ગુજરાતની અદાલતોને આરડીએકસથી ઉડાવી દેવાની ધમકી-પોલીસ દોડતી થઈઃ સઘન તપાસ કરવા પોલીસને કોર્ટનો આદેશઅમદાવાદ, ગુજરાતમાં સરકારી સંસ્થાઓને નિશાન બનાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મોડી રાત્રે ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચ અને આણંદની અદાલતોને RDX વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર રાજ્યના સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.વિદેશી ધરતી પરથી મોકલવામાં આવેલા આ ધમકીભર્યા ઈ-મેઈલને પગલે તમામ અદાલતોમાં પ્રવેશબંધી લાદી દેવામાં આવી છે અને હજારો વકીલો તથા અસીલોને સલામત સ્થળે ખસેડી ન્યાયિક કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે.મળતી વિગતો અનુસાર, સોમવારે રાત્રે આશરે ૨ઃ૦૦ વાગ્યે અજાણ્યા શખસ દ્વારા અદાલતોના સત્તાવાર મેઈલ આઈડી પર અંગ્રેજીમાં ધમકીભર્યો પત્ર મોકલવામાં આવ્યો હતો.…
Author: gujarat
(એજન્સી)અમદાવાદ, અસલાલીના એક ગામમાં રહેતા યુવકને લૂંટેરી દુલ્હનનો ભેટો થયો હતો. આ યુવકને ધોળકા અને વડોદરાની મહિલા એજન્ટે એક યુવતી સાથે પરિચય કરાવ્યો હતો અને બાદમાં લગ્ન કરનાર યુવતીના પિતાને લકવો હોવાથી સારવારનો ખર્ચ અને ખરીદી પેટે ૨.૨૫ લાખ પડાવ્યા હતા.જ્યારે યુવક યુવતી કોર્ટમાં લગ્ન માટે ગયા ત્યારે સર્ટિફિકેટમાં ખામી હોવાનું કહીને માત્ર ફુલહાર કર્યા હતા. આમ, મહિલા એજન્ટોએ રજિસ્ટર્ડ મેરેજ ન કરાવીને યુવતીને પરત લઇ ગયા હતા. બાદમાં યુવતી બીમાર હોવાનું નાટક કરીને યુવકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.યુવકે નાણાં અને યુવતી બંનેને ગુમાવી દેતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા અસલાલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી…
(એજન્સી)ગાંધીનગર, રાજયમાં ૧પ મીટરની ઉંચાઈના બાંધકામ માટે ર૦ર૬ના વર્ષથી ફકત ઓનલાઈન ડેવલોપમેન્ટ પરમીશનની પ્રક્રિયા જ કરવામાં આવશે અને કોઈપણ દસ્તાવેજોની હાર્ડ કોપી આપવાની જરૂર નથી.ઝડપથી બાંધકામના વિકાસ અને વપરાશની મંજુરી મળે તે માટે હવે આ નિર્ણયનો ચુસ્ત અમલ કરવામાં આવશે. શહેરી વિકાસ વિભાગ અંતર્ગત મુખ્ય નગર નિયોજકની કચેરી દ્વારા તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા અને શહેરી સહીતના વિકાસ સત્તામંડળને આ સુચના આપવામાં આવી છે. મુખ્ય નગર નિયોજકની કચેરી દ્વારાશ અગાઉ પણ આ પ્કારની સુચના આપવામાં આવી હતીપરંતુ હવે ૧-૧-ર૦ર૬થી તેનો ચુસ્ત અમલ કરવા તાકીદ કરવામાં આવી છે. તે મુજબ૧પ મીટરની ઉચાઈ ધરાવતા બાંધકામ માટે ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન ર.૦ની કાર્યપદ્ધતી અનુસારવાની રહેશે.જેમાં ૧પ…
આ વર્ષે રાજકોટ, સુરતના વકીલો પણ ઉમેદવારી નોંધાવશે તેવી ચર્ચા -સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે ૩૦% બેઠકો મહિલાઓ માટે અનામત રખાઈ(એજન્સી)અમદાવાદ, સ્ટેટ બાર કાઉન્સલની દર પાંચ વર્ષે યોજાતી ચુંટણી આ વર્ષે ૬ માર્ચે યોજાશે. પરંતુ અત્યારની જ ઉમેદવારી નોધાયેલા વકીલો દ્વારા ત્તૈયારી શરૂ કરી દેવાઈ છે. રાજયના વકીલોની સર્વોચ્ચ સંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીનું સત્તાવાર જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે. આ વખતે કુલ રપ માંતી ર૩ બેઠકો માટે ચુંટણી પ્રક્રિયા હાથ ધરાશે.સુપ્રીમ કોર્ટના ચુકાદાને અધારે આ વખતે મહીલા પ્રતીનીધીત્વ પર વિશેષ ભાર મુકાયો છે. કુલ બેઠકોના ૩૦% મહિલાઓ માટે અનામત રખાઈ છે. જેમાંથી ર૦% બેઠકો ચુંટણી દ્વારા અને ૧૦%…
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ પશ્ચિમ પોલીસ મથકની હદમાં આવેલ અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ સંચાલિત અનુસૂચિત જાતિની યુવતીઓના સરકારી છાત્રાલયમાં સુરક્ષાનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.છેલ્લા ઘણા દિવસોથી અસામાજિક તત્વો દ્વારા રાત્રિના સમયે અહીં અભ્યાસ કરતી દીકરીઓની પજવણી કરવામાં આવી રહી હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ જ જડબેસલાક કાર્યવાહી કરવામાં ન આવતા રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકને અનુસૂચિત જાતિના કોંગ્રેસના મહામંત્રી દિનેશ રાઠોડ સહિત ભેગા થઈને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ?નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલી સરકારી…
ઝઘડિયાના નાનાસાંજા ત્રણ રસ્તાથી ગોવાલી મુલદ સુધીના માર્ગની કામગીરી પુર્ણ ક્યારે થશે?(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચથી ઝઘડિયાને જોડતો વાયા નાના સાંજા ગોવાલી ધોરીમાર્ગ ઝઘડિયા તાલુકાના મુલદ ગામ નજીક ધોરીમાર્ગ સાથે જોડાય છે.આ ધોરીમાર્ગ નાનાસાંજા ત્રણ રસ્તા પર અંકલેશ્વર ઝઘડિયા રાજપીપલાને જોડતા ધોરીમાર્ગ સાથે જોડાય છે.એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ ધોરીમાર્ગ મહત્વનો ધોરીમાર્ગ હોઇ ચોવીસ કલાક વાહનોની રફતારથી ધબકતો રહે છે. નાનાસાંજા ત્રણ રસ્તાથી ગોવાલી મુલદ સુધીનો માર્ગ બિસ્માર બનતા તેનું નવીનીકરણ કરવાની કામગીરી હાલ ચાલું છે. આ કામગીરી શરૂ થયે લગભગ દોઢેક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં માર્ગની કામગીરી હજુ પુર્ણ નથી થઈતેને લઈને લોકોને પડતી…
Ahmedabad International Kite Festival 2026: મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના આંગણે ફરી એકવાર વિશ્વસ્તરીય પતંગ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. આગામી ૧૨ થી ૧૪ જાન્યુઆરી દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર આ ‘ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ’માં આ વર્ષે દેશ-વિદેશના મહાનુભાવોની હાજરી આકર્ષણનું કેન્દ્ર બનશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહોત્સવનું ઉદ્ઘાટન કરે તેવી પ્રબળ શક્યતા છે, જ્યારે જર્મનીના ચાન્સેલર પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી શકે છે.વડાપ્રધાન મોદી ૧૧ જાન્યુઆરીથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરે તેવું પણ આયોજન છે. પીએમની મુલાકાતને પગલે અમદાવાદ અને રિવરફ્રન્ટ વિસ્તારમાં સુરક્ષા…
સુરતના દરિયામાં ડીઝલ ચોરીનું રેકેટ ઝડપાયું-૧૪,ર૦૦ લિટર શંકાસ્પદ ડીઝલ જપ્ત કરાયુંઃ રેકેટ ચલાવતા ત્રણ મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા ચક્રો ગતિમાનસુરત, સુરતના દરિયાઈ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરતા સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગવિયર ગામ નજીક તાપી નદીના મુખ અને દરિયાની વચ્ચે આવેલા કેડિયા ટાપુ પરથી છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા વિશાળ ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે.મધરાતના અંધકારમાં દરિયામાં ઊભેલા મોટા જહાજોમાંથી ઇલેક્ટિÙક મોટરની મદદથી ડીઝલ ચોરી કરવાની આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એટલી ખતરનાક અને સુવ્યવસ્થિત હતી કે ભલભલા સુરક્ષા તંત્રને પણ ગોથે ચઢાવી દે તેવી હતી. દુર્ગમ કેડિયા ટાપુ બન્યો ચોરીનું મુખ્ય…
MP Assets Analysis Gujarat 2026: દેશમાં વર્ષ ૨૦૧૪થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ (NDA) સરકાર કાર્યરત છે. આ ૧૦ વર્ષના શાસનકાળ દરમિયાન લોકસભામાં રિપીટ થયેલા સાંસદોની આર્થિક સ્થિતિમાં કેવો બદલાવ આવ્યો છે, તેનો એક વિસ્તૃત અહેવાલ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરાયેલા સોગંદનામાના આધારે તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં ગુજરાતના સાંસદોની સંપત્તિ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.ગુજરાતના સાંસદોની સંપત્તિમાં તોતિંગ વધારોરિપોર્ટ અનુસાર, ૨૦૧૪ થી ૨૦૨૪ દરમિયાન ગુજરાતમાં રિપીટ થયેલા મોટાભાગના સાંસદોની મિલકતમાં કરોડોનો વધારો થયો છે. ખાસ કરીને જામનગરના સાંસદ પૂનમબેન માડમની સંપત્તિમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે. ૨૦૧૪માં તેમની…
સત્તાવાળા દ્વારા માપણી કર્યા વિના દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હોવાથી વિવાદઅમદાવાદ, પાલનપુરમાં કથિત દબાણ દૂર કરવાની કાર્યવાહી પર હાઈકોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે. સત્તાવાળા દ્વારા માપણી કર્યા વિના દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હોવાથી સમગ્ર વિવાદ ઉભો થયો છે.ડિસેમ્બર ર૦રપમાં ગામતળની જમીન પર ગેરકાયદે દબાણનો આરોપ લગાવતાં અરજદારોને વ્યક્તિગત રીતે જારી કરાયેલી નોટિસ્ને પડકારતી અરજી પર હાઈકોર્ટે સીનાવણી કરી હતી. જેમાં હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે જયારે વિવાદીત વિસ્તાર માપવામાં આવ્યો નહતો અને અરજદારો પાસે ફાળવણી દસ્તાવેજનો કબજો હતો ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ અયોગ્ય વર્તન કર્યું હતું.હાઈકોર્ટે એમ પણ અવલોકન કર્યું હતું કે ગૌચરની જમીન પર દબાણનો…
