જાલેટી ત્રણ રસ્તા પાસે વિજયનગર પોલીસે વોચ ગોઠવી કારમાંથી રૂ. ૭.૭૪ લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપ્યા(તસ્વીરઃ કૌશિક પટેલ, મોડાસા) વિજયનગર તાલુકાના જાલેટી ત્રણ રસ્તા પાસે પોલીસે વોચ ગોઠવી કારમાંથી રૂ. ૭.૭૪ લાખના વિદેશી દારૂ સાથે બે જણને ઝડપી લઈ અન્ય એક વોન્ટેડ સહિત ત્રણ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વિદેશી દારૂની ૨૨૬૭ બોટલ, ત્રણ લાખની કાર મળી કુલ રૂ ૧૦.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.વિજયનગર પીએસઆઇ એ વી જોશી પોતાના સ્ટાફ સાથે જાલેટી ત્રણ રસ્તા પાસે વોચમાં હતા એ દરમિયાન મળેલી ખાનગી બાતમી મુજબ રાજસ્થાનથી આવતી કાર રોકીને તેની તલાશી લેવામાં આવતા આ કારમાંથી રૂ. ૭.૭૪ લાખના વિદેશી દારૂની…
Author: gujarat
Cow Slaughter Life Imprisonment: ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અમરેલીની સેશન્સ કોર્ટે ગૌવંશની હત્યાના કેસમાં એક ઐતિહાસિક અને દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે ગાયોની કતલ કરનારા ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા અને 18 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ચુકાદો ગૌવંશ કતલ કરનારા તત્ત્વો માટે લાલબત્તી સમાન છે.શું હતી ઘટના?આ ઘટના 6 નવેમ્બર 2023ના રોજ અમરેલી શહેરમાં બની હતી. પોલીસને બાતમી મળી હતી કે અમરેલીના બહારપરા વિસ્તારમાં આવેલા મોટા ખાટકીવાડ, કોળીવાડના નાકે રહેતો અક્રમ સોલંકી તેના રહેણાંક મકાનમાં ગાયોનું કતલ કરે છે. માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા કાસિમ સોલંકીની ઘટનાસ્થળેથી ધરપકડ કરી હતી, જ્યારે સત્તાર સોલંકી અને અક્રમ સોલંકી નાસી છૂટ્યા હતા.…
ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓનો મોટો ખુલાસોઅમદાવાદ, એટીએસએ પકડેલા આતંકીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. આતંકીઓના ૮ દિવસના રીમાંડ મંજુર કર્યા છે. ત્યારે ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ મુદ્દે મોટો ખુલાસો થયો છે. આ આતંકીઓએ આરએસએસ કાર્યાલયની રેકી કરી હતી. તો સાથે જ આતંકીઓ પાસેથી મળેલા રાઈઝીન ઝેરનો ઉપયોગ ક્્યાં કરવાના હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.ગુજરાત એટીએસે ત્રણ આઈએસઆઈએસ આતંકવાદીઓને ઝડપી પાડ્યા છે. તેઓ દેશના વિવિધ સ્થળોએ હુમલાઓનું આયોજન કરી રહ્યા હતા અને શસ્ત્રો એકત્રિત કરવા માટે ગુજરાત આવ્યા હતા. ત્યારે તેમની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે, સૈયદ મોઈનુદ્દિને દિલ્હી, લખનઉ અને અમદાવાદમાં રેકી કરી હતી. તેઓએ લખનઉમાં RSSના કાર્યાલયની પણ…
છેલ્લા પાંચ વર્ષમાં વકીલોને કુલ રૂ. ૧૧.૬૦ કરોડ અને આબિટ્રેટરોને રૂ. ૧.૯૫ કરોડની ફી ચૂકવાઈ હોવાનું રિપોર્ટ દર્શાવે છે.(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૬૯ આબિટ્રેશન કેસ દાખલ થયા હતા. મોટાભાગના કેસોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા તેમની ચુકવણી, વધારાના કામો અને કરાર મુજબની જવાબદારીઓ અંગે વિવાદ ઉઠાવવામાં આવ્યો હતો. હાલ દાખલ થયેલા તમામ કેસોમાં કોર્પોરેશનની તરફથી લડી રહેલા ૧૧ વકીલોના નામ કમિટીને સપુર્દ કરાયા છે.મ્યુનિસિપલ વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણ ના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટના ૪ વકીલ, ૧૮ હાઈકોર્ટના વકીલ અને ૧૧ સિવિલ કોર્ટના વકીલો દ્વારા આ કેસોમાં કોર્પોરેશનનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે. છતાં અંતિમ પરિણામોમાં કોર્પોરેશનને નુકસાન વધુ…
Øપાંચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો માટે આજ તા. ૧૧ નવેમ્બરથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકાશેØખેડૂતો પોતાના ગામનાVCE/VLEના માધ્યમથી આગામી ૧૫ દિવસ સુધી સહાય માટે પોર્ટલ પર અરજી કરી શકશેઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૫માં ભારે વરસાદથી થયેલી પાક નુકસાની સામે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પાંચ જિલ્લા માટે કરી હતી રાહત પેકેજની જાહેરાતગુજરાતમાં ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં વરસેલા અતિભારે વરસાદમાં જૂનાગઢ,વાવ-થરાદ,કચ્છ,પંચમહાલ અને પાટણ જિલ્લાના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું. આ નુકશાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાના આશય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રૂ. ૯૪૭ કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી…
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તાપી જિલ્લાના માણેકપુર ગામની મુલાકાતેપ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધતા રાજયપાલશ્રીએ આ મુલાકાત દરમિયાન બળદ ગાડું ચલાવ્યુંસુરત, તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે પ્રાકૃતિક કૃષિ પ્રત્યે કાર્યરત ખેડૂત શ્રી રતિલાલભાઈ રેવજીભાઈ વસાવાના ફાર્મની મુલાકાત લીધી હતી.રાજ્યપાલશ્રીએ ખેતર પર જઈને સ્વયં હળ ચલાવ્યું અને જમીનની ઉપજાઉ શક્તિ વધારવાના સ્વાનુભવી ઉપાયો ખેડૂતોને જણાવ્યા હતા. આ તકે રાજયપાલશ્રીએ ખેતરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધતા રાજયપાલશ્રીએ જણાવ્યું કે,પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી પદ્ધતિ નથી,પરંતુ પ્રકૃતિ સાથેના સહઅસ્તિત્વનો માર્ગ છે. ગાય…
પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન)ના અમલીકરણમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકેપીએમ જનમન હેઠળ ગુજરાતમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત14,552આવાસો મંજૂર કરવામાં આવ્યાપીએમ જનમન હેઠળ રાજ્યમાં ખાસ નબળા આદિવાસી જૂથો (PVTG)ના6630 ઘરોમાંવીજળી સુવિધા પૂરી પાડીને ગુજરાતે આદિજાતિ સમુદાયોના ઘરોમાં100ટકા વીજળીકરણ પૂર્ણ કર્યુંGandhinagar, પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ (PVTGs)એટલે કે ખાસ નબળા આદિજાતિ જૂથોની ખૂટતી જરૂરિયાતો અને સુવિધાઓની પૂર્તિ કરીને તેમના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) મિશન અમલી બનાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં,પીએમ જનમનના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં ટોચનું રાજ્ય બન્યું છે.ભારત…
રાસાયણિક ખાતરોના અતિરેકથી કડક બનેલી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારવું પડશે તો વરસાદી પાણી જમીન અંદર ઉતરશેક્લાયમેન્ટ રેઝિલયન્સ એવી બાયોટિક,એબાયોટિક જાતોની વાવણીથી વધુ ઠંડી કે ગરમીમાં પણ પાક ઉપજાવી શકાય છેક્લાયમેટ ચેન્જની અસર સામે ખેડૂતોએ સંકલિત પાક પદ્ધતિ અપનાવી આંતર,મિશ્ર પાક પદ્ધતિનો ઉપયોગ કરવો પડશેવડોદરા સહિત સમગ્ર ગુજરાતના કેટલાક જિલ્લામાં ગત્ત ઓક્ટોબર માસમાં પડેલા માવઠાને કારણે કૃષિ ક્ષેત્રને નુકસાન થયું છે. ખેડૂતોની સ્થિતિને પારખીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રૂ. ૧૦ હજાર કરોડ જેટલી માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. પરંતુ,છેલ્લા પાંચ વર્ષમાં હવામાનની સ્થિતિ તપાસીએ તો માલૂમ પડશે કે આ વર્ષો દરમિયાન કમૌસમી વરસાદ,અતિવૃષ્ટિ,અછત જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો…
Ashwamedh Mahayagna Mahotsav 2026: રિધમસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત “અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ – 2026” અંગે વિશદ માહિતી આપવા માટે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બપોરે 2 થી 5 વાગ્યા સુધી, AMA (Ahmedabad Management Association), ડૉ. વિકરમ સારાભાઇ માર્ગ, યુનિવર્સિટી વિસ્તાર, અમદાવાદ ખાતે યોજાશે.આ પ્રસંગે 5555 એકર વિસ્તારમાં થનારા ભવ્ય મહોત્સવના ધાર્મિક, વૈદિક અને ચેરીટેબલ પાસાં ઉપરાંત વિશ્વ રેકોર્ડ સ્તરના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓઅક્ષધમ મહાધામ મહોત્સવ – 2026 નો સંપૂર્ણ પરિચય5555 એકર વિસ્તારમાં થનારા વૈદિક, ધાર્મિક અને ચેરીટેબલ કાર્યક્રમોની જાણકારીભારત તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે થનારી ભાગીદારી21+ વિશ્વ રેકોર્ડ્સના લક્ષ્યો અને વિજનટેનિસ, યોગ, સાંસ્કૃતિક અને ધાર્મિક…
Nitin Patel controversial Statement: ભાજપ દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક નિવેદન ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મંચ પરથી જ નીતિન પટેલે પોતાની આગવી શૈલીમાં પક્ષના જ ધારાસભ્ય, મંત્રીમંડળ અને વ્યવસ્થા પર આડકતરા ચાબખા માર્યા હતા, જેનાથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં કડીના સ્થાનિક રાજકારણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘ધારાસભ્ય બહાર ગામના છે, હું બહાર ગામનો નથી. હું કડીને 50 વર્ષથી ઓળખું છું.’નીતિન પટેલના ‘ચાબખા’કાર્યક્રમમાં હાજર કાર્યકરો અને નેતાઓને સંબોધતા નીતિન પટેલે એક પછી એક એવા નિવેદનો કર્યા જે…
