Author: gujarat

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાની કલોલ સીટી સર્વે કચેરીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારના નેટવર્ક પર એન્ટી કરપ્શન બ્યુરોએ (એસીબી) ત્રાટકીને મોટી કાર્યવાહી કરી છે. જમીનની નોંધ પાડવા જેવી પાયાની કામગીરીમાં પ્રતિ નોંધ ૫,૦૦૦ રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાની ચોક્કસ બાતમીના આધારે એસીબીએ ગત તા. ૧૯/૦૨/૨૦૨૬ ના રોજ ડીકોય ટ્રેપ ગોઠવી હતી.આ ઓપરેશનમાં સીનીયર સર્વેયર અને સર્વેયર બંને ૫૦,૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. પ્રતિ નોંધ ૫,૦૦૦ નો બાંધ્યો હતો ભાવ: એસીબીને મળેલી ગુપ્ત માહિતી મુજબ, કલોલ સીટી સર્વે કચેરીમાં જમીનની કોઈપણ નોંધ પાડવા માટે અરજદારો પાસેથી ગેરકાયદેસર રીતે રકમ વસૂલવામાં આવતી હતી. આ માહિતીની ખરાઈ કરવા માટે એસીબીએ એક જાગૃત નાગરિકનો…

Read More

ગુજરાત સરકારના બજેટમાં કચ્છના સર્વાંગી વિકાસ માટે વધુ મહત્વ અપાયું : રાજ્ય મંત્રી શ્રી ત્રિકમ છાંગારાજ્યમાં સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે કચ્છ,દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાત,ઉત્તર ગુજરાત,સૌરાષ્ટ્ર,સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર માટે રૂ. બે હજાર કરોડની જોગવાઈકચ્છ જિલ્લામાં દુધઇ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે રૂ. ૨૩૦ કરોડ ફળવાયાકચ્છ અને અન્ય વન વિસ્તારમાં ગાંડા બાવળને દૂર કરી તેના સ્થાને બામ્‍બૂ(વાંસ) સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર તેમજ કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્‍ડ રીસ્ટોરેશન માટે રૂ. ૯૭ કરોડની જોગવાઇકોઈપણ વ્યક્તિ,સમાજ કે રાષ્ટ્રના વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરીયાત છે. આ મહત્વની કેન્દ્ર સ્થાને રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શિક્ષણ માટે અંદાજપત્ર : ૨૦૨૬-૨૭માં સૌથી વધુ ઐતિહાસિક રૂ. ૬૩…

Read More

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના સંચાલકોની માનવતા અને નિયમોને નેવે મૂકતી એક ઘટના સામે આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ બતાવવા ગયેલા માસૂમ બાળકોને પરત લાવતી વખતે રિક્ષાઓમાં ખીચોખીચ ભરીને તેમના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હતા.બુધવારે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના બાળકોને શૈક્ષણિક પ્રવાસ અને મનોરંજનના ભાગરૂપે ક્રિકેટ મેચ બતાવવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લઈ જવામાં આવ્યા હતા. મેચ પૂર્ણ થયા બાદ પરત ફરતી વખતે. એક જ રિક્ષામાં ક્ષમતા કરતા અનેકગણા વધારે બાળકોને ખીચોખીચ ભરવામાં આવ્યા હતા.રિક્ષાની બહાર લટકતા અને એકબીજા પર દબાયેલા બાળકોના દ્રશ્યોએ રસ્તા પરથી પસાર થતા લોકોમાં ફફડાટ ફેલાવ્યો હતો. જવાબદાર શિક્ષકો…

Read More

૧૧-૧૭ વર્ષની વયનાં બાળકો પર નિશાનઃ ‘સેન્ડબોક્ષ’ ગેમસ બની રહી છે વધુ જોખમી -‘રોબ્લોકસ’, ‘માઈનક્રાફટ’ અને ‘ડિસ્કોર્ડ’ પર ડિજીટલ શિકારીઓની નજરફનલ સ્ટ્રેટેજી એ એક એવી પ્રક્રિયા છે. જેમાં અજાણી વ્યકિતને ધીમે ધીમે પ્રભાવીત કરીને તેને જોડાયેલા રાખવામાં આવે છે(એજન્સી)નવીદિલ્હી, તમારા બાળકને જો મોબાઈલ પર ગેમ રમવાની લત લાગી ગઈ હોય તો આ હવે માત્ર મનોરંજનમાં સમય બગાડવાનો મુદો નથી રહયો. હવે આ સુરક્ષા સાથે જોડાયેલી ગંભીર ચિંતા બની ગઈ છે. અમેરીકામાં પ્રકાશીત એક મીડીયા રિપોર્ટમાં થયેલાં ખુલાસા માત્ર વિશ્વભરના માતાપિતાએ માટે જ નહી પરંતુ સરકારે માટે પણ ચિંતાજનક છે.રીપોર્ટ મુજબ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો અને નફરત ફેલાવનારા જુથો હવે રોબ્કલોક માઈનક્રાફટ…

Read More

હવાલા કેસમાં તપાસનો ધમધમાટ, પૂરતા બંદોબસ્ત સાથે ટીમો ત્રાટકી(એજન્સી)અમદાવાદ, વર્ષ ર૦ર૬ની શરૂઆતથી જ અમદાવાદમાં ઈડીના દરોડા વધી ગયા છે. ૪૦ દિવસમાં અમદાવાદમાં ઈડીના પાંચમી વખત દરોડા પડયા છે. અમદાવાદના પાન મસાલાના મોટા વેપારીના જુહાપુરા અને દાણીલીમડામાં આવેલી ત્રણ પ્રિમાઈસિસ પર ઈડીની ટીમે દરોડા પાડી હવાલાની વિગતો એકત્રિત કરી છે.મોટી સંખ્યામાં આવેલા અધિકારીઓ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડી હવાલા સંબંધિત તપાસ કરી હતી. બેન્ક એકાઉન્ટ અને મિલકતોની પણ ખરાઈ કરવામાં આવી છે. અધિકારીઓએ કોઈ મિલકતો ટાંચમાં લીધી કે બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કર્યા છે કે કેમ તેની વિગતો જાણી શકાઈ નથી. ભૂતકાળમાં કરોડો રૂપિયાના હવાલા અંગે શરૂ થયેલી તપાસમાં ઈડીના અધિકારઓ…

Read More

અમદાવાદ, ગુજરાતમાં સિકલ સેલ અને થેલેસેમિયા જેવાં આનુવંશિક બ્લડ ડિસઓર્ડરનું ભારણ વધી રહ્યું છે,જે સમયસર નિદાન અને સારવારની જરૂરિયાત ઉપર ભાર મૂકે છે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કરાયેલા આંકડા મૂજબ 28 જુલાઇ,2025 સુધીમાં ગુજરાતમાં સિકલ સેલ બિમારી માટે 77.34 લાખથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરાયું હતું,જેમાંથી 28,178 લોકોને બિમારી હોવાની પુષ્ટિ કરાઇ હતી. દેશભરમાં 9 ફેબ્રુઆરી,2026 સુધીમાં 33.44 લાખ વ્યક્તિઓનું થેલેસેમિયા માટે સ્ક્રીનિંગ કરાયું હતું,જેમાંથી 11,274ને થેલેસેમિયા મેજર કેસ અને 94,542ની બિમારીને વાહક (કેરિયર) તરીકે ઓળખ કરાઇ હતી.Gujarat Faces Significant Burden of Sickle Cell and Thalassemia; Experts Highlight Bone Marrow Transplant as Curative Option.સંસદમાં રજૂ કરાયેલાં ડેટા રાષ્ટ્રીય…

Read More

વર્તમાન સમિતિ કાર્યકારી સમિતિ તરીકે રોજિંદા કામોના નિર્ણય લેશે(એજન્સી)અમદાવાદ, બરોડા ક્રિકેટ એસોસિએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણીના જંગના મામલે થયેલી રિટ પિટીશનમાં હાઈકોર્ટે પાંચમી માર્ચે ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં તમામ પક્ષોની સુનાવણી પૂર્ણ થઈ છે અને હાઈકોર્ટના જસ્ટિસ નારિલ મહેતાએ એવી સ્પષ્ટતા પણ કરી છે કે,એસોસિએશનની વર્તમાન સમિતિ કાર્યકાર સમિતિ તરીકે રોજિંદા કામ કરશે. વર્તમાન સમીતિ મહત્ત્વના કે નીતિ વિષય નિર્ણયો લઈ શકશે નહીં. ચુકાદો જાહેર ન થાય ત્યાં સુધી બેલેટ પેપર સુરક્ષિત રાખવાના રહેશે. નોંધનીય છે કે, આ મામલે બે દિવસ હાઈકોર્ટ સમક્ષ પક્ષકારો તરફથી મેરેથોન દલીલો કરવામાં આવી હતી.આ મામલે પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિએ હાઈકોર્ટમાં અરજી કરી હતી…

Read More

નવા નિયમોનો પ્રસ્તાવઃ વિમાન, મુસાફરોની સુરક્ષા માટે ઝીરો ટોલેરન્સ નીતિ(એજન્સી)નવીદિલ્હી, વિમાનમાં ઉપદ્રવી કે બેકાબુ મુસાફરો સામે કાર્યવાહી કરવા માટે નવા આકરા નિયમોની દરખાસ્ત કરાઈ છે. આ સુચીત નિયમો મુજબ એરલાઈનસ કંપનીઓ પોતે જ આવા મુસાફરો પર ૩૦ દિવસ સુધીની તાત્કાલીક ફલાઈટ પ્રતીબંધ લાદી શકશે.અને આ ઉપરાંત ગંભીર પ્રકારના ગુના માટે ર વર્ષ અથવા અમર્યાદીત ફલાઈટ પ્રતીબંધ પણ સામનો કરવો પડશે. નાગરીક ઉડયન ક્ષેત્રની નિયમનકારી સંસ્થાએ આ નિયમોનો ડ્રાફટ જારી કરી ૧૬ માર્ચ સુધી સંબંધીત પક્ષકારો પાસેથી અભિપ્રાયો મંગાવ્યા છે.નવા નિયમોના ડ્રાફટમાં ડાયરેકટરોટ જનલ ઓફ સીવીલ એવીએશન ડીજીસીએ એ જણાવ્યું હતું. કે વિમાન મુસાફરો સંપતીની સુરક્ષા માટે ઝીરો ટોલરેના નીતી અપનાવવામાં…

Read More

ગાંધીનગર, ગાંધીનગરમાં બેફામ બનેલા ખનીજ માફીયાઓએ વધુ એક વખત હત્યાનાં ઈરાદે સરકારી ફરજ પરના અધિકારીઓ પર ડમ્પર ચઢાવી દેવાનો પ્રયાસ કરાયો હોવની ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.પીપળજ ચેકપોસ્ટ પર સાદી રેતી ભરેલા ડમ્પરને રોકવા ગયેલા ખાણ ખનીજ વિભાગના મહીલાઅધિકારી અને સ્ટાફ પર ડમ્પર ચઢાવી જીવલેણ હુમલાનો પ્રયાસ કરાયો છતાં નાટયાત્મક રીતે નિર્ભય બની ગેગનો મુખ્ય સુત્રધાર પેથાપુર પોલીસ મથકે વાહનો સાથે હાજર થયો હોવાની ફરીયાદ નોધાઈ છે. ઘટનાની વિગતો મુજબ ગાંધીનગર મદદનીશ ભુસ્તર શાસ્ત્રીની કચેરીમાં માઈનસ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા નવ્યા સુધીશ અને તેમનો સ્ટાફ પીપળજ ચેકપોસ્ટ પર ફરજ પર હતા.તે દરમ્યાન નંબર પ્લેટ વગરનું એક શંકાસ્પદ ડમ્પર ત્યાંથી પસાર…

Read More

સુરતના હીરા બજારના ૮૦ વેપારી ડાયમંડ બુર્સમાં કારોબાર શરૂ કરશે -હીરા બજારના વેપારી-સ્ટાફ માટે બસ દોડાવાશેસુરત, સુરતના ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવાના વધુ એક પ્રયાસ સાથે ૧૮ ફેબ્રુઆરીથી મહિધરપુરા અને વરાછા મીનીબજારનાના ૩૦થી વધુ અગ્રણી હીરા વેપારીઓએ તેમજ ૪૦થી પ૦ જેટલા મધ્યમ વર્ગના વેપારીઓ કેબિનમાં પોતાનો કારોબાર શરૂ કરશે.ખજોદ ખાતે અંદાજે ૩૪૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલું વિશ્વનું સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવાના લાખ પ્રયત્ન બાદ પણ સંપૂર્ણપણે ધમધમતું થઈ શક્યું નથી.જો કે, ચાર મહિના અગાઉ રાજ્યના ડેપ્યુટી સી.એમ. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં દિવાળી બાદ એટલે કે વર્ષ ર૦ર૬માં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વેપારીઓ બુર્સ…

Read More