કોંગ્રેસના વિવાદીત નેતા ભરતસિંહ માધવસિંહ સોલંકીએ એક જાહેર નિવેદનમાં કેમેરા સામે એવું જણાવ્યું છે કે વડાપ્રધાન “નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની રાજકીય કુનેહ બેનમૂન છે.
આટલું કહીને નરેન્દ્ર મોદીના શબ્દો ટાંકતા ભરતસિંહ એ એવું પણ ઉચ્ચાર્યું કે ‘નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે કોંગ્રેસને ૧૫ વર્ષ સુધી ઉંચી નહીં આવવા દઉં’ એ વાત સાચી ઠરી છે. વધુમાં ભરતસિંહે એવું પણ કહ્યું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે સૌથી મોટી બાધા છે તેને કોંગ્રેસમાં ભેળવી દેવી જોઈએ
અને જરૂર પડ્યે આપણે(મૂળ કોંગ્રેસીઓએ)હોદ્દા જતાં કરી એ પક્ષના નેતાઓને હોદ્દા આપી આપણામાં સમાવી લેવા જોઈએ.” ભરતસિંહ સોલંકીનું આ વિધાન ચર્ચાસ્પદ છે અને ગુજરાતના રાજકારણમાં લાંબા ગાળા સુધી અસર પાડનારું છે એવું રાજકીય નિરીક્ષકો કહી રહ્યા છે.

કોંગ્રેસી નેતા માધવસિંહ સોલંકીનો બંગલો ભા.જ.પ.ના ભરત બોઘરાએ ખરીદ્યો?

પરસ્પર વિરોધી રાજકીય પક્ષો વચ્ચે ભલે તીવ્ર લડાઈ ચાલ્યા કરતી હોય પણ એ બન્ને પક્ષના નેતાઓ વચ્ચેના અંગત સંબંધ ખૂબ જ સારા હોય છે.બે પરસ્પર વિરોધી રાજકીય પક્ષોના ઘણા નેતાઓ તો ધંધામાં ભાગીદાર પણ હોય છે તો ઘણા નેતાઓ ગાઢ મિત્રો હોય છે અને એકબીજાની મિલકત ખરીદવામાં ય અચકાતા પણ નથી હોતા.
સચિવાલયમા ચર્ચાતી વાતો જો સાચી માનીએ તો સમાચાર એવા છે કે તાજેતરમાં ભા.જ.પ.ના પૂર્વ ઉપપ્રમુખ અને રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના અગ્રણી ભરત બોઘરાએ ગુજરાતના સદ્ગત મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો ગાંધીનગરમાં સેક્ટર -૧૯મા આવેલો બંગલો ખરીદી લીધો છે.રાજકીય મતભેદને અંગત જીવન કે સંબંધોમાં વચ્ચે લાવ્યા વગર આ નેતાઓ પોતાનું કામ આટોપી લેતા હોય છે!
ભરત બોઘરાને છેલ્લા કેટલાક વર્ષોથી ગાંધીનગરમાં સતત અવરજવર કરવી પડતી હોવાથી તેઓએ ગાંધીનગરમાં બંગલો કે ફ્લેટ ખરીદવાનો નિર્ણય લીધો હતો.એમા માધવસિંહનો વેચવાનું હોવાની જાણ થતાં તેઓએ તે ખરીદી લીધો હતો.હાલ તેનું રીનોવેશન ચાલે છે. થોડા સમય બાદ ભરત બોઘરા એ બંગલામાં રહેવા જશે.
ભા.જ.પ.નું પ્રદેશ માળખું કઈ વિચારધારા અનુસાર રચાયુ?


