Author: gujarat

રાજકોટ, ગોંડલ રોડ પર પુનિતનગર પાણીના ટાંકા પાસે ઝૂપડામાં રહેતા કિરીટસિંહ ભૂપતસિંહ સીસોદીયા (ઉ.વ.૩૮) એ માતાના વિયોગમાં ગળાફાંસો ખાઇ જિંદગી ટુંકાવી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.સંતાનમા બે દીકરી અને એક દિકરો ધરાવતા કિરીટસિંહના માતા રામબા (ઉ.વ.૭૩)નું અઠવાડિયા પહેલાં બિમારીના કારણે મૃત્યુ નિપજ્યુ હતુ. ત્યારથી મૃતક ગુમસુમ રહેતા હતા.ગઇકાલે તેના પત્ની સંતાનો સાથે તેના માતાના ઘરે ગયા બાદ કિરીટસિંહે છતના આડસમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.તેના પત્ની ઝૂંપડાને આડસ કરવા જતા કિરીટસિંહ ગળાફાંસો ખાધેલી હાલતમા મળ્યા હતા. ૧૦૮ બોલાવાતા તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.માલવીયાનગર પોલીસનાં જમાદાર દિનેશભાઇ બગડાએ જરૂરી કાર્યવાહી કરી આ મામલે યોગ્ય તપાસ હાથ ધરી છે.SS1MS

Read More

અમદાવાદ, મુંબઈથી ભુજ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરતું દંપતી એમ.ડી. ડ્રગનો જથ્થો લઈને આવી રહ્યું હોવાની બાતમી રામોલ પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. મોરીને મળતા તાત્કાલિક ટીમો બનાવી એક્સપ્રેસ-વે પરથી બહાર નીકળતા વળાંક પર વોચ ગોઠવી દેવાઈ હતી.બાતમી મુજબની લક્ઝરી બસ આવતા જ તેને ઊભી રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વર્ણન અનુસારના દંપતીના સામાનની તપાસ કરતાં થેલામાંથી રૂ. ૪.૯૨ લાખનું એમ.ડી. ડ્રગ મળી આવ્યું હતું. આ ઉપરાંત, મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૫.૧૨ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. આ મામલે રામોલ પોલીસે દંપતીની ધરપકડ કરી ડ્રગ આપનાર અને મગાવનાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ…

Read More

ગાંધીનગર, ગાંધીનગરના સરગાસણમાં રહેતા વૃદ્ધને મની લોન્ડરિંગ કેસમાં નામ હોવાની ધમકી આપી સાયબર ગઠિયાએ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને તેમના બેંક ખાતામાંથી રૂ. ૩૫.૨૫ લાખની રકમ ઓનલાઇન પડાવી ગયા હોવાનો બનાવ સાયબર પોલીસ મથકમાં નોંધાયો છે.સરગાસણમાં રહેતા હરિ કિશોર ઠાકુર ઉ.૬૭, મુળ રહે- બિહાર)એ સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવાયા મુજબ હકીકત એવી છે કે તેઓ ચાર બેંકોમાં ખાતા ધરાવે છે. તા. ૧૧/૧૦/૨૦૨૫ના રોજ તેમના મોબાઈલ ફોન આવ્યો હતો. સામેથી કહ્યુ હતું કે તમારી સામે આધારકાર્ડનો ખોટો ઉપયોગ, વાયોલન્સ સેન્ટીંગ, ચાઈલ્ડ પ્રોનોગ્રાફી અને હેરેસમેન્ટ જેવા ઘણાં બધા કેસ છે.તેમ કહી તેણે મહારાષ્ટ્ર સાયબ૨ કાઈમ બ્રાન્યના સબ ઈન્સ્પેક્ટર શંકર…

Read More

આનંદપુરાકંપામાં રામકથામાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટ્યો પ્રતિનિધિ.મોડાસા, મોડાસા પાસે આનંદપુરા કંપામાં પૂ કથાકાર પ પૂ સતપંથ રત્ન મહામંડલેશ્વર સ્વામિ જનાર્દન હરિજી મહારાજના વ્યાસપીઠે રામચરિત માનસનો કથાનો કથા રસપાન માટે શ્રોતોઓનો મહેરામણ આજે પાંચમા દિવસની કથામાં પણ જાણે મિનિ કુંભ ભરાયો હોય એમ ખીચોખીચ મંડપ ભરાઈ ગયો હતો જ્યાં નજર નાખીએ ત્યાં ભાવિકો તસુ જગ્યા રહી ન હતી એટલું જ નહીં પણ મંડપના પડદા પણ ખોલી દેવા પડ્‌યા હતા એને શ્રોતાઓમાં કથા રસપાન ની જિજ્ઞાસાની આજે પરાકાષ્ઠા વટાવી રહી હતી.પૂ સ્વામિ જનાર્દન હરિજી મહારાજે કથારસપાન કરાવતા કહ્યું કે પારસમણિ લોખંડને સોનું બનાવી દે એમ રામકથાનો ભાવ કથાવસ્તુ એના સંસ્કાર વિચારો સ્પર્શ કરે…

Read More

આજનો દિવસ રાજ્ય અને દેશ માટે ઐતિહાસિક: આજથી સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય શરૂઆત થઈ –પ્રોપર્ટી,ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ ક્ષેત્રે થઈ રહેલી પ્રગતિથી રાજ્યની આર્થિક શક્તિ વધુ મજબૂત બનશેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ક્રેડાઈ અમદાવાદ-GIHED (ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ)ના20માં ભવ્ય પ્રોપર્ટી શૉ-ઓલમ્પિયાડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ “આ અમદાવાદનો દસકો છે” ફિલ્મનું લોન્ચિંગ કરી ફિલ્મ નિહાળી હતી.પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા ઉપસ્થિતિ રહ્યાં હતા.અમદાવાદGMDCગ્રાઉન્ડ ખાતે તારીખ9, 10અને11જાન્યુઆરી-2026ના રોજ યોજાનાર આ પ્રોપર્ટી શૉ ને ખુલ્લો મુકતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આજનો દિવસ રાજ્ય અને દેશ માટે ઐતિહાસિક છે. માનનીય વડાપ્રધાન શ્રી…

Read More

પ્રજા અને જનપ્રતિનિધિથી પણ ઉપર સરકારી અધિકારીઓ પોતાને જ સરકાર સમજી અંધાધૂંધ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે જેનાથી સરકારની છબી ખરડાઈ રહી છે. ધારાસભ્ય દ્વારા સૂચવવામાં આવેલ કાર્યો કરવામાં આવતા નથી,પાંચ ભાજપ ધારાસભ્યો કેતન ઈનામદાર, અક્ષય પટેલ, શૈલેષ સોટ્ટા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અધિકારીઓના અણધડ વહીવટ સામે બળાપો ઠાલવ્યો(એજન્સી)વડોદરા, અધિકારી રાજ ચાલી રહ્યું છે તેવા દાવાઓ ઘણા થયા પણ હવે ભાજપના જ ૫ ધારાસભ્યોએ હકીકત જણાવી સરકાર અને અધિકારી બંનેના કાન મરડ્યા છે. વડોદરા જિલ્લાના પાંચ ભાજપ ધારાસભ્યો કેતન ઈનામદાર, અક્ષય પટેલ, શૈલેષ સોટ્ટા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને…

Read More

(એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. અનેક શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં નલિયા સૌથી ઠંડુ શહેર છે. હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ કાતિલ ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી મુજબ ઠંડીનો ચમકારો વધશે.રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ જશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, રાજ્યના નાગરિકોએ આગામી ૧૨ જાન્યુઆરી સુધી કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં કોલ્ડવેવની સ્થિતિ છે. પવનની ગતિ વધતા ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં ૧૫…

Read More

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ ઉપર છેલ્લા ઘણા સમયથી પાર્કિગ ચાર્જને લઈને નાગરિકોમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. આ વ્યવસ્થા સંભાળતા કર્મચારીઓ સાથે અવાર-નવાર સામાન્ય નાગરિકોને બોલાચાલી પણ થતી હોય છે.પાર્કિગ ચાર્જના બહાને એરપોર્ટ ઉપર લૂંટ કરવામાં આવી હોવાનો ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહ્યો છે. અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ર્પાકિંગના નવા નિયમોને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે.એરપોર્ટ ઓથોરિટી દ્વારા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના નામે લેવાયેલા નિર્ણય મુજબ, જો કોઈ મુસાફર કે તેમના પરિવારજનો ર્પાકિંગ ચાર્જની ચુકવણી રોકડમાં કરશે, તો તેમણે નિયત ચાર્જ ઉપરાંત વધારાના ૧૦૦ રૂપિયા દંડ સ્વરૂપે ચૂકવવા પડશે. આ નવા નિયમને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી…

Read More

અમદાવાદના લાંભા, હાથીજણ, રાણીપ અને સરદારનગરમાં નવા ફાયર સ્ટેશન બનશે(પ્રતિનિધિ) અમદાવાદ અમદાવાદ શહેર દિન પ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં આગામી પાંચ વર્ષમાં નવા ૧૫ ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. જ્યારે આગામી બે વર્ષમાં નવા ૪ ફાયર સ્ટેશન સરદારનગર, રાણીપ, હાથીજણ અને લાંભામાં બનાવવામાં આવશે તેમજ જરૂરિયાત મુજબ સ્ટાફની ભરતી કરવામાં આવશે.મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકારની સ્ટેન્ડિંગ ફાયર એડવાઇઝરી કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલી ગાઇડ લાઇન મુજબ આશરે દર ૧૦ ચો.કી.મી.એ ૧ ફાયર સ્ટેશનની જરૂરીયાત હોય તે મુજબ ૫૦૦ ચો.કી.મી. વિસ્તારમાં માટે ૫૦ ફાયર સ્ટેશનની…

Read More

Gujarat Rajkot Earthquake: ગુજરાતના રાજકોટ જિલ્લાને સિલસિલેવાર ભૂકંપે ધ્રુજાવી દીધો છે. અહીં ગુરુવાર સાંજથી શુક્રવાર સવાર સુધી સતત 11 વાર ભૂકંપના આંચકા લાગ્યા. રિક્ટર સ્કેલ પર આ તમામ ભૂકંપની તીવ્રતા તો વધારે નહોતી પરંતુ 26 કલાકમાં 11 વાર ધરતી હલવાથી લોકો ડરી ગયા. ફરી સુરક્ષાના દૃષ્ટિકોણથી શાળાઓમાં રજા આપી દેવામાં આવી અને લોકોને સાવધાન રહેવા માટે કહી દેવામાં આવ્યું. આ આર્ટિકલમાં વાંચો કે રાજકોટમાં કેટલા વાગ્યે કેટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો.રાજકોટમાં કેટલા વાગ્યે આવ્યો કેટલી તીવ્રતાનો ભૂકંપ?isr.gujarat.gov.in ના જણાવ્યા મુજબ, રાજકોટમાં 9 જાન્યુઆરીએ 11:44 AM પર 2.6, 9:45 AM પર 3.2, 8:34 AM પર 3.2, 8:21 AM પર 3, 7:33 AM…

Read More