Author: gujarat

દશેરાના દિવસે રાજ્યમાં ૪૪ હજાર ટુ વ્હીલર અને ૧૦ હજાર કારનું વેચાણ થયું હતું. એમાંથી ૬ હજાર ટુ વ્હીલર અને ૨૪૦૦ કારનું વેચાણ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયું હતું. (એજન્સી)અમદાવાદ, સામાન્ય રીતે દશેરાના તહેવારનાં દિવસે લોકો નવા વાહનની ખરીદી મોટા પ્રમાણમાં કરતા હોય છે. એેમાં પણ આ વર્ષે તો સોને પે સુહાગા,જીએસટી ઘટતા બાઈકમાં ૧૦ હજાર અને કારમાં ૧ લાખ આસપાસ ફાયદો થઈ રહ્યો છેત્યારે દશેરાના દિવસે રાજ્યમાં ૪૪ હજાર ટુ વ્હીલર અને ૧૦ હજાર કારનું વેચાણ થયું હતું. એમાંથી ૬ હજાર ટુ વ્હીલર અને ૨૪૦૦ કારનું વેચાણ તો માત્ર અમદાવાદમાં જ નોંધાયું હતું. નવરાત્રી દરમિયાન સમગ્ર ગુજરાતભરમાં અધધધ ૩૩૦૦…

Read More

Cyclone Shakti update: શિયાળાની શરૂઆત પહેલાં સિઝનનું પહેલું વાવાઝોડું ‘શક્તિ’ ઝડપથી મહારાષ્ટ્રની તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને ગુજરાત સહિતના જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે. ‘શક્તિ’ વાવાઝોડું હાલમાં ગુજરાતના દ્વારકાથી 510 કિલોમીટરના અંતરે છે. તે હજુ પણ છેલ્લા 6 કલાકથી 13 કિ.મી. પ્રતિકલાકની ઝડપે જ આગળ વધી રહ્યું છે. જો કે, આ પહેલાં આ વાવાઝોડું મુંબઈ, રાયગઢ, ઢાણેસ સિંધુદુર્ગ, રત્નાગિરી અને પાલઘરમાં ભયાનક તબાહી મચાવી શકે છે. હાલ, વાવાઝોડાના કારણે પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો છે, જેના કારણે તંત્ર દ્વારા 3 નંબરનું સિગ્નલ શરૂ કરવામાં આવ્યું છે. જાફરાબાદના દરિયાકાંઠે ‘શક્તિ’ નામના સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર…

Read More

વીજ ગ્રાહકો પાસેથી ફયુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂ.ર.૪પના બદલે રૂ.ર.૩૦ વસૂલાશે-૧.૮૦ કરોડ ગ્રાહકોને પ્રતિ યુનિટ ૧પ પૈસાની રાહત મળશેવડોદરા, ગુજરાત સરકારે ૧લી સપ્ટેમ્બરના રોજ ચાર વીજ વિતરણ કંપનીના ગ્રાહકોને પ્રતિ યુનિટ ૧પ પૈસા ફયુઅલ સરચાર્જની રાહત અંગે જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ તા.૩૦મી સપ્ટેમ્બરના રોજ જીયુવીએનએલએ સરકારની જાહેરાતના અમલ અંગે સત્તાવાર કાર્યવાહી કરી છે.ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે તેની ચાર વીજ વિતરણ કંપનીઓને સત્તાવાર જાણ કરી છે કે, ૧લી જુલાઈથી અમલમાં આવે તે રીતે વીજ ગ્રાહકો પાસેથી ફયુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ રૂ.ર.૪પના બદલે પ્રતિ યુનિટ રૂ.ર.૩૦ વસૂલવા જીયુવીએનએલના કોમર્સ વિભાગ દ્વાર મધ્ય ગુજરાત વીજ કંપની, ઉત્તર ગુજરાત વીજ કંપની,દક્ષિણ…

Read More

Cough syrup child deaths Gujarat: રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી થયેલા બાળકોના મોતના પડઘા હવે ગુજરાત સુધી પહોંચ્યા છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે આરોગ્ય વિભાગ પાસેથી આ અંગે રિપોર્ટ માંગ્યો છે અને કેન્દ્રની માર્ગદર્શિકા તથા રાજસ્થાનના રિપોર્ટનો અભ્યાસ કરવા સૂચના આપી છે. આ આદેશનો હેતુ ગુજરાતમાં વેચાતા કફ સિરપની ગુણવત્તા અને સલામતી ચકાસવાનો છે. આરોગ્ય વિભાગને આપ્યા તપાસના આદેશ કેન્દ્રીય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધોરણે પગલાં લેવા જણાવ્યું છે. તેમણે ખાસ કરીને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને રાજસ્થાનમાંથી આવેલા રિપોર્ટ્સનો સંપૂર્ણ અભ્યાસ કરવાની સૂચના આપી છે. આ…

Read More

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) (પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં દશેરાના પાવન દિવસે પ્રશાસન દ્વારા અસામાજિક તત્વો તેમજ આરોપીઓ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર દાદાનું બુલડોઝર ફર્યું હતું.સિગ્નલ ફળિયા વિસ્તાર નજીક આવેલા નાગા તલાવડી વિસ્તારમાં સરકારી જમીન પર લાંબા સમયથી ગેરકાયદે દબાણ કરવામાં આવી રહ્યા હતા. નગરપાલિકા તથા પ્રશાસનને વારંવારની રજૂઆતો છતાં અસામાજિક તત્વો દ્વારા દબાણો વધતા જતા હતાં.ગુરવાર ની વહેલી સવારે ગોધરા નગરપાલિકા, મહેસૂલ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પોલીસ વિભાગ તથા મધ્ય ગુજરાત વીજ કંપનીના સંયુક્ત તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી. પોલીસ ના કડક બંદોબસ્ત વચ્ચે સરકારી જમીન પર…

Read More

દારૂ પરમીટ મુદ્દે પોરબંદર ટોપ-૧૦માં અગાઉ ૨,૨૦૦ લોકો પાસે હતીપોરબંદર, લીકર પરમીટ કઢાવવા અને રિન્યુ કરાવવામાં રોગી કલ્યાણ સમિતિ દ્વારા યુનિટ દીઠ ભાવમાં ૫ ગણો વધારો કરવામાં આવતા છેલ્લા બે વર્ષમાં પરમીટ ધારકોની સંખ્યા અડધી થઈ છે.જેમના નામ પર સમગ્ર રાજ્યમાં દારૂબંધીની નીતી અમલમાં છે તે મહાત્મા ગાંધીજીની ૨ ઓકટોબરે જન્મજયંતી છે. ત્યારે તેઓના જન્મસ્થળ પોરબંદરમાં ગાંધીજીની દારૂબંધીની નીતિને સફળતા મળી હોય તેમ દારૂના પરમીટ ધારકોની સંખ્યા બે વર્ષમાં અડધી થઈ છે. ૨ વર્ષ પૂર્વે ૨૨૦૦ થી વધુ લોકો નશાબંધી ખાતાની આરોગ્ય પરમિટ વર્ષોથી ધરાવતા હતાઅને ફેમિલી ડોકટરની સલાહ મુજબ આલ્કોહોલનું સેવન કરી આરોગ્ય સારૂ રાખતા હતા. આ પરમીટ કઢાવવા…

Read More

Dussehra Celebration in Ahmedabad: દશેરાનું પર્વ આજે (ગુરુવાર) અમદાવાદ શહેરમાં ભવ્ય ધામધૂમથી ઉજવાશે. આ અવસરે વિવિધ વિસ્તારોમાં પરંપરાગત રાવણ દહનના કાર્યક્રમો યોજાશે, જ્યાં હજારો લોકો ઉમટી પડશે. મુખ્ય સ્થળોએ ભવ્ય આયોજન શહેરના ખોખરા રેલવે ગ્રાઉન્ડ, અમરાઈવાડી નાગરવેલ હનુમાન મંદિર, સાબરમતી ડી-કેબિન, તેમજ ભાડજ સ્થિત ઈસ્કોન મંદિર ખાતે વિશાળ રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. ખોખરા રેલવે ગ્રાઉન્ડ ખાતે લગભગ છ દાયકાથી વધુ સમયથી આ પરંપરા ચાલી રહી છે. અહીં 45 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન સાંજે કરવામાં આવશે. અમરાઈવાડી ખાતેના નાગરવેલ હનુમાન મંદિર પાસે પણ એટલી જ ઊંચાઈનું રાવણ પુતળું દહન કરાશે. અહીં નવ દિવસની રામલીલા બાદ અંતિમ દિવસે રાવણ દહન સાથે…

Read More

અમદાવાદ, કોઈ વ્યક્તિ કોઈ અંતરિયાળ વિસ્તારમાં જાય અથવા તો આવા વિસ્તારમાં કોઈ બિલ્ડીંગની અંદર જાય તો મોબાઈલ નેટવર્ક જતું રહે એવું ઘણીવાર બનતું હોય છે. જેના કારણે અજાણતાં જ આવી વ્યક્તિઓ કેટલીક વાર મોટી મુશ્કેલીઓમાં મૂકાઈ જતા હોય છે.આની ગંભીર નોંધ લઈને સરકાર હવે નિયમો કડક બનાવવા વિચારણા કરી રહી છે અને એવી જોગવાઈ લાગુ કરવા માંગે છે કે જેથી ટેલિકોમ કંપનીઓ માત્ર મોબાઈલ ટાવર ઊભા કરીને છૂટી ન જઈ શકે પરંતુ વાસ્તવિક રીતે દરેક જગ્યાએ કવરેજ મળે તે સુનિશ્ચિત કરવાની તેમની જવાબદારી બને.સરકારે જે વિચારણા હાત ધરી છે તે મુજબ ટેલિકોમ કંપનીઓએ તેમના સર્વિસ ઓબ્લિગેશન અંતર્ગત મોબાઈલનો ઉપયોગ કરી…

Read More

Surendranagar car accident: સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા રોડ પર આજે (પહેલી ઓક્ટોબર) ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કાર પલટી ખાઈ પાણીમાં ખાબકતા કારમાં સવાર બે મહિલા અને એક પુરુષ સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં હતા. મૃતકો મૂળી તાલુકાના દાધોડિયા ગામના એક જ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે, જેના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર, સરા-ધ્રાંગધ્રા રોડ પરથી પસાર થઈ રહેલી કાર અચાનક નિયંત્રણ ગુમાવી પલટી મારીને પાણીના ખાડામાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે, કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ બબુબેન જેજરિયા…

Read More