મ્યુનિ. કોર્પોરેશને સીલ કરેલા ગોડાઉનનો ગેરકાયદેસર વપરાશ થતો હતો(પ્રતિનિધિ) અમદાવાદ, રાજ્યનો સૌથી ચકચારી રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ અમદાવાદમાં ગેરકાયદેસર રીતે મોટા શેડ બનાવી દેવામાં આવે છે જેની કોઈપણ પ્રકારની વપરાશ પરવાનગી વગર ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.શહેરના ચાંદખેડા TP- 44 વિસ્તારમાં SMVS સ્વામિનારાયણ મંદિરની સામે ફ્લિપકાર્ટ ઇ- કોમર્સ કંપનીના માલસામાનના ગોડાઉનમાં શુક્રવારે વહેલી સવારે આગ લાગી હતી. ઇ- કોમર્સ કંપનીના માલસામાનનું ગોડાઉન ગેરકાયદેસર રીતે બીયુ પરવાનગી વિના વપરાશ કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ પરવાનગી રદ કરી સીલ માર્યું હોવા છતાં પણનો વપરાશ કરવામાં આવતો હતો.રાજ્યમાં ગેમ ઝોન જેવા અગ્નિકાંડની ગંભીર દુર્ઘટના બાદ…
Author: gujarat
એટહોમ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોનું ઉષ્માપૂર્વક સ્વાગત કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીવડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં છેલ્લા ૧૧ વર્ષમાં દેશની સેના અને સીમાઓ વધુ મજબૂત બની:- રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીઆજે ગુજરાત દેશના અન્ય રાજ્યો માટે રોલ મોડેલ બનીને ઉભર્યું છે:- રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનર્મદાના નીરથી વાવ – થરાદ જિલ્લો સમૃદ્ધ બન્યો:- રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી૭૭માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ થરાદના મલુપુર ખાતે યોજાયેલા એટ હોમ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આમંત્રિત મહેમાનોને હ્રદયપૂર્વક આવકાર્યા હતા. આ અવસરે પોલીસ દળ દ્વારા ગાર્ડ ઓફ ઓનર થકી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને વિશેષ ગૌરવભેર સન્માન અપાયું હતું. આ વેળાએ પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાનની ધૂનની પ્રસ્તુતી કરવામાં આવી હતી. એટ હોમ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,…
૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસ – ૨૦૨૬ ની ઉજવણીના અવસરે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા Special Intensive Revision (SIR) પ્રક્રિયામાં નોંધપાત્ર અને સમર્પિત સેવાઓ આપનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ ઑડિટોરિયમ ખાતે આયોજિત આ ગૌરવપૂર્ણ સમારોહમાં અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી સુજીત કુમાર દ્વારા મીડિયા નોડલ ઓફિસર તરીકે પ્રશંસનીય કામગીરી કરવા બદલ અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી અમિત રાડિયાને પ્રશસ્તિ પત્ર એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, શ્રી રાડિયાએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ૨૦૨૫-૨૬ સંદર્ભે જન-જન સુધી જાગૃતિ પહોંચાડવા માટે આધુનિક મીડિયાનો કુશળ ઉપયોગ કર્યો હતો. SIR પ્રક્રિયા વિશેની સાચી અને પારદર્શક માહિતી…
વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન અને નોંધપાત્ર યોગદાન આપનાર જિલ્લાની ૧૬ વિશિષ્ટ વ્યક્તિઓનું રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનવાવ – થરાદ જિલ્લાને રૂ. ૨૦૭ કરોડના વિકાસ કાર્યોની ભેટ અપાઈજિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિકાસ કાર્યો માટે રૂ.૨.૫૦ કરોડના ચેક અર્પણ કરાયા: રાજ્યપાલશ્રી :: મુખ્યમંત્રીશ્રી :૭૭મા પ્રજાસત્તાક દિન- ૨૦૨૬ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત નવીન રચાયેલ વાવ–થરાદ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ થરાદના મલુપુર ખાતે “સરહદનો સાદ – નુતન વાવ–થરાદ” મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વાવ- થરાદ નવો જિલ્લો બન્યા બાદ પ્રથમ વખત અહીં પ્રજાસત્તાક પર્વની આટલી ભવ્ય અને દિવ્ય ઉજવણી થઈ રહી છે,…
આણંદ, ઉમરેઠના લિંગડા ગામે એક ભાઈએ પોતાના સગા નાનાભાઈનું ગળું દબાવી હત્યા કરી હતી અને બાદમાં તેનું મોત કુદરતી થયું હોવાની જાણ પોલીસને કરી હતી.જોકે પીએમ રિપોર્ટમાં ગળું દબાવીને મોત નિપજાવ્યુ હોવાનું બહાર આવતા પોલીસે ભાઈની પૂછતાછ કરી હતી જેમાં તે ભાગી પડ્યો હતો અને પોતે જ પોતાના સગા ભાઈનું ગળું દબાવી હત્યા કરી હોવાનો ગુનો તેણે કબૂલી લીધો હતો.પોલીસના જણાવ્યા અનુસાર મૂળ દાહોદના અને હાલમાં લીંગડા રોડ પર રહેતા ૫૦ વર્ષીય કનુભાઈ માલાભાઈ મોરણીયાનો ગુરૂવારે સાંજે પેટ્રોલપંપની પાછળ આવેલા મિનેષભાઈ પટેલના ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.મૃતકના ભાઈ સોમાભાઈ મોરણીયાએ તેનો ભાઈ અકસ્માતે મૃત્યુ પામ્યો હોવાની જાણ ભાલેજ પોલીસ સ્ટેશનમાં…
અમદાવાદ, ગુજરાતના મોંઘવારી સતત વધી રહી છે. તેમજ મોંઘવારીથી ત્રસ્ત મધ્યમ વર્ગ માટે જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે સીંગતેલના ભાવમાં એક જ દિવસમાં ૪૦ રૂપિયાનો ધરખમ વધારો નોંધાયો હતો. આ સાથે એક મહિનામાં સીંગતેલના ડબ્બામાં રૂપિયા ૨૦૦નો વધારો થયો છે.રાજ્યમાં મગફળીનું વિક્રમ જનક ઉત્પાદન છતાં ખાદ્યતેલના ભાવ સતત વધી રહ્યાં છે. આ વર્ષે મગફળીનું ઉત્પાદન ૩૦ ટકા વધવા છતા જનતાને સીંગતેલના ભાવમાં કોઈ રાહત મળી નથી રહી. સીંગતેલના ભાવમાં એક મહિનાથી સતત વધારો થઈ રહ્યો છે. સરકાર પણ તેલિયા રાજાની મનમાની સામે લાચાર જણાઈ રહી છે.એક મહિના પહેલા સિંગતેલના ૧૫ કિલોના ડબ્બાનો ભાવ ૨૫૯૦ હતા જ્યારે હાલમાં સીંગતેલના ડબ્બાનો…
સુરત, સુરતના અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઓડિશાવાસી યુવકની પથ્થર વડે હત્યા કરી નાખવાનો કિસ્સો સામે આવ્યો છે. મૂળ ઓડીશાના ગંજામ જિલ્લાના વતની અને હાલ અંજની ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-૪ માં રહેતા પિતામ્બરભાઇ ગનતાઇ નાહકનો ૩૦ વર્ષીય પુત્ર કપિલાશ નાહક પણ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં સંચા મશીન પર છૂટક મજૂરી પર કામ કરતો હતો. ગતરોજ અંજની ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-૩ પાસે કોઈ અજાણ્યા શખ્સોએ તેની નિર્મમ હત્યા નિપજાવી હતી.ઘટનાની જાણ થતા જ અમરોલી પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે બાતમી આધારે હત્યારા મૂળ ઓડિશાના રાજેશ ગંગાધર પ્રધાન (ઉ.વ. ૨૧)ને પકડી પાડ્યો હતો. રાજેશની મૃત્યુ પામનાર કપિલાશ સાથે બે દિવસ પહેલા મિત્રતા થઈ હતી.ગત ૨૧મીની રાત્રે બંને…
અમદાવાદ, અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કૌકા ગામથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગત રાત્રિએ અહીં એક લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ મોટા પાયે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. વ્હોરા મુસ્લિમ સમાજના એક લગ્ન પ્રસંગમાં પીરસાયેલી મીઠાઈ ખાવાથી અચાનક લોકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે.કૌકા ગામે આયોજિત લગ્ન પ્રસંગમાં પરંપરાગત ‘સામસામે મીઠાની રસમ‘ હતી.ગ્રામજનોમાં ચર્ચા છે કે આ મીઠાઈ ખાધા બાદ જ લોકોને ઉલ્ટી અને ઉબકા આવવાની શરૂઆત થઈ હતી. જોતજોતામાં બીમાર લોકોનો આંકડો ૫૦ને પાર કરી ગયો હતો.પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે તાત્કાલિક ધોળકા અને વટામણ સહિતના વિસ્તારોમાંથી ૫ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે બોલાવવી પડી…
અમદાવાદ, ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે મુખ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓ માટે ‘વન ટાઈમ સેટલમેન્ટ’ યોજના અમલી બનાવવાનો નિર્ણય લેવાયો છે.આ યોજના અંતર્ગત બાકી હપ્તા પરનું દંડનીય વ્યાજ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે.ઘણા લાંબા સમયથી આવાસ યોજનાના લાભાર્થીઓ આર્થિક સંકડામણને કારણે માસિક ૨% લેખે ચડતું દંડનીય વ્યાજ ભરી શકતા નહોતા. સરકારના નવા નિર્ણય મુજબ,૬ મહિનાની મુદ્દતઃ લાભાર્થીઓએ આગામી ૬ મહિનાની અંદર પોતાના આવાસની બાકી રહેલી મૂળ રકમ (મુદ્દલ) સંપૂર્ણ ભરપાઈ કરવાની રહેશે.જો મુદ્દલ રકમ ભરી દેવામાં આવે, તો તેના પર લાગેલું ૨% દંડનીય વ્યાજ સંપૂર્ણપણે માફ કરી…
