“વેલકમ ૨૦૨૬”, “પુષ્પા”, “ઓપરેશન સિંદૂર” અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાવાળી પતંગો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. (તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણ પર્વ બાળકો, યુવાઓથી લઈને તમામ વયના લોકો માટે ઉત્સાહ અને આનંદનો તહેવાર છે. આ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહેતા પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં ઉતરાયણની તૈયારીઓ ધીમે ધીમે તેજ બની રહી છે. પતંગ અને દોરાના શોખીનો માટે બજારો વેપારીઓ દ્વારા સજ્જ કરી દેવામાં આવ્યા છે.આ વર્ષે બજારમાં ચીલ, ખંભાતી, પંજાબી તેમજ “વેલકમ ૨૦૨૬”, “પુષ્પા”, “ઓપરેશન સિંદૂર” અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાવાળી પતંગો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. બીજી તરફ દોરાની વાત કરીએ તો…
Author: gujarat
ગાંધીનગર, ગુજરાતના માર્ગ અને મકાન ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં ૪૧ જેટલા માર્ગ વિકાસ પ્રોજેક્ટ્સ માટે કુલ ₹૧,૦૭૮.૧૩ કરોડની માતબર રકમની મંજૂરી આપી છે. આ તમામ પ્રોજેક્ટ્સ ‘સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ’ (CRIF) અંતર્ગત પૂર્ણ કરવામાં આવશે. Rs. 1,078 crore approved from the Central Road Infrastructure Fund for 41 works of roads under the Gujarat State Governmentઆ મંજૂર કરાયેલી રકમ દ્વારા રાજ્યમાં કુલ ૫૬૪.૫૭ કિલોમીટર લાંબા માર્ગોનું નવીનીકરણ અને વિસ્તરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સથી ગુજરાતના અંતરિયાળ વિસ્તારો અને મુખ્ય જિલ્લાઓ વચ્ચેની કનેક્ટિવિટીમાં મોટો સુધારો જોવા મળશે.આ ફંડિંગથી રાજ્યના…
અમદાવાદ | ૦૯મી જાન્યુઆરી ૨૦૨૬ —માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુવારે ક્રેડાઈ અમદાવાદ ગાહેડ દ્વારા આયોજિત ૨૦મા ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડમાં વિઝનરીઝ પેનલ અંતર્ગત ૯ જાન્યુઆરીના રોજ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા.શહેરના ભાવિ વિકાસ, શહેરી આયોજન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના આગામી પડકારો અને શક્યતાઓ પર ચર્ચા કરવા માટે ક્રેડાઈ અમદાવાદ ગાહેડ દ્વારા આયોજિત ‘યુથકોન – ધ અનસ્ટોપેબલ્સ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૨૦મા ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડના ભાગરૂપે ૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત ‘ધ વિઝનરીઝ પેનલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં…
નિષ્ણાંતો દ્વારા “અગ્નિ સુરક્ષા અને ફાયર સેફ્ટી” તથા “પ્રાથમિક સારવાર અનેCPRતાલીમ” વિષયક અધિકારી-કર્મચારીઓને અપાઈ તાલીમવિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને પ્રેરણાથી ગુજરાત વિધાનસભા સચિવાલયના અધિકારીઓ–કર્મચારીઓ માટે બે દિવસીય વિશિષ્ટ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તાત્કાલિક પરિસ્થિતિમાં પ્રતિભાવ આપવાની સજ્જતા અને સુરક્ષા કૌશલ્ય વધારવાના હેતુસર આયોજિત આ તાલીમ શિબિર વહીવટી કાર્યક્ષમતાની સાથે આપત્તિ વ્યવસ્થાપન તથા માનવીય સુરક્ષાને પ્રાધાન્ય આપતી દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ હતી.આ તાલીમ શિબિરના પ્રથમ દિવસે તા. ૮ જાન્યુઆરી,૨૦૨૬ના રોજ “અગ્નિ સુરક્ષા અને ફાયર સેફ્ટી” વિષયક વિશેષ તાલીમ યોજાઈ હતી. જેમાં ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસના નિયામક શ્રી નલીનકુમાર ચૌધરી તથા તેમની ટીમના નિષ્ણાંતોએ તાલીમ આપી…
વર્ષોથી મંદિરમાં રવિવારે અને ધાર્મિક તહેવારો પર વડીલ ભક્તો ભેગા મળીને ભજન-કીર્તન અને સભાનું આયોજન કરતા આવ્યા છે. આ સભામાં હરિભક્તો દ્વારા જે સામાન્ય રકમ એકઠી કરવામાં આવતી હતી, તેનો ઉપયોગ અન્ય મંદિરોના પ્રવાસ દરમિયાન દાન-ધર્માદા માટે કરવામાં આવતો હતો. જોકે, વર્તમાન વહીવટદારોએ આ સભાના પૈસા મંદિરમાં જમા કરાવવા અથવા સભા બંધ કરવા જેવો આકરો આદેશ આપ્યો છે. આ પ્રકારની જોહુકમીને કારણે ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને સભાના સ્થળો બદલવાની ફરજ પડી રહી છે.મંદિરના વહીવટમાં આવેલા નવા ચહેરાઓ દ્વારા વડીલ અને જૂના અનુયાયીઓને આપવામાં આવતા આદેશોથી હરિભક્તોને અત્યંત માઠું લાગ્યું છે. ઘણા ભક્તોનું માનવું છે કે જે…
‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘માં સોમનાથ, સાગર અને સંગીતના ત્રિવેણી સંગમમાં ભક્તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓકીર્તિ-કરશન સાગઠિયા અને હાર્દિક દવેની સુરભરી રમઝટ અને રાજભા ગઢવીના સાહિત્યથી દેશભક્તિ અને શિવભક્તિનો અનોખો માહોલ સર્જાયો અમદાવાદ, સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત મંદિર પરિસર ખાતે દરરોજ રાત્રે આયોજિત થતી સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં શુક્રવારે ૯ જાન્યુઆરીની રાતે સાગર, સોમનાથ અને સંગીતનો અનોખો તથા અલૌકિક સમન્વય સર્જાયો હતો. સાગરની લહેરોની ગર્જના, સોમનાથ મહાદેવની પાવન હાજરી અને સંગીતની સુમધુર સૂરલહેરીઓએ સમગ્ર પરિસરને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઊર્જાથી ભરપૂર બનાવી દીધુ હતું.આ ભવ્ય સાંસ્કૃતિક સાંજમાં પ્રખ્યાત ગાયક કીર્તિ સાગઠીયા તથા લોકપ્રિય લોકગાયક કરશન સાગઠિયાની જોડીએ મહાદેવના ભાવસભર ભજનો, વિવિધ ગરબા અને લોકપ્રિય ગીતોની…
PM Modi Somnath Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદી શનિવારે સોમનાથ પહોંચ્યા હતા. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ પહોંચવા પર તેમણે ખુશી વ્યક્ત કરી અને તેને ભારતીય સભ્યતાની હિંમતનું એક ગૌરવશાળી પ્રતીક ગણાવ્યું. પ્રધાનમંત્રીના સોમનાથ પહોંચવા પર સ્થાનિક લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી જ્યારે રોડ માર્ગે પોતાના ગંતવ્ય તરફ જઈ રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ હાથ હલાવીને લોકોનું અભિવાદન કર્યું હતું. તેમણે સોમનાથ પ્રવાસની તસવીરો સત્તાવાર ‘X’ હેન્ડલ પર પોસ્ટ કરી હતી.સોમનાથ પહોંચીને શું બોલ્યા પીએમપીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…
Kalupur Swaminarayan Mandir Controversy: કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયમાં હાલ આચાર્ય પદ અને સાધુઓ વચ્ચે મંદિરોની માલિકી હક્ક બાબતે મોટો વિવાદ ઊભો થયો છે. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સંસ્થાના સર્વોચ્ચ પદ પર બેઠેલા વ્યક્તિઓ સાધુઓએ મહેનતથી ઉભી કરેલી મિલકતો પોતાના નામે કરાવી લેવા દબાણ કરી રહ્યા છે. જે સાધુઓ આ મિલકતો સંસ્થાના નામે લખી આપતા નથી, તેઓની સામે ખોટી ફરિયાદો કરીને તેમને સંપ્રદાયમાંથી બહાર કરવાના ચક્રો ગતિમાન કરાયા છે. આ આંતરિક ખેંચતાણને કારણે વર્ષો જૂના સંપ્રદાયની ગરિમા જોખમાઈ રહી છે અને ભક્તોમાં પણ બે ફાંટા પડી રહ્યા છે.શાસ્ત્રી પ્રેમસ્વરૂપ સ્વામીની હકાલપટ્ટીથી ભારે ખળભળાટતાજેતરમાં સંપ્રદાયના માસિક અંકમાં કલોલ ગુરુકુળના શાસ્ત્રી પ્રેમસ્વરૂપ…
રાજકોટમાં કામે ચડ્યાના ચાર જ દિવસમાં આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છેરાજકોટ,રાજકોટના સોની બજાર વિસ્તારમાં જૂના પરિચયનો લાભ ઉઠાવી એક બંગાળી કારીગર વેપારીની તિજોરીમાંથી ૩૬ લાખથી વધુ રૂપિયાની કિંમતનું સોનું ચોરીને ફરાર થઈ ગયો છે. સોનાના દાગીના બનાવવાનું કામ કરતા વેપારીએ વિશ્વાસ મૂકીને કારીગરને કામે રાખ્યો હતો પરંતુ તે તકનો લાભ ઉઠાવી પલાયન થઈ ગયો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.સોની બજારના દરબારગઢ ચોક પાસે માણેક ગોલ્ડ કાસ્ટિંગ નામનું કારખાનું ધરાવતા કલ્પેશભાઈ મથુરભાઈ કાતરીયાએ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના અક્ષય…
મહુવા કોર્ટમાં એસઆઈટીએ આરોપીઓના ૭ દિવસના રિમાન્ડ માંગ્યા હતાએસઆઈટી દ્વારા સમગ્ર કેસની ઉંડાણપૂર્વક તપાસ, તેમજ અત્યાર સુધી તપાસમાં રહેલી ત્રુટીઓ શોધવામાં આવી રહી છેમહુવા,બગદાણાના કોળી સમાજના યુવક પર હુમલાના બનાવની તપાસ કરવા માટે ગત સોમવારના રોજ રેન્જ આઈજી દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. એસઆઈટીએ હુમલાના આઠેય આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માંગણી ગતરોજ મહુવા કોર્ટમાં કરી હતી. જે બાદ આજે મહુવા કોર્ટ દ્વારા આ બનાવના આઠેય આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. બીજ તરફ આ કેસમાં ગુનાહિત ષડયંત્ર અને ગેરકાયદે અવરોધની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.બગદાણાના કોળી સમાજના યુવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના બનાવના પડઘા ગાંધનગર…
