અંકલેશ્વર, અંકલેશ્વર કાગળીવાડમાં ગૌવંશ કતલ કરતા સગીર સહિત ૩ ઝડપાયા ગયા હતા જયારે એક ઈસમ ફરાર થઇ ગયા હતા. શહેર એ ડિવિઝન પોલીસે ચોક્કસ માહિતી આધારે દરોડા પાડ્યા હતા.પોલીસે રીક્ષા મોપેડ તેમજ મોબાઈલ અને શંકાસ્પદ ૧૩૦ કિલો ગૌવંશ મળી ૯૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યાે હતો.અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ની ટીમ ને ચોક્કસ માહિતી મળી હતી કે આસીફ ઇકબાલ ઉર્ફે મિનું રસીદ કાદર મલેક પોતાના કાગડીવાડ સ્થિત દુધીયા પીર ની દરગાહ પાસે આવેલ મકાનના નીચેના રૂમમાં ગૌવંશ લાવી કતલ કરી રહ્યા છે.જે માહિતી આધારે પોલીસે દરોડા પાડતા ઘર બહાર મોપેડ પર નજર રાખી બેઠેલ ઈસમ પોલીસ જોતા જ ભાગ્યો…
Author: gujarat
અમદાવાદ, ઉત્તરાયણના પર્વ આડે બે દિવસ જ બાકી છે. થોડા વર્ષાે પહેલા કોટ વિસ્તારમાં આખો દિવસ તમામ લોકો ટેરેસ પર પતંગ ચગાવતા હતા પરંતુ છેલ્લા થોડા વર્ષાેથી આમાં બદલાવ આવ્યો છે. છેલ્લા ૧૦ વર્ષમાં ઉત્તરાયણના દિવસે લોકો દ્વારા પતંગ ચગાવવાનો સમય ૫-૬ કલાકથી ઘટીને ૨-૩ કલાક થઈ ગયો છે.ઉત્તરાયણમાં વિવિધ કારણોસર હવે લોકોને પહેલા જેવો રસ નથી રહ્યો. જોકે હજુ ઘણા લોકો પરિવાર સાથે જ ઉત્તરાયણ મનાવવાનું પસંદ કરે છે. મોબાઈલ, સોશિયલ મીડિયા, કામ, ભણતર, ધાબા પર ખુલ્લી જગ્યાની અછત, સોસાયટીના સભ્યો સાથે ઓછો પરિચય જેવા અનેક કારણોસર પતંગ ચગાવવાથી રસ ઘટી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.એક રિપોર્ટ પ્રમાણે ૨૭…
નડિયાદ, નડિયાદના ફતેપુરા રીંગ રોડ પર આવેલા ભાટના કુવા વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં નશાની હાલતમાં મોટરસાયકલ ચલાવી રહેલા એક શખ્સે માર્ગની સાઈડમાં રમી રહેલી ૭ વર્ષની માસૂમ બાળકીને ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.આ અકસ્માત સર્જાયા બાદ સ્થાનિકોએ એકઠાં થઈ પોલીસને જાણ કરતા નડિયાદ ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નડિયાદના ફતેપુરા રીંગ રોડ પાસે આવેલા ભાટના કુવા વિસ્તારમાં રહેતા વિનોદભાઈ પરમારની ૭ વર્ષની દીકરી આરોહી જે જુનિયર કેજીમાં અભ્યાસ કરતી હતી. આરોહી ઘર પાસે સિંગલ પટ્ટી રોડની સાઈડમાં રમી રહી હતી.ત્યારે અચાનક પૂરપાટ ઝડપે એક મોટરસાયકલ…
વડોદરા, વિરાટ કોહલીએ ફરી એક વાર વન-ડે ક્રિકેટ અને ભારતીય ટીમમાં પોતાનું મહત્વ પુરવાર કરી દેતાં રવિવારે અહીં રમાયેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામે ભારતને ચાર વિકેટે રોમાંચક વિજય અપાવ્યો હતો. અહીંના કોટામ્બી સ્ટેડિયમ ખાતે રમાયેલી સૌ પ્રથમ વન-ડેમાં કોહલી સદી ચૂકી ગયો હતો પરંતુ તેણે શાનદાર ૯૩ રન ફટકાર્યા હતા. આમ છતાં ભારતને અંતિમ ઓવર્સમાં રન માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.કોટામ્બી ખાતેના સ્ટેડિયમ પર રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ન્યૂઝીલેન્ડે તેની ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૩૦૦ રનનો સ્કોર રજૂ કર્યાે હતો જેના જવાબમાં ભારતે ૪૯ ઓવરમાં છ વિકેટ ગુમાવીને ૩૦૬ રન કરી લીધા હતા. મેચ જીતવા માટે…
ગાંધીનગર, સાયબર ચીટરોએ ગાંધીનગરના નિવૃત્ત પ્રોફેસરને રૂપિયા ૧૧.૮૯ લાખનો ચૂનો ચોપડ્યો હોવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ગઠિયા ટોળકીએ બેંક ખાતું ખાલી કરી પુરાવાનો નાશ કરવા મોબાઈલ ફોર્મેટ કરી દીધો હતો. સરગાસણમાં રહેતા નિવૃત્ત પ્રોફેસર સાયબર ઠગાઈના હાઈટેક ળોડનો શિકાર બન્યા છે. વડોદરાથી સરગાસણ રહેવા આવેલા નિવૃત્ત પ્રોફેસર ડૉ. નિલાંબર દેવતા (ઉં-૭૦)ને ઇસ્ટાગ્રામ પર પેન્શનર્સ કાર્ડની લિંક પર ક્લિક કરતા લાખો રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો છે.ડૉ. નિલાંબર ગત ૨૪ નવેમ્બરે ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ જોઈ રહ્યા હતા. તે દરમિયાન બેંક ઓફ બરોડાના પેન્શનર્સ કાર્ડની જાહેરાત દેખાતા તેમણે તેના પર ક્લિક કર્યું હતું. જેમાં ‘મેન્ડેટરી ફોર ઓલ એમ્પ્લોઈઝ’ લખેલું હોવાથી તેમણે…
અમદાવાદ, પશ્ચિમ રેલવેના કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યને કારણે ૧૮મી જાન્યુઆરી સુધી બ્લોક લેવામાં આવ્યો હોવાથી આગામી દિવસોમાં અનેક ટ્રેનસેવા પ્રભાવિત થશે. મુસાફરોને નવા શિડ્યૂલને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ ૧૦મી જાન્યુઆરીના રોજ વસઇ પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. એટલે કે, આ ટ્રેન વસઇ રોડ-બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ જ રીતે ૧૧મી જાન્યુઆરીના રોજ ટ્રેન નં. ૧૯૪૧૭ બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ વસઇ રોડથી જ ઓરિજિનેટ થશે.એટલે કે, આ ટ્રેન બોરીવલી-વસઇ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ સિવાય ૧૦મી જાન્યુઆરીએ ટ્રેન નં. ૧૨૯૦૨ અમદાવાદ-દાદર એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં ૨૦ મિનિટ રિ-શિડ્યૂલ થશે. આ…
અમદાવાદ, શહેરમાં પીવાનાં પાણી થકી ફેલાતાં રોગચાળાને ડામવાનાં પ્રયાસોનાં ભાગરૂપે મ્યુનિ. હેલ્થ અને ફૂડ વિભાગે પાણીના કેરબા-જગનો ધંધો કરનારાઓએ તેમનાં ધંધાનાં સ્થળે પાણીને બેક્ટેરીયા મુક્ત બનાવવા માટે ક્લોરીનેશન સિસ્ટમ લગાવવી પડશે, અન્યથા તેમનાં ધંધાનાં સ્થળને સીલ મારી દેવાશે.મ્યુનિ. સ્ટે.કમિટીની બેઠક બાદ ચેરમેન દેવાંગભાઇ દાણીની ઉપસ્થિતિમાં ડે.કમિશનર ભરતભાઇ પરમાર તથા હેલ્થ ઓફિસર ભાવિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, પાણીનાં જગ-કેરબાનાં ધંધાર્થીઓ સાથે ઝોનવાઇઝ બેઠક યોજવામાં આવી હતી, જેમાં અમુક ધંધાર્થીઓએ તેમનાં આરઓ પ્લાન્ટમાં ક્લોરીનેશન સિસ્ટમ હોવાનુ જણાવ્યું હતું.જે જગ્યાએ ક્લોરીનેશન સિસ્ટમ નથી તેમને ક્લોરીન મિક્સ કરતાં ડોઝર મશીન લગાવવા માટે માહિતગાર કરવામાં આવ્યા હતા અને ટૂંક સમયમાં ડોઝર નહિ લગાવાય તો ધંધાનાં…
અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શામળાજી ખાતે ઉજવાઈ રહેલ શામળાજી મહોત્સવના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ અરવલ્લી જિલ્લાના વિવિધ વિભાગોના અંદાજે કુલ ₹168 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન કર્યા હતા.મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને પ્લોટ ફાળવણીના હુકમ તથા કિશન મિશન મંગલમ જૂથને કેશ ક્રેડિટ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, આદિવાસીઓની સંસ્કૃતિ, કલા અને પરંપરાગત વારસાને જીવંત રાખતા આ મંદિરના સાનિધ્યમાં ઉજવાઈ રહેલ શામળાજી મહોત્સવ વિવિધતામાં એકતાનો સંગમ છે.તેમણે શામળાજીને નવો તાલુકો જાહેર કર્યા બાદ આયોજિત આ સાંસ્કૃતિક ઉત્સવ સમગ્ર અરવલ્લી…
અમદાવાદ, દૂષિત પાણીના કારણે ગાંધીનગર શહેરના ૬થી વધુ વિસ્તારોમાં વકરી રહેલા ટાઇફોઇડના રોગચાળામાં ગુરૂવારે વધુ ૧૪ નવા કેસ નોંધાયા છે. તેની સાથે કેસનો આંકડો ૧૬૭ પહોંચ્યો છે.દર્દીઓના આ આંકડા મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યા છે, પરંતુ ખાનગી હોસ્પિટલો અને નાના મોટા દવાખાનાઓમાં હજુ પણ દર્દીઓનો ધસારો હોવાની વાસ્તવિક સ્થિતિ પ્રવર્તે છે.જ્યારે હજુ પણ રોગચાળાગ્રસ્ત વિસ્તારો સહિત અન્ય વિસ્તારોમાં પણ દૂષિત પાણીની ફરિયાદો યથાવત છે. તે ઉપરાંત પાણી અને ગટરની લાઇનના લિકેઝ શોધવામાં તંત્રની ઢીલી નિતી સામે શહેરીજનો આક્રોશ ઠાલવી રહ્યાં છે. ગાંધીનગર મ્યુનિ. વિસ્તારમાં સેકટર-૨૪, -૨૬, -૨૮, આદિવાડા અને જીઆઇડીસી વિસ્તારમાં શંકાસ્પદ ટાઇફોઇડના કેસ ઉપર હજુ સુધી તંત્ર સંપૂર્ણ…
રાજકોટ, રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા ૧૨ કલાકમાં ભૂકંપના ૫ આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. શુક્રવારે વહેલી સવારે ૩.૮ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.મળતી માહિતી અનુસાર, ધોરાજી અને ઉપલેટામાં વહેલી સવારે ૩.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું એપિસેન્ટર ઉપલેટાથી ૨૮ કિ.મી. દૂર નોંધાયું હતું. આ આંચકો એટલો તીવ્ર હતો કે જેતપુર, જેતલસર, પેઢલા, સરધારપુર, નાની-મોટી પરબડી તેમજ ધોરાજી અને ઉપલેટા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ કંપન અનુભવાયું હતું.નોંધનીય છે કે આ પંથકમાં ગઈકાલે રાત્રે પણ ધરતી ધ્‰જી હતી. ઉપલેટામાં પહેલો આંચકો ગુરુવારે…
