Author: gujarat

ભાવનગર, ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાં રહેતા વન વિભાગના એસીએફ શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની, પુત્ર અને પુત્રીની નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી. હત્યા બાદ ફરાર થઈ ગયેલા શૈલેષ ખાંભલાને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતમાંથી ઝડપી પાડ્યો હતો અને ભરતનગર પોલીસને સોંપ્યો હતો.આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભરતનગર પોલીસે હત્યારા શૈલેષને ભાવનગર ચીફ કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી હતી.કોર્ટે દલીલોના અંતે શૈલેષના ૭ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં લોકો કોર્ટ પરિસર ખાતે એકઠા થયા હતા.પોલીસ…

Read More

અમદાવાદ, હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી અને ભાજપની સાંસદ કંગના રણૌટ સૌરાષ્ટ્રના સાસણ ગીરની મુલાકાતે આવી હતી. કંગના પોતાના ભાણેજ પૃથ્વી સાથે આવી હતી અને અહીં તેણે સફારી પાર્કની મુલાકાત લીધી હતી. સવારે કંગનાએ ગીરના એશિયાટિક સિંહ જોયા હતા અને પોતાના આ અનુભવને સોશિયલ મીડિયા પર શેર કર્યાે હતો.સાસણ ગીરના વન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કંગના મંગળવારે સવારે તેની મોટી બહેનના દીકરા પૃથ્વી સાથે સફારી પાર્કમાં ફરવા ગઈ હતી. તેણે ખુલ્લી જીપ્સીમાં બેસી લગભગ બે કલાક આ વિસ્તારમાં વિતાવ્યાં હતાં.કંગનાએ બે સિંહ અને એક સિંહણ જોયા હતા અને આ અનુભવથી તે ખુશ થઈ ગઈ હતી.અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ…

Read More

મ્યુનિ. કમિશનરની અધિકારીઓને સ્પષ્ટ સૂચના: ઓફિસર નહીં, નાગરિક બનીને વિચારો(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના નાગરિકોને પા‹કગ મામલે ખુબ જ હાલાકી થઈ રહી છે. કોર્પોરેશન દ્વારા બહુમાળી પાર્કિગ તૈયાર કરવામાં આવે છે પરંતુ નાગરિકોને તેના ખાલી સ્લોટ કે ભાડા વિશે કોઈ જ વિગત મળતી નથી. તે મામલે કમિશનરે ઈ ગવર્નન્સ વિભાગના ડેપ્યુટી કમિશનરનો ઉધડો લીધો હતો.આ ઉપરાંત બીયુ તેમજ ફાયર એનઓસી વિના ચાલતી હોસ્પિટલોને સીલ કરવા પણ આદેશ કર્યો છે. મ્યુનિ. કમિશનરે તેમની દર સપ્તાહે મળતી રીવ્યુ બેઠકમાં નાગરિકોના હિત માટે અધિકારીઓને આડા હાથે લીધા હતા. તેમજ કહયું હતું કે એસી ગાડીમાંથી બહાર નીકળી સામાન્ય નાગરિકની જેમ ફરો તો ખ્યાલ આવશે કે…

Read More

(એજન્સી)ગાંધીનગર , ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીના પટમાંથી રેતી ચોરનારા ભૂમાફિયા તત્વોની દાદાગીરી વકરી રહી હોય તેવો ચોંકાવનારો બનાવ ૧૦ નવેમ્બરના રોજ ગાંધીનગર-કલોલ હાઇવે પર બન્યો હતો.ખાણ ખનીજ વિભાગના મહિલા અધિકારીને ઘેરી લઇ ધમકી આપી ગેરકાયદે રીતે રેતી ભરેલું ડમ્પર છોડાવી ગયા હોવાની ઘટના અંગે કલોલ તાલુકા પોલીસે ૬ આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની પાસેથી ૩૫.૪૫ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગર મદદનીશ ભૂસ્તર વિભાગની કચેરીમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા દેવયાનીબા મહેન્દ્રસિંહ જાડેજા ૧૦ નવેમ્બરના રોજ તેમની ટીમ સાથે ગાંધીનગર-છત્રાલ હાઇવે પર રૂટિન ચેકિંગમાં હતા. તે દરમિયાન તેમણે એસીયન ટ્યુબ્સ પ્રાઇવેટ લીમીટેડના ગેટ પાસે…

Read More

તમામ પ્રભારી મંત્રીઓને પોતાના પ્રભારી જિલ્લામાં રાજ્યના માર્ગોની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થળ સ્થિતિનો વિગતવાર અહેવાલ તૈયાર કરવા સૂચના આપી હતી.ગાંધીનગર, રાજ્યમાં રસ્તાઓની બગડેલી સ્થિતિ અંગે મુખ્યમંત્રી અત્યંત ગંભીર બની ગયા છે. તાજેતરમાં યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને કડક સૂચનાઓ આપી છે કે રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામોમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહી આવે.ખાસ કરીને તાજેતરમાં બનેલા નવા રસ્તાઓ જો ઓછા સમયમાં તૂટી ગયા હોય અથવા નુકસાન પામ્યા હોય તો તેમના જવાબદાર કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને સંબંધિત સંસ્થાઓ સામે તાત્કાલિક પગલાં લેવા માટે હુકમ કરવામાં આવ્યો છે.રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માર્ગોની સ્થિતિ અંગે મુખ્યમંત્રીએ સમીક્ષા કરી…

Read More

૧૮ નવેમ્બરથી ૧૬ જાન્યુઆરી સુધી અમલમાં રહેનારા આ નિર્દેશ મુજબ તમામ ગેરેજોને વાહનો અને તેમના માલિકોના વિગતવાર રેકોર્ડ જાળવવા અને તેમના પરિસરમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે.અમદાવાદ, દિલ્હીના લાલ કિલ્લા નજીક તાજેતરમાં બનેલી કાર-બોમ્બ ઘટનાના પગલે અમદાવાદના પોલીસ કમિશનરે ગેરેજ માલિકોને વાહનોના રેકોર્ડ રાખવા અને સીસીટીવી કેમેરા લગાવવા માટે ફરજિયાત આદેશ જારી કર્યો છે.અમદાવાદ સિટી પોલીસ કમિશનરેટ દ્વારા તાજેતરમાં લેવાયેલા એક કડક પગલામાં શહેરના તમામ વર્કશોપ્સ, ગેરેજો અને સર્વિસ સ્ટેશનોના સઘન મોનિટરિંગ માટે એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ નિર્ણય પર દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર-બોમ્બ વિસ્ફોટની ઘટનાની ગહન અસર જોવા મળી રહી છે.૧૮ નવેમ્બરથી ૧૬…

Read More

(એજન્સી)ગાંધીનગર, ટેકાના ભાવે રાજ્યના ૭૦,૦૦૦ થી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૧,૧૭૭ કરોડના મૂલ્યની ૧.૬૨ લાખ મેટ્રીક ટનથી વધુ મગફળી ખરીદાઈ છે. રૂ. ૧૦,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય મેળવવા આજસુધીમાં ૧૦ લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હોવાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.સપ્ટેમ્બર-૨૦૨૫ના કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા પણ પાંચ અસરગ્રસ્ત જિલ્લાના ૧.૨૫ લાખ ખેડૂતોએ અરજી કરી હતી. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ચાલી રહેલી ટેકાના ભાવે મહફળીની ખરીદી તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા બે કૃષિ રાહત પેકેજ સંદર્ભે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.આ સંદર્ભે પ્રેસ-મીડિયાને માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અત્યાર…

Read More

સ્કૂલોના ખાતાકીય ઓડિટને લઈને ૨૯ નવેમ્બર સુધી મુદત લંબાવવામાં આવી(એજન્સી)અમદાવાદ, શહેરની સ્કૂલ ખાતાકીય ઓડિટમાં ઉદાસીનતા દાખવી રહી હોવાનું જાણવા મળે છે. અમદાવાદ શહેરની ૧૯૫ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોનું ૨૦૨૨-૨૩ સુધીનું ઓડીટ બાકી હોવાથી શહેર DEO દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જોકે, કેમ્પમાં પણ માત્ર ૨૦થી ૨૨ જેટલી સ્કૂલોએ જ ઓડીટ કરાવવાની તસ્દી લીધી હતી. જ્યારે ૧૪૦ કરતા વધુ સ્કૂલોએ ઓડીટ કરાવ્યું ન હતું. આમ, અનેક સ્કૂલનું ઓડીટ બાકી રહેતા ૨૯ નવેમ્બર સુધી તારીખ લંબાવવામાં આવી છે.જેથી બાકી રહેલી સ્કૂલો માટે કેમ્પનું આયોજન કરાશે. આ કેમ્પમાં હાજર ન રહેનારી સ્કૂલોની ગ્રાન્ટ અટકાવવાની ચિમકી આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ…

Read More

(એજન્સી)છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને એપીએમસીના ચેરમેન મુકેશ પટેલનું બુધવારે હાર્ટ એટેકથી દુઃખદ નિધન થયું છે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે નગરમાં આયોજિત તિરંગા યાત્રાના સમાપન સમયે જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો.તેમના આકસ્મિક નિધનથી સમગ્ર જિલ્લાના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી ફરી વળી છે. સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુર નગરના ઝંડા ચોકથી ઘેલવાંટ સુધી ૬ કિલોમીટરની તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ભાજપના પૂર્વ મહામંત્રી અને ઉચ્ચતર માધ્યમિક સંઘના પ્રમુખ એવા મુકેશ પટેલ પણ આ પદયાત્રામાં પૂરા ઉત્સાહ સાથે જોડાયા હતા. યાત્રા ઘેલવાંટ ખાતે પૂર્ણ થઈ, તે સમયે જ મુકેશ પટેલની તબિયત અચાનક…

Read More

લાજપોર જેલના જેલરના નામે ધમકી આપનાર ઈસનપુરમાંથી ઝડપાયો -અગાઉ છ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાયેલી હોવાનું ખૂલ્યું(એજન્સી)અમદાવાદ, અડાજણ બ્લેકમેઈલિંગ કેસના આરોપીના પરિવારજનોને લાજપોર જેલના જેલર તરીકે ઓળખ આપીને શખ્સે વીઆઈપી સુવિધા આપવાનું કહીને પૈસા માંગી તેમજ ધાકધમકીઓ આપી હતી.આ સમગ્ર ઓડિયો રેકોર્ડીંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે પરિવારજનોએ સુરતમાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ ઝોન ર એલસીબીએ બાતમીના આધારે નકલી જેલરને પકડી પાડીને સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. જો કે, આરોપી વિરૂદ્ધમાં અગાઉ ૬ ફરિયાદો નોંધાયેલી છે અને તે અનેક વખત નકલી અધિકારી બનીને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી ચૂકયો છે.અડાજણ બ્લેકમેઈલિંગ કેસમાં સંડોવાયેલા શખ્સ હાલમાં લાજપોર…

Read More