(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં ચોમાસાની વિદાય સમયે દિવાળીના તહેવારમાં હળવાથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા છે. તેવામાં ગુરુવારે (૧૬ આૅક્ટોબર) દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસ્યો છે.દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં વલસાડના ધરમપુર, કપરાડા સહિતના વિસ્તારોમાં પવન સાથે ધીમીધારે વરસાદ થયો છે.જ્યારે ડાંગ જિલ્લાના વઘઈ, સાપુતારા સહિત આસપાસના સ્થળોએ પણ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ખેડૂતોના ડાંગર સહિતના પાકને નુકસાની થઈ હોવાની ભીતી સેવાઈ છે, ત્યારે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૨૦, ૨૧ અને ૨૨ આૅક્ટોબર, ૨૦૨૫ એટલે કે, દિવાળી અને બેસતું વર્ષના દિવસે દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદની…
Author: gujarat
ગુજરાતના નવા મંત્રીમંડળમાં નવા બનેલા જિલ્લાના નેતાને મળશે સ્થાન? -નવા જિલ્લાના લોકોને ખુશ કરવાનો પ્રયાસ થઈ શકે:જૂની સરકારના નવ મંત્રીઓ પડતા મુકાયા.. રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા, બચુ ખાબડ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિ.મંત્રીમંડળમાં 7 પટેલ સહિત 8 OBC, 3 SC, 4 STનવા મંત્રીમંડળની યાદી.. 1. પ્રફુલ પાનસેરીયા 2. કુંવરજીભાઈ બાવળીયા 3. ઋષિકેશ પટેલ 4. કનુ દેસાઇ 5. પરસોતમ સોલંકી 6. હર્ષ સંઘવી 7. પ્રદ્યુમન વાજા 8. નરેશ પટેલ 9. પીસી બરંડા 10. અર્જુન મોઢવાડિયા 11. કાંતિ અમૃતિયા 12. કૌશિક વેકરીયા 13. સ્વરૂપજી ઠાકોર 14. દર્શનાબેન વાઘેલા 15. જીતુભાઈ વાઘાણી 16. રીવા બા જાડેજા…
Biometric fraud Gujarat: સાયબર ફ્રોડના અનેક કિસ્સાઓ બને છે તેમાં પાંચ વર્ષ પછી ફરી એક વખત સલામત ગણાતાં બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસ ભેદીને સાયબર ફ્રોડ થવા લાગ્યાં છે. તાજેતરમાં જ કચ્છમાં આવા અડધો ડઝનથી વઘુ કિસ્સા બની ચૂક્યાં છે. ગુજરાતના નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને ટાર્ગેટ કરવા માટે બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસને ટાર્ગેટ કરાઈ રહ્યાંની મજબૂત આશંકા છે.ફીંગરપ્રિન્ટ, ફેસ સ્કેન કે પછી વોઈસ પેટર્નથી ઓપરેટ થતાં બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસનો ડેટા ગઠિયાઓ સુધી કઈ રીતે પહોંચે છે તે સૌથી મોટો સવાલ છે. સરકારી તંત્ર અને બેન્કોમાં આઘુનિકીકરણ વચ્ચે ગુજરાતના સવા કરોડ રેશનકાર્ડ હોલ્ડર્સ ઉપરાંત બેન્કોમાં અપાતાં બાયોમેટ્રિક બેન્ક એકાઉન્ટસના ડેટા વેચાયાની પણ…
જાનહાનિ ટળી – ફાયર વિભાગની ટીમે આગને કાબૂમાં લીધી(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં શુક્રવારે (૧૭મી ઓક્ટોબર) વહેલી સવારે ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલી દુકાનોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. એક દુકાનમાં લાગેલી આગ ઝડપથી આસપાસની ૧૪ જેટલી દુકાનોમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે કપડાં અને અન્ય ચીજવસ્તુઓના વેપારીઓને દિવાળીના તહેવારના સમયે જ મોટું નુકસાન થયું છે.મળતી માહિતી અનુસાર,વહેલી સવારે ૫ વાગ્યે ફાયર વિભાગના કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે બાપુનગર ચાર રસ્તા તરફ ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આવેલી બજારની દુકાનોમાં આગ લાગી છે. મેસેજ મળતાની સાથે જ ફાયર વિભાગની ૮ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.ફાયર…
મોટા ફંક્શનમાં નાસ્તા, ભોજન માટે ગ્વાલીયા સ્વીટ્સ તેમની પ્રથમ પસંદ હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી હતી-પાણી માટે કલ્પક એજન્સી અને ગાંધી કેટર્સ મુખ્ય(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે શુક્રવારે સરપ્રાઈઝ બદલી કરી હતી. મ્યુનિસિપલ હેલ્થફૂડ વિભાગના ડેઝીગનેટેડ ઓફિસર ડો.ભાવિન જોશી પાસેથી તમામ ખાતા આંચકી લેવામાં આવ્યા છે અને તેમની બદલી જન્મ-મરણ વિભાગમાં કરી છે.જયારે જન્મ-મરણ વિભાગના ડો.તેજસ શાહ ને ડો.ભાવિન જોશી ના તમામ વિભાગ સોંપવામાં આવ્યા છે. ડો.ભાવિન જોશી સામે હોદ્દેદારો અને સ્ટાફની અસંખ્ય ફરિયાદો હોવાના કારણે તેમની બદલી કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ ફૂડ વિભાગના ડેઝીગનેટેડ ઓફિસર અને ડે. એમ.ઓ.એચ.ની તાત્કાલીક અસરથી બદલી કરવામાં આવી છે.સુત્રો…
વર્લ્ડ ટ્રોમા ડેના દિવસે યોજાયેલા આ જાગૃતતા કાર્યક્રમનો ઉદ્દેશ હેલ્મેટ પહેરવા માટેની જાગૃતતા વધારવા અને ટાળી શકાય તેવી શારીરિક ઇજાઓ ઘટાડવાનો હતોઅમદાવાદ, અમદાવાદ ટ્રાફિક પોલીસના સમર્થન સાથે સ્ટર્લિંગ હોસ્પિટલ્સે જવાબદાર રીતે વાહન ચલાવવાની ટેવોને પ્રોત્સાહન આપવા અને માર્ગ અકસ્માતથી થતી માથાની ઇજાઓને ટાળવા માટે વર્લ્ડ ટ્રોમા ડેના દિવસે માર્ગ સલામતી હેલ્મેટ જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. ટુ-વ્હીલર ચલાવનારાઓમાં સુરક્ષાના સંદેશને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી આ પહેલમાં ટાળી શકાય તેવી શારીરિક ઇજાઓ ઘટાડવા અને સમગ્ર શહેરમાં માર્ગ સલામતી વધારવા માટે હેલ્મેટના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.અમદાવાદમાં મેમનગર વિસ્તારમાં હેલ્મેટ સર્કલ ખાતે શુક્રવારે, 17 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 9.30 કલાકે…
ગાંધીનગર, ગુજરાતના નવા મંત્રીમંડળની રચનાએ રાજકીય ગલિયારામાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. સૌથી વધુ ધ્યાન ખેંચનાર બાબત છે સૌરાષ્ટ્રનું વધેલું પ્રતિનિધિત્વ. અગાઉના ૫ મંત્રીઓની સરખામણીમાં આ વખતે સૌરાષ્ટ્રના ૯ ધારાસભ્યોને મંત્રીપદની ભેટ મળી છે. આ ફેરફારને રાજકીય વિશ્લેષકો માત્ર એક સામાન્ય બદલાવ તરીકે નથી જોઈ રહ્યા,પરંતુ તાજેતરમાં જ વિસાવદર પેટાચૂંટણીમાં શાસક પક્ષને મળેલા પરાજયના પડઘા રૂપે જોઈ રહ્યા છે. શું આ નિર્ણય સૌરાષ્ટ્રના મતદારોની નારાજગી દૂર કરવા અને ભવિષ્યમાં ‘વિસાવદરવાળી’ થતી ટાળવાનો એક સુચિંતિત પ્રયાસ છે? ચાલો, આ રાજકીય દાવપેચનું વિશ્લેષણ કરીએ.વિસાવદરની હાર શાસક પક્ષ માટે માત્ર એક બેઠક ગુમાવવા બરાબર ન હતી. તે સૌરાષ્ટ્રના રાજકીય હવામાનનો સ્પષ્ટ સંકેત હતો.…
ગાંધીનગર, બાંધકામ સાઈટના કોન્ટ્રાક્ટરે મજૂરી પેટે બાકી નીકળતા રૂપિયા ૧૦ લાખની રકમ નહીં મળતા નાસીપાસ થઇ ગયેલા મુકાદમે આપઘાત કરી લીધો હોવાનો બનાવ ગાંધીનગરના કોબા ખાતેની કન્સ્ટ્રક્શન સાઈટ પર બન્યો હતો.ચોંકાવનારા બનાવની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનસિક ત્રાસ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરવાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.દાહોદના રાહુલ નરસુભાઈ પસાયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ બનાવની વિગત એવી છે કે તેમના મોટાભાઈ અર્જુનભાઈએ કોબા ખાતેના કે. રાહેજા રોડ પર આવેલી ટ્રી ટોપ કન્સ્ટ્રક્શન સાઈટ પર આર.સી.સી.નું કામ સાઇટ કોન્ટ્રાક્ટર કૌશિકસિંહ રાજપૂત પાસેથી મજૂરીના ભાવથી રાખ્યું હતું. જેથી અર્જુને ૧૫ માણસો સાઇટ પર રાખી સાઇટના એ અને બી…
અમદાવાદ , દિવાળીનો તહેવાર આવતાની સાથે જ ઈન્ટરનેટ પર ઓનલાઈન શોપિંગ અને ડિસ્કાઉન્ટ અંગેની ભરપૂર જાહેરાત આવવા લાગી છે, પરંતુ આ ગાડરિયા પ્રવાહમાં જવાથી ક્યારેક સાયબર ઠગાઈનો શિકાર બની જવાય છે.ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી કરતા લોકોએ અનેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. તહેવાર સમયે સાયબર ગઠિયાઓ બનાવટી વેબસાઈટ બનાવી છેતરપિંડી આચરે છે. આ પ્રકારની બનાવટી વેબસાઈટ પરથી શોપિંગ કરનાર લોકો સાથે ઠગાઈના કિસ્સા બનશે.સાથે જ બીજી બાજુ કેટલાક કિસ્સામાં કુરિયર તો ઘરે આવે છે, પરંતુ તેમાં રૂપિયા ખર્ચીને ખરીદેલી ચીજવસ્તુઓ હોતી નથી. અંતે ગ્રાહકે રાતા પાણીએ રોવાનો વારો આવે છે ત્યારે તહેવાર દરમિયાન પોલીસ ગ્રાહકોને સુરક્ષા પૂરી પાડી…
