Author: gujarat

અમદાવાદ, અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી એમડી ડ્રગ્સની હેરાફેરી કરતાં માતા-પુત્રને વેજલપુર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને ગેરકાયદેસર એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક મહિલા અને એક યુવકની ધરપકડ કરી છે.પકડાયેલા બંને આરોપીઓ કાલુપુર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે, જેઓ ટુ-વ્હીલર પર ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા હતા.વેજલપુર પોલીસને બાતમી મળી હતી કે, એક સફેદ કલરના એક્સેસ પર એક મહિલા અને એક પુરુષ ફતેવાડી લોખંડવાલા પાર્ટી પ્લોટથી સવેરા હોટલ થઈ અંબર ટાવર તરફ ડ્રગ્સ લઈને પસાર થવાના છે.આ બાતમીના આધારે પોલીસે સવેરા હોટલ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી.આ દરમિયાન બાતમી મુજબનું વાહન આવતા પોલીસે તેને અટકાવ્યું હતું અને ટુ-વ્હીલર…

Read More

જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ ૨૦ થી ૪૦૦ રૂપિયા પ્રતિ મણ બોલાયા(એજન્સી)જામનગર, જામનગરમાં ડુંગળી પકવતા ખેડૂતો હાલ રાતા પાણીએ રડી રહ્યા છે કારણ કે તેમને તેમની મહેનતનું પૂરતું વળતર મળી રહ્યું નથી. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે, જ્યાં એક મણ ડુંગળીનો ભાવ ૨૦ રૂપિયાથી લઈને ૪૦૦ રૂપિયા સુધી બોલાયો હતો.આ ભાવો સાંભળીને પાક વેચવા આવેલા ખેડૂતોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. ખેડૂતોએ જણાવ્યું કે વર્ષભરની સઘન મહેનત જમીન તૈયાર કરવાથી માંડીને વાવેતર ખાતરનો ખર્ચો, બિયારણનો ખર્ચ, પાણીનો ખર્ચ અને નિંદામણ તથા મજૂરી જેવા અનેક ખર્ચાઓ કર્યા પછી જ્યારે તેઓ માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા પહોંચે…

Read More

ર૧ વર્ષ માનવતાની સેવાને જીવનનું મિશન બનાવતો યુવાનહું હંમેશા મારી કારમાં ફુડ પેકેટસ રાખું છું. રસ્તામાં ગમે ત્યારે ફુટપાથ પર દેખાતા બાળકો સાથે સમય વિતાવીને તેમને ફુડ પેકેટસ આપું છું. મે હમણાં સુધી ૩૦૦ કરતા વધુ બાળકોની મદદ કરી છે.(એજન્સી)અમદાવાદ, જરૂરીયાતમંદોની સેવા માટે જીવન સમર્પીત કરનાર વ્યકિત માત્ર મદદગાર નથી પરંતુ સમાજ માટે આશાનું પ્રતીક ગણાય છે. ભુખ્યાને ભોજન નિરાધારને સહારો અને નિરાશમાં હિમત આપવાનું કામ તેમની દૈનિક ફરજ બની જતી હોય છે.પરંતુ ઘણા લોકો નિષ્ઠા અને સેવાભાવ સમાજને વધુ સંવેદનશીલ અને સશકત બનાવવામાં મદદરૂપ થતા નથી. ત્યારે વાસણા વિસ્તારમાં રહેતા ર૧ વર્ષીય દિવ્યેશ સિંહ જાદવ તેમની આવકની ૯પ ટકા…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેઓએ રંગમંચલયક્ષી કલાઓના કાર્યક્રમોનો આખો સ્કેલ બદલી નાખ્યો હતો અને કલાકારોને ભવ્ય પુરસ્કાર અને ભરપૂર સુવિધા આપવાની શરૂઆત કરાવી હતી.સમૃદ્ધ સાંસ્કૃતિક આયોજનના પાયોનીયર નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા લોકકલાકારોને સોમનાથમાં કોઈ સુવિધા આપવામાં નહોતી આવી અને આ કલાકારો જાણે સરકારી અધિકારીઓ તથા ઇવેન્ટ મેનેજરોના ગુલામ કે દાડિયા હોય એવી રીતે એમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો હતોતથા અને તે સર્વે ભવ્ય પરંપરાગત કલાકારોને ભોજન માટે, યાત્રાળુઓ માટે વિનામૂલ્યે ખોલવામાં આવેલા ભંડારાઓમાં, હજારોની ભીડ વચ્ચે,એકાદ કિલોમીટર જેટલી દૂર સુધી પહોંચતી લાઈનમાં ઉભા રાખીને જમાડવા માટે રાહ જોવડાવાઈ હતી અને…

Read More

ફિંગરપ્રિન્ટની જેમ ગાયનું નાક છે તેનું યુનિક બાયોમેટ્રિકID: નાકની રચના,આંખો અને ચહેરાને સ્કેન કરતી ટેક્નોલોજીઅમદાવાદ મહાનગરપાલિકા માટે પાયલટ પ્રોજેક્ટની તૈયારી: એજન્સી દ્વારાAIમોડેલ નિર્માણ પર કામ શરૂગુજરાતના શહેરોના સર્વાંગી વિકાસનું વિઝન, AIટેક્નોલોજીથી સ્માર્ટ ગવર્નન્સ તરફ રાજ્ય સરકારની આગેકૂચઅમદાવાદ, ગુજરાતના શહેરોને સ્માર્ટ બનાવવા માટે રાજ્ય સરકાર આધુનિક ટેક્નોલોજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઉપયોગને પ્રાથમિકતા આપી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગાંધીનગરમાં AIસેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કર્યા બાદ આ ટેક્નોલોજીને રાજ્યના શાસનમાં સમાવિષ્ટ કરીને નાગરિક સેવા વિતરણને સમૃદ્ધ બનાવવના પ્રસાયો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં આગળ વધતા અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારને આવરી લેતી સમસ્યા માટે એક મહત્વપૂર્ણ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો…

Read More

500થી વધુ ચક્ષુદાન અને હજારો સર્જરી- 2023થી 2025 સુધી આંખની સારવાર અને સેવાના નવા રેકોર્ડ : 3900થી વધુ કેટરેક્ટ સર્જરીઅમદાવાદ (પ્રતિનિધિ)અમદાવાદ શહેરમાં આંખની સારવાર અને ચક્ષુદાનના ક્ષેત્રે સેવા, સંવેદના અને વિશ્વાસનું પ્રતિબિંબ બની રહેલી શ્રી સી.એચ. નગરી મ્યુનિસિપલ આંખની હોસ્પિટલ આજે માત્ર એક આરોગ્ય સંસ્થા નહીં પરંતુ માનવતાભર્યા સેવાકાર્યનું જીવંત પ્રતિક બની ગઈ છે.નિઃશુલ્ક અને ગુણવત્તાયુક્ત આંખની સારવાર, સફળ સર્જરીઓ અને નિઃસ્વાર્થ ચક્ષુદાનના માધ્યમથી હોસ્પિટલએ હજારો દર્દીઓના જીવનમાં ફરીથી જોવાની ખુશી અને આશાની નવી સવાર લાવી છે. ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ માટે આશાનો દીવો બની રહેલી નગરી આંખ હોસ્પિટલ આજે માત્ર સારવારનું કેન્દ્ર નહીં પરંતુ સમાજમાં દ્રષ્ટિ બચાવવાની અને…

Read More

અમદાવાદ, શહેરમાં નશીલા પદાર્થાે સામે ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે એસઓજીની ટીમે સરદારનગર પોલીસ સ્ટેશન નજીકના છારાનગરમાંથી એક મહિલાને ૧૦.૦૫ લાખની કિંમતના ૨૦.૧૦૦ કિલો ગાંજા સાથે ઝડપી પાડી છે.પોલીસે આ કેસમાં મહિલાની ધરપકડ કરી છે તેમજ તેના ફરાર ભાઈ અને પુત્રી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પોતાનો ભાઇ ગાંજા સાથે કાલુપુર રેલવે સ્ટેશને ઝડપાઇ જતાં મહિલાએ ગાંજાનો જથ્થો તેના ઘરેથી લાવીને પોતાના ઘરમાં છૂપાવી દીધો હતો.એસઓજીની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સરદારનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં મસાણી મેલડી માતાના મંદિર પાસે રાજધાની ગલીમાં ગીતાબેન મીણેકર નામની મહિલાએ તેના ઘરમાં ગાંજાનો જથ્થો છૂપાવી રાખ્યો છે. બાતમીને…

Read More

અમદાવાદ , ગાંધીનગરમાં આવેલી સરકારી ફાર્મસી કોલેજમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીને ત્રણ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૨૪માં કોલેજનું બિલ્ડિંગ તૈયાર થઇ જશે તેવી બાંયેધરી અપાઈ હતી. હાલમાં વિદ્યાર્થીઓના ચાર વર્ષનો કોર્સ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં હજુ સુધી કોલેજ બિલ્ડિંગ તૈયાર થયું નથી.સરકારી પોલિટેકનિક કોલેજમાં ચાલતી સરકારી ફાર્મસી કોલેજમાં હાલમાં ચાર સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ ભેગા બેસીને અભ્યાસ કરવો પડે છે. રેગ્યુલર અભ્યાસ થઇ શકે તેમ ન હોવાથી ૬૦ ટકા વર્ગાે ઓનલાઇન ચલાવવામાં આવતાં હોવાથી વિદ્યાર્થીઓ માટે ભારે મુશ્કેલી ઊભી થઇ રહી છે.ધો.૧૨ પાસ થયા બાદ વિદ્યાર્થીઓ સરકારી ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે પહેલી પસંદગી આપતાં હોય છે. ગાંધીનગરમાં નવી સરકારી ફાર્મસી કોલેજને મંજૂરી…

Read More

અમદાવાદ , ૧૮ વર્ષથી ઓછી ઉંમરના સગીરો દ્વારા રસ્તાઓ પર બેફામ સ્પીડે વાહન હંકારવાની ઘટનાઓ હવે જીવલેણ બની રહી છે. પોલીસની સતત ડ્રાઈવ અને કડક કાર્યવાહી છતાં વાલીઓમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો તાજેતરમાં ટ્રાફિક વિભાગે કરેલી કામગીરીના આંકડા પરથી સામે આવ્યો છે. શહેર ટ્રાફિક વિભાગે વર્ષ ૨૦૨૪માં માત્ર ૧૧ સગીરોને વાહન ચલાવતા ઝડપી લીધા હતા.જ્યારે વર્ષ ૨૦૨૫માં આ આંકડો વધીને ૫૮૩૫ પર પહોંચી જતા સગીરોમાં કાયદાનો ભય ઘટ્યો છે અથવા વાલીઓ જ સંતાનોને વાહન આપીને જોખમ વહોરી રહ્યા હોવાનું આ આંકડા પરથી પુરવાર થાય છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરભરમાં સમયાંતરે સગીર વાહનચાલકો સામે ડ્રાઇવ યોજે…

Read More

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરની સબજેલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. જેલમાં સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટનામાં છેલ્લા ૩ દિવસની અંદર બીજા એક કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કેદીની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરવામાં આવ્યો છે.એક જ સપ્તાહમાં કેદીઓ દ્વારા સતત થઈ રહેલા આત્મહત્યાના પ્રયાસોને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો સબજેલ પહોંચ્યો હતો અને જેલની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.નોંધનીય છે કે હજુ બે દિવસ અગાઉ જ શૈલેષ મકવાણા નામના અન્ય એક કેદીએ પણ જેલમાં શેમ્પુ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો. સતત બની રહેલી…

Read More