Author: gujarat

અમદાવાદ, અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં અલગ અલગ વિસ્તારમાં બે હત્યાની ઘટના સામે આવી છે. ગાયકવાડ હવેલી વિસ્તારમાં સામાન્ય વાતમાં ખૂની ખેલ ખેલાયો છે.નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા એક આશાસ્પદ યુવકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનથી માત્ર ૧૦૦ મીટરના અંતરે જ બની હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીઓની અટકાયત કરી છે.ગત ૨૧ જાન્યુઆરીની મોડી રાત્રે ગાયકવાડ હવેલી વિસ્તારમાં આ બનાવ બન્યો હતો.મૃતક યુવક અને આરોપીઓ વચ્ચે અગાઉ પબ્જી ગેમ રમવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી.…

Read More

Anar patel khodaldham: ગુજરાતના રાજકારણમાં જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે ત્યારે ખોડલધામ સંસ્થા મીડિયાની ચર્ચાઓનું કેન્દ્ર બની જાય છે. અવારનવાર પત્રકારો અને રાજકીય વિશ્લેષકો ખોડલધામના ચેરમેન નરેશ પટેલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર અથવા ચૂંટણીમાં ટિકિટના દાવેદાર તરીકે રજૂ કરી દે છે. તાજેતરમાં એવી વાતો વહેતી થઈ છે કે પાટીદાર મુખ્યમંત્રીની માંગને સંતોષવા ભાજપ ૨૦૨૭માં અનાર પટેલને જવાબદારી સોંપશે, પરંતુ આ વાતો પાયાવિહોણી છે. હકીકત એ છે કે આજ સુધી મીડિયાની કોઈ અટકળ સાચી પડી નથી અને નરેશ પટેલ હજુ પણ સક્રિય રાજકારણથી દૂર રહ્યા છે.અનાર પટેલની ખોડલધામમાં નિમણૂક અને મીડિયાની અટકળો પાછળનું ગણિતઅનાર પટેલની ખોડલધામના અધ્યક્ષ પદે નિમણૂક થતાની સાથે…

Read More

આણંદ, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ભરથરી ગામનું બાઈકસવાર દંપતીને ભાલેજ-લિંગડા રોડ ઉપર જાખલા ગામ પાસે એક કન્ટેનરના ચાલકે ટક્કર મારી હતી. જેમાં રોડ પર ફંગોળાઈ જઈને કન્ટેનરના ટાયર નીચે આવી જતા પતિનુ સ્થળ પર જ મોત થયું હતું અને પત્નીને આણંદ ખાતે હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે ભાલેજ પોલીસે કન્ટેનરના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઠાસરા તાલુકાના ભરથરી ગામે વિક્રમભાઈ કાળાભાઈ રાઠોડ પત્ની વનીતાબેન સહિતના પરિવાર સાથે રહેતા હતા.વિક્રમભાઈના દીકરી સગુણાબેનના લગ્ન આણંદ તાલુકાના વલાસણ ગામે કરવામાં આવ્યા હતા અને સગુણાબેનને પ્રસુતિ માટે આણંદ શહેરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં…

Read More

Yashraj Singh Gohil Suicide Case: ગુજરાતના અમદાવાદમાં બુધવારે મોડી રાત્રે કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજ સિંહ ગોહિલે પોતાની પત્ની રાજેશ્વરીને લાયસન્સી રિવોલ્વરથી ભૂલથી ગોળી મારી દીધી. તેણે આ અંગેની જાણકારી પહેલા ઘરના સભ્યોને આપી હતી. જ્યારે ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ સાથે પહોંચેલી પેરામેડિકલ ટીમે રાજેશ્વરીને મૃત જાહેર કરી, ત્યારે દુઃખી થઈને યશરાજે પણ પોતાને ગોળી મારી ઉડાવી દીધો. એસીપી જિતેન્દ્ર બ્રહ્મભટ્ટે આને ભૂલથી ગોળી ચાલ્યા બાદ આત્મહત્યાનો મામલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ક્રાઈમ સીન અને પરિવારજનોના નિવેદનના આધારે મામલાની તપાસ ચાલી રહી છે.પત્નીને ભૂલથી માથામાં ગોળી મારી દીધીએસીપીના જણાવ્યા અનુસાર, સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજ સિંહ ગોહિલ અમદાવાદના એપાર્ટમેન્ટમાં પાંચમા…

Read More

રાજકોટ, રાજકોટની સેશન્સ કોર્ટે એક ચકચારી બળાત્કારના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીએ ગત વર્ષે એક યુવતીને બેંકનું ફોર્મ ભરી દેવાની લાલચ આપી પોતાના ઘરે બોલાવી હતી અને ત્યારબાદ તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યાે હતો. કોર્ટે આ ગુનાને ગંભીર ગણી આરોપીને આજીવન જેલની સજાની સાથે ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ કર્યાે છે.આ ઘટના જુલાઈ ૨૦૨૧માં કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આરોપી જીગર પરબતભાઈ ભાદરકાએ યુવતીને વિશ્વાસમાં લઈ તેના ઘરે બોલાવી ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ ઘટનાથી અત્યંત આઘાતમાં સરી પડેલી યુવતીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો.હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ…

Read More

Ahmedabad School Bomb Threat: ગુજરાતના પશ્ચિમ અમદાવાદમાં સ્થિત અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળતા જ શાળા પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. સાવચેતીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી અને વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા. મામલાની ગંભીરતાને જોતા ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ સ્ક્વોડ અને ફોરેન્સિક વિભાગની ટીમો તપાસમાં જોડાઈ ગઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું કહેવું છે કે અમદાવાદના પશ્ચિમ વિસ્તારની અનેક શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. ક્રાઈમ બ્રાન્ચની બોમ્બ સ્ક્વોડ અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ તપાસ કરી રહ્યા છે.

Read More

અમદાવાદ , ગુજરાતના બહુચર્ચિત અપહરણ અને બિટકોઈન હેરાફેરી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મોટી સફળતા મળી છે. ઈડીએ મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ તેમજ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના સંબંધી સંજય કનુભાઈ કોટડિયાના રિમાન્ડ દરમિયાન મહત્ત્વના અને ચોંકાવનારા પુરાવા એકત્ર કર્યા છે.ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ કરતાં તા. ૯-૧-૨૦૨૬ના રોજ પાંચ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં અનેક ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપકરણોની ફોરેન્સિક તપાસ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડમાં કરાયેલા રોકાણ સંબંધિત દસ્તાવેજો મળી આવ્યા છે. ઉપરાંત ક્રિપ્ટો કરન્સી અને ભારતીય ચલણ રૂપે કુલ રૂ. ૧૯ કરોડની મિલકત જપ્ત કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ સીઆઈડી…

Read More

VMC Commissioner Vadodara: ગુજરાતની રાજનીતિમાં મધ્ય ગુજરાતનું કેન્દ્ર ગણાતા વડોદરામાં બધું બરાબર નથી ચાલી રહ્યું. પાછલા દિવસોમાં જ્યારે પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો ત્યારે તેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) કમિશનર IAS અરુણ મહેશ બાબુનું નામ નહોતું. આ પત્રમાં ધારાસભ્યોએ વડોદરાના કલેક્ટર, ડીડીઓ, વડોદરા ગ્રામ્યના એસપી સહિત વડોદરા શહેરના પોલીસ કમિશનરનો ઉલ્લેખ કરીને કામ ન કરતા હોવાના આક્ષેપો કર્યા હતા. હવે આશ્ચર્યજનક રીતે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને નિશાન બનાવવામાં આવ્યા છે. મહેશ બાબુને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આઉટર વિસ્તાર (ભાયલી)માં એક રાવણ તરીકે દર્શાવતું વાંધાજનક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. આક્ષેપ છે કે ગંદુ પાણી એક તળાવમાં આવી…

Read More

અમદાવાદ, એક અરજદારને તેના કેસની દલીલ ગુજરાતી ભાષામાં કરવાની રજૂઆતને હાઇકોર્ટે ફગાવી કાઢી છે. હાઇકોર્ટે ઠરાવ્યું છે કે મનીષ કનૈયાલાલ ગુપ્તા અને અન્ય વિરુદ્ધ સુઓમોટો કેસમાં ડિવિઝન બેન્ચે ઠરાવ્યું છે કે હાઇકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી છે અને તેથી કેસની રજૂઆત અંગ્રેજીમાં હોવી જોઈએ.તે અંગ્રેજી ભાષા સિવાય અન્ય કોઈ ભાષામાં હોઈ શકે નહીં. આ કેસમાં અરજદારે એક પ્રમાણપત્રને પડકાર્યું હતું, જેમાં હાઇકોર્ટની સમિતિએ કોર્ટ સમક્ષ પક્ષકાર તરીકે તેના કેસની દલીલ કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યાે હતો, કારણ કે તે અંગ્રેજી ભાષામાં અસમર્થ હતો.જસ્ટિસ અનિરુદ્ધ પી. માયીની બેંચે આ અરજી ફગાવી કાઢી હતી અને ઓગસ્ટ ૨૦૨૫ માં હાઈકોર્ટ સમિતિ દ્વારા જારી કરાયેલા…

Read More

Gujarat IAS Transfer 2026: ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ વહીવટી ફેરબદલમાં રાજ્યના ત્રણ સિનિયર IAS અધિકારીઓની બદલી કરી છે. અત્યાર સુધી સુરત મહાનગરપાલિકાના કમિશનરની જવાબદારી સંભાળતા શાલિની અગ્રવાલને સરકારે નવી જવાબદારી સોંપી છે. સરકારે તેમને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ આવતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL), વડોદરાના MD બનાવ્યા છે. અત્યાર સુધી આ જવાબદારી IAS જેનુ દેવન પાસે વધારાના ચાર્જ તરીકે હતી. શાલિની અગ્રવાલ અગાઉ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા કલેક્ટર રહી ચૂક્યા છે, તેથી એક રીતે તેમની વડોદરા વાપસી થઈ છે. ૨૦૦૫ બેચના IAS શાલિની અગ્રવાલે બિહાર યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.નાગરાજન બન્યા સુરતના કમિશનરમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની…

Read More