અંકલેશ્વર, અંકલેશ્વરની રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસીસ ની આડ માં ચાલતું ડુપ્લીકેટ માર્કશીટ કાંડ સામે આવ્યું છે. જેમાં મુખ્ય સૂત્રધાર એવા દિલ્હીનો ભેજાબાજ વોન્ટેડ જાહેર કરાયો છે.ધોરણ ૧૦ અને ૧૨ અને આઈ.ટી.આઈ ની નકલી માર્કશીટ માત્રે ૧૦ થી ૧૫ હજાર માં બનતી હતી. દિલ્હીના ઠગ દિલ્હીથી માર્કશીટ બનાવી કુરિયર કરતા હતો.પોલીસે ડુપ્લીકેટ માર્કશીટ સહીત કોમ્પ્યુટર મળી ૪૫ હજારના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.અંકલેશ્વરમાં કાપોદ્રા પાટિયા પર આવેલ હેપ્પી કોમ્પ્લેક્ષમાં રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસીસ ની આડમાં ધોરણ ૧૦, ૧૨ અને આઇ.ટી.આઇ. ની ડુપ્લીકેટ માર્કશીટ, સર્ટીફીકેટ બનાવી અપાતી હોવાની ભરૂચ એસ.ઓ.જીને માહિતી મળતા જયેશ પ્રજાપતિના ક્લાસમાં દરોડો પાડ્યો હતો.ક્લાસિસમાંથી દિલ્હી બોર્ડ,…
Author: gujarat
રાજકોટ, વિશ્વપ્રસિધ્ધ રાજકોટની સોની બજારનાં વેપારીઓનું સોનું લઈ બંગાળી કારીગરો ભાગી જતા હોવાનાં કિસ્સા હવે સામાન્ય બની ગયા છે, જેને કારણે વેપારીઓ અને બંગાળી કારીગરો વચ્ચે વિશ્વાસનું ‘સંકટ’ ઉભુ થયું છે.છેલ્લા એક જ વર્ષમાં વેપારીઓનું અંદાજે ૫૦ કરોડનું સોનું લઈ બંગાળી કારીગરો ભાગી ગયાનું અનુમાન છે. વધુ બે વેપારીનું રૂ ૧.૭ કરોડનું સોનું બંગાળી કારીગરો ઓળવી ગયાના કિસ્સા બહાર આવ્યા છે.અગાઉ બંગાળી કારીગરો ૨૫- ૫૦ ગ્રામ સોનુ લઈ ભાગી જતાં હોવાનાં કિસ્સા બનતા હતાં. હવે તેને બદલે વેપારીઓએ આપ્યું હોય તેટલું સોનુ લઈ ભાગી જવાનાં કિસ્સા બનવા લાગ્યા છે.કેટલાક કારીગરો વેપારીઓની અપેક્ષાથી પણ સારૂ કામ કરી આપે છે. જાણે વેપારીઓના…
મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષે સંબોધી પત્રકાર પરિષદઅમદાવાદ, બિહાર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ને મળેલી પ્રચંડ બહુમતી અને ઐતિહાસિક વિજયની ખુશીમાં, આજે ગુજરાત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે એક ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉજવણીમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) એ વિશેષ રૂપે ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા હતા અને ત્યારબાદ પત્રકાર પરિષદ સંબોધી હતી.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિજયોત્સવને સંબોધતા બિહારની જનતાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, “બિહારની જનતાએ ફરી એકવાર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ અને NDA ગઠબંધનની વિકાસની રાજનીતિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વિજય માત્ર આંકડાઓનો વિજય…
જમ્મુ અને કાશ્મીર પોલીસે સ્થાનીક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને યુનીવસીટી કેમ્પસમાં ડો. મુઝમ્મિલ અહેમદ ગની ઉર્ફે મુસૈબની પુછપરછ કરી હતી.ગુપ્તચર વિભાગે ર૮ ઓકટોબરે અહેવાલ રજુ કર્યો છતાં પોલીસ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ(એજન્સી)નવીદિલ્હી, ર૮ ઓકટોબરના રોજ ગુપ્તચર વિભાગના એક પોલીસ અધિકારીએ ધીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને અલ ફલહ યુનિવસીટી નજીક શંકાસ્પદ વ્યકિતઓને અને ગતીવીધીઓને જાણ કરી. તેમણે આ રીપોર્ટ તેમના ઉપરી અધિકારીઓને મોકલ્યો. આશ્ચર્યજનક રીતે સ્થાનીક પોલીસેઅને ક્રાઈમ બ્રાન્ચ આ રીપોર્ટ મળ્યા પછી ઘણા દીવસો સુધી બેદરકાર રહયા.એક સત્તાવાર ગુપ્તચર સુત્રએ જણાવ્યું હતું કે ર૮ ઓકટોબરે તૈયાર કરાયેલો આ અહેવાલ બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસ ૩૦ ઓકટોબરે અલ…
છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં ૩૮.૧૫ લાખ માલવેર ડિટેક્શન નોંધાયાઅમદાવાદ, આજે ઘણા લોકો એકપણ મિનિટ મોબાઈલ વગર રહી શકતા નથી. ઘણા લોકો તેમની તમામ વિગતો જેવીકે પાસવર્ડ, બેંક ડિટેલ વગેરે ફોનમાં રાખતા હોય છે. જેના કારણે હવે સાયબર ક્રિમિનલ્સ માટે મોબાઈલ હેક કરવું આસાન બની ગયું છે. ડેટા સિક્યોરિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને સિક્રાઈટના ‘ધ ઈન્ડિયા સાયબર થ્રેટ રિપોર્ટ ૨૦૨૫’ મુજબ સાયબર ગુનેગારો માટે હવે સ્માર્ટફોન સૌથી હોટ ટાર્ગેટ છે અને ગુજરાત તેમના મનપસંદ શિકારના મેદાનોમાંથી એક છે.રિપોર્ટ મુજબ સુરત ભારતમાં માલવેર કેપિટલ તરીકે ઉભરી આવ્યું હતું, જે રાષ્ટ્રીય ડિટેક્શનના ૧૪.૬ ટકા અને પ્રતિ ઉપકરણ ૬૯.૩ ધમકીઓ મળી હતી. જ્યારે અમદાવાદ,…
બેંકો પાસેથી પણ જાણકારી મેળવવામાં આવી રહી છે-યુઆઈડીએઆઈ એ માહિતી આપી(એજન્સી)કોલકતા, આધારકાર્ડના મામલે પશ્ચિમ બંગાળમાંથી એક ચોકાવનારો આંકડો સામે આવ્યો છે. યુનીક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડીયા યુઆઈડીએઆઈને રાજયના મુખ્ય ચુંટણી અધિકારી સીઈઓ મનોજકુમાર અગ્રવાલને જાણકારી આપી હતી. કે રાજયમાં લગભગ ૩૪ લાખ જેટલા આધાર કાર્ડધારકો મૃત હોવાનું જાણવા મળ્યું છેકે આ ઉપરાંત આશરે ૧૩ લાખ જેટલાં લોકો એવા છે, કે જેમની પાસે કયારેય આધારકાર્ડ હતું નહી. પણ હવે તેમનું નિધન થઈ ચુકયુંછે.યુઆઈડીએઆઈના અધિકારીઓ દ્વારા આ માહિતી એક બેઠક દરમ્યાન ચુંટણી અધિકારીને આપવામાં આવી છે. આ બેઠક સ્પેશીયલ ઈન્ટેન્સિવ રીવ્યુ એસઆઈઆર અભિયાન હેઠળ મતદાર યાદીના શુદ્ધીકરણના ઉદેશ સાથે યોજવામાં આવી હતી.નોધનીય…
Gujarat Cyber Cell: ગુજરાતના સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સે એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ કરતાં મોટી સફળતા મેળવી છે. સાયબર સેલે મ્યાનમારના કુખ્યાત ‘KK પાર્ક’માં માફિયાઓ દ્વારા સંચાલિત સ્કેમ સેન્ટરોના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર આ કિંગપિન એક વિશાળ નેટવર્કનો વડો હતો, જે ભારત, શ્રીલંકા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઇજીરીયા, ઈજીપ્ત, કેમરૂન, બેનિન અને ટ્યુનિશિયા જેવા દેશોમાંથી 500થી વધુ નાગરિકોની તસ્કરી માટે જવાબદાર હતો.આ લોકોને મ્યાનમાર, કંબોડિયા, વિયેતનામ, થાઇલૅન્ડ અને દુબઈ જેવા દેશોમાં મોકલીને ‘સાયબર સ્લેવરી’ એટલે કે સાયબર ગુલામી કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા. તેમની પાસે બળજબરીથી ઓનલાઇન ફ્રોડ અને કૌભાંડો કરાવવામાં…
કલોલને જળબંબાકારની સમસ્યામાંથી મુક્તિઃ ઔડા દ્વારા સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાંખવાનો નિર્ણયગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના અને તાજેતરમાં માવઠાના વરસાદ દરમિયાન ઠેર-ઠેર પાણી ભરાવાના દૃશ્યો સર્જાયા હતા. વરસાદી પાણીના ઝડપી નિકાલની વ્યવસ્થાના અભાવે સ્થાનિકોમાં વ્યાપક રોષ હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, આખરે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા કલોલના સઈજથી ગુરૂકુલ સુધીના પટ્ટામાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાંખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના હદ વિસ્તારમાં સમાવિષ્ટ કલોલ તાલુકાના આ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ સ્કીમો અમલી કરવાની સાથે રસ્તા, પીવાના પાણી, ગંદા પાણીના નિકાલ અને સ્ટ્રીટ લાઈટ જેવી માળખાકીય સુવિધાઓના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. હવે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન…
Gandhinagar Mega Demolition: પાટનગર ગાંધીનગરને દબાણ મુક્ત કરવા માટે પાટનગર યોજના વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના પેથાપુર ખાતે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો પર વહીવટીતંત્રએ સખત કાર્યવાહી કરી છે. પ્રશાસને સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે વકફ બોર્ડમાં નોંધાયેલી મોટી અને નાની દરગાહોના ગેરકાયદેસર કબજાને હટાવી દીધા છે. આ કાર્યવાહી અંતર્ગત શહેરના સેક્ટર 1 થી ૩0 માં આવેલા 1400 થી વધુ ગેરકાયદેસર ઘર-ઝૂંપડાંના દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ 1400થી વધુ દબાણકર્તાઓને તંત્ર દ્વારા અગાઉ નોટિસો પાઠવવામાં આવી હતી. જોકે,…
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. પોલીસ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સ વિરુદ્ધ શરૂ કરાયેલા ખાસ અભિયાન હેઠળ શહેરા તાલુકાના બોરીયા ગામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડોડીયાર ફળીયામાંથી લીલા ગાંજાના ૮૨ છોડ મળી આવતા પોલીસએ એક આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી. અસારી તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવા માટે ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. તે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એ. પટેલને ચોક્કસ બાતમી મળતા ટીમે તરત જ રેડ યોજી હતી.પ્રાપ્ત બાતમી આધારે એસ.ઓ.જી.ની ટીમ — પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.કે. ગોહિલ, સ્ટાફ તથા બે…
