Author: gujarat

(એજન્સી)અમદાવાદ, હેરિટેજ સિટી તરીકે જાણીતા અમદાવાદમાં આ વર્ષનો આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ કંઈક અલગ અને ખાસ બની રહેશે. જી હા…દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા આ મહોત્સવમાં આ વખતે આધુનિકતાની સાથે સાથે અમદાવાદની સંસ્કૃતિ અને વિરાસતનો સંગમ જોવા મળશે.અમદાવાદની ઓળખ સમાન જૂની પોળોનો અનુભવ રિવરફ્રન્ટ પર કરાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. પોળ જેવો અહેસાસ કરાવવા માટે જૂના લાકડાના દરવાજા, કલાત્મક બારીઓ અને જૂના પિલ્લર જેવા મટીરીયલનો ઉપયોગ કરીને આખી થીમ તૈયાર કરાઈ છે.અંદાજે ૫૦૦૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલા આ ફેસ્ટિવલમાં હેરિટેજ પોળની થીમ પ્રવાસીઓ માટે સેલ્ફી પોઈન્ટ અને આકર્ષણનું કેન્દ્ર બનશે. ઉત્તરાયણ વખતે જે રીતે લોકો પોળના ધાબા ભાડે રાખીને પતંગબાજીની…

Read More

Fake Marriage Visa Scam: ગુજરાતની ભરૂચ પોલીસે યુવાનોને વિદેશ મોકલવાના એક નવા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટ નકલી લગ્ન અને નકલી છૂટાછેડા કરાવીને યુએસ (US) ના વિઝા અપાવતું હતું. ગેરકાયદે ઇમિગ્રેશન યોજનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે નકલી લગ્ન અને છૂટાછેડાના દસ્તાવેજોનો ઉપયોગ કરીને એક સ્થાનિક મહિલાને આશ્રિત વિઝા (Dependent Visa) પર યુનાઇટેડ કિંગડમમાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.નકલી લગ્ન અને છૂટાછેડાનો મામલો ત્યારે ખુલ્યો, જ્યારે રેકોર્ડમાં મહિલાના પતિ તરીકે નોંધાયેલ વ્યક્તિએ પોલીસનો સંપર્ક કર્યો. ગેરકાયદે ઇમિગ્રેશનની વ્યવસ્થા માટે કથિત રીતે નક્કી કરવામાં આવેલી રકમને લઈને તેનો વિવાદ થયો હતો. નારાજ થઈને તે પોલીસ પાસે પહોંચ્યો હતો.યુકેમાં રહે છે રિઝવાનપલેજ પોલીસ…

Read More

અમદાવાદ, ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્ત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬’નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૧૨મી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે કરવામાં આવશે. આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું આયોજન પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ ખાતે તા.૧૨થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનાર ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ના મુખ્ય આકર્ષણના કેન્દ્રોમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો વિવિધ પ્રકારના શ્રેષ્ઠ મોટા પતંગોની ઉડાન કરશે. આ ઉપરાંત તા.…

Read More

PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૦ થી ૧૨ જાન્યુઆરી સુધી ગુજરાત પ્રવાસે રહેશે. ત્રણ દિવસના પ્રવાસમાં પીએમ મોદી ઘણા બધા કાર્યક્રમોમાં ભાગ લેશે. આમાં ધાર્મિક, સાંસ્કૃતિક, વિકાસાત્મક અને આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો સામેલ છે. પીએમ મોદીના આ પ્રવાસને ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી ૧૦ જાન્યુઆરીની સાંજે સોમનાથ પહોંચશે. રાત્રે લગભગ ૮ વાગ્યે તેઓ સોમનાથ મંદિરમાં ઓંકાર મંત્ર જાપમાં ભાગ લેશે. આ પછી તેઓ મંદિર પરિસરમાં આયોજિત ભવ્ય ડ્રોન શોનું અવલોકન કરશે. આ કાર્યક્રમ આધ્યાત્મિકતા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયનું પ્રતીક હશે.શૌર્ય યાત્રામાં જોડાશે પીએમ મોદી૧૧ જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદીનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે. સવારે લગભગ ૯:૪૫ વાગ્યે તેઓ…

Read More

પારસાના રામીબા પ્રાકૃતિક ફાર્મની મુલાકાત કરી પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા રાજ્યપાલશ્રીનો ખેડૂતોને અનુરોધમાણસા ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને માટે તાલુકામાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રની શરૂઆત કરવા સુચન કરતા રાજ્યપાલશ્રીગાંધીનગર, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ‘ગ્રામ્ય કલ્યાણ કાર્યક્રમ’ અંતર્ગત માણસા તાલુકાના, સોલૈયા ગામની તા.૦૭ અને ૦૮ જાન્યુઆરી એમ બે દિવસીય મુલાકાતે પધાર્યા હતા. જે દરમિયાન રાજ્યપાલશ્રીએ સોલૈયા પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં સાદગીપૂર્ણ રાત્રી વિશ્રામ કર્યો હતો.રાત્રી વિશ્રામ બાદ તારીખ 8 જાન્યુઆરી ગુરુવારના દિવસે રાજ્યપાલશ્રીએ પારસા ગામના ખેડૂત આત્મારામભાઈ પ્રજાપતિના ‘રામીબા પ્રાકૃતિક ફાર્મ’ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગાય દોહવા સાથે પ્રાકૃતિક કૃષિ ફાર્મનું ઝીણવટ ભર્યુ નિરીક્ષણ કર્યું હતું.છેલ્લા દસ વર્ષથી…

Read More

ટી.પી. ઇન્સ્પેક્શન પ્લોટ હેઠળ કુલ ૨૯૦ પ્લોટમાં અમલીકરણ થયુ- અંદાજે ૧૭.૦૮ લાખ ચોરસ મીટર વિસ્તારના પ્લોટોનો કબજો મેળવવામાં આવ્યો(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના આયોજનબદ્ધ વિકાસ, જાહેર સુવિધાઓના સંરક્ષણ તથા ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુગમ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫ દરમિયાન ટી.પી. સ્કીમના અમલીકરણ માટે વ્યાપક અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સંકલિત કામગીરીના પરિણામે શહેરના વિવિધ વિસ્તારોમાં અવરોધરૂપ દબાણો દૂર કરી વિકાસકાર્યોને નવી ગતિ મળી છે.મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગ દ્વારા ૦૧ જાન્યુઆરી ૨૦૨૫ થી ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ટી.પી. ઇન્સ્પેક્શન પ્લોટ હેઠળ કુલ ૨૯૦ પ્લોટમાં અમલીકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અંદાજે ૧૭.૦૮ લાખ ચોરસ…

Read More

Gujarat ED Action News: ગુજરાતના પ્રવર્તન નિદેશાલય (ED) એ સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કુમાર પટેલ પર શિકંજો કસ્યા બાદ હવે ગુજરાત જમીન વિકાસ નિગમ, આણંદના તત્કાલીન ફીલ્ડ સુપરવાઈઝર ધીરુભાઈ બાબુભાઈ શર્મા પર કાર્યવાહી કરી છે. ED એ તપાસ બાદ PMLA, 2002 હેઠળ 4.92 કરોડ રૂપિયાની સંપત્તિને કામચલાઉ રીતે જપ્ત કરી લીધી છે. ED ની ગાંધીનગર સ્થિત પ્રાદેશિક કચેરીએ આ કાર્યવાહી અંગે વિગતો શેર કરી છે. ED એ જણાવ્યું છે કે તેણે તત્કાલીન ફીલ્ડ સુપરવાઈઝર ધીરુભાઈ બાબુભાઈ શર્માની 4.92 કરોડ રૂપિયાની સંપત્તિઓને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 ની જોગવાઈઓ હેઠળ કામચલાઉ રીતે જપ્ત કરી છે. જપ્ત કરાયેલી…

Read More

ગાંધીનગર, ગાંધીનગરના સરગાસણમાં રહેતા વૃદ્ધને મની લોન્ડરિંગ કેસમાં નામ હોવાની ધમકી આપી સાયબર ગઠિયાએ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને તેમના બેંક ખાતામાંથી રૂ.૩પ.રપ લાખની રકમ ઓનલાઈન પડાવી ગયા હોવાનો બનાવ સાયબર પોલીસ મથકમાં નોંધાયો છે.સરગાસણમાં રહેતા હરિ કિશોર ઠાકુર ઉ.૬૭, મુળ રહે બિહાર એ સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તેમાં જણાવાયા મુજબ હકીકત એવી છે કે તેઓ ચાર બેંકોમાં ખાતા ધરાવે છે. તા.૧૦.૧૧.ર૦રપના રોજ તેમના મોબાઈલ ફોન આવ્યો હતો સામેથી કહ્યું હતું કે તમારી સામે આધારકાર્ડનો ખોટો ઉપયોગ, વાયોલન્સ સેન્ટીંગ, ચાઈલ્ડ પોનોગ્રાફી અને હેરેસમેન્ટ જેવા ઘણાં બધા કેસ છે.તેમ કહી તેણે મહારાષ્ટ્ર સાયબર ક્રાઈમ બ્રાંચના સબ ઈન્સ્પેકટર શંકર સુરેશ…

Read More

નરોડા વિસ્તારના રહેવાસી બંને અમદાવાદ પાસીંગની ઈકો ગાડીમાં જઈ રહ્યા હતા -એલસીબીએ રૂ.ર.૬ર લાખનો મુદ્દામાલ કબજે લીધો(તસ્વીરઃ મગનજીત વણઝારા, હિંમતનગર) હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ખેડ તસીયા રોડથી નવા જતાં રોડ પર આવેલ જૂની નગરપાલિકા કચેરી આગળથી બુધવારે એલસીબીએ બાતમીને આધારે એક શંકાસ્પદ ઈકોને ઝડપી લઈતેમાં તલાશી કરતાં અંદાજે રૂ. ૬ર હજારની કિંમતની વિદેશી દારૂની ર૩પ બોટલ મળી આવતાં એલસીબીએ આ બંનેની અટકાયત કરી પાસ પરમીટ વિનાના દારૂના જથ્થા અને કાર મળી અંદાજે રૂ. ર.૬ર લાખનો મુદ્દામાલ કબજે લઈ બંને વિરૂધ્ધ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવાયો હતો.આ અંગે એલસીબીના પી.આઈ ડી.સી.સાકરીયા તથા સ્ટાફના જણાવાયા મુજબ બુધવારે સવારે તેમનો સ્ટાફ…

Read More

સેશન્સ કોર્ટે અરજી ફગાવતા -પોકસો કેસમાં ખોટી રીતે સંડોવી દેવાની ધમકી આપી લાંચ માંગી હતીપાટણ, પાટણ જિલ્લા પોલીસના નિવૃત્ત એએસઆઈ ઈશ્વર નાગજીભાઈ દેસાઈ (ઉ.વ.૬૧)ની નિયમિત જામની અરજી પાટણની સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. જજ પ્રશાંત એચ.શેઠે આ નિર્ણય સંભાળાવતા તેમનો જેલવાસ લંબાયો છે. તેઓ છેલ્લા છ વર્ષથી એસીબી કેસનો સામનો કરી રહ્યા છે. ઈશ્વભરભાઈ સામે પાટણ એસીબી પોલીસ સ્ટેશનમાં ર૦રપમાં ભ્રષ્ટાચાર નિવારણ હેઠળ ગુનો નોંધાયો હતો. તેમની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે નામંજૂર કરી હતી.સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લીધા બાદ તેઓ ર૭ ઓકટોબર ર૦રપના રોજ તપાસ અધીકારી સમક્ષ હાજર થતાં તેમની અટકાયત કરવામાં આવી હતી. આ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ…

Read More