Amit Shah Surat visit: ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક પગલાથી રાજકીય માહોલ ગરમાયો છે. રવિવારે સુરત પહોંચ્યા બાદ શાહે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના ઘરે મુલાકાત લીધી હતી. અમિત શાહે સીઆર પાટીલના સમગ્ર પરિવાર સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત કરી હતી, જે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે પણ સેવા આપે છે. અમિત શાહે પાટીલની માતા સાથે પણ મુલાકાત કરી હતી. અમિત શાહની સીઆર પાટીલના ઘરે મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સીઆર પાટીલના અનુગામીની પસંદગીનો મુદ્દો અટકી ગયો છે. ગુજરાતના રાજકીય વર્તુળોએ દાવો કર્યો છે કે સીઆર પાટીલ અને અમિત શાહ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે,…
Author: gujarat
કઠવાડામાં સ્વીમીંગ પુલના બદલે માળખાકીય સુવિધાઓ માટે નાણા ખર્ચ થશેપ્રતિનિધિ અમદાવાદ, છસ્ઝ્ર દ્વારા શહેરના પૂર્વ ઝોનમાં આવેલા નિકોલ- કઠવાડામાં રૂ. ૯ કરોડ, ૩૦ લાખના ખર્ચે જિમ્નેશિયમ, સ્વીમિંગ બનાવવામાં આવશે નહીં. નિકોલ-કઠવાડામાં જિમ્નેશિયમ અને સ્વીમિંગ પુલ બનાવવાને બદલે પાણી ડ્રેનેજની લાઈનો નાંખવા, નવા રોડ બનાવવા સહિત માળખાકીય સુવિયાઓ ડેવલપ કરવા માટે આ રકમ ખર્ચવાનો સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે અને આ હેતુસર રજૂ કરાયેલી દરખાસ્ત પડતી મૂકવામાં આવી છે. આમ, નિકોલ- કઠવાડામાં પાયાની સુવિધાઓ વિકસાવવાને મહત્વ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવનાંગ દાણીએ જણાવ્યું હતું કે, AMC દ્વારા સમતોલ વિકાસ કરવાની તેમ સાથે પૂર્વના પટ્ટાના વિસ્તારોમાં પણ શહેરીજનોને જિમ્નેશિયમ,…
દરરોજ કાગડાને ખવડાવતા સેટેલાઈટમાં રહેતા અર્ચનાબેન કહે છેAhmedabad, દેવલોક પામેલા સ્વજનોને યાદ કરીને શ્રાધ્ધમાં કાગડાને અને દુધના મિશ્રણથી તૈયાર કરેલી ખીર અને પુરી કે રોટલી ખવડાવવામાં આવે છે. આથી પિતૃપક્ષમાં કાગડાઓનું મહત્વ ખુબ વધી જાય છે. ઘણાને અનુભવ થાય છે કે સામાન્ય દિવસોમાં કાગડાઓ ખુબ જોવા મળતા હોય છે. પરંતુ શ્રાધ્ધ પક્ષમાં કાગડાઓ ખુબ ઓછા નજરે ચડે છે. કાગડા દુરથી દેખાય તો પણ જલદી આવતા નથી.કાગડા આવીને શ્રાધ્ધની ખીર આરોગે એવું સૌ કોઈ ઈચ્છતું હોય છે. પરંતુ કાગડા માણસોનો જલદી વિશ્વાસ કતા નથી પરંતુ સેટેલાઈટ વિસ્તારમાં આર્ષ એપાર્ટમેન્ટમાં રહેતા અર્ચનાબેન નાગોરીની બાલ્કનીમાં કાગડાઓ દરરોજ કા.કા. દકરતા આવી ચડે છે. જયાં…
ગાંધીનગરની મહિલાએ દિલ્હીની મહિલા સહિત બે સામે ઠગાઈનો ગુનો નોંધાવ્યોગાંધીનગર, વુમન્સ-વેરના પ્રિમીયમ કપડા બનાવી બિઝનેશ કરતી ગાંધીનગરની મહિલાને લંડન ફેશન શોમાં ભાગ લેવડાવવાની લાલચ આપી દિલ્હીના ગૌરવ મંડલ અને સોનલ જિંદાલે રૂ.૩ર.૯૧ લાખની છેતરપિંડી આચરી હોવા અંગે ઈન્ફોસિટી પોલીસમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગરના કુડાસણના કોમ્પલેક્ષમાં ફલેપર-૧ ફેશન પ્રા.લી. નામની કંપની ચલાવતા સોનલબેન દેસાઈ સાથે મે ર૦રપમાં ગૌરવ મંડલ (રહે. ન્યુ રાજેદ્રનગર દિલ્હી) સાથે સંપર્ક થયો હતો. બાદમાં સોનલબેને પોતાની કંપનીમાં બનતા કપડાના પ્રચાર અને વેચાણ અર્થે ગૌરવ મંડલને કંપનીના સલાહકાર તરીકે માસિક પગાર રૂ.૧.૧૦ લાખમાં હાયર કર્યો હતો.દરમિયાન એક દિવસ ગૌરવે લંડનમાં લંડન…
ભાજપ કમલમ નજીકનો માર્ગ લાંબા સમયથી બીસ્માર હાલતમાં છે. (તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) (પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરના બામરોલી ચોકડી નજીક આવેલી મેશરી નદી પરનો બ્રિજ અને તેની આસપાસનો રસ્તો હાલમાં ખૂબ જ ખસ્તાહાલ હાલતમાં પહોંચી ગયો છે. માર્ગ પર મોટા–મોટા ખાડાઓ ઊભા થઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બે–ચક્રી વાહનચાલકો તથા રોજિંદા મુસાફરી કરતા લોકો માટે આ રસ્તો મુશ્કેલી અને જોખમભર્યો સાબિત થઈ રહ્યો છે.સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, ભાજપ કમલમ નજીકનો માર્ગ લાંબા સમયથી બીસ્માર હાલતમાં છે. અનેકવાર સમારકામ શરૂ કરવામાં આવ્યું હોવા છતા કામ અધૂરું રહી જવાથી રોજની અવરજવર કરતા નેતાઓની આંખ સામે આ…
પ્લાનિંગમાં ઓલિમ્પિકસના ધોરણ જળવાયા નહીં હોવાથી બે વર્ષ પહેલા જ આ ઝટકો લાગ્યો છે.ગુડા દ્વારા સરગાસણમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ પૂર્ણ થવામાં વિલંબ ગાંધીનગર, ગુડા દ્વારા સરગાસણમાં સ્પોર્ટસ કોમ્પ્લેકસ બનાવવામાં આવી રહ્યું છે. હજી સુધી આ કાર્ય પુર્ણ થયું નથી. હવે વર્ષ ર૦ર૬માં જાન્યુઆરીના અંત સુધીમાં પ્રોજેકટ પુર્ણ થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સૌથી મોટો ફટકો એ પડ્યો છે કે, આટલા કરોડોના ખર્ચે બની રહેલા આ સ્પોર્ટસ કોમ્પલેક્ષને ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન દ્વારા રીજેકટ કરી દેવામાં આવ્યું છે. તેના પ્લાનિંગમાં ઓલિમ્પિકસના ધોરણ જળવાયા નહીં હોવાથી બે વર્ષ પહેલા જ આ ઝટકો લાગ્યો છે.વર્ષ ર૦૩૬ના ઓલિમ્પિકની યજમાન માટે ભારતે સત્તાવાર મજબૂત…
જામનગર, કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલની સતત રજુઆતને ધ્યાને લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે જામનગર ગ્રામ્ય વિસ્તારના વિવિધ રોડ-રસ્તાના મરામત અને રી-સરફેસિંગના કાર્યોને મંજુરી આપવામાં આવી છે.જેમાં જામનગર ગ્રામ્ય, જોડિયા અને ધ્રોળ તાલુકામા કુલ ૩૪ કિલોમીટર રોડ રી-સરફેસિંગ અને આનુષંગિક કામગીરી સહિત કુલ રૂ.૨૪.૪૦ કરોડના કામોને મંજુરી આપવામાં આવી છે.આ અંગે રાઘવજી પટેલે કહ્યું હતું કે,ચોમાસા દરમિયાન જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રોડ-રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા. આ ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાના પરિણામે કોઈ દુર્ઘટના ન સર્જાય કે નાગરિકોને પરેશાન ન થવું પડે તે ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાના રી-સરૅફેસિંગ સહિતના કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી હતી.રજુઆતોને ગંભીરતાપૂર્વક ધ્યાને…
khambhalia News :દ્વારકાની નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ખંભાળિયામાં આયોજિત યુવા મહોત્સવમાં અચાનક 50થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડતાં અફરાતફરી મચી ગઈ હતી. કાર્યક્રમ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા, જેને પગલે તાત્કાલિક તેમને ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફૂડ પોઈઝનિંગની આશંકા પ્રાથમિક અનુમાન મુજબ, વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું મનાય છે, પરંતુ તબિયત ખરાબ થવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને વિદ્યાર્થીઓની સારવાર શરૂ કરી હતી. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ વિદ્યાર્થીઓની હાલત સ્થિર છે અને તેમને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. યુનિવર્સિટી સત્તાવાળાઓએ…
ગુજરાતમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી, ગુજરાત પોલીસ કાયદાનું ભાન કરાવશે: હર્ષ સંઘવીગાંધીનગરની એક હોટલમાં આસામનો યુવક સફાઈ સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો -મોબાઈલ ફ્લાઇટ મોડ કરીને માત્ર વાઇફાઇથી વોટ્સએપ કોલિંગનો ઉપયોગ કરતો હોવાથી તેનું લોકેશન ટ્રેસ કરવું ખૂબ અઘરું હતું. ગાંધીનગર પાસેના એક ગામમાં રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આસામનો વિધર્મી યુવાન ફલાઇટમાં આસામ ભગાડી ગયો હતો: ગાંધીનગર પોલીસે આસામ ખૂંદીને આરોપીને શોધી પાડ્યો,યુવતીને સુરક્ષિત પરત લવાઈGandhinagar, ગુજરાત ધર્મપ્રેમી અને શાંતિપ્રિય રાજ્ય છે અને આ રાજ્યમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી. નામ બદલીને ભોળી યુવતીઓને ફસાવી લઈ તેને ભગાડી જવાની પ્રવૃત્તિઓ ગુજરાતમાં જરાય ચલાવી નહીં લેવાય.…
Bhavnagar Development Projects 2025: ભાવનગરમાં સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ ૩૪,૨૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યો હતો. સવારે નિશ્ચિત સમયથી અર્ધાથી એકાદ કલાક મોડા પહોંચેલા પ્રધાનમંત્રીએ પ્રથમ ભવ્ય રોડ શો કરી બાદમાં જવાહર મેદાનમાં ઉભા કરાયેલા ડોમમાં ખીચોખીચ મેદનીને ૩૮ મિનિટ સુધી સંબોધી હતી.કોંગ્રેસની કુનીતિઓના કારણે શિપ બિલ્ડીંગ સિસ્ટમ ઠપ્પ થઈ, વિદેશી જહાજો પર નિર્ભરતા એ આપણી મજબૂરી બની ગઈપ્રધાનસેવક નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં ‘આત્મનિર્ભર ભારત’ ઉપર ભાર મુક્યો હતો. ભારત આજે વિશ્વબંધુની ભાવનાથી આગળ વધી રહ્યું છે. ભારત માટે દુનિયામાં કોઈ મોટો દુશ્મન નથી. સાચા અર્થમાં બીજા દેશો પર આપણી નિર્ભરતા એ જ મોટો દુશ્મન છે. ભારતના નિર્ભરતાવાળા…
