ભરૂચ નગરપાલિકાની કડક કાર્યવાહી-દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરનાર જલારામ ફાસ્ટફૂડને દંડ ફટકારાયો(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના શક્તિનાથ ખાતે આવેલ ફૂડ ઝોનના ખાણી પીણી અને રેસ્ટોરન્ટ દ્વારા દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો જાહેરમાર્ગ પર નિકાલ કરતા પાલિકાએ કડક પગલા ભરી દંડનીય કાર્યવાહી કરતા ગંદકી ફેલાવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે.ભરૂચ શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પાલિકા દ્વારા વિવિધ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે અને દિવસ રાત સફાઈ હાથ ધરવા સાથે લારી ગલ્લાઓ પર ચેકીંગ હાથધરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે પાલિકાને ગતરોજ ફરિયાદ મળી હતી કે વોર્ડ નંબર ૩ ના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ફૂડ ઝોનમાં ધમધમતી લારીઓ અને…
Author: gujarat
(પ્રતિનિધિ) આણંદ, મંગળવારના રોજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આકસ્મિક આણંદ બસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે બસમાં જઈને નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો.જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમને પડતી તકલીફોની રજૂઆત કરતા જણાવ્યું હતું કે બોરસદ અને ડાકોર ની વધારા ની ટ્રીપ શરુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને સુગમતા રહે અને અમારી માંગણી નું નિરાકરણ થાય. આ વાત સાંભળીને નાયબ મુખ્યમંત્રી શ્રી એ આણંદ બસ સ્ટેશન ઉપરથી જ ઉચ્ચ અધિકારી સાથે ફોન ઉપર વાત કરીને તાત્કાલિક અસરથી બોરસદ અને ડાકોર ની બસ સેવા શરૂ કરવા સૂચના આપી હતી.જે અન્વયે આજે તા.૦૭/૦૧/૨૦૨૬, બુધવારના રોજ…
ગોધરાના ભેખડીયા વિસ્તારમાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વિવિધ ગુનાઓમાં પકડાયેલા આ દારૂના જથ્થાનો નિકાલ(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરાના ભેખડીયા વિસ્તારમાં આવેલી સરકારી પડતર જમીનમાં શહેરા અને મોરવા હડફ પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા રૂ. ૨.૮૭ કરોડના વિદેશી દારૂના જથ્થાનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વિવિધ ગુનાઓમાં પકડાયેલા આ દારૂના જથ્થાનો નિકાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રની હાજરીમાં કરવામાં આવ્યો.આ કાર્યવાહીમાં કુલ ૧,૬૦,૮૪૧ દારૂ અને બીયરની બોટલોનો નાશ કરાયો હતો. કાચની અને પ્લાસ્ટિકની બોટલોને મેદાનમાં પાથરી જેસીબી અને રોલર જેવી ભારે મશીનરી ફેરવીને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવી હતી. પંચમહાલ રેન્જના આઈ.જી. આર.વી. અસારી અને જિલ્લા પોલીસ વડા ડૉ.…
(પ્રતિનિધિ) ગોધરા, કાલોલ પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગોમા નદીના કિનારે ક્રિકેટનો સટ્ટો રમતા એક ઇસમને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી આશિયાના સોસાયટી પાછળ આવેલી ઝાડી-ઝાખરાવાળી ખુલ્લી જગ્યામાં કરવામાં આવી હતી.પોલીસે સ્થળ પરથી ત્રણ મોબાઈલ ફોન, રોકડ રકમ તથા સટ્ટાની નોંધપોથી જપ્ત કરી છે. ઝડપાયેલા આરોપીનું નામ મુસ્તુફાખાન પઠાણ હોવાનું બહાર આવ્યું છે. તે તાજેતરમાં ચાલી રહેલી બિગ બેશ લીગ ૨૦૨૫/૨૬ અંતર્ગત સિડની સિક્સર્સ અને બ્રિસબેન હીટ વચ્ચેની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હતો. આરોપી ટીમની હાર-જીત ઉપરાંત વ્યક્તિગત ખેલાડીઓના પ્રદર્શન પર પણ સેશન લગાવતો હતો.પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મુસ્તુફાખાન મોબાઈલ ફોનના માધ્યમથી સટ્ટા વ્યવહાર ચલાવતો હતો. એક મોબાઈલમાં તે…
ડાકોર મંદિરમાં વૈષ્ણવો પાસેથી નાણાં લેવા બાબતે ઠપકો આપનાર સેવક પર સેવક પરિવારનો હુમલો(પ્રતિનિધિ) નડિયાદ, ડાકોર રણછોડરાયજી મંદિરમાં દર્શન માટે આવેલ વૈષ્ણવો પાસે નાણાં લેવા બાબતે ઠપકો આપનાર એક સેવકને અન્ય સેવક તેની પત્ની અને પુત્રે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ ડાકોર પોલીસ મથકે નોંધાતા નગરમાં ભારે ચકચાર મચી ગઈ છેમળતી માહિતી મુજબ ડાકોર નગરમાં સંતરામ પાર્કમાં રહેતા અને રણછોડરાયજી મંદિરમાં તુલસી ચઢાવવાની સેવા કરતા ૫૬ વર્ષીય નરેશકુમાર રતીલાલ સેવક ગત તારીખ ૬ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સવારના સમયે પોતાની ફરજ પર હતા.તેઓ સવારે અગીયાર વાગ્યાની આસપાસ રણછોડરાયજી મંદિરમાં ફડાતર પાસે ઉભા હતા, ત્યારે નરેશકુમાર સેવકે…
દાગીના બનાવવા ભાગીદારનું સોનું લઈ ફરાર થઈ ગયાસુરત, અશ્વિનીકુમાર રોડ પર આવેલી અમર સ્વર્ણ મંદિર જ્વેલર્સમાંથી ઘરેણાં બનાવવા માટે આપેલું રૂ.પ.૦૩ કરોડની કિમતનું સોનું લઈને પેઢી બંધ કરીને નાસી જનારા હીરા ગોલ્ડ પેઢીના ભાગીદાર પાનસુરિયા બંધુઓ સામે અશ્વિનીકુમાર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.વરાછામાં અમર જ્વેલર્સ નામની દુકાન ધરાવતા અલ્પેશ અને નિતેશનો સરથાણામાં રહેતા નીતિન ચિમનભાઈ પાનસુરિયા અને તેના ભાઈ મનિષ સાથે થયો હતો. આ બન્ને ભાઈઓ વરાછા મીનીબજારમાં આવેલા સરદાર આવાસમાં હીરા ગોલ્ડના નામે સોનાના ઘરેણાં બનાવવાનું કામ કરે છે.પોતાના દિકરા સાથે ધંધો કરતા હોવાથી મગનભાઈને તેના પર વિશ્વાસ બેસી જતાં તેમણે આ બંધુઓએ સોનાના ઘરેણાં સમયસર બનાવી આપી…
રાજકોટ,સુરત,વડોદરા,અમદાવાદથી ટ્રેનમાં પધારેલા યાત્રિકોનું ઢોલ નગારા,શરણાઈ,ભાતીગળ ગરબાથી સ્વાગતપ્રભાસની ધરતી પર ઊઘડતી ઉષા એ હર હર મહાદેવ,જય સોમનાથના નાદથી સ્ટેશન પરિસર ગુંજી ઉઠ્યુંસોમનાથ, તા. ૮ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહેલ ભારતની આધ્યાત્મિક આસ્થાના પ્રતિક ‘સ્વાભિમાન પર્વ‘અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શિવભક્ત શ્રદ્ધાળુઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત રાજકોટ,સુરત,અમદાવાદ અને વડોદરા જેવા શહેરોથી સોમનાથ આવવા ઇચ્છતા શ્રદ્ધાળુઓ માટે વિશેષ ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પવિત્ર સોમનાથધામે આવનારા શ્રદ્ધાળુઓને સુલભ,સુરક્ષિત અને અનુકૂળ મુસાફરી મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી છે.સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે વેરાવળ રેલવે સ્ટેશન પર વિશેષ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ શહેરોથી ટ્રેન…
ચાલો ગાંધીનગરના નારા સાથે જિલ્લાના હજારો ખેડૂતોએ પોતાની ન્યાયસંગત માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવા તૈયારીટોલબૂથથી ૨૦ કિમીના વિસ્તારમાં રહેતા ખેડૂતોને ટોલમુક્તિ આપવાની રજૂઆત કરાશે.(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના ખેડૂતની વિવિધ સમસ્યાઓને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા તા.૧૨ જાન્યુઆરી રોજ ગાંધીનગર ખાતે શક્તિ પ્રદર્શન કરાવાનું આયોજન કરાયું છે ત્યારે સાબરકાંઠા કિસાન સંઘ એકમના અગ્રણીઓએ ગામડાઓમાં રહેતાં ખેડુતોને આ શક્તિ પ્રદર્શન અંતર્ગત ચાલો ગાંધીનગરના નારા સાથે જિલ્લાના હજારો ખેડૂતોએ પોતાની ન્યાયસંગત માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવા તૈયારી દર્શાવી છે.ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓમાં વડીલોપાર્જીત મિલકતમાં આડી લાઇનના વારસદારોને સ્ટેમ્પ ડયૂટીમાંથી મુક્તિ, ગૌચરની જમીનની માપણી કરી દબાણો દૂર કરવું તેમજ…
સમગ્ર સોમનાથમાં ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ ના નાદ સાથે ડમરૂનો અવાજ ગુંજી રહ્યો હતો, જેણે અત્યંત આધ્યાત્મિક વાતાવરણ ઊભું કર્યું હતું.ગીર સોમનાથ, 9 જાન્યુઆરી : શુક્રવારે ગુજરાતના સોમનાથ જિલ્લામાં દેશભરમાંથી આવેલા ૫૦૦ થી વધુ સાધુ-સંતોએ એક ભવ્ય ‘ડમરૂ રેલી’ માં ભાગ લીધો હતો, જેમાં પવિત્ર વાદ્યોના ગુંજારવથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સહભાગી સંતોએ આ કાર્યક્રમને ‘મિની કુંભ મેળો’ ગણાવ્યો હતો, જે આ મેળાવડાના વ્યાપ અને આધ્યાત્મિક ઉત્સાહને દર્શાવે છે.More than 500 saints took part in a damru rally in Somnath, with the rhythmic beats of the drums echoing throughout the Somnath and Prabhas regionsવડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સોમનાથ…
Gujarat BJP MLA Letter Bomb: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ વચ્ચે ભાજપના પાંચ ધારાસભ્યોએ લેટર બોમ્બ ફોડ્યો છે. વડોદરા ગ્રામ્યના પાંચ ભાજપ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સામૂહિક પત્ર લખીને જણાવ્યું છે કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી. ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે આ સમયે રાજ્યમાં અનેક જગ્યાએ વહીવટી તંત્રની હાલત ખરાબ થઈ ગઈ છે. લોકો સાથે જોડાયેલા કામો આ તંત્ર સુધી પહોંચી જ રહ્યા નથી. ધારાસભ્યોએ કહ્યું કે એક સામાન્ય માણસ માટે સરકારી કચેરીમાંથી પોતાનું નાનું અમથું કામ કરાવવું એ જંગ લડવા જેવું બની ગયું છે. રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈને તમામ નાના કર્મચારીઓએ પોતાની મનમાની બતાવવાનું શરૂ…
