Author: gujarat

Bhavnagar, ભાડાના શેડમાં મશરૂમ ઉગાડીને મેળવી સફળતા… એન્જિનિયર યુવાન ઋત્વિકે ભાડેથી શેડ રાખી તેમાં મહારાષ્ટ્રથી ઓઈસ્ટર મશરૂમની 500 બેગ મગાવીને મશરૂમની આધુનિક ખેતી શરૂ કરી, આધુનિક ટેક્નોલોજીથી મશરૂમનું ઉત્પાદન કરી અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો…ભાવનગરનો આ યુવાન હાઈટેક પદ્ધતિથી ઓઈસ્ટર મશરૂમની ખેતી કરીને પ્રોટીન પાવડર બનાવતી કંપનીઓ સુધી પહોંચ્યો, ઉલ્લેખનીય છે કે મશરૂમ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે…

Read More

(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી, નાણાંમંત્રી તેમજ રાજ્યની તમામ મહાનગર પાલિકાઓના મેયર, ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય એજન્ડા વિકાસકામો હતો, પરંતુ નગરસેવકોની વ્યથા સાંભળીને મુખ્યમંત્રીનો મિજાજ ગરમ થયો હતો.ગાંધીનગર સહિત રાજ્યના અનેક કોર્પોરેશનના નગરસેવકોએ એકસૂરે ફરિયાદ કરી હતી કે અધિકારીઓ જનપ્રતિનિધિઓના ફોન ઉપાડતા નથી. રજૂઆત કરવા છતાં કામોના નિરાકરણ આવતા નથી. વોર્ડ સંકલનની બેઠકો માત્ર ઔપચારિકતા બની ગઈ છે; ત્યાં રજૂ કરેલા પ્રશ્નો જોઈ લેશું, જોવડાવી લેશું કહીને અભરાઈએ ચડાવી દેવાય છે.આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે લોકોના પ્રશ્નો માટે જો નગરસેવક ફોન કરે અને અધિકારી મનમાની કરે,…

Read More

ગણેશ હાઉસિંગ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી શેખર પટેલની બજેટ પર ટીપ્પણીAhmedabad “કેન્દ્રીય બજેટ 2026 એ વિકસિત ભારતના વિઝનના કેન્દ્રમાં ટિઅર-2 અને ટિઅર-3 શહેરોને રાખતાં ભારતના ગ્રોથ અભિગમમાં સ્પષ્ટ પરિવર્તનને વેગ આપે છે. એઆઈ અને ટેકનોલોજીમાં ડિજિટલ ક્ષમતાનું નિર્માણ કરતાં માળખાગત વિકાસ, એમએસએમઈ વિસ્તરણ, મેન્યુફેક્ચરિંગ, અને સેમીકંડક્ટર ઈકોસિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જે રોજગાર સર્જન અને એન્ટરપ્રાઈઝના ગ્રોથનો પાયો મજબૂત બનાવે છે.રિયલ એસ્ટેટ સેક્ટર માટે બજેટમાં જોડાણો, મૂડીની જરૂરિયાતો અને આયોજિત શહેરીકરણની આસપાસના લાંબાગાળાના મૂળભૂત સિદ્ધાંતોમાં સુધારો કરે છે. અમદાવાદ જેવા શહેરોને સરકારના આ અભિગમનો નોંધપાત્ર લાભ મળશે. મજબૂત ઔદ્યોગિક આધાર, શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો તેમજ બિઝનેસ, પ્રતિભા અને સંસ્થાકીય…

Read More

ઉત્તર પશ્ચિમ ઝોન માંથી સૌથી વધુ નેટ આવક રૂ.28.38 કરોડ આવી(પ્રતિનિધિ) અમદાવાદ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત કર વસુલાતને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકવામાં આવેલી વ્યાજ માફી યોજના 2025-26 હેઠળ વર્ષનાં પહેલા મહિના જાન્યુઆરી દરમિયાન જ નોંધપાત્ર સફળતા મળી છે.આ યોજના અંતર્ગત 1 જાન્યુઆરી 2026થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન શહેરના તમામ સાત ઝોનમાંથી અંદાજીત કુલ રૂ.128.05 કરોડની નેટ આવક નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન દૈનિક કર વસુલાત કરવામાં આવી હતી, જેમાં ઉત્તર પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનનું પ્રદર્શન સૌથી વધુ રહ્યું છે.મ્યુનિસિપલ રેવન્યૂ કમિટીનાં ચેરમેન અનિરૂદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ઝોન પ્રમાણે આ આવકનાં આંકડાઓ મુજબ, ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી રૂ. 28.38…

Read More

ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં 18થી 20 લાખ લોકોને નર્મદા પાણીનાં પુરવઠામાં વધારાથી મળશે લાભઅમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિગ કમિટી શુક્રવાર, 30 જાન્યુઆરી 2026એ મળી હતી. જેમાં શહેરનાં ઉત્તર-પશ્ચિમ ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાં નર્મદાનાં પાણીનાં વિતરણની વાત કરી હતી.તેમણે જણાવ્યું કે, જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નર્મદા નદીનું પાણી ઉત્તર-પશ્ચિમ ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાં વિતરણ કરવામાં આવે છે, જે રિંગ રોડ પર વર્ટિકલ ડેવલોપમેન્ટમાં જોવા મળી રહ્યું છે. 15થી વધુ માળની ઇમારતોમાં વસ્તીનું પ્રમાણ વધતું જાય છે જેને કારણે આ વિસ્તારોમાં પાણીની ઘટ પડતી હોય છે. તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન…

Read More

એમએસએમઈ, ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ, ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ અને પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્ગને લાભ મળશેગાંધીનગર, ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે સેમિકન્ડક્ટર મિશન ૨.૦, ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ્‌સ, કેમિકલ પાર્ક્‌સ, કન્ટેનર મેન્યુફેક્ચરિંગ જેવી યોજનાઓ ગુજરાત માટે ખાસ લાભદાયી છે કારણ કે રાજ્ય પહેલેથી જ ઔદ્યોગિક હબ છે. જેના કારણે સુરત, વલસાડ, અંકલેશ્વર, દાહેજ, સાણંદ જેવા વિસ્તારોમાં નવી મૂડીરોકાણ અને રોજગાર વધવાની શક્્યતા રહેલી છે.બંદરો અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે નવા નેશનલ વોટરવે, શિપિંગ અને પોર્ટ આધારિત વિકાસ યોજનાઓથી ગુજરાતના કંડલા, મુન્દ્રા, પિપાવાવ જેવા બંદરોને સીધો ફાયદો થઈ શકે છે. પૂર્વથી પશ્ચિમ ફ્રેઇટ કોરિડોરમાં મકુનીથી સુરત સુધીના મલ્ટી મોડલ કોરિડોરનો ઉલ્લેખ ગુજરાત માટે વ્યૂહાત્મક…

Read More

Ahmedabad, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ) દ્રારા “મેનેજીંગ બ્રાન્ડસ – યસ્ટર્ડે, ટુડે એન્ડ ટુમોરો” થીમ પર બ્રાન્ડ સમિટ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં ‘સુપરનોવા’ સપોર્ટ પાર્ટનર તરીકે અને ‘બ્રાન્ડ ક્લબ ગુજરાત’ આઉટરીચ પાર્ટનર તરીકે જોડાયા હતા. એએમએના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ઉન્મેષ દીક્ષિતે સ્વાગત પ્રવચન આપ્યું હતું. શ્રી સોનાલ ડબરાલે (એવોર્ડ વિજેતા ક્રિએટિવ કન્સલ્ટન્ટ, પટકથા લેખક અને ફિલ્મ દિગ્દર્શક) મુખ્ય સંબોધન રજૂ કરતા બ્રાન્ડ બિલ્ડિંગમાં સ્ટોરીટેલિંગના મહત્વ પર ભાર મૂક્યો હતો. એએમએની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય ડૉ. જૈનિલ શાહે આ સત્રનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.Industry Experts Converge at AMA’s Brand Summit 2026 to explore the Evolution of Brand Management“બ્રાન્ડ્સ: પેઢી દર પેઢી”વિષય…

Read More

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું બજેટ છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ::મુખ્યમંત્રીશ્રી ::Øકર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું બજેટ ત્રણ કર્તવ્યો પર ઝોંક આપે છેØસમાજના બધાં જ ક્ષેત્રોને અને દરેક વર્ગને “સૌના સાથ,સૌના વિકાસના” મંત્રથી આવરી લેવાનો સરાહનીય અભિગમØલોથલ અને ધોળાવીરાનો પુરાતત્વીય વિરાસત ક્લસ્ટર ટુરીઝમ ડેવલોપમેન્ટમાં સમાવેશ થવાથી પ્રવાસન દ્વારા ગુજરાતમાં ‘વિરાસત ભી,વિકાસ ભી’નો અભિગમ સાકાર થશેØ5લાખથી વધુ વસ્તીવાળા ટીયર-ટુ અને ટીયર-થ્રી શહેરોને સિટી ઇકોનોમિક રિજીયન બનાવવાની જાહેરાતથી રાજ્યના નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગવંતો બનશેØMSMEથી લઈને મોટા ઊદ્યોગ,સૌને માટે પ્રોત્સાહક બજેટ છેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણાંમંત્રી શ્રીમતિ નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલું2026-27ના વર્ષનું…

Read More

વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને પોરબંદરમાં રાજ્યકક્ષાના ૮મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર‘નો ઉદ્ઘાટન સમારોહ યોજાયોવેટલેન્ડ્સ એ માત્ર જળાશયો નથી,પણ પૃથ્વીની જીવનરેખા છે; તેને બચાવવા એ આપણી નૈતિક ફરજ છે. – મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાપોરબંદરએ કુદરતી વેટલેન્ડ્સનો ખજાનો છે;આ પક્ષી અભયારણ્યો અને જળાશયોનું જતન જરૂરી છે – મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાવેટલેન્ડ અને અભયારણ્ય સંદર્ભે વિવિધ રિસર્ચ રિપોર્ટ તેમજ ડોક્યુમેન્ટ્રીનું મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER)ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ,પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય‘૮માં આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર‘નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉદ્ઘાટન સેમીનારના અધ્યક્ષ સ્થાને વન…

Read More

(એજન્સી)અમદાવાદ, શહેરમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ ગત મોડી રાત્રે પોતાના નિવાસસ્થાને લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. દીકરીના લગ્નની તૈયારીઓ વચ્ચે બનેલી આ ઘટનાથી પરિવાર અને બિલ્ડર લોબીમાં ભારે શોક અને સન્નાટો વ્યાપી ગયો છેસુરતમાં જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. બિલ્ડર તુષાર ઘેલાણીએ મોડી રાત્રે પોતાના નિવાસસ્થાને ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે પરિવાર સહિત બિલ્ડર લોબીમાં શોકનો માહોલ ફેલાયો છે. દુખદ વાત એ છે કે, દીકરીના લગ્ન પહેલા જ પરિવાર પર આભ તૂટ્યું.મોડી રાત્રે આશરે ૨ઃ૦૦ વાગ્યાના અરસામાં આ ઘટના બની…

Read More