(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા), શ્રી સાડી સત્તાવીસ આંજણા પાટીદાર યુવક સંઘ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ તારીખ ૮-૨- ૨૬ ને રવિવારના રોજ ખેડબ્રહ્મા પાસે નવી મેત્રાલ મુકામે આર્ડેકતા ઇન્સ્ટિટયૂટ ના પટાંગણમાં સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની ઉપસ્થિતિમાં ઉજવાયો. આ સમૂહ લગ્નોત્સવમાં ૨૦ નવ દંપતિઓએ પ્રભુતાના પગલા પાડ્યા હતા.આ સમૂહ લગ્નોત્સવ માટે છેલ્લા એકાદ માસથી અલગ અલગ ગામોની રસોડા વિભાગ સમિતિ ભોજન વિભાગ, સ્વાગત સમિતિ, પત્રિકા, લેખન કાર્યાલય સમિતિ, ચોરી પૂજા સમિતિ મહેમાન ઉતારા સમિતિ, પાણી વ્યવસ્થા સમિતિ, ચા વ્યવસ્થા સમિતિ, ર્પાકિંગ વ્યવસ્થા સમિતિ જેવી સમિતિઓ બનાવી જવાબદારીઓ આપી તૈયારીઓ કરી લેવાઈ હતી.આ સમૂહ લગ્ન ઉત્સવમાં શ્રી રામભાઈ જીવાભાઈ પટેલ…
Author: gujarat
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લ્માં ૩૧૯ ગ્રામ પંચાયત છે. તેમાં ગાંધીનગર તાલુકામાં ૮પ, માણસા તાલુકામાં ૮૧, કલોલ તાલુકામાં પ૪ અને દહેગામ તાલુકામાં ૯૩ ગ્રામ પંચાયત અસ્તીત્વમાં છે.તે પૈકી દહેગામ તાલુકાના ઝાલાના મુવાડા ગ્રામ પંચાયતમાં ૧૦૦ ટકા વેરો વસુલ થયો છે, તે પછી આ તાલુકાની જાલીયાના મઠ ગામમાં ૭૪ ટકા, પલ્લાના મઠ ગામમાં ૬૮ ટકા અને મીરાપુર ગામમાં ૬૮ ટકા વેરો ભરપાઈ થયો છે. કલોલ તાલુકામાં રામનગર- ૯૪ ટકા, સનાવાડ ૮પ.૪૧ ટકા, હિંમતપુરા ૭૦ ટકા તેમજ ઉસ્માનાબાદ, પાલોડીયા, શેરીશા અને વાયણામાં ૬૦ ટકાથી વધુ વેરો વસુલાયો છે.ગાંધીનગર તાલુકામાં ચેખલારાની ૭૦ ટકા, સરઢવ ૭ર ટકા, સોનીપુરમાં ૭ર ટકા વેરો ભરાયો છે. માણસા તાલુકાના અજરાપુરા…
Surat Family Gas Leakage Death: ગુજરાતના સુરત શહેરમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના લાલગેટ વિસ્તારમાં મંગળવારે એક દંપતી અને ૧૩ વર્ષના પુત્રનો મૃતદેહ તેમના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. પોલીસે ગેસ ગળતરને કારણે ગૂંગળામણ થવાથી તમામના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે ડીસીપીએ જણાવ્યું હતું કે આ મામલે દરેક પાસાથી તપાસ કરવામાં આવી રહી છે.મૃતકો કોણ છે?ડીસીપી રાઘવ જૈને જણાવ્યું કે ફેઝ અહેમદ (૪૫), મુબીના (૩૬) અને નોમાન (૧૨) ના મૃતદેહ મંગળવારે સવારે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે એપાર્ટમેન્ટના તમામ દરવાજા અને બારીઓ બંધ હતા અને મુખ્ય દરવાજો પણ અંદરથી લોક હતો. જૈને…
વલસાડના વાંકલમાં ૪૦માં ભવ્ય મહાશિવરાત્રિ મહોત્સવની શરૂઆત(પ્રતિનિધિ) વલસાડ, વલસાડથી ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ નજીક દુલસાડ ગામમાં શનિવારની બપોરે રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને વિશ્વવિખ્યાત શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સંકલ્પ અને સાનિધ્યમાં આયોજિત “મહાશિવરાત્રિ મહોત્સવ ૨૦૨૬” અંતર્ગત ૩૧ લાખ રુદ્રાક્ષથી તૈયાર થતું ૩૧ ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગનું અનાવરણ અનેક કુમારી બાળાઓના વરદ હસ્તે સંતો, મહંતો વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તજનો , મહાનુભાવો થા મોટી સંખ્યામાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોની હાજરીમાં થયું હતું.બપોરે ૨.૦૦ કલાકે પોથીયાત્રાની શોભાયાત્રા સ્વરૂપે વાંકલના કાર્તિકસિંહ અને જયેશસિંહ પઢિયારના ઘરેથી નીકળીને રુદ્રાક્ષધામ પહોચી હતી. આ મહોત્સવ ૭ થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન વલસાડ-ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ…
વાગરામાં દીપડાને ઝડપી લેવા વન વિભાગે મારણ સાથે પાંજરું ગોઠવ્યું -દીપડાના ભય વચ્ચે વન વિભાગે પેટ્રોલિંગ સઘન બનાવાયું(પ્રતિનિધિ) ભરૂચ, વાગરા તાલુકાના વિલાયત અને અરગામા પંથકમાં દીપડાની દહેશત ફેલાતા વન વિભાગે તાત્કાલિક ધોરણે એક્શન મોડમાં આવી કામગીરી આરંભી દીધી છે. સોશ્યલ મીડિયા પર દીપડાની લટારનો વીડિયો સામે આવતા જ વાગરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી.વી.ચારણ અને તેમની ટીમે ઘટનાસ્થળ પર દોડી જઈને સઘન તપાસ હાથધરી હતી. દીપડાની ગતિવિધિ પારખવા માટે વનકર્મીઓએ સમગ્ર વિસ્તારનો તાગ મેળવ્યો હતો.અને દીપડાને સુરક્ષિત રીતે કેદ કરવા માટે સૌથી વધુ સંભાવના ધરાવતી વ્યૂહાત્મક જગ્યાએ મારણ સાથે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, એક નીડર ખેડૂતે પોતાના જીવના…
(પ્રતિનિધિ) વલસાડ, પરમ પૂજ્ય અનસૂયા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દત્તપીઠ – સંસ્થાન પાથરી, વલસાડ દ્વારા અખિલ બ્રહ્માંડના નાયક, કલિતારક શ્રી ભગવાન દત્તાત્રેયના મંદિરના ૨૮ મા પાટોત્સવની ઉજવણી તારીખ ૦૮-૦૨- ૨૦૨૬ ના મહા સુદ સાતમને રવિવારના દિવસે શ્રી દત્તપીઠ સંસ્થાન, વલસાડ-ધરમપુર રોડ, જુજવા ચણવઈ રોડ, વાંકી નદીના પુલ પાસે, મુ. પાથરી, વલસાડ ખાતે ૨૮ મા પાર્ટોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી.જેમાં પાદુકા પૂજન- ભજન-ધૂન સત્સંગ સવારે, ૮ઃ૦૦ કલાકે થી ૧૨ઃ૦૦ કલાકે આરતી સવારે ૧૨ઃ૦૦ કલાકે થી ૧૨ઃ૩૦ કલાકે મહાપ્રસાદ માં હજારો લોકોએ લાભ લીધો હતો. ભાવિક ભક્તજનો શ્રી દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા વહેલી સવારે ૫ઃ૦૦ વાગ્યા આવા લાગ્યા હતા.…
દેહવિક્રયનો ઓનલાઈન પ્રચાર-પ્રસાર કરતા દેહવિક્રયઃ લાખો ગુમાવનાર ‘ગ્રાહકો’એ હિંમત કરી ફરિયાદ કરી(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં વર્ષો પહેલાં હાઈવેના છેડે નજીકના ગામડામાં ત્યારબાદ સ્પા અને મસાજ સેન્ટરના નામે ચાલતો દેહવિક્રયનો ધંધો હવે ઓનલાઈન ચાલી રહ્યો છે. તમામ રીતે કચાલતા આ દેહના વેપારને અટકાવવા માટે પોલીસ પગલાં લઈ રહી છે.જો કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ધ્યાનમાં કઆવ્યું હતુંકે, શહેરમાં ઓનલાઈન એસ્કોર્ટ સેવા અને દેહવિક્રયના નામે લોકોને ઠગવામાં આવી રહ્યા છે. ઓન સ્ક્રીન સુંદર યુવતી બતાવી તેના માટે એડવાન્સ રૂપિયા લઈ ગ્રાહકોને ઠગવામાં આવી રહ્યા છે. આ બાબતને આધારે ક્રાઈમ બ્રાન્ચે આ ૧ર૦ સોશિયલ મીડિયા હેન્ડલર વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂકરી છે. હવે આ રેકેટમાં ભોગ…
ગુજરાત બાર કાઉન્સિલમાં અભૂતપૂર્વ કશ્મકશભર્યા ચૂંટણી જંગમાં વકીલ મતદારોની જાગૃત, સમજદારી અને કોઠાસૂઝ ગુજરાત બાર કાઉન્સિલની દિશા અને દશા નકકી કરશે ?!તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની છે ! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી જીતવા અનેક ઉમેદવારો મેદાનમાં છે ! દરેક વકીલ ઉમેદવાર ચૂંટણી જીતવા કમર કસી રહ્યો છે ! પોતે શું કરવા માંગે છે ! તેનો વાયુવેગે પ્રચાર કરી રહ્યા છે ! આ વખતે ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલ ચૂંટણીમાં પ્રથમ વાર ઉભા છે ! પ્રથમ વાર મત માંગે છે !તેમણે કરેલા કાર્યાેથી વકીલ મતદારો પ્રભાવિત થયેલા છે ! કામ કર્યુ છે ! માટે જ શ્રી જે.…
હર્ષ સંઘવીએ રાજ્યની રક્ષા શક્તિને વધુ પ્રબળ બનાવતા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાવ્યુંસુરક્ષિત ગુજરાતની નેમ:ATSનું નવું બિલ્ડિંગ અને પોલીસ આવાસ યોજનાઓથી સુરક્ષાકર્મીઓની કાર્યક્ષમતામાં થશે વધારોગુજરાતમાં ગુંડાતત્વો કે નશાના સોદાગરો માટે કોઈ સ્થાન નથી;રાજ્ય સરકાર‘ઝીરો ટોલરન્સ‘ની નીતિ સાથે સુરક્ષિત અને શાંત ગુજરાત માટે કટિબદ્ધ :- રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે અમદાવાદમાં વિવિધ પોલીસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં અંદાજે ૨૦૨.૮૫ કરોડ રૂપિયાના ખર્ચે સાકાર થનારા વિવિધ મહત્વના પ્રકલ્પોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના છારોડી ખાતે ૪૭.૯૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિકATSબિલ્ડિંગ,બોડકદેવ ખાતે ૩૩.૪૯…
Rivaba Jadeja PM Modi Meeting: ગુજરાતમાં મંત્રી બન્યા બાદ મંગળવારે રિવાબા જાડેજા દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમની સાથે ક્રિકેટર પતિ રવિન્દ્ર જાડેજા પણ હાજર રહ્યા હતા. રિવાબા જાડેજા ગુલાબી સાડી પહેરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પીએમ મોદીને બુકે આપીને અભિવાદન કર્યું હતું. ગયા વર્ષે જ્યારે ભાજપે રાજ્યના મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો હતો, ત્યારે જામનગર નોર્થથી જીતેલા રિવાબા જાડેજાને મંત્રી બનાવવામાં આવ્યા હતા. નવી દિલ્હીમાં રવિન્દ્ર જાડેજાની હાજરીમાં રિવાબાની આ પહેલી મુલાકાત છે. રિવાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજાએ પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો એક્સ (X) પર શેર કરી છે.Not just a…
