(પ્રતિનિધિ) ભરૂચ, વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રતિભા,તર્કશક્તિ અને સમજણની કસોટી કરવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ધોરણ ૯ માં અભ્યાસ કરતા ૨,૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાતા પરીક્ષા યોજાતા કુમકુમ તિલક કરી સાંકળ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો.તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ઓળખી તેમને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શન આપવાના મુખ્ય હેતુસર રાજ્ય સરકાર દ્વારા યોજાતી પ્રખરતા શોધ પરીક્ષાનું ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના કુલ ૧૦ પરીક્ષા કેન્દ્રો પર કરવામાં આવ્યું હતુ.જ્યાં વિદ્યાર્થીઓ માટે ૮૬ બ્લોકમાં વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા સહિત પરીક્ષાનું સુચારુ અને પારદર્શક આયોજન થાય તે માટે વહીવટી તંત્ર…
Author: gujarat
(પ્રતિનિધિ) બાયડ, વાલીબોલ ટુર્નામેન્ટનો શુભારંભ મુખ્ય મહેમાન IPS રાજેન્દ્ર.વી.અસારી (ભારત સરકાર) હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનનું શાલ ઓઢાડી બુકે થી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગ રૂપે સરકારમાં વિવિધ સેવાઓ પૂરી પાડી વયનિવૃત્ત થયેલા કાગડામહુડા અને સરકીલીમડીના નિવૃત્ત કર્મચારીઓના નામ અને પરિચયની તક્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું.જ્યારે કાર્યક્રમમાં ભિલોડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગામના સરપંચ શ્રીમતિ કુંદનબેન ડામોર જિલ્લા પંચાયત સદસ્ય ડૉ. વનરાજ ડામોર, અરવિંદભાઇ એમ ભરાડા (નિવૃત અધિક કલેક્ટર), મંગુભાઇ ભગોરા, ધીરુભાઇ ડામોર, સેમ્યુલભાઇ ડામોર તથા ગામના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓપન ગ્રામીણ વાલીબોલ ટુર્નામેન્ટમાં કુલ ૨૫ ટીમોએ ભાગ લીધો હતોજેમાં નડિયાદ…
IPS Sushil Agrawal: ગુજરાતમાં ૨૦૧૭ બેચના IPS અધિકારી સુશીલ અગ્રવાલ ફરી એકવાર ચર્ચામાં છે. તેનું કારણ છે તેમની જબરદસ્ત કાર્યશૈલી. ચોવીસ કલાક અત્યંત એક્ટિવ રહેતા સુશીલ અગ્રવાલ હાલમાં વડોદરા ગ્રામ્ય SP તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. તાજેતરમાં તેમણે વડોદરામાં ૧૬ વર્ષના અંતરાલ બાદ રમાયેલી ભારત-ન્યુઝીલેન્ડ વન-ડે મેચનું અત્યંત શાનદાર રીતે આયોજન અને સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ કરાવી હતી. અત્યારે વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં વુમન પ્રીમિયર લીગ (WPL) ની મેચોનું આયોજન તેમની જ સુરક્ષા વ્યવસ્થા હેઠળ થઈ રહ્યું છે. સુશીલ અગ્રવાલ પાસે વડોદરા ગ્રામ્ય SP તરીકે એક મોટો વિસ્તાર છે, જ્યાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તેમના ખભા પર છે.તપાસમાં લગાવી દે છે…
૩૦ જાન્યુઆરીથી અંબાજીમાં ત્રિ-દિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાશેપાલખી,ત્રિશુલ અને જ્યોત યાત્રાઓ સાથે અંબાજીમાં ભક્તિરસની વહેણ: યાત્રાળુઓ માટે વિશેષ વ્યવસ્થાગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. ૩૦.૦૧.૨૦૨૬ થી તા. ૦૧.૦૨.૨૦૨૬ (મહા સુદ બારસ,તેરસ અને ચૌદસ) દરમિયાન ભવ્ય‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬‘નું આયોજન કરાશે.ઉલ્લેખનીય છે કે,ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ષ ૨૦૦૮માં ગબ્બર પર્વત પર ૫૧ શક્તિપીઠ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું,જેનું લોકાર્પણ ફેબ્રુઆરી ૨૦૧૪માં થયું હતું. અંદાજે રૂ. ૬૧.૫૭ કરોડના ખર્ચે નિર્મિત આ પરિક્રમા માર્ગમાં…
Digital Arrest Scam: હાલ સમગ્ર ગુજરાતમાં ‘ડિજિટલ એરેસ્ટ’ ના નામે એક ભયાનક સાયબર ફ્રોડ ચાલી રહ્યો છે. આ કૌભાંડમાં ઠગો પોલીસ, RTO, CID કે કસ્ટમ્સ અધિકારી બનીને ફોન કરે છે. તેઓ સામેની વ્યક્તિને જણાવે છે કે તેમના નામે કોઈ ગેરકાયદેસર પાર્સલ આવ્યું છે અથવા ડ્રગ્સ કે મની લોન્ડરિંગમાં તેમની સંડોવણી છે. ત્યારબાદ, વિડિયો કોલ (Skype અથવા WhatsApp) દ્વારા વ્યક્તિને ૨૪ થી ૪૮ કલાક સુધી સતત કેમેરા સામે બેસી રહેવા મજબૂર કરવામાં આવે છે, જેને ‘ડિજિટલ એરેસ્ટ’ કહેવામાં આવે છે. આ દરમિયાન ડર બતાવીને કેસ પતાવવાના નામે લાખો રૂપિયા પડાવવામાં આવે છે.આંતરરાષ્ટ્રીય કાવતરું અને લોકલ લીડ્સઆ કૌભાંડનું એપી સેન્ટર ભારત બહાર,…
ક્લોરિન ડોઝર વગરનાં ૧૫ વોટર સપ્લાયર્સનાં એકમો સીલ ઃ ૧૯૪ વોટર જગ સપ્લાયર્સમાંથી ૧૭૯માં ક્લોરિન ડોઝર ઇન્સ્ટોલ(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં પાણીજન્ય રોગો જેવાં કે ઝાડા-ઉલ્ટી, કમળો, ટાઇફોઇડ, કોલેરા વગેરેની અટકાયત તથા નિયંત્રણ માટે સતત અને વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.ગયા વર્ષની તુલનામાં ચાલુ વર્ષે શહેરના વિવિધ ઝોનમાં પાણીજન્ય રોગોના કેસોમાં વધારો નોંધાતા, આરોગ્ય વિભાગ દ્વારા હાઇ રિસ્ક વિસ્તારો ઓળખી તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં પાણી શુદ્ધિકરણની કામગીરી મજબૂત બનાવવા, પાણી પુરીની લારીમાં, કિરાણા સ્ટોર અને પાર્લરમાં ક્લોરિનની ગોળીઓનું વિતરણ, નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટેનાં મેડિકલ કેમ્પ, જનજાગૃતિનાં કાર્યક્રમો તેમજ પત્રિકાઓ વિતરણ વગેરે જેવી…
Republic Day Tableau Gujarat: ૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથીવાર ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’ માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ શુક્રવારે વિધિવત રીતે ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રીય રંગશાલા કેમ્પ ખાતે આયોજિત પુરસ્કાર વિતરણ સમારોહમાં કેન્દ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય સેઠના હસ્તે ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીના મુખ્ય સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી નિયામક કિશોર બચાણીએ ટ્રોફી તથા પ્રમાણપત્ર સ્વીકાર્યા હતા. આ સાથે જ, ટેબ્લો નિર્માણ દરમિયાન યોજાયેલી વિવિધ રાજ્યોના કલાકારોની સાંસ્કૃતિક નૃત્ય સ્પર્ધામાં પણ ગુજરાતના નૃત્યને પ્રોત્સાહક પુરસ્કાર મળ્યો છે.ગુજરાતનો ટેબ્લો કોણે અને કેવી રીતે…
(એજન્સી)ખંભાત, ભારતના ઓફ શોર ડેવલપમેન્ટમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ મળી છે. જેમાં કેર્ન ઓઈલ એન્ડ ગેસે ખંભાતના દરિયામાં ગેસની શોધની જાહેરાત કરી છે, ત્યારે અંબે બ્લોક કેર્નનું બીજું ડિસ્કવર્ડ સ્મોલ ફિલ્ડ એસેટને મોનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. તેના પહેલાં નોર્થ ઈસ્ટમાં હઝારીગાંવ ફિલ્ડને મોનેટાઇઝ કરવામાં આવ્યું હતું. આ ગેસ ડિસ્કવરી ગુજરાતથી સંલગ્ન સમુદ્રી વિસ્તારમાં કેમ્બે બેસિનમાં થઈ છે.વેદાંતા ગ્રુપની કંપની અને ભારતની સૌથી મોટી પ્રાઇવેટ તેલ અને ગેસ એક્સપ્લોરેશન અને પ્રોડક્શન કંપની, કેર્ન ઓઇલ એન્ડ ગેસે વેસ્ટ કોસ્ટ પર આવેલા તેના એપ્રેઝલ વેલ અંબે-૨છમાં હાઇડ્રો કાર્બન (ગેસ) શોધની સૂચના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હાઇડ્રોકાર્બન્સ અને પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયને આપી છે.…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ છેડાને જોડતા મહત્ત્વપૂર્ણ શાહીબાગ અંડર બ્રિજને આજથી (૨૮મી જાન્યુઆરી) વાહનચાલકો માટે ફરીથી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અપેક્ષિત ગતિ કરતા વધુ ઝડપથી પૂર્ણ કરવામાં આવતા આ સફળતા મળી છે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, આ બ્રિજ જે સમયે ખુલવાનો હતો, તેના કરતા આશરે ૧૬ કલાક અગાઉ જ ટ્રાફિક માટે કાર્યરત કરી દેવાતા એરપોર્ટ તરફ જતા મુસાફરો અને સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.નોંધનીય છે કે, બુલેટ ટ્રેનના ગર્ડર લોÂન્ચંગ જેવી જટિલ કામગીરી માટે આ અંડર બ્રિજ ગત ૨૩મી જાન્યુઆરીથી ૫ દિવસ માટે તમામ પ્રકારના વાહનો માટે…
પાર્કિંગ વેચવાનો વિવાદ: ₹76 કરોડના ખર્ચે બનેલું પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગ તંત્ર દ્વારા વેચવાની તૈયારી થઈ રહી છે, જેની સામે વિપક્ષે આકરા આક્ષેપો કર્યા છે.(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને પા‹કગ સમસ્યા વકરી રહી છે તેવા સમયે જ વહીવટી તંત્ર અને સત્તાધારી પક્ષના અણઘડ આયોજનના કારણે ટ્રાફિકજામના નવા સ્પોટ ઉભા થઈ રહયા છે જેના કારણે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ ગંભીર બની શકે છે.આ ઉપરાંત તંત્ર દ્વારા કોઈપણ સર્વે કે આયોજન વિના તૈયાર કરવામાં આવેલ પ્રહલાદનગર મલ્ટીલેવલ પા‹કગ પણ વેચવામાં આવી રહયું છે. કદાચ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહાનગરપાલીકા આ રીતે પા‹કગનું વેચાણ કરશે તેવા આક્ષેપ કોંગ્રેસ પાર્ટીએ કર્યાં…
