Author: gujarat
Himmatnagar Kalyan Jewellers Case: હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલ પ્રતિષ્ઠિત કલ્યાણ જ્વેલર્સના કર્મચારીઓએ ગ્રાહકની પ્રાઈવસી સાથે ગંભીર ચેડાં કરી લવ જેહાદ અને ખંડણીનો કારસો રચ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. શો-રૂમમાં ખરીદી કરવા ગયેલા પરિવારની સગીરાનો ડેટા ચોરી કરી તેને બ્લેકમેલ કરવાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે.વિશ્વાસઘાત અને ઓળખ છુપાવવાનું ષડયંત્રશો-રૂમના જ કર્મચારીઓએ વ્યવસાયિક નૈતિકતા નેવે મૂકી ગ્રાહકની અંગત માહિતીનો દુરુપયોગ કર્યો હતો:ડેટા ચોરી: શો-રૂમમાં નોકરી કરતા મનીષ ગઢવી અને મહંમદ શાકીરે ગ્રાહકો દ્વારા ભરાતા ફીડબેક ફોર્મમાંથી સગીરાનો મોબાઈલ નંબર મેળવ્યો હતો.ખોટી ઓળખ: મહંમદ શાકીરે પોતાની અસલી ઓળખ છુપાવી ‘અજય’ નામ ધારણ કરી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.દબાણ અને બ્લેકમેલ: ૧૮…
બજારમાં ઊંચી માંગ ધરાવતી વિદેશી શાકભાજી જેવી કે: પર્પલ કોબી (લાલ કોબીજ), કોહલરાબી (ગાંઠકોબી), બ્રોકોલી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાડે છે,ભાવનગર: ખેતીમાં જ્યારે પરંપરાગત પદ્ધતિની સાથે આધુનિક અને પ્રાકૃતિક અભિગમ ભળે છે ત્યારે કેવું ઉત્તમ પરિણામ મળે છે તેનું જીવંત ઉદાહરણ ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂતે પૂરું પાડ્યું છે. વાવડી ગામના ખેડૂત જેન્તિભાઈ ચૌહાણે છેલ્લા આઠ વર્ષથી રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને આજે તેઓ વિદેશી શાકભાજીની સફળ ખેતી કરી રહ્યા છે.જેન્તિભાઈ પોતાના ખેતરમાં માત્ર સ્થાનિક પાકો જ નહીં, પરંતુ બજારમાં ઊંચી માંગ ધરાવતી વિદેશી શાકભાજી જેવી કે:આ તમામ શાકભાજીઓ તેઓ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી (Natural Farming) પદ્ધતિથી ઉગાડે…
28વિવિધ ઔષધીય વનસ્પતિ પ્રજાતિઓનીSEMછબીઓના પ્રતિનિધિ ડેટાસેટનો ઉપયોગ કરીને,ટીમે કૃષિ,એલર્જન સ્ત્રોતની ઓળખ,ઐતિહાસિક આબોહવા પરિવર્તન અને પુરાતત્વ જેવા ક્ષેત્રોમાં વ્યાપક ઉપયોગો સાથે પરાગના કાર્યક્ષમ વિશ્લેષણનું પ્રદર્શન કર્યું. તેમના તારણો તાજેતરમાંBotany Lettersમાં પ્રકાશિત થયા હતા.નરી આંખે અદ્રશ્ય એવી પરાગરજ વનસ્પતિના પ્રજનનને સરળ બનાવે છે. તેમનો આકાર,કદ અને સપાટીની વિશેષતાઓ વિવિધ પ્રજાતિઓને ઓળખવામાં અને વર્ગીકૃત કરવામાં મદદ કરી શકે છે,જે જટિલ જૈવિક માર્કર્સ તરીકે કામ કરે છે. આ મોર્ફોલોજિકલ લાક્ષણિકતાઓનેSEMનો ઉપયોગ કરીને અસરકારક રીતે કેપ્ચર કરી શકાય છે,જે સૂક્ષ્મ સપાટીના બંધારણોને વિગતવાર જોવા માટે ફોકસ કરેલા ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરે છે.“જોકે મજબૂત ઇમેજિંગ ટેકનીકો ઉપલબ્ધ છે,તેમ છતાં સ્વચાલિત પરાગ વિશ્લેષણને સરળ બનાવવા માટે પ્રમાણભૂત…
જૂનાગઢ, જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા ઓઘડ શિખર પર જૈન સંપ્રદાયનો ધ્વજ ફરકાવવા અને સૂત્રોચ્ચાર કરવા બદલ ભવનાથ પોલીસ મથકે બે અજાણ્યા શખસો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. નાથ સંપ્રદાયની પવિત્ર જગ્યા ગણાતી ઓઘડનાથ ટૂંક પર બનેલી આ ઘટનાને પગલે સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.શ્રીનાથજીના દલિચાના મહંત પીર યોગી સોમનાથજી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ અંદાજે ચાર દિવસ પહેલાં સફેદ કપડાં પહેરેલા બે શખસોએ અહીં જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યાે હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અને ફોટાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.આ વિવાદને પગલે જૂનાગઢના અગ્રણી સંત શેરનાથજી બાપુએ આકરી પ્રતિક્રિયા આપતા…
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ધમધમતા ગેરકાયદેસર કોલ સેન્ટર કૌભાંડ સંદર્ભે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની હૈદરાબાદ ઝોનલ ઓફિસ દ્વારા શહેરના છ વિવિધ સ્થળોએ દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.ઈડીની આ તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપીઓ અમેરિકાની સરકારી એજન્સીઓના અધિકારીઓ તરીકે પોતાની ઓળખ આપી વિદેશી નાગરિકોને ડરાવતા હતા અને તેમની પાસેથી મોટી રકમનો ‘તોડ’ કરી ડિજિટલ પેમેન્ટ મેળવતા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ રીતે મેળવેલી રકમને સૌ પ્રથમ ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવતી હતી.ત્યારબાદ, હવાલા ઓપરેટરો અને સ્થાનિક કાળાબજાર જેવી ગેરકાયદે ચેનલો દ્વારા આ નાણાંને રોકડમાં ફેરવી દેવામાં આવતા હતા.ઈડીની તપાસ દરમિયાન મુખ્ય આરોપીઓ પૈકીના એક,…
અમદાવાદ, અમદાવાદના સાણંદ-સરખેજ રોડ પર એક લૂંટની ઘટના સામે આવી છે. સાણંદમાં આંગડિયા પેઢી ચલાવતા ફારૂક ગનીયાણી જ્યારે પોતાની પેઢીની મોટી રોકડ રકમ લઈને જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા ત્રણ લૂંટારુઓએ ફિલ્મી ઢબે તેમનો રસ્તો રોકી લાખોની લૂંટ ચલાવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને સાણંદ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ આદરી છે.મળતી માહિતી અનુસાર, નવમી ફેબ્›આરીના રોજ સાંજે આશરે ૦૭ઃ૧૫ વાગ્યાની આસપાસ ફરિયાદી ફારૂકભાઈ પોતાની સાણંદ સ્થિત આંગડિયા પેઢીમાંથી અંદાજે ૨૦થી ૨૫ લાખ જેટલી માતબર રકમ એક કાળા રંગના થેલામાં ભરીને પોતાના સુઝુકી એક્સેસ પર સવાર થઈ સરખેજ ખાતેની બીજી પેઢી પર જવા…
મહિલા-બાળ આયોગ અને ગાયત્રી સેવા સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે ‘બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન‘અંતર્ગત જનજાગૃતિ રથનું ચેરમેન શ્રી ધર્મિષ્ઠા ગજ્જરના હસ્તે પ્રસ્થાનબાળ લગ્ન જેવા સામાજિક દૂષણને જડમૂળથી નાબૂદ કરવાના ઉમદા હેતુ સાથે આજે ગાંધીનગરથી મહિલા અને બાળ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે ‘બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન‘અંતર્ગત વિશેષ જનજાગૃતિ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ રાજ્યના વિવિધ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાગરીકોને બાળ લગ્નના ગેરફાયદા અને કાયદાકીય જોગવાઈઓ અંગે જાગૃતિ લાવવાનું કાર્ય કરશે.આ પ્રસંગે મહિલા અને બાળ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે,બાળ લગ્ન એ માત્ર સામાજિક કુરિવાજ નથી,પરંતુ તે બાળકના માનસિક,શારીરિક અને શૈક્ષણિક વિકાસમાં મોટો…
Nathuram Godse Play Gujarat: ગુજરાતમાં મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસે પર આધારિત ગુજરાતી નાટકનું મંચન સોમવારે રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણય યુવા કોંગ્રેસ અને NSUI ના કાર્યકરોની વિરોધ પ્રદર્શન બાદ લેવામાં આવ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે આ નાટક ગોડસેનું “મહિમામંડન” કરવાનો પ્રયાસ છે, જેના પછી વિરોધ-પ્રદર્શન શરૂ થયા હતા. આ મામલે રાજકીય રંગ પકડતા તેને રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.આયોજકોના જણાવ્યા અનુસાર, ‘હું નથુરામ’ નામનું આ નાટક સોમવારે રાત્રે નવ વાગ્યે અમદાવાદના પંડિત દીનદયાલ સભાગૃહમાં ભજવવાનું હતું. નાટકના આયોજક જયેશ ઓઝાએ જણાવ્યું હતું કે ગુજરાત યાત્રા દરમિયાન ૪, ૫ અને ૬ ફેબ્રુઆરીએ સુરત, વડોદરા અને ભાવનગરમાં…
