અમદાવાદ, શહેરીજનોને ખાણીપીણીજન્ય રોગચાળાથી બચાવવા માટે મ્યુનિ.એ પાણીપૂરીની લારીઓ સામે વ્યાપક ઝુંબેશ જારી રાખતાં જુદા જુદા વિસ્તારોમાંથી ૭૦થી વધુ લારી જપ્ત કરવાની સાથે વાસી અને બિનઆરોગ્યપ્રદ બટાકા-ચણા વગેરેનો નાશ કરાવ્યો હતો.મ્યુનિ. હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે, અત્યંત ખરાબ વાતાવરણમાં અને બિનઆરોગ્યપ્રદ ચીજવસ્તુ વાપરી બનાવાતી પાણીપૂરી શહેરીજનોને કમળો, ટાઇફોઇડ સહિતનાં રોગચાળાનો ભોગ બનાવી શકે છે.તેથી મ્યુનિ.કમિશનરની સૂચના મુજબ, તમામ ઝોનમાં જાહેર માર્ગાે ઉપર ઉભી રહેતી પાણીપૂરીની લારીઓમાં ચેકિંગ કરી હાઇજેનિક કન્ડિશન, પાણીપૂરીનાં પાણી, બટાકા-ચણા, તીખી-ગળી ચટણી વગેરેનુ ચેકિંગ કરવાની કાર્યવાહી કરવાની સાથે સાથે એસ્ટેટ ખાતાએ રોડ ઉપર દબાણ કરતી લારીઓ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.તેમણે કહ્યું કે, મ્યુનિ. ફૂડ વિભાગની…
Author: gujarat
અમદાવાદ, રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોના શિક્ષક માટેની પરીક્ષાના પેપરની પેટર્નમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધો.૯થી ૧૨ના શિક્ષક માટેની મુખ્ય પરીક્ષાના પેપર-૨માં ૬ અને ૮ ગુણના પ્રશ્નોને હટાવી દેવાયા છે.વધુ ગુણના પ્રશ્નોના મૂલ્યાંકન વખતે કોઈને લાભ તો કોઈને અન્યાય થવાની શક્યતાના પગલે આ નિર્ણય કરાયો છે. પેપરની પેટર્નમાં કરવામાં આવેલા ફેરફારના પગલે હવે ૧ ગુણના હેતુલક્ષી અને ૨ ગુણના પ્રશ્નોની સંખ્યા વધારી દેવાઈ છે. સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની શિક્ષક અભિરૂચિ કસોટી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. વર્ષ-૨૦૨૩થી સરકારે આ પરીક્ષાનું માળખું બદલી દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ લાગુ કરી હતી.જે…
અમદાવાદ, રાજ્યની ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા લાયકાત વગરના શિક્ષકો માટે સુપ્રીમ કોર્ટના હુકમ બાદ રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદએ આપેલી સૂચના અનુસાર શિક્ષકોની લાયકાત નિયત કરવા માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા બ્રિજકોર્સ પોર્ટલ લોન્ચ કર્યું છે. ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં ધો-૧થી ૫માં ફરજ બજાવતા લાયકાત વગરના શિક્ષકોએ છ માસનો બ્રિજ કોર્સ કરવો પડશે.ધો-૧થી ૫ના શિક્ષકો કે જેમની પાસે પીટીસીની ડિગ્રી નથી તેમને આ બ્રિજ કોર્સના આધારે પ્રમાણપત્ર આપવામાં આવશે. હાલમાં ખાનગી સ્કૂલોના શિક્ષકો માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓનલાઈન મોડમાં કોર્સ શરૂ કરવામાં આવશે. રાજ્યની ખાનગી શાળાઓમાં મોટી સંખ્યામાં શિક્ષકો યોગ્ય લાયકાત ધરાવતા…
અમદાવાદ, અમદાવાદના આસ્ટોડિયા દરવાજા નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બીઆરટીએસ કોરિડોરમાં પુરપાટ ઝડપે જઈ રહેલું મોપેડ અચાનક લોખંડની રેલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મોપેડચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેની પાછળ બેઠેલી પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી છે.મળતી માહિતી અનુસાર, આસ્ટોડિયા દરવાજા બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહેલા મોપેડચાલકે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. મોપેડ સીધું જ કોરિડોરની સાઈડમાં આવેલી લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું.આ ટક્કર એટલી જોરદાર હતી કે ચાલક ફંગોળાઈને નીચે પટકાયો હતો અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.મૃતકની પાછળ તેની નાની દીકરી બેઠી…
પ્રાંતિજ, પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલનાકા પર વહેલી સવારે ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કરતા ટોલટેકસ પર ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જોકે ટોલ મેનેજર રજા ઉપર હોવાથી કોઇ પ્રકારની જાણકારી આપવામાં આવતી ન હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.આ અંગેની વિગત એવી છે કે, શુક્રવારની વહેલી સવારે કતપુર ટોલ પર ઇન્કમટેકસ વિભાગના ઓફિસરો આવી પહોંચ્યા હતા અને ઓફિસમાં જઇ તમામ કર્મચારીઓના મોબાઇલ સહિત અન્ય જરૂરી દસ્તાવેજો જપ્ત કરી લીધા હતા. જોકે કતપુર ટોલટેકસના મેનેજર તરીકે ફરજ બજાવતા કર્મચારી રોહિતભાઇ શર્મા છેલ્લા ૬ દિવસથી સામાજિક કારણોસર રજા ઉપર ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.બીજી તરફ ઇન્કમટેકસ વિભાગના ઓફિસરો પણ મીડિયા સમક્ષ…
મહેસાણા, મહેસાણા તાલુકાની એક સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનારા ૪૨ વર્ષના રાજસ્થાનના આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે ૩૦ વર્ષની સખત કેદની સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડતો ચૂકાદો આપ્યો છે.મહેસાણા તાલુકાની એક ૧૪ વર્ષ ૧૧ માસની સગીરાની માતા ગત તા.૯-૨-૨૫ના રોજ બજારમાં ગયેલી હતી ત્યારે સગીરા તેના પિતાને હું માતા પાસે જઉંછું તેમ કહીંને ઘરેથી નીકળી હતી. જો કે, સગીરા તેની માતા પાસે ગઈ નહોતી અને તપાસ કરવા છતાં સગીરાની કોઈ ભાળ મળી નહોતી.તપાસ દરમિયાન રાજસ્થાનના બ્યાવર જિલ્લાના જૈતારણ તાલુકાનો વતની અને આંબલિયાસણ ખાતે પિન્કસિટી બંગ્લોઝમાં રહેતો ગોસ્વામી સત્યનારાયણ ખીયાવત (ઉં.વ.૪૨) સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હોવાનું ખુલ્યું હતું.પોલીસે નાસતા ફરતા…
એક જ વર્ષમાં 54 હજારથી વધુ સફળ ઓપરેશન અને 34 લાખથી વધુ લેબ ટેસ્ટ અમદાવાદ સિવિલ હોસ્પિટલની કાર્યક્ષમતાનો પુરાવો‘લાખો દર્દીઓ, એક વિશ્વાસ‘ – વર્ષ 2025માં અંદાજે 3.98 લાખ એક્સ-રે અને 24 હજાર સીટી સ્કેન સાથે નિદાન ક્ષેત્રે સિવિલની અનોખી સિદ્ધિવર્ષ 2025ના આંકડા અમારા તબીબો અને સ્ટાફની રાત-દિવસની મહેનત અને લોકોના અતૂટ વિશ્વાસનું પરિણામ :- ડૉ.રાકેશ જોષી, સિવિલ સુપ્રીટેન્ડેન્ટઅમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે માત્ર એક સરકારી આરોગ્ય સંસ્થા નહીં, પરંતુ લાખો નાગરિકોના વિશ્વાસ અને તેમના આરોગ્યની આશાનું કેન્દ્ર બની છે. રાજ્યની સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સૌથી મોટી અને વિશ્વસનીય સંસ્થા તરીકે કાર્યરત સિવિલ હોસ્પિટલ, અમદાવાદની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાના આંકડા તેની સેવાની સાક્ષી પૂરી…
મોડાસા, અરવલ્લીના ભિલોડાની આર.જી. બારોટ કોલેજના ટ્રસ્ટી અને ભિલોડા ભાજપના યુવા મોરચાના મહામંત્રી દેવાંગ બારોટે આદિવાસી વિદ્યાર્થીને ઢોર માર માર્યાે હતો. આ મામલે દેવાંગ બારોટ સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે શુક્રવારે (૧૬મી જાન્યુઆરી) શામળાજી અને ભિલોડાના બજારે સજ્જડ બંધ રહ્યાં હતા.જેના પગલે પોલીસે દેવાંગ બારોટની ધરપકડ કરીને ન‹સગ કોલેજમાં અભ્યાસ કરતા ભિલોડાની આર.જી. બારોટ વિદ્યાર્થીને નવમી જાન્યુઆરીના રોજ કોલેજ બસના ડ્રાઇવર સાથે થયેલી બોલાચાલી બાદ ટ્રસ્ટી અને ભિલોડા ભાજપ તાલુકા યુવા મોરચાના મહામંત્રી દેવાંગ બારોટે વિદ્યાર્થીને લાકડી વડે ઢોર મારમારી ગાલ પર લાફા મારી જાતિ પત્યે અપમાનિત શબ્દો કહ્યાં હતા.ટ્રસ્ટીના મારથી ઘવાયેલા વિદ્યાર્થીને માથામાં દુઃખાવો ઉપડતા હિંમતનગર સિવિલમાં સારવાર માટે…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધીઉતરાયણમાં પતંગ-દોરીથી પક્ષીઓને થતી ઈજાની સામે સારવાર અને રક્ષણ માટે રાજ્યભરમાં આશરે ૭૨૮ જેટલા વેટરનિટી તબીબો,૮૬૨૦ જેટલા સેવાભાવી સ્વયંસેવકો સેવારત:પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો ૮૩૨૦૦૦૨૦૦૦ નંબર પર વોટ્સઅપ દ્વારા અને વેબસાઇટ પરથી મેળવી શકાશે૨૦૧૭થી શરૂ થયેલા કરૂણા અભિયાન અન્વયે કુલ ૧.૧૨ લાખ પશુ-પક્ષીઓનું રેસ્ક્યુ થયુંમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગના દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત વન પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે લીધી હતી.આ મુલાકાત દરમિયાન તેમણે વાઈલ્ડ…
Gujarat at WEF 2026:નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WEF) ૨૦૨૬માં ભાગ લેવા જશે.ગુજરાતને વૈશ્વિક વિકાસના નકશા પર અગ્રેસર રાખવા અને ‘વિકસિત ગુજરાત @2047’ના સંકલ્પને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે આ ફોરમમાં રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ ભાગ લેશે.૧૯ થી ૨૩ જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ વાર્ષિક બેઠકમાં ગુજરાતની સહભાગીતા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને ઝડપી આર્થિક વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિવિધ બેઠકોમાં ભાગ લેશે. ગુજરાતમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તેઓ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઈલ, સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ…
