રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી –અમદાવાદથી મુંબઈ સુધી રેલવે દ્વારા પ્રવાસ ટ્રેનમાં યાત્રીઓ સાથે રાજ્યપાલશ્રીનો સહજ સંવાદભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ સી. પી. રાધાકૃષ્ણન દ્વારા મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે રાજીનામું આપતાં ગુજરાતના રાજ્યપાલને વધારાનો હવાલો સોંપાયોAhmedabad, મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સંભાળવાની જવાબદારી સ્વીકારવા માટે ગુજરાતના માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મુંબઈ સુધી જવા માટે રેલવે દ્વારા મુસાફરી કરી. આ મુસાફરીમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી પણ જોડાયા હતા. રાજ્યપાલશ્રીએ હવાઈ મુસાફરીને બદલે ટ્રેન દ્વારા અમદાવાદથી મુંબઈ જવાની અનુમતિ આપતા તારીખ 14સપ્ટેમ્બર2025ના રોજ રવિવારની તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં તેઓની ટિકિટ બુક કરાવવામાં આવી હતી.ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમય પહેલા રાજ્યપાલશ્રી ગાંધીનગર રાજભવનથી…
Author: gujarat
આ યોજનામાં વાર્ષિક માત્ર રૂ.૨૦માં ૭૦ વર્ષની ઉંમર સુધી રૂ. ૨ લાખ સુધીનું વીમા કવરેજ ઉપલબ્ધબેંકમાં બચત ખાતુ ધરાવતા ખાતેદાર આ યોજનાનો લાભ લઇ શક્શેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ અંતર્ગત ગુજરાતમાં ‘પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના’માં તા. ૨૭ ઓગસ્ટ-૨૦૨૫ની સ્થિતિએ રેકોર્ડબ્રેક કુલ ૨.૦૧ કરોડથી વધુ લાભાર્થીઓ જોડાયા છે.આ લાભાર્થીઓએ વાર્ષિક માત્ર રૂ.૨૦ ભરીને પોતાના આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં રૂ. ૧ થી ૨ લાખ સુધીનું વીમા સુરક્ષા કવચ લઈને પોતાના પરિવારની આર્થિક સુરક્ષા વધુ સુનિશ્ચિત કરી છે. આ યોજના અંતર્ગત આકસ્મિક મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં, ખાસ કરીને ઓછી આવક ધરાવતા તેમજ અસંગઠિત ક્ષેત્રના કામદારોને નજીવા દરે વ્યક્તિગત…
Bahucharaji made a municipality: રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર બહુચરાજીને હવે ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લામાં આવેલા બેચર-બહુચરાજી ગ્રામ પંચાયતના સ્થાનિક વિસ્તારને હવેથી નાના શહેરી વિસ્તાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આ નિર્ણયની સાથે જ બહુચરાજી હવેથી ‘બેચર-બહુચરાજી મ્યુનિસિપાલિટી’ તરીકે ઓળખાશે અને કાર્યરત થશે. શહેરી વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, ‘ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ, (1964નો ગુજરાત 34) 1963’ની કલમ 5(2) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્ય સરકારે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ જાહેરનામું…
સુશાસનના 4 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નમો લક્ષ્મી યોજના હેઠળ ₹1000 કરોડથી વધુની અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ₹161 કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણીનમો લક્ષ્મી યોજના હેઠળ ધો-9થી 12માં અભ્યાસ માટે વિદ્યાર્થિનીઓને કુલ ₹50,000ની સહાય આપવામાં આવે છેનમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધો-11 અને 12 માટે કુલ ₹25,000ની સહાય આપવામાં આવે છે13 સપ્ટેમ્બર, 2025ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનને 4 વર્ષ પૂર્ણ થયા છે. આ દરમ્યાન મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ થયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે રાજ્યના વિદ્યાર્થીઓને…
Rahul Gandhi Gujarat Assembly election plan: ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષ કરતાં વધુ સમયથી કોંગ્રેસ સત્તા મેળવી શકતી નથી. હવે અહીં કોંગ્રેસને મજબુત કરવા ખુદ રાહુલ ગાંધીએ કમાન સંભાળી છે. થોડા સમય પહેલાં તેમણે સંસદમાં પણ પડકાર ફેંક્યો હતો કે, હવે ગુજરાત લઈને જ ઝંપીશું. તેના ભાગરૂપે આગામી સમયમાં ખુદ રાહુલ ગાંધી ગુજરાતમાં દરેક વિધાનસભા બેઠકદીઠ બે-બેદિવસ રોકાવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છે. મહિનામાં બેથી ત્રણવાર તેમની ગુજરાતની મુલાકાત રહેશે. રાહુલ ગાંધી તાલુકાના પ્રમુખના ઘરે જમશે અને રોકાશે કોંગ્રેસના સંગઠનમાં જડમૂળથી ફેરફાર થઈ રહ્યા છે. એઆઈસીસીના માર્ગદર્શન હેઠળ 10 દિવસની પ્રશિક્ષણ શિબિર જૂનાગઢમાં ચાલી રહી છે. શિબિરમાં આવેલા રાહુલ ગાંધીએ જિલ્લા અને…
એક સમયે દિવસનો 1 રૂપિયો કમાતા પાબીબેન આજે 300થી વધુ મહિલાઓને આપે છે રોજગારીવાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)માં પાબીબેન રબારી જેવી ખમીરવંતી મહિલાઓની સાફલ્ય ગાથા પ્રકાશિત થશેકચ્છના નાનકડા ગામના પાબીબેન રબારી આજે પ્રખ્યાત એન્ટરપ્રિન્યોર છે,શાર્ક ટેન્ક ઇન્ડિયામાં મળ્યું છે₹50લાખનું ભંડોળAhmedabad, ગુજરાતમાં કચ્છ જિલ્લો કળા અને હસ્તકળાની બાબતમાં હંમેશા અગ્રેસર રહ્યો છે. કચ્છના કુકડસર ગામમાં જન્મેલા પાબીબેન રબારીએ હસ્તકળા ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે અને રબારી ભરતકામને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી છે. ચોથા ધોરણમાં શિક્ષણ અધૂરું છોડી દેનારા પાબીબેન આજે સફળ એન્ટરપ્રિન્યોર છે અને અનેક મહિલાઓને રોજગારીની તકો આપે છે. ગુજરાતની આવી જ ખમીરવંતી મહિલાઓની સાફલ્ય ગાથા આગામી વાઇબ્રન્ટ ગુજરાત…
Gujarat police station ranking based on public service: ગુજરાતમાં હવે પ્રજાલક્ષી કામગીરીના આધારે પોલીસ સ્ટેશનોને રેન્કિંગ આપવામાં આવશે. રાજ્યના ડીજીપીએ જાહેર કરેલી નવી નીતિ વચ્ચે રાજ્યના એક લાખના પોલીસ દળ માટે નવો પડકાર આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, રાજ્યના શહેરી વિસ્તારમાં 2.83 લોકો વચ્ચે અને ગ્રામ્ય વિસ્તારોમાં 77,344ની વસ્તી વચ્ચે એક પોલીસ સ્ટેશન છે. સ્થિતિ એવી છે છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં 398 ચોરસ કિલોમીટર અને શહેરોમાં 60 ચોરસ કિલોમીટર વિસ્તારની સુરક્ષાની જવાબદારી એક પોલીસ સ્ટેશનના હવાલે હોય છે. સરેરાશ રેશિયા અનુસાર, ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં સરેરાશ 110 આસપાસ કર્મચારીઓ ફરજ બજાવે છે. રાજ્યના પોલીસ વડાની સૂચનાથી પ્રજાલક્ષી કામગીરી કરાશે ગુજરાતના પોલીસ…
‘હિન્દી દિવસ– ૨૦૨૫’-કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પાંચમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનનો શુભારંભકેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘હિન્દી દિવસ-૨૦૨૫’ અને ‘પાંચમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલન’નો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.સમારોહના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે હિન્દી ભાષા પ્રેમીઓને આવકારતા કહ્યું કે, ‘હિન્દી’ એ અન્ય ભારતીય ભાષાઓની હરીફ નથી પરંતુ મિત્ર છે. અગાઉ અખિલ ભારતીય રાજભાષા સંમેલન દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાતું હતું. જેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા અને છેલ્લા પાંચ વર્ષથી આ કાર્યક્રમ દેશના વિવિધ ભાગોમાં યોજાઈ રહ્યો છે. પરિણામે,…
TET-1 and TET-2 exam announcement: રાજ્ય પરીક્ષા બોર્ડે સ્પેશ્યલ સ્પેશિયલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ-1 અને ટેટ-2ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરીને આ વિશે માહિતી આપવામાં આવી છે. જે મુજબ, 12 ઓક્ટોબરે આ પરીક્ષા યોજાશે. 12 ઓક્ટોબરે યોજાશે સ્પે. ટેટ 1 અને 2ની પરીક્ષા મળતી માહિતી મુજબ, સ્પે. ટેટ-1ની પરીક્ષા 12 ઓક્ટોબરે સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી રહેશે. જ્યારે સ્પે. ટેટ-2ની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી રહેશે. પરીક્ષાનું આયોજન અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જિલ્લામાં કરવામાં આવ્યું છે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય બાબતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવનામાં આવશે. આ અંગે…
અમદાવાદ ખાતે નિવૃત્ત સનદી અધિકારી શ્રી સી.આર. ખરસાણ લિખિત પુસ્તક ‘સનદી સેવાની સફર’ તથા હિન્દી આવૃત્તિ ‘સિવિલ સેવા કા સફર’નો વિમોચન કાર્યક્રમ યોજાયોસનદી સેવામાં નાગરિકધર્મ જ સર્વોચ્ચ છે: શ્રી સી.આર. ખરસાણયુવા અધિકારીઓને સનદી સેવાના વ્યક્તિગત અનુભવોની સાથે સરકારી કાર્યપ્રણાલી અંગે આંતરદૃષ્ટિ આપતું પુસ્તક: શ્રી પ્રવીણ ક. લહેરીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત નાયબ કમિશનર અને વરિષ્ઠ સનદી અધિકારી શ્રી સી.આર. ખરસાણ લિખિત પુસ્તક ‘સનદી સેવાની સફર’તથા હિન્દી આવૃત્તિ ‘સિવિલ સેવા કા સફર’નો વિમોચન કાર્યક્રમ એએમએ ખાતે યોજાયો હતો.રાજ્યના પૂર્વ મુખ્યસચિવ શ્રી પ્રવીણ કે. લહેરીએ આ પુસ્તકને ભાવિ પેઢીના અધિકારીઓ માટે અમૂલ્ય અને પ્રેરણારૂપ ગણાવતાં કહ્યું કે સરકારી સેવાની મુશ્કેલીઓ, પડકારો અને જવાબદારીઓ…
