Author: gujarat

વિદ્યાર્થીઓ અને વિભાગના કર્મીઓ સાથે સીધો સંવાદ કરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યુંઆણંદ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આજે તેમના આણંદ જિલ્લાના પ્રવાસ દરમિયાન આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બસ સ્ટેન્ડમાં ઉપલબ્ધ સુવિધાઓ તથા બસના વિવિધ રૂટ અને તેના આવાગમનના સમય સહિતની બાબતોની જાણકારી મેળવી મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી તેમની જરૂરિયાતોથી માહિતગાર થયા હતા. આ મુલાકાત દરમિયાન આણંદના ધારાસભ્ય શ્રી યોગેશ પટેલે નાયબ મુખ્યમંત્રીશ્રીને નવા બસ સ્ટેન્ડ માટે હાથ ધરવામાં આવનાર વિકાસલક્ષી કામગીરીની ટુંકમાં જાણકરી આપી હતી. તેમજ શ્રી સંઘવીએ આગામી સમયમાં મુસાફરોને આધુનિક સુવિધાઓ મળી…

Read More

Somnath Swabhiman Parv 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન 11 જાન્યુઆરીએ સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે. તેઓ 10 જાન્યુઆરીએ ગુજરાત પહોંચશે અને ત્યારબાદ 12 જાન્યુઆરી સુધી રોકાશે. આ દરમિયાન પીએમ મોદી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પણ પ્રારંભ કરાવશે. પીએમ મોદી ઐતિહાસિક સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે. તેની સાથે ગાંધીનગરમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ સાથે દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા કરશે. વડાપ્રધાન પોતાના ગૃહ રાજ્યના પ્રવાસ દરમિયાન ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત ‘શૌર્ય યાત્રા’નું નેતૃત્વ કરશે. આ એક કિલોમીટર લાંબી યાત્રા હશે જેમાં 108 ઘોડાઓ સામેલ થશે. વડાપ્રધાન મોદી રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનનું ઉદ્ઘાટન પણ કરશે.આખું વર્ષ કાર્યક્રમોનું આયોજન થશેકેબિનેટ મંત્રી…

Read More

અમદાવાદ, શહેરમાં ચોમાસા દરમિયાન મોટાભાગનાં રોડ ઉપર ખાડા પડતાં હોય છે, તે સિવાય પણ સમયાંતરે નાનામોટા ખાડા પડવાની અને રોડની સરફેસ ઘસાઇ જવાની સમસ્યા સર્જાતી હોય છે, તેનાં ઉકેલ માટે મ્યુનિ.ઇજનેર ખાતાએ રોડના ખાડા પૂરવા તેમજ માઇક્રોરિસરફેસ કરવા ૧૩ કરોડનાં કામો રોડ કમિટી સમક્ષ રજૂ કર્યા છે.જોકે તેમાં એક જ કોન્ટ્રાક્ટરને બે મોટા કામો આપવાની દરખાસ્તથી વિવાદ પણ સર્જાયો છે.મ્યુનિ.માંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ચોમાસા સિવાય પણ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર ખાડા પડે છે અને તેના કારણે ખાડા પૂરવા, પૈચવર્ક કરવા, રોડ મીલિંગ કરવા, માઈક્રોરિસરફેસ કરવાની નોબત આવે છે.ઉત્તર ઝોનનાં રખિયાલ-સરસપુર વિસ્તારમાં જુદા જુદા મેઈન રોડના ખાડા પૂરવા માટે જેટ…

Read More

Earthquake in Rajkot Gujarat: પૂર્વોત્તર રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ ગુજરાતમાં પણ કોઈ અઘટિત ઘટનાની આશંકાએ ફફડાટ ફેલાવ્યો છે. ગુજરાતના રાજકોટમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ૧૨ કલાકમાં ચાર વખત આંચકા આવતા સાવચેતીના ભાગરૂપે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ભૂકંપની તીવ્રતા ૨.૭ થી ૩.૮ ની વચ્ચે રહી હતી. ભૂકંપના કારણે ધરતી ધ્રૂજવા છતાં જાન-માલનું કોઈ નુકસાન થયું નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે ૨૪ કલાકમાં સાત વખત ધરતી કાંપી છે. રાજકોટમાં ધરતી ધ્રૂજવાની આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે રાજ્ય સરકારે એક દિવસ પહેલા જ સોમનાથ મંદિરને લઈને ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની શરૂઆત કરી છે. આ કાર્યક્રમના સિલસિલામાં પીએમ…

Read More

અમદાવાદ, શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતી ગત શનિવારે અંબાજી માતાના દર્શન કરવા સારું નીકળ્યા હતા. બીજા દિવસે પાછા આવી રહ્યા હતા ત્યારે તેમની સોસાયટીના ચેરમેને ફોન કરીને જણાવ્યું કે તેમના ઘરમાં ચોરી થઇ છે. બાદમાં વૃદ્ધ દંપતીએ ઘરે પહોંચીને જોતા અંદરના રૂમમાં મુકેલ તિજોરીમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ.૯.૧૩ લાખની મતાની તસ્કરોએ ચોરી કરી હતી.આ અંગે પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઇસનપુર રત્નદીપ સોસાયટીમાં રહેતા વૃદ્ધ દિલીપકુમાર ઠક્કર વ્યવસાયે એલ.આઈ.સી. એજન્ટ છે.ગત તા.૩ જાન્યુઆરીના રોજ વૃદ્ધ તેમની પત્ની અને ડ્રાઈવર સાથે અંબાજી મંદિરે દર્શન કરવા ગયા હતા. બીજા દિવસે સવારે જ્યારે…

Read More

અમદાવાદ, અસલાલીના એક ગામમાં રહેતા યુવકને લૂંટેરી દુલ્હનનો ભેટો થયો હતો. આ યુવકને ધોળકા અને વડોદરાની મહિલા એજન્ટે એક યુવતી સાથે પરિચય કરાવ્યો હતો અને બાદમાં લગ્ન કરનાર યુવતીના પિતાને લકવો હોવાથી સારવારનો ખર્ચ અને ખરીદી પેટે ૨.૨૫ લાખ પડાવ્યા હતા.જ્યારે યુવક યુવતી કોર્ટમાં લગ્ન માટે ગયા ત્યારે સર્ટિફિકેટમાં ખામી હોવાનું કહીને માત્ર ફુલહાર કર્યા હતા. આમ, મહિલા એજન્ટોએ રજિસ્ટર્ડ મેરેજ ન કરાવીને યુવતીને પરત લઇ ગયા હતા. બાદમાં યુવતી બીમાર હોવાનું નાટક કરીને યુવકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. યુવકે નાણાં અને યુવતી બંનેને ગુમાવી દેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા અસલાલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ…

Read More

આણંદ, આંકલાવ તાલુકાના અંબાવ ગામના શખ્સને જીવતો સળગાવી દેવાના પ્રયાસના બનાવમાં ફરિયાદી દ્વારા જાતે જ સળગવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ અને ઘટના વખતે હાજર કેટલાક લોકોના નિવેદોનો પણ પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે.આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામે રહેતા ભરતભાઈ ફુલસિંહ પઢિયારે અંબાવ ખાતે પોતાના શરીર ઉપર કોઈ જ્વલન પદાર્થ છાંટીને જાતે દીવાસળી ચાંપી આગ લગાડતા શરીરને દાઝી ગયા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. બનાવ વખતે ત્યાં હાજર ભરતભાઈના પુત્ર કેવલ ભરતભાઈ પઢીયાર તેમને બચાવવા જતા તે પણ દાઝી ગયા હતા. બંનેને સ્થાનિક લોકોએ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.ઇજાગ્રસ્ત ભરતભાઈ પઢિયારે…

Read More

મહેસાણા, મહેસાણાના ગાંધીનગર લિન્ક રોડ નજીક નર્મદાના પાણીના ૫૦ લાખ લિટરના સમ્પ પાસે જ ભૂગર્ભગટરનું પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે વિસ્તારના રહીશોએ સોમવારે રેલી કાઢીને રજૂઆત કરી હતી.મહેસાણાના ગાંધીનગર લિન્ક રોડ, માનવઆશ્રમ સહિત વિસ્તારની ૩૦૦ જેટલી સોસાયટીઓના ૫૦ હજારથી વધુ લોકોને ખારી નદી પાસે બનાવેલા વોટર વર્ક્સ હેડ ખાતેના ૫૦ લાખ લિટર ક્ષમતાના સમ્પમાંથી નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જે વોટર વર્ક્સ હેડના કમ્પાઉન્ડમાં જ જીયુડીસી દ્વારા ભૂગર્ભગટરના ગંદા માટેનું પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે.જેના વિરોધમાં વિસ્તારની હિત રક્ષક સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત રહીશોએ એકઠા થઈને રેલી કાઢી મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા અને સામે ઉગ્ર…

Read More

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા કોર્ટના ઈ મેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભરૂચનું પોલીસ તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક કોર્ટ સંકુલમાં આવી બોમ્બ તેમજ ડોગ સ્ક્વોર્ડની મદદથી તપાસ હાથ ધરાઈ હતી અને સુરક્ષાને ધ્યાને લઈ કોર્ટ સંકુલ સહિત આસપાસની તમામ કચેરીઓ ખાલી કરાવવામાં આવી હતી.જોકે આ અફવા હોવાથી ઈ મેલ કરનાર ઈસમ સામે ગુનો નોંધી પોલીસે તેની સામે કાર્યવાહી હાથધરી હતી.ગુજરાતની વિવિધ કોર્ટોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ ભરૂચ જીલ્લા કોર્ટને પણ આવી જ ધમકી મળતા સમગ્ર તંત્રમાં હડકંપ મચી ગયો હતો.ભરૂચ જીલ્લા કોર્ટના અધિકૃત ઈ મેલ આઈડી પર અજાણ્યા ઈસમ દ્વારા ધમકીભર્યો ઈ મેલ મોકલવામાં આવ્યો…

Read More

(પ્રતિનિધિ) નડિયાદ, નડીઆદ મહાનગરપાલિકા ટીમે પીપલગ ગામે નેશનલ હાઇવે નંબર ૪૮ પર ના એ.પી.એમ.સી. માર્કેટમાં આવેલી કાકા પાન નામ ની દુકાન પર દરોડા પાડી અંદાજે ૩૫૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્‌યો છે અને મનપા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે દુકાનને સીલ મારી દેવામાં આવ્યું છે.મળતી માહિતી મુજબ નડીઆદ મહાનગરપાલિકાના સેનેટરી વિભાગ દ્વારા શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણને નુકસાન કરતા પ્લાસ્ટિક પર અંકુશ મેળવવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.જે અંતર્ગત આજે તારીખ ૫ જાન્યુઆરીના રોજ મહાનગરપાલિકા સેનેટરી વિભાગના સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી વિવિધ વ્યાપારી એકમોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.આ દરમિયાન પીપલગ વિસ્તારમાં આવેલી એ.પી.એમ.સી.…

Read More