‘ગરવી ગુર્જરી’ના સહયોગથી ગાંધીનગરના રિદ્ધિબહેન ચાવડાએ કલમકારીને આધુનિક જીવનશૈલી સાથે જોડીને સ્વદેશી વસ્તુઓને આપ્યું પ્રોત્સાહન,કાપડ ઉપરાંત હોમ ડેકોર અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ પર પણ રંગ ઉતાર્યાવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘હર ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ના આહ્વાનને ગુજરાત રાજ્ય મજબૂત સમર્થન પૂરું પાડી રહ્યું છે. ખાસ કરીને,હસ્તકલા ક્ષેત્રે કારીગરોને પ્રોત્સાહન આપીને રાજ્યએ સ્વદેશી અભિયાનને નવી દિશા આપી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”ના દૃષ્ટિકોણ સાથે સ્વદેશી કારીગરી અને પરંપરાગત હસ્તકલાને આધુનિક બજારમાં નવી ઓળખ આપી રહી છે. આ પ્રયાસમાં ગુજરાત સરકારની સંસ્થા “ગરવી ગુર્જરી” મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ગરવી ગુર્જરીના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી…
Author: gujarat
મોડાસા તાલુકાના ખલીકપુર-૧ અને ર ના BLOને કારણદર્શક નોટીસ આપવામાં આવીમોડાસા, અરવલ્લી જીલ્લા સહીત મોડાસા તાલુકામાં મતદાર સુધારણા કાર્યક્રમ કામગીરીને આગળ વધારવામાં આવી રહી છે. જેમાં શિક્ષકો સહીત સરકારી કર્મચારીઓને મતદાર સુધારણાની જવાબદારી સોપવામાં આવી છે.મોડાસા તાલકુના ખલીકપુર-૧ અને ખલીકપુર-રના બીએલઓને ઈએફ ફોર્મ ભરાવામાં બેદરકારી દાખવતા મતદાર નોધણી અધિકારીએ કારણદર્શ્ક નોટીસ ફટકારી બે દિવસમાં ધીમી કામગીરી અંગે ખુલાસો માંગતા બીએલઓની કામગીરી કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.અરવલ્લી જીલ્લાના ૩૧ મોડાસા વિધાનસભામાં સમાવીષ્ટ વિસ્તાર ભાગ નંબર ૧૯૬ ખલીકપુર-૧ની કામગીરી કરતા બીએલઓ શૈલેષભાઈ પટેલ અને ભાગ નંબર ૧૯૭ ખલીકપુર-રના અંજનાબેન પટેલને મતદાર નોધણી અધિકારીએ બીએલઓની કામગીરીમાં સમય મર્યાદામાં ઓછા પ્રમાણમાં કામગીરી કરવા માટે…
જળસંચય અંતર્ગત ૩રપથી વધુ તળાવો તથા ૩૦ હજારથી વધુ શોષ કૂવાનું નિર્માણ કર્યુંપાલનપુર, ગુજરાતની ગૌરવવંતી સંસ્થા બનાસ ડેરીને જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનના ક્ષેત્રે અદ્વિતીય યોગદાન બદલ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત છઠ્ઠા ‘નેશનલ વોટર એવોડ્ર્ઝ’માં પ્રથમ પુરસ્કાર એનાયત કરાયો છે. વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે નેશન વોટર એવોર્ડ એનાયત કરાયો હતો. The award “National Water Award 2024″ was conferred on Banas Dairy at Delhi by the hands of the President Smt. Draupadi Murmu.બનાસ ડેરીને પુરસ્કાર ‘શ્રેષ્ઠ ઔદ્યોગિક એકમ’ની શ્રેણીમાં તેની જળ સંરક્ષણની શ્રેષ્ઠ કામગીરી માટે એનાયત કરાયો છે. જે સમગ્ર ગુજરાતના…
પાટણ, પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના એચ.આર. મેનેજર અલ્કેશકુમાર રાજપુતે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આપઘાતનું કારણ અકબંધ રહેતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી માહિતી મુજબ સિદ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં એચ.આર. મેનેજર તરીકે ફરજ બજાવતા ૩૬ વર્ષીય અલ્કેશકુમારનો મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યો હતો, જેની જાણ વહેલી સવારે પરિવારજનોને થતાં તેમણે પોલીસને જાણ કરી હતી.આ ઘટના સિદ્ધપુર શહેરના હાઈવે નજીક આવેલી ભાઈકાકા સોસાયટીના સી-પર નંબરના મકાનમાં બની હતી. અલ્કેશકુમારે કોઈ અગમ્ય કારણોસર પંખા સાથે સફેદ ખેસ વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.ઘટનાની જાણ થતાં જ સિદ્ધપુર પોલીસની ટીમ સ્થળ પર…
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદની સંસ્કાર વિધાલયના પટાંગણમાં રૂપિયા અઢી લાખના ખર્ચે બનનારા રોડનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.સંસ્કાર વિદ્યાલયના પટાંગણમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને આવન જાવન કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.જેથી સંસ્કાર વિદ્યાલયના આચાર્યા વૈશાલી મોદી દ્વારા ધારાસભ્ય ડી.કે.સ્વામીને રોડ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.ત્યારે ધારાસભ્યની ગ્રાન્ટ માંથી આજ રોજ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવતા સંસ્કાર વિદ્યાલયના શિક્ષકગણમાં ખુશી જોવા મળી હતી.આ પ્રસંગે ધારાસભ ડી.કે.સ્વામીએ સંસ્કાર વિદ્યાલયના બાળકો સાથે સંવાદ કરી શિક્ષણ સાથે વિશેષ કૌશલ્ય મેળવી આત્મનિર્ભર બનવા જણાવ્યું હતું.તેમજ સરસ્વતીના ધામ એવા વિદ્યાલયના રોડનું ગુણવતાયુક્ત કામ કરવા કોન્ટ્રાક્ટરે ટકોર પણ…
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે.આવું પ્રદુષિત પાણી વરસાદી કોસોમાં થઈને ખાડીઓ અને નર્મદા નદીમાં જતું હોઈ જેથી બંનેના જળ પ્રદુષિત થાય છે અને સાથોસાથે આવા પાણીથી ખેતીની જમીનોને પણ નુકશાન થાય છે.તેમજ આ પાણી પાલતુ અને જંગલી પશુઓના પીવામાં આવતા તેમના મોત પણ થાય છે.ત્યારે ગતરોજ ઝઘડીયા જીઆઈડીસીમાં એક સાથે આઠ ગામોના રહસ્યમમ સંજોગોમાં મોતને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.આ સંદર્ભે પશુપાલક ગંગદાસભાઈ ઘરજીયા (ભરવાડ) દ્વારા ઝઘડીયા જીઆઈડીસી પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ આપવામાં આવી હતી.ફરિયાદમાં જણાવ્યા અનુસાર જીઆઈડીસીની બ્લેક રોઝ કંપનીના પાછળના…
નડિયાદ, નડિયાદમાં એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે જ્યાં સુરજબા મહિલા આટ્ર્સ કોલેજમાં એમએ સેમેસ્ટર-૩માં અભ્યાસ કરતી એક તેજસ્વી વિદ્યાર્થિનીએ પિતાના લાંબી માંદગી બાદ થયેલા અવસાનના ગણતરીના કલાકોમાં જ તેમની અંતિમવિધિ પૂર્ણ કરી યુનિ.ની પરીક્ષા આપી છે. પિતા ગુમાવ્યાની અસહ્ય વેદના વચ્ચે પણ મનોબળ ટકાવી રાખનાર આ દીકરીની હિંમત જોઈ સમગ્ર કોલેજ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો.નડિયાદમાં મંજીપુરા રોડ પર આવેલ સાગરપાર્ક સોસાયટીમાં રહેતી મનીષાબેન રજનીકાંત સોલંકી નામની યુવતી હાલમાં નડિયાદ મીલ રોડ પરની સુરજબા મહિલા આટ્ર્સ કોલેજમાં એમએ સેમેસ્ટર-૩માં અભ્યાસ કરી રહી છે તેના પિતા રજનીકાંતભાઈ સોલંકી લાંબા સમયથી લીવરના કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા.મંગળવારે…
ધ્રાંગધ્રા, નીલકંઠ વિદ્યાપીઠ ટ્રસ્ટ (હૈદરાબાદ) સંચાલિત શ્રી સ્વામિનારાયણ આશ્રમ જેગડવા ચોકડી, ધ્રાંગધ્રા મુકામે પાંચ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તારીખ ૨૬ થી ૩૦ દરમિયાન યોજાનાર મહોત્સવના પ્રેરક પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી સત્યપ્રકાશ દાસજી છે.આ પ્રસંગે હૈદરાબાદથી પધારેલ શ્રી વિવેકસાગર સ્વામીએ માહિતી આપતા જણાવ્યું કે આ મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંતો સહિત નાના-મોટા ૨૧૨ સંતોની ઉપસ્થિતિમાં જય યજ્ઞ, સંત સંમેલન, વ્યાખ્યાન માળા, મહાપૂજા ઉપરાંત શ્રીમદ સત્સંગી જીવન કથા હૈદરાબાદ સ્થિત પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી હરિદર્શનદાસજી સ્વામીના શ્રીમુખે સાંભળવાનો લહાવો મળશે.તારીખ ૨૬ ના સવારે શ્રી સ્વામિનારાયણ આશ્રમથી પોથી યાત્રા કથા સ્થળે મહોત્સવ જશે. નૂતન મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ,…
Gandhinagar Medical College Ragging: ગુજરાતના ગાંધીનગર મેડિકલ કૉલેજમાં રેગિંગની ઘટના પર રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરી છે. રેગિંગની ઘટનાની તપાસ અને સીસીટીવીમાં અમાનવીય કૃત્ય કરવા બદલ સરકારે દોષિત વિદ્યાર્થીઓને બે અને છ મહિનાની સમય અવધિ માટે સસ્પેન્ડ કરી દીધા છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ કહ્યું છે કે આવી ઘટના બીજા કૉલેજોમાં પણ ન થવી જોઈએ. જો રાજ્ય સરકારને નાની પણ ફરિયાદ મળશે, તો તેના પર તરત જ એક્શન જરૂર લેવામાં આવશે. રાજ્ય સરકારે થર્ડ યરના સાત વિદ્યાર્થીઓને બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે જ્યારે સેકન્ડ યરના વિદ્યાર્થીઓને છ મહિના માટે સસ્પેન્ડ કર્યા છે.આરોગ્ય મંત્રીનો કડક સંદેશમંત્રીમંડળના ફેરબદલમાં આરોગ્ય…
(પ્રતિનિધિ) દેવગઢ બારીયા, એસજીએફઆઈ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની ટેક્વોન્ડો ચેમ્પિયનશિપમાં દેવગઢ બારિયાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રતિભાશાળી વિદ્યાર્થી અર્શીલ ઈરફાનભાઈ મકરાણીએ ઉત્તમ પ્રદર્શન કરતા પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ જીતવાનો ઐતિહાસિક સરવાળો કર્યો છે.અર્શીલની શિસ્ત, સતત મહેનત અને રમત પ્રત્યેના સમર્પણના પરિણામ રૂપે આ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. રાજ્યકક્ષાની કઠોર સ્પર્ધામાં અનેક પ્રતિભાશાળી ખેલાડીઓને પાછળ રાખીને ગોલ્ડ મેડલ મેળવવો દેવગઢ બારિયા અને દાહોદ જિલ્લાના માટે ગૌરવની બાબત ગણાય છે.આ સિદ્ધિ સાથે રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે-સાથ દેવગઢ બારિયા, દાહોદ જિલ્લો અને સમગ્ર ગુજરાતનું નામ ઉજ્જવલ થયું છે. હાલમાં અર્શીલ મકરાણી સુરત ખાતે નેશનલ લેવલની તૈયારી માટેના વિશેષ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લઈ રહ્યા…
