વડગામ વિસ્તારના લોકોની પડખે ઊભી છે: વડગામ વિસ્તારનો વિકાસ કરવા માટે ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત કાર્યરત:- નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી૨૦ હજાર પુસ્તકોની ક્ષમતા સાથે ૧૬૯ બેઠક ક્ષમતાવાળી લાઇબ્રેરીમાં કોન્ફરન્સ રૂમ સહિત મહિલાઓ- બાળકો- વરિષ્ઠ નાગરિકો માટે અલગ સુવિધાઓ ઉભી કરાઈનાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ લાઇબ્રેરી ખાતે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરીને ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ સાધ્યો હતો.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ…

Read More

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી કૃષ્ણ ગૌશાળાનું લોકાર્પણ કરી ગૌપૂજન કર્યુંરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજરોજ વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આર્ષ વિદ્યા મંદિર દ્વારા સ્થાપિત શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા તથા કુંભાભિષેક મહોત્સવમાં સહભાગી થયા હતા. તેમણે શ્રી કૃષ્ણ ગૌશાળાનું લોકાર્પણ કરી ગૌપૂજન કર્યું હતું.આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે,ભારતની પ્રાચીન વૈદિક પરંપરા અને સંતો-ઋષિઓ દ્વારા આપવામાં આવેલું શાશ્વત જ્ઞાન માનવજીવનનો મૂળ આધાર છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રે માનવે બાહ્ય વિજયો તો મેળવ્યા છે,પરંતુ કામ,ક્રોધ,લોભ,મોહ,અહંકાર અને અજ્ઞાન જેવા આંતરિક દુશ્મનો પર વિજય મેળવવાનો એકમાત્ર માર્ગ આધ્યાત્મિકતા અને વૈદિક જ્ઞાન છે. આ જ્ઞાનને જીવંત રાખવા પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદજી,સ્વામી શ્રી પરમાનંદજી તથા…

Read More

(એજન્સી)જૂનાગઢ, સાસણ ગીર નેચર સફારી પાર્ક ખાતે સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ પાસેથી ઓનલાઈન બુકિંગના નામે નાણાં પડાવવા બદલ રાજસ્થાનના મેવાતમાંથી નાસીર ખાન અયુબ ખાન નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે.આ આરોપીએ સિંહ સદન ગેસ્ટ હાઉસના રૂમ બુકિંગની નકલી વેબસાઈટ બનાવીને પ્રવાસીઓ પાસેથી હજારો રૂપિયા પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી મોટાપાયે છેતરપિંડી આચરી હતી.જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સાસણ સફારી પાર્ક અને રેસ્ટ હાઉસ (સિંહ સદન)ની નકલી વેબસાઈટ દ્વારા છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.વન વિભાગના અધિકારી દ્વારા કરાયેલી ફરિયાદ મુજબ, જે પ્રવાસીઓએ જંગલ સફારી અને સિંહ સદન માટે ઓનલાઈન ટિકિટ…

Read More

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ – ૨૦૨૫–૨૬ ઃ ૫ ડિસેમ્બર થી ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ સુધી યોજાશે(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૫ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૫–૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની સેકેન્ડ એડિશનમાં સ્થાનિક વેપારને મજબૂત બનાવવું, પર્યટનને વેગ આપવો અને અમદાવાદને દેશના સૌથી પ્રતિષ્ઠિત રિટેલ અને લાઇફસ્ટાઇલ સ્થળોમાં સ્થાન અપાવવાનો ઉદ્દેશ છે. આ ફેસ્ટિવલ અમદાવાદની ઉદ્યોગસાહસિક ઊર્જાનો ઉત્સવ છે, જેમાં “ગ્લોબલ આકર્ષણ સાથેનું સ્વદેશી” થીમ હેઠળ ગ્રાહકોને જાણીતા બ્રાન્ડ્‌સ તથા ઉભરતા સ્થાનિક કારીગરો સાથે જોડવામાં આવશે.અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ૨૦૨૫–૨૬ અંતર્ગત ૬ મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ તથા ૧૨થી વધુ હોટસ્પોટ ઝોનને સક્રિય…

Read More

(એજન્સી)અમદાવાદ, અમદાવાદની સિવિલ હોસ્પિટલ જટિલમાં જટિલ સર્જરી થકી દર્દીઓને નવજીવન આપવા માટે દેશભરમાં જાણીતી છે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડૉક્ટરોની ટીમે માત્ર ૧૫ મહિનાના બાળક પર અત્યંત દુર્લભ ગણાતી ‘ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી’ સફળતાપૂર્વક કરીને, જન્મથી જ ટ્યુબ દ્વારા ભોજન લેવા મજબૂર બાળકને સામાન્ય જીવન આપ્યું છે.મહારાષ્ટ્રના મુંબઈના રહેવાસી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધવલ ઉનડકટ અને અમીબેનના ૧૫ મહિનાના પુત્ર હિમાંક્ષને જન્મથી જ ઈસોફેજીયલ એટ્રીસીયા નામની દુર્લભ જન્મજાત ખામી હતી.પીડિયાટ્રિક સર્જરી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીના જણાવ્યાનુસાર, ઈસોફેજીયલ એટ્રીસીયા ૪૦૦૦ બાળકોમાંથી એકમાં જોવા મળતી દુર્લભ ખામી છે, જેમાં બાળકને અન્નનળી બનેલી જ નહોતી. જન્મ સમયે તાત્કાલિક ઓપરેશન કરીને ગળામાં કાણું કરવામાં…

Read More

અમદાવાદ, ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી આૅથોરિટીએ મિલકત ખરીદનારા ગ્રાહકોના હિતમાં એક કડક નિર્ણય લીધો છે. પહેલી ડિસેમ્બરથી રાજ્યની તમામ બાંધકામ સાઇટ પર ડેવલોપર-બિલ્ડર દ્વારા પ્રોજેક્ટને લગતી તમામ જરૂરી માહિતી દર્શાવતું બેનર બોર્ડ ક્વિક-રિસ્પોન્સ કોડ સાથે લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે.આ નિયમનો હેતુ નાગરિકોને મકાન કે દુકાન ખરીદતી વખતે પ્રોજેક્ટના બાંધકામની માહિતી સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. જો કોઈ બિલ્ડર કે ડેવલોપર આ નિયમનું પાલન નહીં કરે, તો તેને નિયમો અનુસાર દંડ કરવામાં આવશે, જે બિલ્ડરો પર જવાબદેહી વધારશે.નવા નિયમ હેઠળ, રેરાએ હુકમ કર્યો છે કે બોર્ડ અથવા બેનરની લઘુતમ પહોળાઈ ૧.૨૦ મીટર અને લઘુતમ ઊંચાઈ ૨ મીટર રાખવાની…

Read More

(પ્રતિનિધિ) દાહોદ, કતવારા પોલીસે ઈન્દોર-અમદાવાદ હાઈવે પર કતવારા બાયપાસ પાસે કશીશ હોટલ આગળ ગોઠવેલ વોચ દરમિયાન મધ્યપ્રદેશના પીટોલ બાજુથી ડુંગળીના કટ્ટાની આડમાં સંતાડીને લઈ જવાતા રૂપિયા ૬૪.૧૧ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ ના જથ્થા સાથે સફેદ કલરનો ટાટા કંપનીનો આઇસર ટેમ્પો પકડી પાડી તેના ચાલકની અટકાયત કરી રૂપિયા ૧૦ હજારની કિંમતના બે મોબાઈલ ફોન તથા રૂપિયા ૨૦ લાખની કિંમતનો આઇસર ટેમ્પો મળી રૂપિયા ૮૪,૧૧,૬૦૦/-નો મુદ્દામાલ પકડી પાડી કબજે લીધાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે.શિયાળો તેમજ લગ્નસરાની સીઝન ને ધ્યાનમાં લઇ તગડો વેપલો રળી લેવાની મંછા રાખી ગુજરાતના બુટલેગરો સક્રિય બન્યા છે અને પડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી વિદેશી…

Read More

(પ્રતિનિધિ) આણંદ, ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદ ખાતે ૩જો દિક્ષાંત સમારંભ તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ યુનિવર્સિટીના સ્પોર્ટસ ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યો. આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે નેશનલ મેડિકલ કમિશનના ચેરમેન ડૉ. અભિજાત શેઠ તથા અતિથિવિશેષ તરીકે બેઝિક હૅલ્થકૅર સર્વિસિસ ઉદયપુરના કો-‘ફાઉન્ડર અને ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. પવિત્ર મોહન હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં ભાઈકાકા યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડૉ. ગૌરી ત્રિવેદી, સેક્રેટરી શ્રી અમિત પટેલ, મંડળના પૂર્વ સેક્રેટરી શ્રી જાગૃત ભટ્ટ, પ્રોવોસ્ટ ડૉ. અભય ધરમસી, રજીસ્ટ્રાર ડૉ. જ્યોતિ તિવારી, ડીન રિસર્ચ ડૉ. માધવી પટેલ, પ્રમુખસ્વામી મેડિકલ કાલેજના ડીન ડૉ. સ્વપ્રીલ અગ્રવાલ, કે.એમ. પટેલ ઈન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ ડૉ. આર હરિહરા પ્રકાશ, શ્રીમતિ એલ.પી. પટેલ ઈન્સ્ટિટ્યૂટ આૅફ એલાઈડ હૅલ્થ…

Read More

Gujarat ATS Spy Arrest: ગુજરાત એટીએસ (ATS)ને એક મોટી સફળતા મળી છે. એટીએસ દ્વારા પાકિસ્તાનને સંવેદનશીલ સૂચનાઓ મોકલવાના આરોપમાં બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આમાં એક મહિલા અને એક પુરુષ શામેલ છે. પુરુષ વ્યક્તિ ભારતીય સેનાનો પૂર્વ સુબેદાર છે. એટીએસનું કહેવું છે કે બંને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ (ISI) ને ગોપનીય અને સંવેદનશીલ સૂચનાઓ મોકલી રહ્યા હતા.ધરપકડ: એટીએસએ મહિલાને દમણથી અને પુરુષને ગોવાથી પકડ્યો છે.આરોપ: એટીએસનો આરોપ છે કે બંને સંવેદનશીલ ક્ષેત્રોમાં જાસૂસી કરી રહ્યા હતા.ઓળખ: પકડાયેલી મહિલાનું નામ રશ્મિ રવિન્દ્ર પાલ છે, જ્યારે પુરુષ જાસૂસનું નામ એ. કે. સિંહ છે, જે સેનામાં સુબેદાર રહી ચૂક્યા છે.તપાસમાં જોડાઈ…

Read More