દિવ્યાંગો માટે ૦૭ ભરતીમેળા થકી ૨૭૮ દિવ્યાંગોને તથા મહિલાઓ માટે ૦૨ ભરતીમેળા યોજી ૭૮૪ મહિલાઓને રોજગારી અપાઈગાંધીનગર, રાજ્યમાં રોજગાર મેળા વિશે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ ૧૧૯ રોજગાર મેળાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર મેળાઓ થકી ૨૦,૧૯૫ યુવાઓને રોજગારી મળી છે.વધુમાં રોજગાર મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના રોજગારવાંચ્છુઓ માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે અનુબંધમ વેબપોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ પર ઉમેદવારો પોતાના ઘરે બેઠા નોંધણી કરી શકે છે અને નોકરીદાતા તેમની…
Author: gujarat
ગુજરાત માહિતી આયોગ,ગાંધીનગર ચોક્ક્સ નાગરિકના કિસ્સામાં આયોગ દ્વારા કરવામાં આવેલ હુકમોનું અયોગ્ય અર્થઘટન કરી,અન્ય નાગરિકોને માહિતી નહીં આપવાના સંબંધમાં આયોગની સ્પષ્ટતા અને ચેતવણીગાંધીનગર, માહિતી અધિકાર અધિનિયમ,૨૦૦૫ એ જાહેર વહીવટમાં પારદર્શિતા તથા જવાબદેહિતા લાવવા માટેનું અમોઘ શસ્ત્ર છે. પરંતુ ગુજરાત માહિતી આયોગને અનુભવે જણાવેલ છે કે,કેટલાક અરજદારો દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ બહોળા પ્રમાણમાં અરજીઓ કરી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ પ્રાપ્ત થયેલ “માહિતીનો અધિકાર” નો અતિ/અપ્રમાણસર ઉપયોગ કરવામાં આવે છે,જેથી જાહેર માહિતી અધિકારીઓ,પ્રથમ અપીલ અધિકારીઓ અને ગુજરાત માહિતી આયોગનો સમય બિનજરૂરી અને અપ્રમાણસર રીતે વપરાય છે અને માહિતી અધિકાર અધિનિયમ,૨૦૦૫ની કલમ-૭(ક)ની જોગવાઇઓ અનુસાર જાહેર સત્તામંડળના સ્ત્રોતોનો અપ્રમાણસર ઉપયોગ થાય છે. આથીGenuineઅરજદારોને…
પક્ષ – વિપક્ષ જોયા વિના પ્રજાજનોના વિકાસને કેન્દ્રમાં રાખીને સરકાર કામ કરી રહી છે – ઋષિકેશ પટેલરાજ્યમાં નવનિર્મિત નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં પણ બાકી રહી જતા અને નવીન વિકાસ કાર્યો સત્વરે શરૂ કરાશે-આવનાર સમયમાં 506 જેટલી નવીન ટી.પી. મંજૂર કરાશે, જેને સમયમર્યાદામાં આખરી કરાશેગાંધીનગર, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીશ્રીએ વિધાનસભામાં પૂછાયેલા ટી.પી. સ્કીમ સંદર્ભેના એક પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટ પણે કહ્યું કે, રાજ્ય સરકાર પક્ષ-વિપક્ષ વિના રાજ્યની તમામ પ્રજાજનોના વિકાસ કાર્યોમાં અવિરત પણે કાર્ય કરી રહી છે.રાજ્યમાં વધતા જતા શહેરીકરણના પગલે સરકાર દ્વારા સુનોયિજીત પણે આયોજન હાથ ધરીને વિકાસ કાર્યો હાથ ધરાયા છે.રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષમાં 776 જેટલી ટી.પી. સ્કીમ મંજૂર કરવામાં…
રાજ્યના ખેતરો સુધી કોઈપણ વિક્ષેપ વિના વીજ પુરવઠો પૂરો પાડવા ખેતીવાડી વીજ લાઈનના ખુલ્લા તારને યુદ્ધના ધોરણે અદ્યતન MVCC કેબલ સાથે રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇમીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર કેબલ ઉપર ખાસ પ્રકારનું ઇન્સ્યુલેશન કવર હોવાથી, તે ખુલ્લા તાર કરતાં વધુ સુરક્ષિત અને ભરોસાપાત્રGandhinagar, ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વીજ વિક્ષેપને ઘટાડીને ખેતરો સુધી અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેતીવાડી વીજ લાઈનના ખુલ્લા તારને અદ્યતન MVCC એટલે કે, મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર કેબલ સાથે બદલીને કોટેડ કરવામાં આવી રહ્યા છે. MVCC કેબલ પર ખાસ પ્રકારનું…
Mount Abu tourist ban: ભારે વરસાદને કારણે માઉન્ટ આબુના સાત ગુમ નજીક રોડનો એક ભાગ ધરાશાયી થતાં તંત્રએ તાત્કાલિક અસરથી 3 દિવસ માટે પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ કરવાનો નિર્ણય લીધો છે. માઉન્ટ આબુના સબ ડિવિઝન ઓફિસર દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે માર્ગનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી માઉન્ટ આબુ પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ 5 આદેશોનું કરવું પડશે પાલન 1. આગામી 3 દિવસ સુધી કોઈ પણ પ્રવાસીને માઉન્ટ આબુમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. 2. રાત્રિના 8:30 થી સવારે 6:00 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 3. ભારે…
અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત રાજ્યકક્ષાના શિક્ષક પારિતોષિક સમારોહમાં શિક્ષકોને સંબોધન કરતાં વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સ્વદેશીના સંસ્કારોનું સિંચન કરીને આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા માટે વિદ્યાર્થીઓના ખરા પથદર્શક બનવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આજનું બાળક આવતીકાલનો નાગરિક છે. ત્યારે તેમનામાં આજથી જ સ્વદેશી અને રાષ્ટ્ર પ્રથમનો ભાવ કેળવાય તે જવાબદારી શિક્ષકોએ નિભાવવાની છે.આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના ૩૦ શિક્ષકોનું ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’થી સન્માન કરાયું હતું અને પાંચ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ પ્રતીકરૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીની વાત દોહરાવતાં કહ્યું કે માતા-પિતા પછી શિક્ષકો…
6સપ્ટેમ્બર: રાષ્ટ્રીય પુસ્તક વાંચો દિવસરાજ્યના મધ્યસ્થ પુસ્તકાલયો ખાતે પ્રતિદિન500થી વધુ વાચકો જ્યારે જિલ્લા પુસ્તકાલયો ખાતે પ્રતિદિન150થી વધુ વાચકો લે છે વાંચનનો લાભAhmedabad, ગુજરાતના નાગરિકો નિયમિત વાંચન માટે પ્રેરાય તેવા ઉદ્દેશથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં ‘વાંચે ગુજરાત’ અભિયાન ચલાવ્યું હતું. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાતના તમામ પુસ્તકાલયોને ગ્રંથથી સમૃદ્ધ બનાવવાનું આયોજન કર્યું હતું. પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યભરમાં સરકારી પુસ્તકાલયોની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.ગત વર્ષે રાજ્યના21જિલ્લાઓના50તાલુકાઓમાં તેમજ7આદિજાતિ જિલ્લા14તાલુકાઓમાં મળીને તાલુકા સ્તરે કુલ64સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. આ64માંથી53સરકારી પુસ્તકાલયો…
Gambira bridge collapse: ગુજરાત સરકારે સોમવારે (8 સપ્ટેમ્બર) વિધાનસભાનું સત્ર શરૂ થયું હતું. વિધાનસભાના પહેલાં જ દિવસે વિપક્ષના નેતાઓએ સરકારની કામગીરી વિશે અનેક મહત્ત્વના પ્રશ્નો કર્યા હતા. આ સવાલોમાં અનેક ધારાસભ્યોએ ગંભીરા બ્રિજને લઈને સવાલ કર્યા હતા. આવા જ એક સવાલના જવાબમાં સરકારે જવાબ આપ્યો હતો કે, 9 જુલાઈએ સર્જાયેલી ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં 22 લોકોના મોત નિપજ્યા હતા. આ બ્રિજનું નિરીક્ષણ બે મહિના પહેલાં 15 મે, 2025ના દિવસે જ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ કર્યો સવાલ કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડા અને ઈમરાન ખેડાવાલ દ્વારા આ મુદ્દે લેખિત સવાલ કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે,…
‘અભય યાત્રી‘ પ્રોજેક્ટનો પ્રારંભ: ઓટો રિક્ષા મુસાફરોની સલામતી માટે વિરમગામ પોલીસની નવીન પહેલજિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઓમપ્રકાશ જાટ અને વિરમગામના ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ‘અભય યાત્રી‘ પ્રોજેક્ટને ખુલ્લો મુકાયોવિરમગામ, અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના માર્ગદર્શન હેઠળ, વિરમગામ ટાઉન પોલીસે મુસાફરોની સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે ‘અભય યાત્રી’ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. આ પ્રોજેક્ટને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઓમપ્રકાશ જાટ અને વિરમગામના ધારાસભ્યશ્રી હાર્દિક પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ઓટો રિક્ષા મુસાફરો અને ડ્રાઈવરો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાનો છે. આ પહેલ અંતર્ગત, દરેક રજિસ્ટર્ડ ઓટો રિક્ષા અને તેના ડ્રાઈવરની તમામ વિગતો સરળતાથી ઉપલબ્ધ કરાવીને ગુનાઓને…
Gujarat bridge inspection: મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ તૂટી પડ્યા પછી રાજ્ય સરકારને પુલોની સ્થિતિની ચકાસણી કરવાનું સુઝ્યું હતું. માર્ગ મકાન વિભાગે તપાસ કરતાં જાણ થઈ કે, ગુજરાતમાં 166 બ્રિજ પડુ-પડુ અવસ્થામાં છે. તેમાંય નાના કરતાં મોટા પુલો વધુ ભયજનક અને જર્જરિત છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ કરાઇ પુલની તપાસ ગંભીરા બ્રિજ તૂટતાં 22 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ રાજ્ય સરકારને તમામ પુલોની ચકાસણી કરવા આદેશ કર્યાં હતાં, જેમાં એવું જાણવા મળ્યું કે, અમદાવાદ, નડિયાદ, કચ્છ, મહેસાણા, બનાસકાંઠા, ભરુચ, રાજકોટ, ભાવનગર સહિત અન્ય જિલ્લામાં 1054 મેજર બ્રિજ, 5475 માઇનોર બ્રિજની તપાસ કરવામાં આવી હતી તે પૈકી 74…
