આણંદ, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના શાહપુર ગામ નજીક શાહપુર રોડ પર સોમવારે સાંજના અરસામાં એકટીવા અને બાઈક સામસામે અથડાતા બંને વાહનોના ચાલકને ગંભીર ઈજાઓ થતાં મોત નિપજ્યા હતા. જ્યારે એકટીવાની પાછળ બેઠેલા ગોરેલ ગામના યુવકને પણ ગંભીર ઈજા થયાની ફરિયાદ પેટલાદ રૂરલ પોલીસમથકમાં નોંધાઈ છે.પેટલાદ તાલુકાના શાહપુર ગામે રામદેવ ચોક વિસ્તારમાં રહેતા ચિરાગભાઈ મણીભાઈ પટેલ પોતાનું બજાજ એવીએન્જર બાઈક લઈને કોઈક કામ અર્થે પેટલાદ શહેરમાં ગયા હતા અને પેટલાદનું કામ પતાવીને પરત શાહપુર ગામે જવા નીકળ્યા હતા.સોમવારે સાંજના અરસામાં શાહપુર જવાના રોડ પર આવેલ નિર્મેશભાઈ પટેલની ખરી નજીકથી પસાર થતા હતા. આ વખતે સામેથી પુરઝડપે આવી ચઢેલ એકટીવાના ચાલક બાઇકને…
Author: gujarat
અમદાવાદ, પૂર્વ વિસ્તારમાં પોલીસનો કોઇ ડરના હોય તે લૂખ્ખા તત્વો ઘાતક હુમલા કરી રહ્યા છે. મેઘાણીનગરમાં ધાક જમાવવા માટે અમો અહિના દાદા છીએ કહી બે નિર્દાેષ યુવકોને ચાકુના ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.મેઘાણીનગર પોલીસે બે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ભાર્ગવ ત્રણ રસ્તા પાસે પાન પાર્લર ઉપર ઉભેલા યુવકો સાથે કોઇ કારણ વગર તકરાર કરી ગાળો બોલી હુમલો કરતાં બન્ને યુવકો સારવાર હેઠળમેઘાણીનગર વિસ્તારમાં કુબેરનગર રોડ ઉપર ભાર્ગવ ચાર રસ્તા પાસે યુવકે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અનુંપ તોમર તથા પિયુષ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ૧૦ વાગે યુવક તેના…
સુરેન્દ્રનગર, થાનગઢના અમરાપર ગૌશાળા અને મંદરિના નામે ૩.૦૯ કરોડની છેતરપિંડી કરનાર મહંત સહિત પાંચ આરોપીને ચોટીલા કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ મામલે મહંત સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઇ હતી. થાનગઢના અમરાપર ગામમાં આવેલી કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે તેમ જ મંદિરના લાભાર્થે ટિકિટનું વેચાણ કરી અને ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.પરંતુ આયોજકો દ્વારા ટિકિટનું વેચાણ કર્યા બાદ ડ્રો નું આયોજન કરવામાં આવવાનું હતું પરંતુ આયોજન દ્વારા કોઈ પણ પ્રકારનો ડ્રો યોજ્યો જ નહીં ડ્રોમાં ૫૫૫ ઇનામોની જાહેરાત કરવામાં આવી હતી અને પ્રત્યેક ટિકિટની કિંમત ૫૦૦ રૃપિયા રાખવામાં આવી હતી.આ ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું…
ભાવનગર, બુધેલ ગામે સાડા ત્રણ વર્ષ પૂર્વે માતાને ભગાડી ગયાનો ખાર રાખી પુત્રએ ખૂની ખેલ ખેલ્યાની ચકચારી ઘટનામાં ન્યાયપાલિકાએ હત્યારા શખ્સને આજીવન કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યાે છે. સામા પક્ષે મારામારીના કેસમાં એક પરિણીતાને બે વર્ષ કારાવાસનો હુકમ કરવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર બુધેલ ગામે કાના પોપટભાઈ રાઠોડની માતાને કાળુભાઈ રવજીભાઈ મકવાણા નામનો યુવાન એક દિવસ માટે ભગાડી ગયો હતો. તે બાબતની દાઝ રાખી પાંચ વર્ષ બાદ કાના રાઠોડે ઘરે ધસી જઈ નીતાબેન અને તેમના ભાઈ કાળુભાઈ મકવાણાને ગાળો દઈ કાળુભાઈને છાતિના ભાગે છરીના બે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.દરમિયાનમાં યુવકનું સારવારમાં મૃત્યુ થતાં બનાવ હત્યામાં પરિણમ્યો…
અમદાવાદ, છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રમાં દારૂ બિયરની ડિમાન્ડ વધી છે જેના કારણે રાજસ્થાનથી અમદાવાદ થઇને બૂટલેગરો દારૂ બિયરનો જથ્થો સપ્લાય કરી રહ્યા છે.પરંતુ આ બૂટલેગરો અને દારૂ મોકલનારની અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસ પાસે માહિતી હોવાથી લાખો કરોડોનો દારૂ બિયરનો જથ્થો ઝડપાઇ રહ્યો છે. તેવામાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં એક જ દિવસમાં ૮૩.૨૨ લાખનો દારૂ બિયરનો જથ્થો પોલીસે ઝડપી લીધો છે. સોલા, અસલાલી, બગોદરા પોલીસે પકડેલો આ જથ્થો ટાઇલ્સના પાવડર, ડાંગરની કુશ્કી, પ્લાસ્ટિકના પીપડાની આડમાં લઇ જવાતો હતો.લાકડાના ભૂંસા અને ટ્રાન્સપોર્ટમાં આવેલા દારૂ બાદ હવે સોલા પોલીસે એસ. જી. હાઇવે પર એક ટ્રકમાંથી ટાઇલ્સ બનાવવાના પાવડરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી…
અમદાવાદ , ઓઢવના આદીનાથનગર વિસ્તારમાં અરિહંત સોસાયટીમાં રહેતા શાહ દંપતીની દીકરીના લગ્ન નજીકના સમયમાં આવતાં હોવાથી દંપતીએ ગેરકાયદે રીતે ડુપ્લિકેટ દારૂનું વેચાણ અને હોમ ડિલિવરી શરૂ કરી હતી.સસ્તી કિંમતના દારૂને મોંઘીદાટ બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરી બમણા ભાવે વેચાણ કરાતું હતું. ઓઢવ પોલીસે બાતમીના આધારે શાહ દંપતીના ઘરે દરોડા પાડ્યો ત્યારે બૂટલેગર પતિ અલ્પેશ શાહ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો, જ્યારે તેની પત્ની લક્ષ્મીબેન શાહ દારૂના જથ્થા સાથે ઝડપાઈ ગઈ હતી. પોલીસે મહિલાની રૂ. ૨.૨૦ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી શાહ દંપતી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે તેમજ ફરાર પતિની શોધખોળ શરૂ કરી છે.ઓઢવ વિસ્તારમાં દારૂની હોમ…
હિંમતનગર, હિંમતનગરના આરટીઓ બાયપાસ નજીક આવેલા એક કોમ્પ્લેક્સમાં ઓફિસ ખોલીને પોન્ઝી સ્કીમના સંચાલકોએ એજન્ટો દ્વારા ૧૨થી વધુ લોકો પાસે રૂ. પ૩,પ૮,૦૦૦થી વધુનું રોકાણ કરાવી છેતરપિંડી આછરતાં આ મામલે ગ્રામ્ય પોલીસ મથકમાં છ જણા સામે ફરિયાદ નોંધાઇ હતી.જોકે પોલીસે બુધવારે પોન્ઝી સ્કીમમાં સંડોવાયેલા ત્રણ જણાની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરાયા હતા.હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે આવેલા શાન્તમ-૭ કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા અનિલસિંહ ઉર્ફે અનિલકુમાર પ્રદીપસિંહ પરમાર (રહે.ધાણધા, હિંમતનગર)એ અન્ય ભાગીદારો સાથે મળી એ.પી.કન્સલ્ટન્સી નામની પોન્ઝી સ્કીમ શરૂ કરી હતી અને એજન્ટો મારફતે રોકાણકારો પાસેથી નાણાં ઉઘરાવી ૧૦થી ૧પ ટકા વ્યાજ આપવાની લાલચ આપી હતી.જેમાં હિંમતનગર સિવિલના ન‹સગ સ્ટાફમાં ફરજ બજાવતા મિતેશ કાંતિલાલ પટેલ…
ભાવનગર, ભાવનગર શહેરમાં એક મહિલા પોલીસ કર્મચારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખાણ કરી બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.સિહોરના શખસે મહિલાને ધાકધમકી આપી અનેકવાર મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ નોંધાતા ગંગાજળિયા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.આ કેસની વિગત મુજબ, પીડિત મહિલા પોલીસ કર્મચારી અને આરોપી યુવક જીગર ચાવડા વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયો. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. જેનો ગેરફાયદો ઉઠાવી આરોપીએ પીડિતાને ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ આપી હતી.આરોપીએ ડરાવી ધમકાવીને મહિલા પોલીસકર્મી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું.આ મામલે ૨૦ જાન્યુઆરીની મોડી રાત્રે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ દાખલ કરવામાં…
અમદાવાદ , સાયબર ક્રાઇમના વધતા જતા ગ્રાફને ધ્યાનમાં રાખીને તેને નાથવા માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમ છતાં સાયબર એજન્સી અને સાયબર સેન્ટરોમાં જરૂરી પોલીસ ફોર્સનો અભાવ તથા મર્યાદિત સાધન સામગ્રીના કારણે અસરકારક અને ઝડપી કાર્યવાહી કરવામાં નોંધપાત્ર વિલંબ થઈ રહ્યો છે.રાજ્યના સૌથી મોટા સાયબર સેન્ટરોની હાલત એવી છે કે આશરે ૧૦૦ અરજીઓની તપાસ માટે માત્ર એક કે બે પીએસઆઈની ફાળવણી કરવામાં આવી રહી છે. વધુમાં, જ્યારે કોઈ કેસમાં એકથી વધુ આરોપીઓ ઝડપાય છે ત્યારે તપાસ અધિકારીને તેમની પૂછપરછ અથવા નિવેદન નોંધવાની કામગીરી પણ સમૂહમાં જ કરવી પડે છે.પરિણામે એક આરોપી દ્વારા આપવામાં આવેલા…
અમદાવાદ, અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા જજીસ બંગલો રોડ પર આવેલ એનઆરઆઈ ટાવરમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. લગ્નના માત્ર બે જ મહિનામાં એક નવપરિણીત દંપતી વચ્ચેના પારિવારિક ઝઘડાએ ભયાનક રૂપ લેતા પતિએ પત્નીને ગોળી મારી મોતને ઘાટ ઉતારી હતી અને ત્યારબાદ પોતે પણ જીવન ટૂંકાવી લીધું હતું.આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને વસ્ત્રાપુર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ એનઆરઆઈ ટાવરમાં નિવાસ કરતા હતા.ગત મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વકર્યાે કે આવેશમાં આવીને…
