ગિનિસ વર્લ્ડ રેકોડ્ર્સ દ્વારા મહંત સ્વામીને અર્પણ કરાશે બહુમાનપત્રવડોદરા, તા.ર ફેબ્રુઆરી ર૦ર૬ સોમવારના દિવસે સાંજે પઃ૦૦થી ૮ઃ૦૦ વાગ્યા દરમિયાન બીએપીએસના વર્તમાન અધ્યક્ષ મહંત સ્વામી મહારાજનો ૯રમો જન્મજયંતિ મહોત્સવ વડોદરામાં એપીએમસી માર્કેટ નજીક, નેશનલ હાઈવે-૪૮ ખાતે ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવશે. આ મહોત્સવમાં ઈંગ્લેન્ડથી ગિનિસ વર્લ્ડ રેકોડ્ર્સના અધિકારીઓ દ્વારા સ્વામીનું બહુમાન કરવામાં આવશે.પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાÂત્મક અનુગામી તરીકે તેઓ બીએપીએસ સંસ્થાના વૈશ્વિક સેવાકાર્યોનું સુકાન સંભાળી રહ્યા છે. તેઓની નિશ્રામાં વિશ્વભરના ૧૮૦૦થી વધુ મંદિરોમાં સનાતન વૈદિક ધર્મના સંસ્કારોનું જતન થઈ રહ્યું છે. વિશ્વના પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર એવા રોબિન્સવિલ, ન્યુજર્સીમાં સ્વામીનારાયણ અક્ષરધામથી લઈને મિડલ ઈસ્ટમાં સૌપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર એવા અબુધાબી સ્થિત…
Author: gujarat
જામનગરમાં પોલીસ ભરતીની દોડમાં બે ઉમેદવાર છેતરપિંડી કરતા ઝડપાયાજામનગર, જામનગર પોલીસ હેડકવાર્ટર ગ્રાઉન્ડમાં પોલીસ ભરતી પ્રક્રિયા અંતર્ગત હાલ શારીરિક પરીક્ષા ચાલી રહી છે જેમાં ગ્રુપ ત્રણમાં પોતાનો વારો આવતા મૂળ ગોંડલના બેટીવડ ગામના અને હાલ ગોંડલ એસઆરપી ગ્રુપમાં નોકરી કરતા અર્જુનસિંહ જાડેજા અને તેના જ ગામના શિવભદ્રસિંહ જાડેજાએ દોડ માટે તૈયારી કરી હતી.આ ર૦૦ ગ્રુપની દોડ પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવતા ર૦૦ પૈકી અર્જુનસિંહને દોડ માટે આપવામાં આવેલી રનિંગ ચીપ રીડ ન થતી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ પરીક્ષાના ગ્રાઉન્ડ ઈન્ચાર્જ સેનાપતિ કોમલ વ્યાસે લગત એજન્સીને સાથે રાખીને ગાંધીનગર સેન્ટ્રલ કંટ્રોલ રૂમના ડેટા ચકાસવા આદેશ કર્યો હતો.…
ઝઘડિયાના પત્રકારે ગેરકાયદેસર રેત ખનન બાબતે રેતી માફિયા વિરુધ્ધ ફરિયાદ કરતા તેની અદાવત રાખી હુમલો કર્યો(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી બેરોકટોક ખનિજ ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું જગજાહેર છે.તાલુકા માંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી મોટાપાયે રેતી ઉલેચવાનું ચાલી રહ્યું છે, નદીમાં નાવડી મુકીને મશિન અને પાઈપ દ્વારા રેતી કાઢવું ગેરકાયદેસર હોવા છતાં તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે.તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયા બેફામ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે,ત્યારે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રહીશ પત્રકાર જયશીલભાઈ પટેલ પર એક રેતી માફિયાએ હુમલો કર્યો હોવાની ઘટના બની…
સુરત, શહેરના લિંબાયત વિસ્તારમાં પત્નીએ પતિની ઝેર આપીને હત્યા કરી નાંખતા ચકચાર જાગી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતો અને મુંબઈમાં નોકરી કરતો હૈદરઅલી મહિનામાં એકાદવાર જ્યારે પણ પોતાના ઘરે સુરત આવતો ત્યારે સેકસવર્ધક દવાઓનું સેવન કરીને પત્ની ઈશરત જહાં પર અત્યંત ક્રૂરતા આચરતો અને તેને ત્યાં સુધી મારતો અને પીડા આપતો જ્યાં સુધી તેને શરીરમાંથી લોહી ન નીકળે.સતત શારીરિત અને માનસિક ત્રાસને કારણે પત્નીના મનમાં પતિ પ્રત્યે ભારે રોષ ભરાયો હતો જેથી આ વખતે જ્યારે પતિ મુંબઈથી ઘરે આવ્યો ત્યારે પત્નીએ હંમેશા માટે રસ્તામાંથી હટાવી દેવાનું મન બનાવી લીધું હતું. હત્યા કરવાના ઈરાદે પત્નીએ ગત ૧લી જાન્યુઆરીએ હૈદરઅલીને રાત્રે પીવા…
પોલીસે આરોપી સામે ગુનો નોંધી જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવીકોડીનાર, ગીર સોમનાથ જિલ્લામાં સોશિયલ મીડિયા મારફતે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાની અને બે સમાજ વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાવવાની પ્રવૃત્તિ સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે.ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી ઉશ્કેરણીજનક અને વાંધાજનક પોસ્ટ વાયરલ કરનારા આરોપીને ઝડપી લીધો હતો. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ સોશિયલ મીડિયા પર સતત નજર રાખવામાં આવી રહી છે.આ દરમિયાન કોડીનાર પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે ઈન્સ્ટાગ્રામ પર ફિરોજ ખરાઈ નામના ફેક આઈડી પરથી બે કોમ વચ્ચે તણાવ ઉભો થાય તેવી પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ મામલે ગંભીરતા જોતા પોલીસ દ્વારા ટેકનિકલ…
ગાંધી નિર્વાણ દિને ગુજરાત વિદ્યાપીઠમાં સમૂહ કાંતણ અને સર્વધર્મ પ્રાર્થના સાથે શહીદોને અંજલિ અપાઈપરિસરમાં સઘન સફાઈ અભિયાન યોજાયું: શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિભાગોને રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યામહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ખાતે ૩૦મી જાન્યુઆરી – ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પૂજ્ય બાપુના સ્વચ્છતાના આદર્શોને ચરિતાર્થ કરી, ગાંધી ચીંધ્યા માર્ગે ‘સ્વચ્છાંજલિ’ અર્પી, શહીદ દિવસની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વિદ્યાપીઠના દરેક સંકુલ, ભવન અને વિભાગના સેવકો તથા વિદ્યાર્થીઓએ સક્રિયપણે જોડાઈને પોતાના કાર્યક્ષેત્ર અને આસપાસના માર્ગોની સઘન સફાઈ કરી હતી. આ સફાઈ અભિયાનનું એક વિશેષ સમિતિ દ્વારા ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં કચરા વ્યવસ્થાપન, પીવાના પાણીની સુવિધા, ધૂળમુક્ત વાતાવરણ અને…
અમદાવાદ, અમદાવાદના શાહીબાગ અંડરપાસ બુલેટ ટ્રેનની કામગીરીના પગલે શુક્રવાર (૩૦મી જાન્યુઆરી)થી ફરી છ દિવસ માટે રાત્રે વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવશે.અગાઉ ૨૩થી ૨૮મી જાન્યુઆરી સુધી પણ બુલેટ ટ્રેનના કામ માટે બંધ કરાયો હતો. પરંતુ નિર્ધારિત સમયથી સોળેક કલાક પહેલાં જ તે રૂટ શરૂ કરી કામ સમયસર કરાતું હોવાની ગુલબાંગો પોકારી હતી. તેને હજુ બે દિવસ પણ વિત્યા ન હોય ફરી નવું કામ યાદ આવ્યું છે. નોંધનીય છે કે એક મહિનામાં ત્રીજી વખત અંડરપાસ બંધ કરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડશે.પ્રાપ્ત માહિતી અનુસાર, પિલર પર સેગમેન્ટ લગાવવાની કામગીરી પુરી થતાં તેના લેવલિંગ અને ટેકનિકલ કામના પગલે ૩૦મી જાન્યુઆરીથી ચોથી ફ્રેબુઆરી સુધી અંડરપાસ…
અમદાવાદ, નળ સરોવર પાસે પ્લોટની સ્કીમમાં રોકાણ કરવાથી ફાયદો થશે તેવી લોભામણી લાલચ આપીને શરૂ કરવામાં આવેલી સ્કીમમાં લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. નરોડા ગેલેક્ષી રોડ પાસે આવેલા સુહર્દ કોમ્પલેક્સમાં ઓફિસ ખોલીને વર્ષ ૨૦૧૧થી ૨૦૧૮ સુધીના સમયગાળામાં ચાર ગઠિયાએ એક બે નહીં પરંતુ ૧૫થી વધુ લોકો પાસેથી કુલ રૂ.૫૦.૨૧ લાખનું રોકાણ કરાવીને તમામ રકમ ચાઉં કરી લીધા છે.જો કે આ ચારેય ગઠિયાની સામે પોલીસ ફરિયાદ નોંધાતા તમામ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.પાલનપુરમાં પરિવાર સાથે રહેતા જયંતિભાઈ પ્રજાપતિ (ઉ.૫૫) પાલનપુરમાં હીરા ઉદ્યોગનું કારખાનું ધરાવીને વેપાર ધંધો કરે છે. વર્ષ ૨૦૧૧ જયંતિભાઈ નરોડા ખાતે રહેતા તેના મિત્રને…
અમદાવાદ, સુરતના એક ચાટ્ર્ડ એકાઉન્ટ પાસેથી ભરણપોષણ માટે માતા-પિતાએ અરજી કરતાં તેને સત્તાધીશો તરફથી એક નોટિસ મળી હતી. જેના પગલે પુત્રે હાઇકોર્ટમાં નોટિસને પડકારતી અરજી કરી છે. જે અરજીમાં હાઇકોર્ટે તંત્રએ કાઢેલી નોટિસ પર હાલ સ્ટે આપ્યો છે અને વધુ સુનાવણી ફેબ્›આરીમાં રાખી છે.સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વૃદ્ધ માતા-પિતાએ સિનિયર સિટીઝન એક્ટ, ૨૦૦૭ હેઠળ જિલ્લા કલેક્ટર કચેરીમાં મોટા પુત્ર પાસેથી ભરણપોષણ માગતી અરજી કરી હતી. આ અરજી મેઇન્ટેનન્સ ટ્રિબ્યુનલ દ્વારા સુરતના સામાજિક કલ્યાણ અધિકારી પાસે મોકલવામાં આવી હતી. ત્યારબાદ ૨૯મી ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ અધિકારીએ પુત્રને નોટિસ પાઠવીને જવાબ માગ્યો હતો.આ નોટિસને પડકારતાં મોટા પુત્રે હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેની તરફથી દલીલ…
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના સાબરમતી સ્ટેશનના પુનર્વિકાસનું કાર્ય ઝડપી ગતિએ પ્રગતિ પર છે. સાબરમતી બીજી (ધરમનગર સાઇડ) તરફની નવી સ્ટેશન બિલ્ડિંગનું નિર્માણ લગભગ પૂર્ણ થઈ ગયું છે જ્યારે અન્ય પુનર્વિકાસ કાર્યો પ્રગતિ પર છે.યાત્રીઓની સુવિધા તથા ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવાના ઉદ્દેશ્યથી 15 એપ્રિલ, 2026 સુધી આગમન તથા પ્રસ્થાન માટે નવા પ્રવેશ અને નિકાસ દ્વાર તેમજ પિક-અપ અને ડ્રોપની વ્યવસ્થા કરવામાં આવી છે. વિગતો નીચે મુજબ છે:1. પ્રસ્થાન કરનાર યાત્રીઓ માટે પ્રવેશ અને નિકાસ વ્યવસ્થા• પ્રવેશ દ્વાર: યાત્રીઓના વાહનોનો પ્રવેશ એમએમટીએસ બિલ્ડિંગ (બુલેટ ટ્રેન સ્ટેશન) નજીકથી કરવામાં આવી રહ્યો છે. (ડાયગ્રામમાં દર્શાવેલી ગ્રીન લાઇન મુજબ) • યાત્રી નવનિર્મિત સ્ટેશન બિલ્ડિંગમાં પ્રવેશ…
