Author: gujarat

અમદાવાદ, શહેરભરમાંથી એકત્ર કરાતાં હજારો ટન ઘનકચરામાંથી વીજળી ઉત્પાદન કરતાં પ્લાન્ટમાં અત્યાર સુધીમાં ત્રણેક લાખ ટન કચરાનાં ઉપયોગ કરીને ૧૨૩૪ લાખ યુનિટ વીજળી ઉત્પાદન કરવામાં આવી છે.મ્યુનિ.સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણીએ વેસ્ટ ટૂ એનર્જી પ્રોજેક્ટની સફળતાની વિગતો આપતાં કહ્યું કે, ભાજપનાં શાસનમાં પીરાણા ડમ્પ સાઇટ ખાતે ડુંગર બની ગયેલાં ઘનકચરાનાં નિકાલને અગ્રતા આપવામાં આવી છે અને કચરાને રિસાયકલ, રિયુઝ અને રિડ્યુસ સૂત્ર થકી પર્યાવરણની જાળવણી કરવાની સાથે શહેરને કચરા મુક્ત બનાવવામાં સફળતા મળી છે.તેમાંય ખાસ કરીને કચરાનો ઉપયોગ કરીને વીજ ઉત્પાદન કરવાનાં પ્રોજેક્ટ થકી અનેક લાભ મેળવવામાં આવી રહ્યાં છે. ઓક્ટોબર ૨૦૨૪માં કાર્યરત થયેલો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ આગામી વર્ષાેમાં શહેરી…

Read More

અમદાવાદ, શહેરના ઘાટલોડિયામાં આવેલી ન્યૂ નિકીતાપાર્ક સોસાયટીમાં રહેતા વેપારી પરિવારજનો સાથે જનોઇ પ્રસંગમાં રાજકોટ ગયા હતા. આ દરમિયાન ઘરમાંથી સોના-ચાંદીના ૧૩.૦૩ લાખના દાગીનાની ચોરી થઈ હતી. વેપારીએ તપાસ કરતા ચોર ધાબા પરની વેન્ટિલેશન જાળીનો કાચ ખોલીને ઘરમાં ઘૂસીને ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ઘાટલોડિયામાં આવેલી ન્યૂ નિકીતાપાર્ક સોસાયટીમાં રહેતા સંકેતભાઈ ઠક્કર આયુર્વેદિક કંપનીમાં કમિશન પર વેપાર કરે છે. ૨૨ જાન્યુઆરીએ સંકેતભાઇ પરિવારજનો સાથે રાજકોટ ખાતે મામાની દીકરીના દીકરાની જનોઈના પ્રસંગમાં ગયા હતા. જે બાદ ૨૫ જાન્યુઆરીએ તે સાંજે ઘરે આવ્યા હતા. ત્યારે ઘરની અંદર જઈને જોયું તો બેડરૂમમાં કબાટના દરવાજા…

Read More

૧૩ દિવસ પહેલાં જ પરણેલા યુવાનના અકાળે મોતથી પરિવારમાં ભારે શોકગાંધીનગર, ગાંધીનગર નજીક સુઘડ ગામે રહેતા અને બિલ્ડરનો પુત્ર ઋષભ પટેલ રપ જાન્યુઆરીએ રહસ્યમય રીતે ગુમ થયો હતો. તે પછી તેની લાશ કડી પોલીસ મથકની હદમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. ૧૩ દિવસ પહેલા જ પરણેલા યુવાનના અકાળે મોતથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.ઋષભના નાના ભાઈ આર્યન પ્રવીણભાઈ પટેલે તા.રપમીએ ડભોડા પોલીસમાં ગુમ થયા અંગેની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. જાણવાજોગ મુજબ રપ જાન્યુઆરીના રોજ બપોરે ૧ર.૩૦ વાગ્યે ઋષભ કરાઈ ખાતે પોતાની કન્સ્ટ્રકશન સાઈટ પર જવા ઘરેથી નીકળ્યો હતો. સાંજે સાડા ચાર વાગ્યે તેણે તેની કાર સર્વિસમાં આપી…

Read More

ગાંધીનગર, કલોલના છત્રાલ ખાતે ટ્રાન્સપોર્ટરનો વ્યવસાય કરતા વેપારીને બોગસ પોલિસી આપી મુંબઈના બે એજન્ટ રૂ.૪.૯૬ લાખ પડાવી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. વાહનને અકસ્માત થવાથી વીમા કંપનીમાં કલેમ કર્યો ત્યારે સામે આવ્યું હતું કે પોલિસી બોગસ છે જેથી વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.છત્રાલમાં દિવ્યા ટ્રાન્સપોર્ટ સર્વિસ ચલાવતા યશવંતરામ યાદવનો સંપર્ક વર્ષ ર૦૧૬માં મુંબઈના ભીવંડી ખાતે ઓફિસ ધરાવતા શ્રીકાંત શંકર ગાજેગી સાથે થયો હતો. શ્રીકાંતે પોતે આરટીઓ અને વીમાના કામકાજનો એકસપર્ટ હોવાનું જણાવી વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું હતું, પરંતુ છેલ્લા બે વર્ષમાં શ્રીકાંત અને તેના સાથીદાર શ્રીધરે છેતરપિંડીનો કારસો રચ્યો હતો.આ બંને શખ્સોએ ટ્રાન્સપોર્ટરની પાંચ ગાડીના વીમા…

Read More

ગુજરાત રાજ્ય વતી ટ્રોફીનો સ્વીકાર કરતા મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર શ્રી કિશોર બચાણીસતત ચાર વર્ષ પોપ્યુલર ચોઈસ એવોર્ડની સાથે વર્ષ 2024માં જ્યુરીઝ્ ચોઈસ એવોર્ડ સાથે ગુજરાતને ચાર વર્ષમાં કુલ 5 એવોર્ડ એનાયત77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ આજરોજ વિધિવત્ રીતે ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.આજરોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પારિતોષિક વિતરણ સમારોહમાં કેન્દ્રિય રાજ્ય રક્ષામંત્રી શ્રી સંજય સેઠના હસ્તે આપવામાં આવેલી આ ટ્રોફી અને પ્રમાણપત્રનો ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ ડૉ.…

Read More

જૂનાગઢ, જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં અંદાજે અઢી વર્ષ પહેલાં થયેલી કર્મચારીની લોહિયાળ હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે પીએમ વિભાગના કર્મચારીની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર પટ્ટાવાળા અતુલ ઉર્ફે મોન્ટી પરમારને દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યાે છે.૧ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના પીએમ વિભાગમાં ફરજ બજાવતા અરવિંદ જેઠવા ઇમરજન્સી વોર્ડ પાસે આરામ કરી રહ્યા હતા. આ સમયે કોન્ટ્રાક્ટ પર પટ્ટાવાળા તરીકે કામ કરતા અતુલ પરમારે ઓચિંતા ધસી આવી અરવિંદભાઈ પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા.ગંભીર રીતે ઘવાયેલા કર્મચારીએ દમ તોડતા પહેલા આરોપી તરીકે અતુલનું નામ આપ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે હુમલો એટલો ભયાનક…

Read More

વડોદરા, વડોદરા જિલ્લાના કરજણ નજીક નેશનલ હાઈવે-૪૮ પર શુક્રવારે (૩૦મી જાન્યુઆરી) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઔરંગાબાદથી અમદાવાદ તરફ જઈ રહેલી ખાનગી બસ કરજણના ધાવટ ચોકડી બ્રિજ પાસે સાઈડમાં ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ૨ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે ૧૦થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.મળતી માહિતી અનુસાર, આ અકસ્માત એટલો ભિષણ હતો કે, બસનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો અને ૨૫ થી વધુ મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. કરજણ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક પહોંચીને બસના પતરા કાપીને લોકોને બહાર કાઢ્યા હતા. બસમાં ફસાયેલા મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા…

Read More

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ પર આવેલા સર્કલ પાસે એક સગીરની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.મળતી માહિતી મુજબ, અંદાજે ૧૬ વર્ષની વયના સગીર પર બે થી ત્રણ અજાણ્યા શખસોએ તીક્ષ્ણ છરીના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતાર્યાે હતો. પ્રાથમિક તપાસમાં આ લોહિયાળ ઘટના અંગત અદાવતમાં અંજામ આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક અસરથી સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. હુમલાખોરો સગીરની હત્યા કર્યા…

Read More

GIFT City Tax Holiday: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે બજેટ ૨૦૨૬ રજૂ કર્યું. જેમાં નાણામંત્રીએ ગુજરાતની ગિફ્ટ સિટીને મોટી ભેટ આપી છે. તેમણે ગિફ્ટ સિટીની એન્ટિટીઝને બજેટ ૨૦૨૬ માં ૨૦ વર્ષની ટેક્સ હોલિડે આપવાની જાહેરાત કરી. નાણામંત્રીની આ જાહેરાતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સામેલ ગિફ્ટ સિટીને વેગ મળવામાં મદદ થશે. ગિફ્ટ સિટીને વિશ્વના ફિનટેક હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. નાણામંત્રીની જાહેરાત બાદ હવે GIFT સિટીમાં બનેલી એન્ટિટીઝ હવે ૨૦ વર્ષની ટેક્સ હોલિડે માટે પાત્ર બનશે, જે પહેલાના ૧૦ વર્ષના ફાયદા કરતા બમણી છે. હોલિડે પિરિયડ પૂરો થયા પછી આ યુનિટ્સ પર ફાઇનાન્સ બિલમાં જણાવ્યા મુજબ ૧૫ ટકાના રાહત…

Read More

સુરત, ડાંગ જિલ્લામાં માનવતા અને શિક્ષણ જગતને લજવતી એક શરમજનક ઘટના સામે આવી છે. એક આશ્રમશાળામાં ૧૫ વર્ષીય સગીરા પર આશ્રમશાળાના મહિલા પ્રમુખના જ પતિએ દુષ્કર્મ ગુજારતા ખળભળાટ મચી ગયો છે.આ ગુનામાં મદદ કરનાર રસોઈકામ કરતી મહિલા અને મુખ્ય આરોપી પ્રફુલ નાયક સામે પોલીસે પોક્સો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.પીડિતાની માતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, આશ્રમમાં રસોઈકામ કરતી મહિલાએ ૧૫ વર્ષીય વિદ્યાર્થિનીને રસોડામાં કામ હોવાનું બહાનું બતાવી બોલાવી હતી. સગીરાને વિશ્વાસમાં લઈને રસોઈયાએ પાણીના ગ્લાસમાં કોઈ નશીલી કે કેફી વસ્તુ ભેળવીને તેને પીવડાવી દીધુ હતું.કેફી પીણું પીધા બાદ સગીરા બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ હતી.સગીરા જ્યારે બેભાન જેવી અવસ્થામાં હતી,…

Read More