ડીસા, અંગદાન મહાદાન અને ક્લીન ગુજરાત, ગ્રીન ગુજરાત થીમ અંતર્ગત પાલનપુરથી દ્વારકા સુધીની ૫૩૫ કિ.મી. ની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુરના બે શિક્ષક મિત્રો પરેશભાઈ પુરોહિત અને સુનિલભાઈ પટેલ સાથે સુરજપુરાના યુવાન મિત્રો કલ્પેશભાઈ, શૈલેષભાઈ, સુજયભાઈ, સ્મિતભાઈ, મનીષભાઈ, જીગ્નેશભાઈ તથા વોલેન્ટિયર્સ અશ્વિનભાઈ અને ગિરધરભાઈ દ્વારા આ અનોખી યાત્રા હાથ ધરાઈ હતી.આ સાયકલ યાત્રાનો મુખ્ય આશય હતો: અંગદાન મહાદાન અંગે જાગૃતિ ફેલાવવી, સાથે સાથે સ્વચ્છ અને હરીયાળું ગુજરાત માટે પ્રેરણા આપવી અને શારીરિક સ્વાસ્થ્ય અંગે લોકોમાં સંદેશ પહોંચાડવો. યાત્રા દરમિયાન ટીમે અનેક ગામોમાં રોકાઈ લોકો સાથે મુલાકાત કરી, અંગદાન અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. દ્વારકાધીશના ચરણોમાં વંદન કરીને યાત્રાનું…
Author: gujarat
ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મુદ્દામાલ કિ.રૂ. ૨,૫૨,૭૨૦નો રાખી કુલ કિ.રૂ. ૪,૫૨,૭૨૦નો મુદ્દામાલ સાથે એક આરોપી પકડાયોવડાલી, તા. ૩૧: ૩૧/૧૦/૨૦૨૫ ના રોજ પી.આઈ. તથા પોલીસ સ્ટાફના માણસો વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની ઇકો કાર નંબર- GJ.31.R.2191 નો ચાલક લાલજીભાઈ સોમાભાઈ ચૌહાણરહે. નવાભગા તા. વિજયનગર વાળો રાજસ્થાન રાજ્યના અંબાસા દારૂના ઠેકા ઉપરથી પ્રવિણ ઉર્ફે પીરો કાન્તિભાઈ ડામોર તથા વિનોદ ઉર્ફે કેડો ચંદુભાઈ ડામોર રહે. ચોકલી તા. ઝાડોલ જી. ઉદેપુર રાજસ્થાનનાઓ મારફતે અંબાસા દારૂના ઠેકા ઉપરથી સેલ્સમેન કાન્હા તથા કુશલ બાબુલાલ ટાંક તથા પ્રિન્સ નામના માણસોપાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ બિયર…
તલોદ, અખંડ ભારતના પ્રણેતા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તલોદ નગરપાલિકા તથા સંગઠનના સંયુક્ત ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવીને તલોદ ટીમ દ્વારા જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.જેમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, સંગઠન મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, અમિતભાઈ ચોપરી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પ્રોફેસર રંગુસિંહ સોલંકી, પૂર્વ શહેર પ્રમુખ દામોદરભાઈ પટેલ, મહિલા પ્રમુખ રચના ગાંધી, કોર્પોરેટર વસુબેન સોલંકી, પૂર્વ શહેર પ્રમુખ ઉપેન્દ્રભાઈ ચાદર, વિનુભાઈ મિસ્ત્રી, ગુણવંતસિંહ સોલંકી, દિલીપભાઈ પાનેક, રાધાબેન પ્રજાપતિ, રમીલાબેન બારોટ, દક્ષાબેન પ્રજાપતિ, કલ્પનાબેન શાહ અને કોર્પોરેટરો તથા સંગઠનના હોદેદારો હાજર રહ્યા હતા.સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ…
વેડંચા મોડેલ: ગ્રે વોટર મેનેજમેન્ટમાં ગુજરાતનો ગૌરવવંતો પ્રોજેક્ટØઆ મોડેલ થકી ભૂગર્ભ જળનું સંરક્ષણ કરીને ગામની પાણીની ઉપલબ્ધતા વધારીØવેડંચાગામનેવર્ષ૨૦૨૪–૨૫નોપ્રતિષ્ઠિતCIPS –સેન્ટર ફોર ઈનોવેશન ઈન પબ્લિક સર્વિસ એવોર્ડ મળ્યોગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું નાનકડું ગામ વેડંચા આજે દેશભરમાં સ્વચ્છતા અને પાણીના ટકાઉ વ્યવસ્થાપનનું ઝળહળતું ઉદાહરણ બની રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ આ ગામે ગ્રે વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે ઈતિહાસ રચ્યો છે. વેડંચા ગામને વર્ષ ૨૦૨૪-૨૫નો પ્રતિષ્ઠિતCIPS –સેન્ટર ફોર ઈનોવેશન ઈન પબ્લિક સર્વિસ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યું છે.વેડંચા મોડેલની વિશિષ્ટતાવેડંચા ગામે ગ્રે વોટર એટલે કે,રસોડા અને બાથરૂમમાંથી નીકળતા ગંદા પાણીના વ્યવસ્થાપન માટે સરળ,સસ્તી અને અસરકારક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવતર…
ફોન્ટ અને માર્જિનનો પણ નિયમો બદલાયોનીચલી કોર્ટમાં અત્યાર સુધી લીગલ સાઈઝ, એ-૪ સાઇઝ સિવાયની મોટી સાઇઝમાં પણ ફાઇલિંગ થતું હતુંઅમદાવાદ,ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક પરિપત્ર જાહેર કરી હવેથી રાજયની તમામ જિલ્લા અદાલતો-કોર્ટાેમાં તમામ પ્રકારની પિટિશન, એફિડેવીટ, એપ્લીકેશન, ઓર્ડર, જજમેન્ટ વગેરે એ-૪ સાઇઝના પેપર પર જ દાખલ કરવાના રહેશે. રાજયની તમામ જિલ્લા અદાલતો માટે લાગુ પાડવામાં આવેલ આ નિયમની અમલવારી પહેલી જાન્યુઆરી, ૨૦૨૬થી કરવી પડશે.પરિપત્રમાં ચોક્કસ એ-૪ સાઇઝના પેપરના ઉપયોગની સાથે સાથે તેની કવોલિટી, ગુજરાતી ફોન્ટ, અંગ્રેજી ફોન્ટ, લાઇન સ્પેસિંગ સહિતની બાબતોનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે.તેથી તેની આ નિયમાનુસાર અમલવારી કરવાની રહેશે. પેપરની વિગત જોઈએ તો,ગુજરાત રાજયની તમામ જિલ્લા અદાલતોમાં એ-૪…
વૈષ્ણોદેવીથી ગોતા બ્રિજ પહોંચતા ઝડપાયાસોલા પોલીસે બાતમી આધારે ટ્રક સાથે બે આરોપીને ઝડપી લઇ તપાસ હાથ ધરી ઃ દારૂ હરિયાણાથી રાજકોટ લઈ જવાતો હતોઅમદાવાદ,શહેરના એસજી હાઇવે પર ગોતા બ્રિજ નજીક દારૂ ભરેલી ટ્રક સોલા પોલીસે ઝડપી લીધી છે. આરોપીઓ હરિયાણાથી આ ટ્રકમાં ૬૦ હજાર દવાની બોટલો વચ્ચે દારૂ બીયરની પાંચ હજારથી વધુ બોટલો ભરીને રાજકોટ તરફ જઇ રહ્યા હતા. સોલા પોલીસે બાતમી આધારે ટ્રક સાથે બે આરોપીને ઝડપી લઇ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો હરિયાણાથી લઇ આવીને રાજકોટ પહોંચાડવાનો હોવાનું જણાયુ છે.વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ તરફ દારૂ બીયરનો જથ્થો ભરીને એક ટ્રક પસાર થવાની છે તેવી પોલીસને બાતમી…
ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ યથાવતનરોડામાં રહેતી મહિલાને દિયરે ચોરી અંગે જાણ કરી પોલીસે ગુનો દાખલ કર્યાે ઃ તસ્કરોને શોધવા મથામણગાંધીનગર,ગાંધીનગર શહેર નજીક આવેલા ડભોડામાં બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને ૧.૯૩ લાખ રૃપિયાની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. જે સંદર્ભે ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે.ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ફરીવાર તસ્કર ટોળકી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ડભોડા ગામની હુડકો વસાહતમાં બંધ મકાનનું તાળું તોડીને ચોરી કરવામાં આવી છે.…
વીમાના નામે છેતરપિંડી કરવાની મોડ્સ ઓપરેન્ડી સામે આવીવીમા કંપનીઓ પાસેથી વિગતો મેળવીને ચોક્કસ ગેંગ દ્વારા ખાસ સિનિયર સીટીઝનને ટારગેટ કરાઇછેઃટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂઅમદાવાદ,ઓનલાઇન છેતરપિંડી આચરતી ગેંગ દ્વારા હવે વીમા કંપનીના નામે કોલ કરીને ક્લેઇમના ઉંચા વળતર સાથે પરત અપાવવાનું કહીને સિનિયર સિટીઝનોને ટારગેટ કરવામાં આવતી હોવાની નવી મોડ્સ ઓપરન્ડી સામે આવી છે. અમદાવાદમાં રહેતા સિનિયર સિટીઝનના વીમા પોલીસીની વિગતો મોકલીને તેમને નાણાં અપાવવાનું કહીને ૬૬ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે.શહેરના રાણીપમાં આવેલી આશાદીપ સોસાયટીમાં રહેતા ચંદુભાઇ પટેલને વર્ષ ૨૦૨૩માં કોલ આવ્યો હતો. જેમાં કોલરે બજાજ એલાયન્સ નામની કંપનીમાં વાત કરતો હોવાનું જણાવીને…
અમદાવાદ, પૃથ્વીને અનેકવિધ શાકભાજી અને ફળોથી સમૃદ્ધ કરી સમગ્ર માનવજાત પર મહેર કરનાર એવા પરમાત્મા પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ વિશિષ્ટ ઉત્સવની પ્રતિ વર્ષ અનેરા ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક તમામ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.આજે, ૨ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ, ચાતુર્માસના અંતે પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને અમદાવાદમાં બી.એ.પી.એસ. શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે ભગવાન સમક્ષ સેંકડો શાકભાજી અને ફળોની ભવ્ય હાટડીનું આયોજન કરવામાં આવ્યું હતું.સેંકડો હરિભક્તોએ આજના આ પવિત્ર દિને કલાત્મક રીતે ભગવાન સમક્ષ અર્પણ કરેલાં ૮૦ કરતાં વધુ પ્રકારના શાકભાજી અને ૨૦ કરતાં વધુ પ્રકારના ફળોની હાટડીના દર્શન કર્યા હતાં અને સાંજે વિશિષ્ટ આરતીનો લાભ લીધો હતો.
ગાંધીનગર, સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે ઓળખાતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુજરાતના ખેડૂતોના વ્હારે આવ્યા છે. મોસમી વરસાદ અને પાક નુકશાની અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે Âટ્વટ કરીને જણાવ્યું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે.તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં ઝડપથી રાહત-સહાય પેકેજ જાહેર કરશે.કમોસમી વરસાદનો માર સહન કરી રહેલા ખેડુતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા આગામી દિવસોમાં ઝડપથી રાહત-સહાય પેકેજ જાહેર કરશે.રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા…
