Author: gujarat

મોર્નિગ વોક પર નીકળેલા વેપારીનો સોનાનો દોરો ચોરી જનાર આરોપી પકડાયો(પ્રતિનિધિ)નડિયાદ, નડિયાદમાં ર્મોનિંગ વોક માટે નીકળેલા એક વેપારી ના ગળા માંથી રૂ ૧ લાખ ની ચેઈન તોડનાર ને નડિયાદ ટાઉન સર્વેલન્સ ટીમે ગણતરીના કલાકોમાં પકડી પાડ્‌યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરાયેલો રૂ.૧,૦૦,૦૦૦ ની કિંમતનો સોનાનો દોરો અને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ સહિતનો પૂરેપૂરો મુદ્દામાલ રિકવર કર્યો છે,મળતી માહિતી મુજબ નડિયાદમાં ર્મોનિંગ વોક પર નીકળેલા એક વ્યાપારી અને તેની પત્ની ની એકલતાનો લાભ લઈને મોટરસાયકલ પણ આવેલા એ સમયે વેપારીના ગળામાંથી રૂપિયા એક લાખની સોનાની ચેન તોડીને ભાગી ગયા હતા આ બાબતે નડિયાદ પોલીસમાં ફરિયાદ થઈ હતી નડિયાદ પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો…

Read More

તાલુકાના સારસા અને પડાલ ગામેથી રાત્રી દરમ્યાન ઘર નજીક પાર્ક કરેલ કુલ બે મોટર સાયકલ ચોરાતા ચકચારભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં હાલમાં વાહનચોર સક્રિય થતા વાહન માલિકોમાં ચિંતા ફેલાઈ છે. અગાઉ તાલુકાના ઘણા સ્થળોએથી મોટરસાયકલો ઉપરાંત અન્ય મોટા વાહનોની રાત્રી દરમિયાન ચોરીઓ થઈ હોવાની ઘટનાઓ બની હતી.ત્યારે હાલમાં ફરીવાર વાહનચોર સક્રિય બનતા તાલુકામાં વાહન માલિકોમાં ચિંતા ફેલાઈ છે. મોટર સાયકલ ચોરીઓની કેટલીક ઘટનાઓ પોલીસ ફરિયાદોના અભાવે પ્રકાશમાં નથી આવતી,અને ચોરીની આવી ઘટનાઓમાં પોલીસ ફરિયાદોના અભાવે ચોરોને મોકળુ મેદાન મળી જતું હોય છે.મળતી વિગતો મુજબ પરમદિવસે રાત્રી દરમ્યાન રાજપારડી પોલીસ મથક વિસ્તારના સારસા ગામે ઘર નજીક પાર્ક કરીને મુકેલ એક મોટર…

Read More

ઉચેડિયા ગામે રખડતા ઢોરોનો ત્રાસ પોલીસને લેખિતમાં રજુઆત કરાઈ(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડિયા ગામે રખડતા ઢોરોને લઈને ખેડૂતો અને ગ્રામજનોને હાલાકિ ભોગવવી પડતી હોઈ ઉચેડિયા ગ્રામ પંચાયત દ્વારા ઝઘડિયા પોલીસને લેખિતમાં રજુઆત કરીને રખડતા પશુઓનો ત્રાસ દુર થાય તે માટે યોગ્ય કરવા માંગ કરી હતી.ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું હતું કે ઉચેડિયા ગામના વિસ્તારમાં રખડતા ઢોરને લઈને લોકોને તકલીફ પડે છે. રજુઆતમાં જણાવાયા મુજબ રાણીપુરા ગામના ડાહ્યાભાઈ વસાવાના પાલતુ ઢોર અન્ય ખેડૂતોના ખેતરોમાં ઘુસીને પાકને નુકશાન કરે છે.વળી ઉચેડિયા ગામના રાયજીભાઈ પટેલે પોલીસને લેખિતમાં જણાવાયા મુજબ રાણીપુરાના પશુપાલકના ઢોર તેમના ખેતરોમાં ઘુસી જઈને ખેતરોમાં ઉગાડેલ શાકભાજી શેરડી જેવા પાકોને…

Read More

(પ્રતિનિધિ) નડિયાદ, દેશ અને રાજ્યભરમાં આ દેશના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના ગુણો જન..જન સુધી પહોંચે તે માટે દેશના શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બે વર્ષ સુધીના અનેકવિધ કાર્યક્રમો આપ્યા છે.તેના પગલે રાષ્ટ્ર અને રાજ્યભરમાં સરદાર પટેલની પદ યાત્રાઓ યોજાઈ રહી છે.ત્યારે ખેડા જિલ્લામાં પણ તેના દરેક વિધાનસભા વિસ્તારમાં આ સરદાર પટેલની પદયાત્રાઓ યોજાવાની છે.આ અંગે પત્રકાર પરિષદને સંબોધતા ખેડાના સાંસદ દેવુંસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે..સરદાર પટેલે દેશની આઝાદી પછી અખંડ ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.તેમના આ કાર્યને વિસારે પાડી દઈ કોંગ્રેસે સરદાર પટેલ સાહેબને અને તેમના વ્યક્તિત્વને વર્ષો સુધી અન્યાય કર્યો છે.જ્યારે આ દેશમાં વડાપ્રધાન…

Read More

દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનનું બીજું ટ્રાયલ સફળ(એજન્સી)અમદાવાદ, ભારતીય રેલવેની આધુનિક સફરમાં વધુ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરાઈ છે. દેશની પ્રથમ ‘સ્લીપર વંદે ભારત ટ્રેન’નું બીજું ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.આ ટ્રાયલ ટ્રેન ખાસ કરીને ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદથી મહારાષ્ટ્રના મુંબઈ વચ્ચે દોડશે. લાંબા અંતરની મુસાફરીને વધુ આરામદાયક અને ઝડપી બનાવવાના હેતુથી આ સ્લીપર વર્ઝન ડિઝાઇન કરવામાં આવ્યું છે. ટ્રાયલ દરમિયાન, આ ટ્રેનને અમદાવાદથી મુંબઈ તરફ ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે દોડાવવામાં આવી હતી. આ ઝડપ સાથે, મુસાફરો રાતોરાત ઓછા સમયમાં આ બે મહાનગરો વચ્ચે મુસાફરી કરી શકશે.Vande Bharat Sleeper version, one of the most powerful machines on…

Read More

Devmogra Mata Temple: ગુજરાતના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં, સાતપુડાની ગિરિમાળાઓની હરિયાળી ગોદમાં એક એવું પૌરાણિક ધામ આવેલું છે, જે કરોડો આદિજાતિ સમાજના લોકોની આસ્થા, શ્રદ્ધા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. એ છે યાહા મોગી માતા દેવમોગરા ધામ. કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન આ ધામનો મહિમા અનેરો છે અને તેનો ભવ્ય ઇતિહાસ દરેક ભક્તને અલૌકિક શાંતિનો અનુભવ કરાવે છે.મંદિરનો પૌરાણિક ઇતિહાસ: ‘કણી-કંસરી’ માતાની અન્નપૂર્ણા ગાથાદેવમોગરા ધામ ખાતે આદિજાતિ સમાજના કુળદેવી પાંડોરી માતા (યાહમોગી) સ્વયં બિરાજમાન છે. મંદિરનું બાહ્ય સ્વરૂપ નેપાળના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિર જેવું ભવ્ય દેખાય છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર, હજારો વર્ષો પૂર્વે જ્યારે આ પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, ત્યારે સમગ્ર…

Read More

ઓવરબ્રિજ કામગીરીમાં વેગ લાવવાની માંગ સાથે મુખ્ય માર્ગો પર ગરમ કપડાંની હાટડીઓ સામે કાર્યવાહી કરવાની જનમાંગ ઉઠીગોધરા, ગોધરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા તીવ્ર બની રહી છે. ખાસ કરીને મુખ્ય માર્ગો પર વધતી વાહનવ્યવહારની અવરજવર અને અનિયમિત ર્પાકિંગને કારણે નાગરિકો અવારનવાર ટ્રાફિકજામનો સામનો કરી રહ્યા છે.આવી પરિસ્થિતિમાં હવે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્‌યા છે. શહેરમાં ચાલી રહેલી ઓવરબ્રિજની કામગીરી ઝડપભેર પૂર્ણ થાય તે માટે નાગરિકોએ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ માગ ઉઠાવી છે.ગતરોજ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચર્ચ સર્કલથી લઈ અમૂલ પાર્લર સુધીના વિસ્તૃત વિસ્તારમાં ચાલી રહેલી ઓવરબ્રિજ કામગીરીને ગતિ આપવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું જારી કરવામાં આવ્યું છે. આ જાહેરનામા…

Read More

Ahmedabad Diabetes BP cases: વર્લ્ડ ડાયાબિટીસ ડે(14 નવેમ્બર)ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ મેડિકલ ઍસોસિએશન (AMA) દ્વારા એએમસી, ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન-સાઉથ ઇસ્ટ એશિયા અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન ઍસોસિએશનના સહયોગથી શહેરમાં પ્રથમવાર પબ્લિક હેલ્થ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તપાસના પરિણામો ખૂબ જ ચિંતાજનક સામે આવ્યા છે, જેમાં દર ત્રણ વ્યક્તિમાંથી લગભગ એકને ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશર હોવાનું જાણવા મળ્યું છે.આ સામૂહિક આરોગ્ય તપાસ શહેરના 103 વિવિધ સ્થળોએ, જેમાં બગીચાઓ, એએમસીના આરોગ્ય કેન્દ્રો અને ખાનગી ક્લિનિક્સનો સમાવેશ થતો હતો, ત્યાં સવારના 7થી 8 વાગ્યા દરમિયાન યોજાઈ હતી. આ સ્ક્રિનિંગ કેમ્પમાં કુલ 2221 લોકોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી.

Read More

અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શનિવારે ગુજરાતના એક દિવસીય પ્રવાસે પહોંચી ગયા છે. તેમનો આ પ્રવાસ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વિકાસ અને સંસ્કૃતિના સન્માન પર કેન્દ્રિત છે. સૌપ્રથમ, પીએમ મોદી સુરત એરપોર્ટથી હેલિકોપ્ટરમાં અંત્રોલી પહોંચ્યા હતા.Surat, Gujarat: Prime Minister Narendra Modi departs for Antroli, where he inspected the Antroli Bullet Train Station

Read More

Gujarat Child Screen Time: 14મી નવેમ્બરના રોજ બાળદિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. પરંતુ વિડંબના એ છે કે મેદાન અને લાઈબ્રેરીમાં રમતું બાળક હવે વધુ સ્માર્ટ ફોનના સ્ક્રીન પર સીમિત થઈ ગયું છે. એન્યુઅલ સર્વે ઓફ એજ્યુકેશન રિપોર્ટ-2024 અનુસાર, ગ્રામીણ ગુજરાતમાં 82 ટકા બાળકો સ્માર્ટફોનનો વપરાશ કરતા થયા છે. 76 ટકા બાળકો સોશિયલ મીડિયા અને 57 ટકા બાળકો શિક્ષણ અર્થે મોબાઈલ વાપરે છે. જેમાં 14થી 16 વર્ષના બાળકોમાં 83 ટકા વપરાશ અને 8થી 16 વર્ષના બાળકોમાં 83 ટકા વપરાશ જોવા મળ્યો છે. જેના કારણે શાળાના મેદાનોને બદલે હવે બાળકો સ્ક્રીન પર આવી ગયા છે.બાળકનો એવરેજ સ્ક્રીન ટાઈમ 3 કલાકથી વધુશહેરોની શાળાઓમાં…

Read More