Author: gujarat

નેપાળમાં હિંસક પ્રદર્શન વચ્ચે ૫૦થી વધુ ગુજરાતી ફસાયાગાંધીનગર, નેપાળમાં અશાંતિ અને હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે, ગુજરાત સરકારે ત્યાં ફસાયેલા તેના નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર વલણ અપનાવ્યું છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેપાળની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને ત્યાં હાજર ગુજરાતી નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.નેપાળમાં અનેક ગુજરાતીઓ ફસાયા છે. પોખરામાં ભાવનગર જિલ્લાના ૪૩ લોકો ફસાયા છે, સુરતના ૧૦ પ્રવાસીઓ પણ કાઠમંડૂમાં ફસાયા છે. ભાવનગરના ૪૩ લોકો નેપાળની હોટલમાં સુરક્ષિત છે. સુરતના ૧૦ પ્રવાસીઓ પણ કાઠમંડ હોટલમાં સુરક્ષિત છે.ઋષિકેશ પટેલે જણાવ્યું…

Read More

Ahmedabad vehicle tax scam: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વાહન ડીલરો માટે નાગરિકો વતીથી વ્હિકલ ટેકસ ભરવા ઓનલાઈન મોડયુલમાં કેટલીક શંકાસ્પદ એન્ટ્રીઓ મળી આવી છે. જેમાં બિલમાં છપાયેલ રકમ કરતા ઓછો વ્હિકલ ટેકસ હોય,જે વાહનનો વ્હિકલ ટેકસ ભર્યો હોય તેના બદલે બીજા વાહનનુ બિલ અપલોડ કર્યુ હોય.આ પ્રકારની અન્ય બાબતોને ધ્યાનમાં લઈ વ્હિકલ ટેકસ ભરવા સંદર્ભમાં ડીલરને જ સીધી નોટિસ મળે એ પ્રકારનો પ્રોગ્રામ બનાવાયો છે. બીજી તરફ શહેરમાં રુપિયા 25 લાખથી વધુ કિંમતના વાહનો ધરાવતા પરંતુ વ્હિકલ ટેકસ નહીં ભરનારાઓની યાદી નંબર સાથે જાહેર કરાશે. બાકી વ્હિકલ ટેકસ નહીં ભરાય તો જે તે વાહન ધારકના વાહન પણ જપ્ત કરવા સુધીની કાર્યવાહી…

Read More

બનાસકાંઠાના નડાબેટ સહિત ૧૦ ગામો ત્રીજા દિવસે પણ સંપર્ક વિહોણાં(એજન્સી)પાલનપુર, અતિભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાના તમામ ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્રીજા દિવસે પણ સુઇગામ તાલુકાના નડાબેટ સહિત ૧૦ ગામો સંપર્ક વિહોણાં છે.પૂરની સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પાણીમાં ફસાયેલા ૧૬૭૮ લોકોનું સફળતા પૂર્વક રેસ્ક્યું તથા સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે હજુ પણ નવ જેટલા ગામો સંપર્ક વિહોણા છે.સરહદી વિસ્તારના ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતાં સુઇગામ તાલુકાના ૧૦ જેટલા ગામો હજુ પણ સંપર્ક વિહોણાં છે.જ્યારે મોટાભાગના તાલુકામાં વરસાદ પડ્યાના ત્રણ દિવસ થવા છતાં અંધારપટ છવાયેલો છે. જોકે વરસાદ બંધ થતાં તંત્ર…

Read More

નવરાત્રીના આયોજકો માટે AMCની નવી ગાઈડ લાઈન્સજાહેર સલામતી માટે ફાયર સેફટી માટે કઈ તકેદારી અને પગલાં લેવા તે અંગેની જાહેર નોટિસ, ફાયર સેફટી અંગેનું સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવી પડશે, ઇવેન્ટ ચાલુ થવાના ત્રણ દિવસ પહેલા તેની ફાઈલ જમાલપુર ફાયર સ્ટેશન ખાતે જમા કરાવવાની રહેશે.(એજન્સી)અમદાવાદ, નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના આયોજકો માટે ફાયર સેફ્ટી અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવામાં આવી છે. આ નવા નિયમો અનુસાર, કોઈપણ આયોજકે નવરાત્રીનું આયોજન કરતાં પહેલાં ફરજિયાતપણે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવું પડશે. આ નિર્ણય લોકોની સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી લેવામાં આવ્યો છે.નવી માર્ગદર્શિકા મુજબ, આયોજકોએ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા…

Read More

શરૂઆતમાં પાયલોટ તરીકે ઓગણજ સર્કલ થી ઋષિ દાધીચી બ્રિજ સુધીનો ૧૦.૨૩ કિ.મી.નો રોડ સ્ટ્રેચ પસંદ કરાયો છે.ઓગણજ સર્કલથી રામોલ ટોલ પ્લાઝાઃ રાહદારીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ પહોળી ફુટપાથ તૈયાર થશે(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિકની સરળતાની સાથે સાથે રોડને સુશોભિત કરવા માટે પણ પ્રયત્ન કરવામાં આવી રહયા છે. શહેરના એરપોર્ટ સર્કલથી ઈÂન્દરાબ્રિજ સુધી આઈકોનીક રોડ બનાવ્યા બાદ હવે અન્ય ૧૦ જેટલા સ્થળે આઈકોનીક રોડ બનાવવામાં આવી રહયા છે.શહેરનો મહત્તમ ટ્રાફિક પૂર્વથી પશ્ચિમ તરફ અવરજવર કરે છે જેને ધ્યાનમાં લઈ કોર્પોરેશન દ્વારા ઈસ્ટ-વેસ્ટ કોરીડોર તૈયાર કરવામાં આવશે જે ઓગણજથી શરૂ થઈ રામોલ ટોલપ્લાઝા પાસે પૂર્ણ થશે જેના માટે અંદાજે રૂ.…

Read More

CAG report on Gujarat government financial management: ગુજરાત સરકારનું નાણાંકીય મેનેજમેન્ટ કંગાળ હોવાનું અવલોકન બુધવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ સાથે જ અંદાજપત્રના ખર્ચના હિસાબોનું બરાબર મેનેજમેન્ટ ન થતું હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમ જ 2023-24ના વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા હિસાબોની ગુણવાા પણ કંગાળ હોવાનું અવલોકન કરવામાં આવ્યું છે. કેગના અહેવાલમાં નાણાંકીય શિસ્તનું પાલન કરવામાં ગુજરાત સરકારની સંખ્યાબંધ નબળાઈઓ પ્રત્યે ઘ્યાન દોરવામાં આવ્યું છે. ગુજરાત સરકારની મહેસૂલી આવક 11.71 ટકાના વધારા સાથે રૂા. 2,22,763 કરોડની થઈ છે. તેની સામે કુલ ખર્ચ રૂા. 2,47,632 કરોડનો થયો છે. આમ આવક…

Read More

Gujarat Construction Accidents CAG Report: ગુજરાતના મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રના કામદારોના કલ્યાણ અંગેના ભારત સરકારના કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના માર્ચ 2022ના પૂરા થતા વર્ષ માટેના રિપોર્ટ મુજબ સરકારના બાંધકામ ક્ષેત્રના કામદારોના કલ્યાણ બોર્ડે કલ્યાણ ભંડોળનું જ ગઠન કર્યુ ન હતું. આ સિવાય સરકારે જૂન 2011થી સલહાકાર સમિતિનું પણ ગઠન કર્યુ ન હતું. કેગના રિપોર્ટ મુજબ સાઠ વર્ષની ઉંમર પૂરી કરનારા લાભાર્થીને વૃદ્ધાવસ્થા પેન્શન આપવુ બોર્ડનું મુખ્ય કામોનું એક છતાં 2019થી વૃદ્ધાવસ્થા પેન્શન યોજના સ્થગિત રાખવામા આવી હતી. 2017 થી 2022 સુધીના છ વર્ષમાં રાજ્યમાં જુદી જુદી 280 બાંધકામ સાઇટો પર અકસ્માતની ઘટના બની હતી જ્યારે આ ઘટનાઓમાં 313 કામદારોના…

Read More

શહેરના રાજમાર્ગ ઉપર શટલ રીક્ષા સિવાય રેગ્યુલર મીટરથી રીક્ષાઓ દોડી રહી છે. -રીક્ષાઓમાં ફલેટ મીટર લાવ્યા પરંતુ તેનો અમલ કેટલો ?(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેર મેગાસીટી બની રહયુ છે. પરંતુ સુખ-સુવિધા તથા સગવડની બાબતમાં જે નિતિ- નિયમોનું પાલન થવુ જોઈએ તેમાં સંભવતઃ કચાશ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના રાજમાર્ગ ઉપર શટલ રીક્ષા સિવાય રેગ્યુલર મીટરથી રીક્ષાઓ દોડી રહી છે. રીક્ષાઓમાં ફલેટ મીટર લાવ્યા પરંતુ તેનો અમલ કેટલો ?રીક્ષાવાળાઓએ ફલેટ મીટર રૂપિયા ખર્ચીને ખરીદયા પરંતુ મોટેભાગે હાલમાં તે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. ફલેગમીટર લગભગ કિસ્સાઓમાં બંધ હોય છે તેની પાછળ અનેક તર્ક-વિતર્કો છે. ઓટો રીક્ષાચાલકોનું કહેવુ છે કે પેસેન્જર…

Read More

Bayad-Ahmedabad highway accident: બાયડ-અમદાવાદ હાઈવે પર આંબલિયારા ગામ નજીક બુધવારે સાંજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર પતિ, પત્ની અને તેમના બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે સાંજે 6 વાગ્યાના આસપાસ ઝાલોદ વિસ્તારનો એક પરિવાર બાઈક પર જઇ રહ્યો હતો. ત્યારે આંબલિયારા ગામ નજીક સામેથી પૂરપાટ ઝડપે આવતી એક બલેનો કાર સાથે બાઈકની ટક્કર થઇ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ બાઈકમાં આગ લાગી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા પુરુષનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે…

Read More

નડિયાદમાં દાંડી માર્ગની બિસ્માર હાલત- શહેર કોંગ્રેસે દર્શાવ્યો વિરોધ(પ્રતિનિધિ) નડિયાદ, ચોમાસાની શરૂઆત થતા જ નડિયાદ માંથી પસાર થતાં ડભાણથી ભૂમેલ તરફ જતા દાંડી માર્ગની દયનીય હાલત સામે આવી હતી.કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ રસ્તા પર મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિએ રોડ પર વિરોધ પ્રદર્શન યોજી તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા છે.નડિયાદના ડભાણથી ભૂમેલ તરફ જતા દાંડી માર્ગનું સમારકામ જાન્યુઆરી ૨૦૧૯માં રૂ. ૧૬.૭૫ કરોડના બજેટથી મંજૂર કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આક્ષેપ મુજબ, તંત્ર દ્વારા કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હોવા છતાં થોડા જ…

Read More