પાલનપુર, અતિભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાના તમામ ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્રીજા દિવસે પણ સુઇગામ તાલુકાના નડાબેટ સહિત ૧૦ ગામો સંપર્ક વિહોણાં છે.પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પાણીમાં ફસાયેલા ૧૬૭૮ લોકોનું સફળતા પૂર્વક રેસ્ક્યું તથા સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે હજુ પણ નવ જેટલા ગામો સંપર્ક વિહોણા છે.સરહદી વિસ્તારના ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતાં સુઇગામ તાલુકાના ૧૦ જેટલા ગામો હજુ પણ સંપર્ક વિહોણાં છે.જ્યારે મોટાભાગના તાલુકામાં વરસાદ પડ્યાના ત્રણ દિવસ થવા છતાં અંધારપટ છવાયેલો છે. જોકે વરસાદ બંધ થતાં તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવી બચાવ અને રાહત કામગીરી…
Author: gujarat
પાટણ, પાટણ સાંતલપુર તાલુકામાં બે અલગ-અલગ ગામમાં નદીમાં નહાવા ગયેલા કુલ ૧૨ યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં નળિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં ૯ યુવકો ડૂબ્યા હતા.જેમાંથી ૪નો આબાદ બચાવ થયો છે. જ્યારે બે યુવકોનાં મોત થયા છે જ્યારે ૩ યુવકો લાપત્તા છે. આ ઉપરાંત રણમલપુરા ગામ પાસેની નદીમાં ત્રણ યુવાનો ડૂબ્યા હતા. જેમાંથી બેનો બચાવ થયો છે. જ્યારે એક લાપત્તા છે જેની શોધખોળ ચાલી રહી છે.નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા યુવકો ડૂબ્યા હોવાનું મનાય છે. મંગળવારે બપોરે યુવકો ખારી નદીમાં નહાવા માટે ગયા હતા. તે દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધતા નવ યુવકો તણાઈ ગયા હતા.…
અમદાવાદ, મિલકત વેચતા ઉશ્કેરાયેલા પુત્રએ માતા પર પાઇપ વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાંખી જેથી માતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. આ મામલે માતાએ મેઘાણીનગર પોલીસ મથકમાં પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ૬૨ વર્ષિય જમનાબહેન ભૂપેન્દ્રભાઇ પટણી પરિવાર સાથે રહે છે.જમનાબહેનનો મોટો દીકરો વિજય તેની પત્ની કાજલ અને બાળકો સાથે પંજાબ સોસાયટીમાં રહે છે. વિજય અને કાજલ અવાર નવાર મિલકત બાબતે જમનાબહેન સાથે માથાકૂટ કરતા હતા.અગાઉ પણ મારામારી થતા બન્ને સામે પોલીસ મથકમાં જમનાબહેને અરજી પણ આપી હતી. ચાર દિવસ પહેલાં જમનાબહેને એક દુકાન વેચી ત્યારે ૮ સપ્ટે.ના રોજ રાત્રે ૧૦.૩૦…
અમદાવાદ, મણિનગરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધો.૧૦ના વિદ્યાર્થીની હત્યાની ઘટનાના ત્રણ સપ્તાહ પછી પણ ઓફલાઈન શિક્ષણ શરૂ થયું નથી. સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ ક્યારથી શરૂ થશે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી.આમ, વિદ્યાર્થીઓને હજુ કેટલાક દિવસ ઓનલાઈન શિક્ષણ મેળવવું પડે તેમ છે. હત્યાની ઘટના બાદ જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ સ્કૂલ પર તૈનાત કરવામાં આવી હતી. જેમની સમક્ષ અનેક વાલીઓ દ્વારા પ્રવેશ રદ કરવવા માટે અરજી કરી હતી.અધિકારીઓના કહેવા પ્રમાણે સ્કૂલમાંથી અંદાજે ૫૦૦ જેટલા પ્રવેશ રદ થવાની શક્યતા છે. સેવન્થ ડે સ્કૂલમાં ધો.૧૦ના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીએ હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો હતો.ઘટનાના પગલે મોટી સંખ્યામા લોકો સ્કૂલ કેમ્પસ પર ધસી…
સ્પર્ધાત્મક યુગમાં લાખો નિરાશાઓની વચ્ચે‘જીવન આસ્થા‘ગુજરાતના લાખો લોકોના દિલમાં આશાનું કિરણ જગાવવાનું પવિત્ર કાર્ય કરી રહી છે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીØહેલ્પલાઇન પર ૧૦ વર્ષમાં દોઢ લાખથી વધુ કોલ આવ્યા,જે માત્ર કોલ એટેન્ડ કરવાનું નહિ પરંતુ પરિવારોના મોભી,ચિરાગ કે પરિવારની લક્ષ્મીને બચાવી લઇને આ દોઢ લાખ પરિવારોની ખુશીને જીવંત રાખવાનું કાર્ય આ ટીમે કર્યુØહેલ્પલાઇનના અવેરનેસ અને ટેકનિકલ સપોર્ટ માટે ગુજરાત સરકાર તરફથી બજેટ ઉપરાંત આજે વધારાના રૂપિયા પાંચ કરોડ ફાળવવા મંત્રીશ્રીની જાહેરાતØસરકારના આવા પ્રયત્નોથી જો એક વ્યક્તિનું જીવન બચી શકે છે,તો આ પ્રોજેક્ટ પાછળ થયેલો તમામ ખર્ચ સાર્થક છેØસ્યુસાઇડ પ્રિવેન્શન એન્ડ મેન્ટલ હેલ્થ કાઉન્સેલીંગ માટે કાર્યરત હેલ્પલાઇન‘જીવન આસ્થા‘ના ૧૮૦૦…
સોની બજાર ઉપરાંત કપડાં, ઘરવખરી સહિતની તમામ ખરીદીને બ્રેક(એજન્સી)અમદાવાદ, પિતૃતર્પણ કરવા અને ૧૬ દિવસ પિતૃઓને શ્રાદ્ધ નાખીને તૃપ્ત કરવાના શ્રાદ્ધપક્ષની શરૂઆત થતાં જ બજારમાંથી ઘરાકી જાણે કે ગાયબ થઈ ગઈ છે. શ્રાદ્ધમાં લોકો ખરીદી કરવાની કે શુભમુહૂર્ત કે ગૃહ પ્રવેશ કરવાનું ટાળતા હોય છે. જેને પગલે શ્રાદ્ધની શરૂઆતથી બજારમાં મંદી શરૂ થઈ ગઈ છે.પવિત્ર શ્રાવણ માસથી તહેવારોની શરૂઆત થઈ જતી હોય છે. જે દિવાળી સુધી ચાલતા હોય છે. આ દિવસોમાં દિવાળી બાદ આવતા લગ્નસરાની ખરીદી શરૂ થઈ જતી હોય છે. જેને પગલે બજારોમાં તેજી જોવા મળતી હોય છે. આ દિવસો દરમિયાન શ્રાદ્ધના ૧૬ દિવસમાં લોકો પિતૃ તર્પણમાં વ્યસ્ત થઈ જતા…
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેરમાં ગુંડા એક્ટ હેઠળ તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રવિ પૂજન સોસાયટીમાં રહેતા અને લિસ્ટેટ બુટલેગર નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્થના મકાન ઉપર બૌડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું.માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં હાલમાં જ નવનિયુક્ત ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાની સીધા માર્ગદર્શન હેઠળ લિસ્ટેટ બુટલેગર અને વિવિધ ગુનામાં પાસા હેઠળ હાલ જેલમાં રહેલ નયન કાયસ્થ ઉર્ફે બોબડો સામે ગુંડા એક્ટ ૨૦૨૫ મુજબ કાર્યવાહી હાથ ધરાઈ હતી.ભરૂચના ઝાડેશ્વર નેશનલ હાઈવે પર આવેલ રવિ પૂજન ખાતે આવેલ એએ ૪૬ નિવાસસ્થાન ઉપર વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો બાદ તંત્ર…
વડોદરા, વડોદરાની સયાજી હોસ્પિટલમાં સાઇકિયાટ્રિક વિભાગમાં એસો. પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં ૫૪ વર્ષિય ડો. ચિરાગ બારોટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતાં તબીબી આલમમાં ચકચાર મચી ગઇ છે. સિનિયર તબીબે લગ્નની લાલચ આપીને હોમિયોપેથિક તબીબ મહિલાની સાથે લાંબા સમયથી શારીરીક સબંધ બાંધ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ ફરિયાદના પગલે પોલીસે તબીબની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, વડોદરા સ્થિત સયાજી જનરલ હોસ્પિટલમાં સાઇકિયાટ્રિક વિભાગમાં ફરજ બજાવતાં ૫૪ વર્ષીય સિનિયર તબીબ ચિરાગ બારોટ (રહે. ગોકુલધામ સોસાયટી, વિદ્યાવિહાર સ્કૂલ પાસે, સુભાનપુરા) પરિણીત છે, તેઓ લાંબા સમયથી સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યાં છે.આ સાથે તેઓ મેડિકલના વિદ્યાર્થીઓને…
(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલા મહત્વપૂર્ણ સવાલનો જવાબ આપતી રાજ્ય સરકારે ખુલાસો કર્યો કે રાજ્યમાં કામદારોના કાર્યકાળમાં વધારો કરવામાં આવ્યો છે.સરકારના જણાવ્યા મુજબ, કામના કલાકો ૮થી વધારી ૧૨ કલાક કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. વટહુકમ છેલ્લે ક્યારે બહાર પાડવામાં આવ્યો હતો. સ્થિતિએ સદર વટહુકમમાં કામના કલાકો ૮ કલાકથી વધારીને ૧૨ કલાકો સુધીના કરવાની મંજુરી કયા કારણોસર આપવામાં આવી છે. આ અંતર્ગત છેલ્લા છ મહિનામાં સરકારને વિરોધ દર્શાવતી કેટલી અરજીઓ મળી છે.ધારાસભ્યના સવાલનો જવાબ આપતાં સરકારે કહ્યું હતું કે, કામદારોના કામના કલાકો વધારવા માટે મંજૂરી આપવામાં આવી છે. આઠ કલાકથી…
Gujarat Amul Dairy Elections:2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ તોડ્યો અને 182 માંથી 156 બેઠકો જીતી. આ ગુજરાતમાં ભાજપનો સૌથી મોટો વિજય હતો. હવે ભાજપે અમુલ ડેરીની ચૂંટણીમાં પણ કંઈક આવું જ કર્યું છે. ભાજપે ચૂંટણીમાં પહેલીવાર ક્લીન સ્વીપ કર્યું છે. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં એક સમયે મજબૂત રહેતો કોંગ્રેસ પક્ષ માત્ર બે બેઠકો પર સમેટાઈ ગયો છે. ગુજરાતના રાજકારણમાં સહકારી ક્ષેત્રના રાજકારણમાં પ્રભુત્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડેરી ચૂંટણીમાં કોંગ્રેસે પોતાની મોટી હર પર ભાજપ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. ભાજપનો આ વિજય એ પણ મોટો છે કારણ કે તેણે પહેલીવાર કૈરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (અમુલ ડેરી…
