Author: gujarat

Bharuch Saykha GIDC Boiler Blast: ભરૂચ જિલ્લાના સાયખા જીઆઈડીસી ખાતે આવેલી વિશાલ ફાર્મા કંપનીમાં મંગળવારે રાત્રે એક ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીના બોઈલરમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 2 શ્રમિકોના મૃત્યુ નીપજ્યા છે, જ્યારે આસપાસની કંપનીઓના કામદારો સહિત 18 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રિના સમયે થયેલો આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે તેની અસર આસપાસ આવેલી 4 થી 5 અન્ય કંપનીઓ…

Read More

Øપ્રતિ બોટલ રૂ. ૭ના દરે ચાર મહિનામાં રૂ. ૧૧ લાખથી વધુની કિંમતની બોટલનું વેચાણØપર્યાવરણના જતન માટે પ્લાસ્ટિક બોટલને સ્થાને કાચની બોટલનો ઉપયોગ‘હર ઘર સ્વદેશી,ઘર ઘર સ્વદેશી’,મહિલા સશક્તીકરણ તેમજ પ્લાસ્ટિક મુક્ત રાજ્યને વધુ પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય-વિધાનસભા કેમ્પસમાં પર્યાવરણને ધ્યાને રાખીને ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટી-‘સખી નીર’નો જુલાઈ-૨૦૨૫માં પ્રારંભ કરાવ્યો હતો જેને વિવિધ સરકારી વિભાગો દ્વારા નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છે.નવા સચિવાલય કેમ્પસમાં ‘માં નર્મદા એકતા મહિલા મંડળ’ દ્વારા સંચાલિત આ ‘સખી નીર’ બ્રાન્ડ દ્વારા અત્યાર સુધીમાં એટલે કે,છેલ્લા ચાર મહિનામાં કુલ ૧.૨૦ લાખથી…

Read More

આવેલા કોલ્સ પૈકી6,239નાગરિકોને બુથ લેવલ ઓફિસર દ્વારા ત્વરિત માર્ગદર્શનગુજરાતનો કોઈપણ મતદારECINETવેબસાઈટ પર જઈનેBLOસાથે કોલ બુક કરી શકેAhmedabad, સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી હારીત શુક્લાની આગેવાનીમાં ગત તા. 27ઓક્ટોબર2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલીSIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા સંપૂર્ણ ચોક્કસાઈ સાથે તબક્કાવાર ચાલી રહી છે.આ સમગ્ર પ્રક્રિયામાં મતદારને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તથા ગેરસમજ ઉભી ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચે ટેક્નોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને વિવિધ પહેલોને અમલમાં મૂકી છે. આ પહેલો પૈકીની એક પહેલ અટલે ‘બુક અ કોલ વિથBLO’.આ સુવિધા એટલે મતદારોનેSIRવિષયક મૂંઝવતા કોઈપણ પ્રશ્નનો…

Read More

ખાસ સઘન મતદાર યાદી સંદર્ભે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અઢી કરોડ જેટલાં યુનિક એન્યુમરેશન ફોર્મ છપાવાયાં: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સુજીત કુમારવર્ષ-૧૯૫૧માં દેશની સૌ પ્રથમ ચૂંટણી બાદ નવમી વખત ખાસ સઘન મતદારયાદી સુધારણા અભિયાન હાથ ધરાયુંમતદાર યાદીમાંથી ગેરલાયક નામો દૂર કરી, દેશના પ્રત્યેક લાયક મતદારનું નામ મતદાર યાદીમાં સમાવિષ્ટ કરવાનું મહાઅભિયાનAhmedabad, ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત દેશના ૧૨ રાજ્યોમાં ખાસ સઘન મતદાર યાદી સુધારણા અભિયાન (Special Intensive Revision – SIR) શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યના મતદારોની કુલ સંખ્યાના આશરે ૧૦ ટકાથી પણ વધુ એટલે કે ૬૨.૫૯ લાખથી પણ વધારે મતદારો માત્ર અમદાવાદ જિલ્લામાં…

Read More

સિવિલ હોસ્પિટલમાં ગુપ્તદાન સ્વરુપે થયું ૨૧૮મું અંગદાન : લીવર , હૃદય અને બે કીડની નું દાન મળ્યુંઅંગદાન કાર્યક્રમથી સિવિલ હોસ્પિટલને આજદિન સુધીમાં ૪૦૦ કિડની દાનમાં મળી:- ૪૦૦ માનવ જિંદગી બચાવવાનું ભગીરથ કાર્યઆ ૪૦૦ કિડની ડોનેશન એ અમારા માટે એક ગૌરવશાળી માઇલસ્ટોન છે. આ દરેક દાન પાછળ એક પરિવારની પરોપકારની ભાવના તેમજ અમારી અંગદાન ટીમની અવિરત મહેનત :- ડૉ .રાકેશ જોશી ,તબીબી અધિકક્ષ સિવિલ હોસ્પિટલ અમદાવાદઅત્યાર સુધી અંગદાન થી મળેલા ૭૨૩ અંગો થકી ૭૦૧વ્યક્તિઓને નવું જીવન પ્રદાન થયું છે:-ડૉ. રાકેશ જોશી, તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ અમદાવાદકુલ ૯૦૫ અંગો તેમજ પેશીઓનું દાન સિવિલ હોસ્પિટલ દ્વારા આજદીનસુધી મેળવવામાં આવ્યુ છે:- ડૉ. રાકેશ જોષી,…

Read More

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના સચિવ શ્રી સચિન શર્મા લંગકાવી ટાપુ પર આયર્નમેન મલેશિયા ૨૦૨૫ ટ્રાયથ્લોન દરમિયાન નજરે પડે છે.પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના સચિવ શ્રી સચિન શર્માએ ૧ નવેમ્બર ૨૦૨૫ ના રોજ મલેશિયાના લંગકાવી ટાપુ પર આયોજિત વિશ્વ પ્રસિદ્ધ આયર્નમેન મલેશિયા ટ્રાયથ્લોન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ આંતરરાષ્ટ્રીય સહનશક્તિ (એન્ડ્યુરન્સ) સ્પર્ધાને વિશ્વના સૌથી મુશ્કેલ સ્પોર્ટ્સ પડકારોમાંથી એક ગણવામાં આવે છે અને તેમાં ૩.૮ કિમી ખુલ્લા સમુદ્રમાં તરવું, ત્યારબાદ ૧૮૦ કિમી સાઇકલિંગ અને ૪૨.૨ કિમીની પૂર્ણ મેરેથોન દોડનો સમાવેશ થાય છે, જે કુલ ૨૨૬ કિમીનું અંતર આવરી લે છે.પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ,…

Read More

ભગવાન બિરસા મુંડાની150મી જન્મ જયંતી – જન જાતિય ગૌરવ વર્ષની ઉજવણીરાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના ગામોમાં યાત્રા ભ્રમણ કરશેઆઝાદીની લડતમાં અગ્રેસર રહેલા આદિવાસી બાંધવોને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અમૃતકાળાના ભારતની વિકાસયાત્રામાં ભાગીદાર બનાવ્યા છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલØજેને કોઈના પૂછે તેને મોદીજી પૂજે છે.Øસ્વાતંત્ર્ય વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવતર પરંપરા વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવી છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે યોજાઇ રહેલી જનજાતિય ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવતા સ્પષ્ટ પણે જણાવ્યું કે,જેને કોઈ ન પૂછે તેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પૂજે છે.તેમણે કહ્યું કે,આઝાદીની લડતમાં…

Read More

ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી…

Read More

નવેમ્બર ૨૦૨૩માં રમતી બાળકીને આરોપી ઉપાડી પોતાની ઓરડીમાં લઇ ગયો હતોઅમદાવાદ, શહેરના વટવા વિસ્તારમાં રહેતી સાત વર્ષિય બાળકીને તેના જ પાડોશમાં રહેતો યુવક નવેમ્બર ૨૦૨૩ના રોજ અપહરણ કરી લઇ ગયો હતો. ત્યારબાદ તેના પર બળાત્કાર ગુજાર્યાે હતો અને હત્યા કરી હતી. આ કેસમાં આરોપીને સ્પે. પોક્સો કોર્ટના જજ એ.બી.ભટ્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો છે, આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે આરોપી સામે દયા ન દાખવી શકાય.શહેરના વટવા વિસ્તારમાં રહેતો ઉમાશંકર શ્રીરામ શાહ પડોશમાં રહેતી ૭ વર્ષિય રીના(ઓળખ છૂપાવવા નામ બદલ્યું છે)નું ૧૪ નવેમ્બર ૨૦૨૩ના રોજ અપહરણ…

Read More

અમદાવાદ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 07.11.2025ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના 150 વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે વર્ષભર ચાલનારા સ્મરણ સમારોહનો શુભારંભ કર્યો હતો.દેશભરમાં ઉજવાતા“રાષ્ટ્રવ્યાપી ઉત્સવ”ના ભાગરૂપે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળમાં પણ આ ઐતિહાસિક પ્રસંગ પૂરા શ્રદ્ધા, ઉત્સાહ અને દેશભક્તિની ભાવનાથી ઉજવાયો હતો।માનનીય પ્રધાનમંત્રીએ આ પ્રસંગે150વર્ષનું પ્રતીક,સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટપણ પ્રકાશિત કર્યા હતા.આ કાર્યક્રમ7નવેમ્બર2025થી7નવેમ્બર2026સુધી ચાર તબક્કામાં ચાલનારા રાષ્ટ્રવ્યાપી સ્મરણોત્સવના ઔપચારિક પ્રારંભનું પ્રતિક છે.જે આ અમર રચના,જેણે ભારતના સ્વતંત્રતા આંદોલનને પ્રેરણા આપી હતી અને આજે પણ રાષ્ટ્રીય ગૌરવ તથા એકતાની ભાવનાને મજબૂત બનાવે છે.આ ઉત્સવ દરમિયાન“વંદે માતરમ્”ના પૂર્ણ સંસ્કરણનુંસામૂહિક ગાનદેશભરના જાહેર સ્થળોએ આયોજિત કરવામાં આવ્યું,જેમાં સમાજના તમામ વર્ગોના નાગરિકોએ ઉત્સાહપૂર્વક…

Read More