Author: gujarat

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેરમાં વધતા જતાં ટ્રાફિક બોજા અને માર્ગો પર થતા અવરોધોને ધ્યાનમાં રાખી ભરૂચ વહિવટી તંત્ર દ્વારા દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી હતી.શહેરના મુખ્ય માર્ગોને દબાણમુક્ત બનાવવાના હેતુસર શક્તિનાથથી શ્રવણ ચોકડી તરફ જતાં માર્ગના બંને બાજુ આવેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. માર્ગની સીમાથી અંદાજે ૧૫ મીટર સુધી આવેલા લારીઓ, ગલ્લાઓ, શેડ, ઓટલા તેમજ અન્ય પક્કા-કચ્ચા બાંધકામો પર જેસીબી મશીનો ફેરવી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.આ કામગીરી બુધવારની સવારે એસ.ડી.એમ મનીષા માનાની તથા મામલતદારના માધવી મિસ્ત્રીના માર્ગદર્શન અને સૂચના હેઠળ હાથ ધરવામાં આવી હતી.કામગીરીની શરૂઆત અયોધ્યાનગર નજીક આવેલ શ્રી મોઢેશ્વરી…

Read More

(પ્રતિનિધિ) નડિયાદ, મહેમદાવાદ તાલુકાના છાપરા ગામે આવેલી સરકારી માધ્યમિક શાળામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળાના પ્રિન્સિપાલે ધોરણ ૯ માં અભ્યાસ કરતા ૧૪ વર્ષીય વિદ્યાર્થીને સામાન્ય બાબતે ક્લાસ રૂમમાં લઈ જઈ નિર્દયતાપૂર્વક માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.આ મામલે વિદ્યાર્થીના પિતાએ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં પ્રિન્સિપાલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અરજી આપતા પોલીસે બી.એન.એસ. તથા જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ?મહેમદાવાદના વીરોલ નીલકંઠ પુરા વિસ્તારમાં રહેતા સુખદેવભાઇ બાબરભાઇ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ માં જણાવ્યું છે કે તેમનો ૧૪ વર્ષીય પુત્ર કરણ છાપરા ગામની સરકારી માધ્યમિક શાળામાં ધોરણ ૯ માં અભ્યાસ…

Read More

નવસારી, સોનગઢના ડુંગરાઓમાંથી નીકળી પવિત્ર મીંઢોળા નદી આજે ઉદ્યોગપતિઓની ગટર લાઈન બની ગઈ છે. સુરત અને નવસારીના ઉદ્યોગો દ્વારા ઠલવાતા ઝેરી એસિડ અને કેમિકલે મરોલી પંથકના પોસરા વાડા ગામ સહિતના અનેક ગામોમાં વિનાશ નોતર્યો છે.સ્થિતિ એટલી ગંભીર છે કે, પ૦૦ વીઘાથી વધુ ઉપજાઉ જમીન હવે ડેડ ઝોન બની ગઈ છે જ્યાં ઘાસનું તરણું પણ ઉગવા તૈયાર નથી. મીંઢોળ નદી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા નજીકના પહાડોમાંથી શુદ્ધ પાણી સાથે નીકળે છે.પરંતુ સુરતના પલસાણાની ડાઈંગ-પ્રિન્ટિંગ મિલો અને સચિન જીઆઈડીસીના રાક્ષસી એકમોનું કેમિકલયુક્ત પાણી ખાડીઓ વોટ આ નદીમાં ભળે છે. મરોલી પંથક સુધી પહોંચતા આ પાણી એટલું ઝેરી થઈ જાય છે કે…

Read More

વગર પરવાને ચાલતી પેઢીના માલિક વિરુધ્ધ કાર્યવાહી કરાઈછાપી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ. પટેલ અને ફૂડ સેફટી ઓફિસર ઈ.એસ. પટેલની ટીમ દ્વારા બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માહી ખાતે આવેલા ગુડલક એસ્ટેટના પ્લોટ નં.પ૯૦૦ પર સ્થિત મે. ખુશ્બુ એન્ટરપ્રાઈજ નામની પેઢીમાં તપાસ કરવામાં આવી હતી.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ પેઢીના માલિક અલમદારઅલી અબ્બાસ અલી સુણસરા કોઈપણ પ્રકારના કાયદેસરના પરવાના કે મંજૂરી વગર શંકાસ્પદ ઘીના ઉત્પાદન અને વેચાણનો ધંધો કરતા હતા.આ તપાસ દરમિયાન પેઢીમાં કલર, એસેન્સ, સોયાબીન ઓઈલ, પામોલીન ઓઈલ અને વનસ્પતિનો ઉપયોગ કરી મોટાપાયે…

Read More

સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામના પ્રગતિશીલ પશુપાલક ખંડુભાઈ પટેલ અને પુત્ર પપ્પુભાઈએ પશુપાલન ક્ષેત્રે એક નવી મિશાલ કાયમ કરી છે.દૂધાળી ભેંસોની ઉત્તમ નસલોનો ઉછેર,સંતુલિત આહાર અને ઉત્તમ વ્યવસ્થાપનથી પશુપાલનનું સફળ મોડેલ ઉભું કરનાર પશુપાલક પિતા-પુત્રની બેલડીશૂન્યમાંથી સર્જન કરનાર પટેલ પિતા-પુત્રનું ૧૨૦ નાના-મોટા,દુધાળા પશુઓનું હાઈટેક ડેરી ફાર્મ: ડેરીફાર્મિંગમાં સફળતા મેળવી અન્યોને આપી રહ્યા છે રોજગારીદૂધનું વેલ્યુ એડિશન કરી ‘પ્રમુખ ડેરી’ના માધ્યમથી મઠો, શ્રીખંડ,ઘી,છાશ,મીઠાઈ જેવી અન્ય ડેરી પ્રોડક્ટ્સનું કરે છે ઉત્પાદનવલસાડ, ખેડૂતો-પશુપાલકોની મહેનત અને સુઝબુઝ તેમજ સરકારી યોજનાઓના કારણે પશુપાલન ક્ષેત્ર ખેડૂતોની આવક વધારવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામના પ્રગતિશીલ…

Read More

13 મહિનામાં 32 લાખથી વધુ મુસાફરોએ સફર કર્યો“ભારતભરમાં 164 વંદે ભારત ટ્રેન સેવાઓ ચાલુ; 274 જિલ્લાઓમાં કનેક્ટિવિટી અને પર્યટનને પ્રોત્સાહન આપવું”Ahmedabad, ભારતીય રેલવેની વંદે ભારત એક્સપ્રેસે ફેબ્રુઆરી 2019 માં માત્ર એક સેવા સાથે શરૂઆત કરી હતી અને આજ તે 164 ટ્રેનોના શક્તિશાળી નેટવર્ક તરીકે દેશના મુખ્ય શહેરોને જોડે છે. વૈશ્વિક સ્તરના વંદે ભારત સેવાઓ ઝડપી, સુરક્ષિત અને આરામદાયક પ્રવાસ માટે નવો ધોરણ સ્થાપિત કરી રહી છે. તેની વધતી લોકપ્રિયતા મુસાફરોની સતત વધતી સંખ્યાથી સ્પષ્ટ થાય છે.ગુજરાતમાંથી ચલાવવામાં આવતી વંદે ભારત એક્સપ્રેસ સેવાઓએ ભારતીય રેલવેના આધુનિકીકરણ અને મુસાફર સુવિધાઓના ક્ષેત્રમાં એક નવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે. જાન્યુઆરી 2025થી જાન્યુઆરી 2026 સુધીની…

Read More

સુરતની નવી સિવિલનું નવું નજરાણું: સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ:અંદાજે રૂ.૧૨ કરોડના અદ્યતન બાયપ્લેન મશીન દ્વારા એન્જીયોગ્રાફી,એન્જીયોપ્લાસ્ટી,સ્ટેન્ટિંગ અને પેસમેકર ઇમ્પ્લાન્ટેશન જેવી સેવાઓ નિ:શુલ્ક થશેકેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાના પ્રથમ દિવસે જ મગજ અને પગના દર્દીની સફળ એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શનલ સારવાર કરાઈરાજ્ય સરકારના સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં સૌ પ્રથમવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરી(કેથ લેબ) સેવાની શરૂઆત કરવામાં આવી છે. નવી સિવિલના ન્યુરોલોજી અને રેડિયોલોજી વિભાગ દ્વારા શરૂ કરાયેલ કેથ લેબ હેઠળ માથાથી પગ સુધીની વિવિધ રક્તવાહિનીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે. અંદાજીત રૂ.૧૨ કરોડના અદ્યતન બાયપ્લેન મશીન દ્વારા એન્જીયોગ્રાફી,એન્જીયોપ્લાસ્ટી,સ્ટેન્ટિંગ અને પેસમેકર ઇમ્પ્લાન્ટેશન કે જે માટે ખાનગી હોસ્પિટલોમાં…

Read More

ગુજરાતનાMSMEસેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝSMEસેક્ટરને મળશેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મૂલાકાતે ભારત-નેપાલ અને શ્રીલંકા તથા માલદીવ્સ ખાતેના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર અને ઉદ્યોગ-વાણિજ્ય ડેપ્યુટી મિનિસ્ટરવાયબ્રન્ટ સમિટ-2027 અને વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાંસહભાગી થવા મુખ્યમંત્રીશ્રીએ આમંત્રણ પાઠવ્યુંમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને શ્રીલંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુશ્રી. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી.અમદાવાદમાં તા.11થી15ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ રહેલા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના12માં ટ્રેડશોમાં સહભાગી થવા આ ડેલિગેશન ગુજરાત આવેલું છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ ડેલિગેશને ગાંધીનગરમાં યોજેલી સૌજન્ય મુલાકાત બેઠક દરમિયાન તેમણે ઝિમ્બાબ્વેના સ્મોલ…

Read More

અમદાવાદ, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પીડિત પરિવારોને આખરી વળતર ચૂકવવાની પ્રક્રિયા એર ઈન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે. એર ઈન્ડિયાના ૧૭૧ પ્લેન ક્રેશના પીડિતો વળતર સ્વીકારવા માગતા હોય તો તેમણે ભવિષ્યમાં કોઈ ક્લેઈમ નહીં કરવાની ખાતરી આપવી પડશે.વળતર સ્વીકારવા તૈયારી બતાવનારાઓ એરલાઈન્સ, ઈક્વિપમેન્ટ ઉત્પાદક અને સરકારી સંસ્થાઓ સામે આ દુર્ઘટના સંદર્ભે કોઈ ક્લેઈમ કરી શકશે નહીં. તાતા ગ્રુપ હસ્તકની એર ઈન્ડિયાએ વચગાળાનું રૂ.૨૫ લાખ વળતર ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરી છે. આખરી વળતરના કેસમાં રકમ રૂ.૨૫ લાખથી ઓછી હશે તો તેવા પરિવારોને અતિરિક્ત રૂ.૧૦ લાખનું વળતર ચૂકવવામાં આવશે.આ ઉપરાંત દુર્ઘટનામાં સ્વજન ગુમાવનારા પરિવારોને રૂ. એક કરોડનું એક્સ ગ્રેશિયા બોનસ આપવમાં આવી…

Read More

વડોદરા, વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગત મોડી રાત્રે અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલા દ્વારા બેફામ ગતિએ વાહનો હંકારવાની લ્હાયમાં વધુ એક નિર્દાેષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પર પૂરપાટ ઝડપે આવતી થાર ગાડીએ એક યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.મળતી માહિતી મુજબ, ગત મોડી રાત્રે અભિષેક મોરે નામનો યુવક અક્ષર ચોકથી સન ફાર્મા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ઋષિકાબેન સરનાની નામની મહિલા પોતાની થાર ગાડી લઈને પૂરપાટ ઝડપે આવી રહી હતી. મહિલાએ વાહન પરનો કાબૂ ગુમાવતા અભિષેકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી…

Read More