Author: gujarat

Gujarat Organ Donation News: કહેવાય છે કે જિંદગીની સૌથી કઠિન ક્ષણોમાં પણ જો કોઈ માનવતાનો દીવો પ્રગટાવે છે તો તે અમર થઈ જાય છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં રહેતા એક પટેલ પરિવારે એવું ઉદાહરણ પેશ કર્યું છે, જેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ભીષણ અકસ્માત બાદ રાહુલ મનુભાઈ પટેલ (૩૦) ને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોએ રાહુલને બચાવવા માટે પૂરેપૂરો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે દીકરાના શ્વાસ તેનો સાથ છોડી રહ્યા હતા ત્યારે પરિવારે સંબંધીઓના સમજાવવા પર અંગદાનનો નિર્ણય કર્યો. કિસ્મતનો ખેલ જુઓ, પરિવારના મુશ્કેલ નિર્ણય બાદ પણ રાહુલના તમામ અંગો ડોનેટ થઈ શક્યા નહીં, પરંતુ રાહુલની આંખો અને…

Read More

(એજન્સી)નવી દિલ્હી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે એક અત્યંત આશ્ચર્યજનક નિર્ણય લેતા વેનેઝુએલાનું જપ્ત કરેલું ક્રુડ ઓઈલનું ટેન્કર પરત કરવાનો આદેશ આપ્યોછે. પનામાના ધ્વજ ધરાવતા એમ-ટી સોફિયા નામના આ ટેન્કરને મુક્ત કરવાના નિર્ણયથી આખી દુનિયા ચોંકી ઉઠી છે, કારણ કે ટ્રમ્પ પ્રશાસન સામાન્ય રીતે પ્રતિબંધોના મામલે અત્યંત કડક વલણ માટે જાણીતું છે.અહેવાલો અનુસાર, સાતમી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યુએસ કોસ્ટ ગાર્ડ અને લશ્કરી દળોએ સમુદ્રમાં ઓપરેશન કરીને એમ-ટી સોફિયાને અટકાવ્યું હતું.તે સમયે અમેરિકાએ આ જહાજને “રાજ્યવિહીન” અને “ડાર્ક ફ્લીટ” (પ્રતિબંધો ચોરી છૂપીથી તોડતું જહાજ) ગણાવ્યું હતું. આરોપ હતો કે આ ટેન્કર વેનેઝુએલાના પ્રતિબંધિત ક્રુડ ઓઈલની ગેરકાયદે હેરાફેરીમાં સામેલ હતું. વર્ષ ૨૦૨૫ના…

Read More

Gujarat Unseasonal Rain Alert: ભારતીય હવામાન વિભાગ (IMD) એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) ના કારણે ગુજરાતમાં ૩ ફેબ્રુઆરી સુધી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા એટલે કે બરફવર્ષાનું એલર્ટ આપ્યું છે. ઉત્તરમાં હવામાન પલટાયા બાદ તેની અસર પશ્ચિમ સુધી પડી રહી છે. ૩૧ જાન્યુઆરીએ ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના ઉત્તરી ભાગમાં કવખતના વરસાદ (માવઠું) ની ચેતવણી જાહેર કરી હતી. હવામાન વિભાગે પોતાના તાજા એલર્ટમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલને હવામાનની સચોટ માહિતી માટે ગુજરાતના ‘બાબા વેંગા’ પણ કહેવામાં આવે છે. નોંધનીય છે કે ઉત્તરની હલચલથી ગુજરાતનું હવામાન બદલાઈ રહ્યું છે. સવાર-સાંજની ઠંડી…

Read More

દાહોદના હીરાપુરની ઘટના, હુમલામાં એક યુવક ઘાયલદાહોદ, મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામે જમીનની જૂની અદાવતમાં કૌટુંબિક સંબંધોના લીરેલીરા ઉડયા છે. સામાજિક મર્યાદાની તમામ હદો વટાવતા એક યુવકે સગાં-સંબંધી મહિલાઓની હાજરીમાં જ પોતાની પોતડી ખોલી તેને માથે બાંધી સંપૂર્ણ નગ્ન અવસ્થામાં પથ્થરો સાથે હિંસક હુમલો કરતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે.હીરાપુર ગામે રહેતા અક્ષયભાઈ ઈશ્વરભાઈ રાવળ અને તેમના કાકાના દીકરા વિષ્ણુભાઈ રમણભાઈ રાવળ વચ્ચે જમીન બાબતે જૂનો વિવાદ ચાલતો હતો. ર૮ જાન્યુઆરીના રોજ સવારે ૭ વાગ્યાના અરસામાં વિષ્ણુ રાવળે અક્ષયભાઈના ઘર પાસે આવી બિભત્સ ગાળાગાળી શરૂ કરી હતી.જયારે તેને રોકવાનો પ્રયાસ કરાયો ત્યારે વિષ્ણુએ શરીર પરની પોતડી ઉતારી માથે…

Read More

કાર અકસ્માતમાં ત્રણ શિક્ષકો ભડથું -રાજકોટ નજીક દડવા પુલ નીચે કાર ખાબકી(એજન્સી)રાજકોટ, ૩૦મી જાન્યુઆરીને શુક્રવારે વહેલી સવારે રાજકોટ ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જસદણના દડવા નજીક ફોર વ્હીલર કાર પુલ નીચે ખાબકવાની ઘટના સામે આવી હતી, જે અકસ્માતમાં કારમાં આગ લાગતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ જીવતા ભડથું થયા હતા, જે મૃતકોની ઓળખ બે મહિલા તથા એક પુરુષ શિક્ષક તરીકે છે. ત્યારે બનાવ સંદર્ભે આટકોટ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.મળતી વિગતો અનુસાર, આશા ચૌધરી, નીતા પટેલ તેમજ પ્રયાગ બારીયા નામના શિક્ષકો આજે શુક્રવારના રોજ કારમાં સવાર થઈ આટકોટથી ગોંડલ તરફ જઈ રહ્યા હતા તે સમયે કાર પુલ નીચે…

Read More

(એજન્સી)રાજકોટ, રાજકોટમાં ફરીથી ખૂલતા બજારે ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં રૂ.૧૦-૧૦નો વધારો ઝીંકાયો છે. છેલ્લાં ૩૦ દિવસમાં સીંગતેલમાં રૂ. ૧૮૦નો વધારો જોવા મળ્યો છે.આ કારણે સિંગતેલનો ડબ્બો ૨૯૦૦ રૂપિયાને પાર પહોંચ્યો છે. તો કપાસિયા તેલનો ડબ્બો ૨૩૮૫ રૂપિયા થયો છે. સિંગતેલના સતત વધી રહેલા ભાવ ગૃહિણીઓને ટેન્શન કરાવી રહ્યાં છે. જાન્યુઆરી મહિનો આવે એટલે સિંગતેલના ભાવમાં વધારો થવાની શરૂઆત થઈ જાય છે. પરંતુ ક્્યારેય વિચાર્યું છે કે, જાન્યુઆરી મહિનામાં જ કેમ સિંગતેલના ભાવમાં ભડકો થાય છે. કપાસિયા કરતા સિંગતેલના ભાવમાં જ કેમ ભડકો થાય છે, આ પાછળ ચોક્કસ ગણિત છે.સીંગતેલના ભાવમાં ફરી એકવાર મોટો વધારો…

Read More

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના રાયખડ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભક્ત બનીને આવેલી એક અજાણી મહિલા પાર્વતી માતાજીના સ્થાનકમાંથી ચાંદીનો મુગટ ચોરી કરી ફરાર થઈ ગઈ છે. આ સમગ્ર મામલે મંદિરના ટ્રસ્ટીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી અનુસાર, ૧૫મી ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ સાંજના સમયે મંદિરના પૂજારી રોજિંદી સાફ-સફાઈ કરી રહ્યા હતા. આ દરમિયાન પૂજારીની નજર પાર્વતી માતાજીના સ્થાનક પર પડી, જેનો કાચનો દરવાજો ખુલ્લો હતો. પૂજારીએ અંદર તપાસ કરતા માતાજીના માથા પર બિરાજમાન ચાંદીનો મુગટ ગાયબ હતો. આસપાસ તપાસ કરવા છતાં મુગટ ન મળતા તાત્કાલિક મંદિરના ટ્રસ્ટીને જાણ કરવામાં…

Read More

પોલીસે આશ્રમને સીલ માર્યું-આશ્રમમાં જ એક કમ્પાઉન્ડરને સારવાર માટે બોલાવાયો હતો.(એજન્સી)જોધપુર, રાજસ્થાનની પ્રસિદ્ધ કથાવાચક સાધ્વી પ્રેમ બાઇસાના જોધપુરમાં થયેલા શંકાસ્પદ મોત મામલે હવે તેમના પિતા બ્રહ્મનાથે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે પ્રેમ બાઈસા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતી એટલા માટે આશ્રમમાં જ એક કમ્પાઉન્ડરને સારવાર માટે બોલાવાયો હતો.કમ્પાઉન્ડરે પ્રેમ બાઈસાનું ચેકઅપ કર્યા બાદ ઈન્જેક્શન આપ્યું હતું. તેની ૫ જ મિનિટ બાદ પ્રેમ બાઈસાની તબીયત લથડી અને તે મૃત્યુ પામી. ઉલ્લેખનીય છે કે આ એ જ સાધ્વી છે જેમનો ૨૦૨૫ જુલાઈ મહિનામાં એક અન્ય વ્યક્તિ સાથેનો વિવાદિત વીડિયો વાઈરલ થયો હતો.રાજસ્થાનના પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતાં કડક તપાસ…

Read More

ભાવનગર, ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના આત્મહત્યા મામલે આખરે પીએસઆઈ બી કે ગોસ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કરણી સેના દ્વારા આપવામાં આવેલું ૭૨ કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થાય તે પહેલા જ તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. મૃતક હેડ કોન્સ્ટેબલના પિતા પોતે નિવૃત્ત પોલીસકર્મી છે, તેમની ફરિયાદના આધારે પીએસઆઈ સામે બીએનએસની કલમ ૧૦૮ હેઠળ મરવા મજબૂર કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ ઘટનાની વિગતો મુજબ, ગત ૨૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે ફરજ દરમિયાન ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી.ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં…

Read More

(પ્રતિનિધિ) નડીઆદ, નડીઆદ મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી લેણાં ધરાવતી કુલ ૪ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા છે અને લાખો રૂપિયાની વસૂલાત હાથ ધરવામાં આવી છે.નડીઆદ મહાનગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી મિલકત વેરો બાકી રાખનાર મિલકત ધારકો સામે પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે સીલિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.આ કામગીરી અંતર્ગત આજરોજ તંત્રની ટીમ દ્વારા ટી. ગોકળની ખડકી સામે આવેલા નેશનલ પ્લાઝા કોમ્પલેક્ષમાં ૧ દુકાન તેમજ સત્યમ એપાર્ટમેન્ટમાં ૧ દુકાન સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત મિશન રોડ પર મિશન પોલીસ સ્ટેશનની સામે આવેલા હરિકૃષ્ણ કોમ્પલેક્ષમાં…

Read More