અગાઉથી મળેલા ઇનપુટ્સ અને મુસાફરના હાવભાવ પરથી શંકા ગઈ હતી.-એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફરના મોંઢામાં છુપાવેલું રૂ.૧૭ લાખનું સોનું ઝડપાયું(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટએ સોનાની તસ્કરીના એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. બેંગકોકથી આવેલો એક મુસાફર કસ્ટમ્સ ચેકિંગથી બચવા માટે સોનાની ચાર કેપ્સ્યુલ પોતાના મોઢામાં છુપાવીને લાવ્યો હતો. અધિકારીઓએ આ મુસાફર પાસેથી ૧૦૮.૦૭ ગ્રામ ૨૪ કેરેટ સોનું જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત આશરે ૧૭.૩૯ લાખ રૂપિયા થાય છે.કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર, ૩૧ જાન્યુઆરીની મોડી રાત્રે બેંગકોકથી વિયેતજેટ એરની ફ્લાઈટ નંબર વીઝેડ ૭૫૦ અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હતી. અધિકારીઓને શંકાસ્પદ મુસાફરો…
Author: gujarat
પૃથ્વીની ‘કિડની’ સમાન જળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણમાં ગુજરાતનું વૈશ્વિક અંકનઅમૃતકાળમાં ભારતની પર્યાવરણીય ક્રાંતિ: ૯૮ રામસર સાઇટ્સ સાથે ભારત દક્ષિણ એશિયાનું પર્યાવરણ લીડર બન્યુંકચ્છથી ઉત્તર પ્રદેશ સુધી વિસ્તાર: છારી-ઢંઢ અને પટના પક્ષી અભયારણ્યનો રામસર સાઇટ્સમાં સમાવેશ,૧૩.૮૪ લાખ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું સુરક્ષિત કુદરતી કવચપંચરત્ન રામસર સાઇટ્સ: નળ સરોવર,થોળ,વઢવાણા, ખીજડીયા અને હવે છારી-ઢંઢ ગુજરાતની પર્યાવરણીય ઓળખ*”રેલાય છે જ્યાં કુદરતની હેલી,એ જ છે આપણી વેટલેન્ડની શૈલી;જળ છે તો જીવન છે,અને વેટલેન્ડ છે તો પૃથ્વીનું સંતુલન છે.”* દર વર્ષે ૨ ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં‘વિશ્વ વેટલેન્ડ દિવસ‘ની ઉજવણી કરવામાં આવે છે. વેટલેન્ડ્સ એટલે કે જળપ્લાવિત વિસ્તારો પૃથ્વીની ઇકોસિસ્ટમનો એક અનિવાર્ય હિસ્સો છે,જે જૈવવિવિધતા જાળવવામાં અને પર્યાવરણના સંતુલનમાં…
કોંગ્રેસના વિવાદીત નેતા ભરતસિંહ માધવસિંહ સોલંકીએ એક જાહેર નિવેદનમાં કેમેરા સામે એવું જણાવ્યું છે કે વડાપ્રધાન “નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની રાજકીય કુનેહ બેનમૂન છે.આટલું કહીને નરેન્દ્ર મોદીના શબ્દો ટાંકતા ભરતસિંહ એ એવું પણ ઉચ્ચાર્યું કે ‘નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે કોંગ્રેસને ૧૫ વર્ષ સુધી ઉંચી નહીં આવવા દઉં’ એ વાત સાચી ઠરી છે. વધુમાં ભરતસિંહે એવું પણ કહ્યું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે સૌથી મોટી બાધા છે તેને કોંગ્રેસમાં ભેળવી દેવી જોઈએઅને જરૂર પડ્યે આપણે(મૂળ કોંગ્રેસીઓએ)હોદ્દા જતાં કરી એ પક્ષના નેતાઓને હોદ્દા આપી આપણામાં સમાવી લેવા જોઈએ.” ભરતસિંહ સોલંકીનું આ વિધાન ચર્ચાસ્પદ છે અને ગુજરાતના રાજકારણમાં…
વડોદરા રાજ્યમાં ન્યાય ખાતામાં સેવા આપી તેમજ સયાજીરાવ ગાયકવાડના અંગત મિત્ર બન્યા.અહિંસા અને અસહકાર આંદોલન પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને કારણે લોકો તેમને પ્રેમથી “છોટા ગાંધી” તરીકે પણ ઓળખાતા હતા.સ્વાતંત્ર્ય સેનાની શ્રી અબ્બાસ તૈયબજીની ૧૭૨મી જન્મ જયંતી નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈશ્રી અબ્બાસ શમશુદ્દીન તૈયબજીનો પરિચય:ધર્મપ્રેમી,પ્રામાણિક,ન્યાયી અને ખુદાની બંદગી કરનાર શ્રી તૈયબજીનો જન્મ તા.૦૧ ફેબ્રુઆરી ૧૮૫૪ના રોજ વડોદરામાં થયો હતો. તેઓએ વર્ષ ૧૮૭૯-૧૯૧૩ દરમિયાન ૩૪ વર્ષ સુધી મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરા રાજ્યમાં ન્યાય ખાતામાં સેવા આપી તેમજ સયાજીરાવ ગાયકવાડના અંગત મિત્ર બન્યા. વર્ષ ૧૯૧૯માં જલિયાંવાલા બાગ હત્યાકાંડની તપાસ સમિતિમાં ગાંધીજી દ્વારા તેમની પસંદગી કરવામાં આવી હતી.વર્ષ ૧૯૨૧માં‘ટિળક સ્વરાજ ફાળો‘ઉઘરાવવામાં ખેડા…
કેડી હોસ્પિટલમાં સમયસર નિદાન સારવાર બાદ યુવક સંપૂર્ણ સ્વસ્થ(એજન્સી)અમદાવાદ, ગાંધીનગરના ર૬ વર્ષીય યુવક ક્રિમીનલ-કોગો હેમરેજીગક ફીવર સીસીએચએફ નામના જીવલેણ બની શકે એવા વાયરજન્ય રોગમાંથી કેડી હોસ્પિટલમાં સમયસર નિદાન અને તાત્કાલીક સારવારથી સ્વસ્થ થયો છે.ગાંધીનગરમાં રવી પટેલ નામ બદલ્યું છે કેને તીવ્ર તાવ, અતીશય નબળાઈ મુંઝવણ અને ઝડપથી બગડતી તબીયત સાથે કેડી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આવા લક્ષણો ઘણીવાર સામાન્ય વાયરસજન્ય તાવ જેવા લાગે છે. પરંતુ ડોકટરોને પ્લેટલેટસમાં ઝડપી ઘટાડો લીવરકાર્યમાં અસમાન્યતા અને લોહી જામવાની પ્રક્રિયામાં ખલેલ જેવા ગંભીર સંકેતો દેખાતા સીસીએચએફઅંગે શંકા ઉભી થઈ હતી.ક્રિમીનલ-કોગો હેમરીજીક લીવર એક દુર્લભ વાયરજન્ય રોગ છે. જેમાં મૃત્યુદર ખુબ ઉંચો હોય છે. સમયસર ઓળખ…
(એજન્સી)અમદાવાદ, શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલા મિલ્લતનગરમાં માનવતા અને કોમી એકતાની હૃદયસ્પર્શી મિસાલ સામે આવી છે. મુસ્લીમ બહુમતીવાળા આ મહોલ્લામાં છેલ્લા ૪પ વર્ષથી હળીમળી ને રહેતા એકમાત્ર હિન્દુ પરીવારના વયોવૃદધ સભ્ય ૭૦ વર્ષીય રાજારામ શાહનું નિધન થતા સમગ્ર વિસ્તારમાં શોકની માહોલ છવાઈ ગયો હતો.મુળ બિહારના વતની અને કર્મભુમી અમદાવાદ બનાવનાર રાજારામ શાહ કડીયા કામના કુશળ કારીગર હતા છેલ્લા કેટલાંક સમયથી શરીર સાથ ન આપતા તેઓ ગંભીર બીમારીમાં સપડાયા હતા.તેમની સાથે તેમની ૬પ વર્ષીય ધર્મપત્ની પણ આ જ મહોલ્લામાં રહેતા હતા. નિધન બાદ તેમના કોઈ નજીક સગા સંબંધીઓ હાજર ન હોઈ અંતિમવિધિ કેવી રીતે થશે તેની ચિંતા પત્નીને સતાવી રહી હતી. પરંતુ…
ગાંધીનગર, દેશની પ્રથમ સ્માર્ટ સિટી ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગિફટ સિટી)માં રોકાણકારોને આકર્ષવા બજેટમાં મોટી જાહેરાત થઈ હતી. જે મુજબ ગિફટ સિટીમાં ૨૦ વર્ષ માટે ટેક્સમાં છૂટ આપવામાં આવી હતી.કેન્દ્રીય બજેટની જાહેરાતો અનુસાર, GIFT સિટીમાં સ્થપાયેલા એકમો હવે ૨૦ વર્ષના ટેક્સ હોલિડે (કર મુક્તિ) માટે પાત્ર બનશે, જે અગાઉના ૧૦ વર્ષના લાભ કરતા બમણો છે. ફાઇનાન્સ બિલમાં જણાવ્યા મુજબ, આ ટેક્સ હોલિડેનો સમયગાળો પૂરો થયા પછી, આ એકમો પર ૧૫% ના રાહત દરે ટેક્સ લાગશે.કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટરની સ્પર્ધાત્મકતા વધારવા માટે, સેક્શન ૧૪૭ હેઠળ કપાતનો સમયગાળો વધારીને ૨૫ વર્ષમાંથી…
અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ સર્વેલન્સ અને સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને વધુ સક્રિય બનાવી ઓનલાઇન દેહવિક્રય, મહિલાઓના ડિજિટલ શોષણ અને સાયબર છેતરપિંડી સામે મેગા ઓપરેશન હાથ ધર્યું છે.આ ઓપરેશન અંતર્ગત, ગેરકાયદે એસ્કોર્ટ સર્વિસ રેકેટ ચલાવવા અને જનતાને છેતરવા બદલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ, ફેસબુક પેજ અને વિવિધ વેબસાઇટ્સ સહિત ૧૨૦ ઓનલાઇન એકમો (સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હેલ્ડર્સ) સામે ઔપચારિક ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. ઘણા કિસ્સામાં સુંવાળા સાથની લાલચ આપી લોકો પાસેથી ઓનલાઇન રૂપિયા પણ પડાવવામાં આવ્યા છે, આ બેન્ક એકાઉન્ટની પણ તપાસ ચાલી રહી છે.શહેરમાં ચાલતી આ ગેરકાયદે એસ્કોર્ટ સર્વિસ સામે પણ પોલીસે લાલ આંખ કરી છે. આગામી દિવસોમાં આ…
અમદાવાદ, નરોડા રોડ નજીક આવેલી કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષીય ધીરુભાઈ પટેલ પોતાના એક દીકરા અને બે દીકરીઓ સાથે વસવાટ કરે છે. ધીરુભાઈનો દીકરો ભાવેશ ભાડેથી વાહન ચલાવી પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવતો હતો.સોસાયટીમાં રહેતા કમિટી સભ્યો સંજય બાલધા અને ગિરીશ બાલધા બંને ભાઈ પાણીની લાઈનના મેન્ટેનેન્સની રકમ વસૂલવાની જવાબદારી સંભાળતા હતા.છેલ્લા છ મહિનાથી ધીરુભાઈના મકાનનું પાણીની લાઈનનું બિલ બાકી હોવાથી કમિટીના બંને સભ્યો વારંવાર તેમના ઘરે આવી કડક રીતે ઉઘરાણી કરતા હતા.વૃદ્ધ ધીરુભાઈ અને તેમના દીકરા ભાવેશે થોડા દિવસોમાં રકમની વ્યવસ્થા કરીને ચૂકવી દેવાની વાત કરી હોવા છતાં, સંજય અને ગિરીશ અપમાનજનક ટિપ્પણીઓ કરતા હોવાનો આરોપ છે.ફરિયાદ મુજબ, તેમણે…
