Author: gujarat

Acharya Devvrat Govt Bus Ride: ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (૬૬) નો ફરી એકવાર ‘કોમન મેન’ અવતાર સામે આવ્યો છે. સી.પી. રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ બનતા જ્યારે તેમને મહારાષ્ટ્રનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો, ત્યારે પણ તેઓ ટ્રેન દ્વારા મુંબઈ ગયા હતા. તેમણે ત્યાં જઈને કાર્યભાર ગ્રહણ કર્યો હતો. ગુજરાતમાં સાચા અર્થમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘લોકભવન’ ની કલ્પનાને સાર્થક કરી રહેલા દેવવ્રત બુધવારે ગાંધીનગરના સોલૈયા ગામે રાજ્ય સરકારની સરકારી બસમાં ગયા હતા. આ દરમિયાન તેમણે સામાન્ય મુસાફરોની જેમ જ કંડક્ટર પાસેથી ટિકિટ પણ લીધી હતી. જ્યારે તેમણે રાજ્યપાલ હોવા છતાં મહિલા કંડક્ટર પાસેથી ટિકિટ માંગી ત્યારે સૌ દંગ રહી ગયા હતા.બસ…

Read More

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા પોલીસ મથક દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી થનારા અકસ્માતોને અટકાવવા માટે સરાહનીય અને જનહિતકારી પહેલ હાથ ધરવામાં આવી છે.બાઇક તથા અન્ય દ્વિચક્રી વાહન ચાલકોને પતંગની દોરીથી ગળા અને ચહેરા પર થતી ગંભીર ઇજાઓથી બચાવવા માટે વાહનોમાં ખાસ સળિયો (સેફ્‌ટી રોડ) લગાવી આપવામાં આવ્યો. વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા, સાવચેત રહેવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજણ આપવામાં આવી હતી. (તસ્વીરઃ-મોહસીન વહોરા, સેવાલીયા)

Read More

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક સાહેબ શ્રી સાબરકાંઠા ડો.પાર્થરાજસીંહ ગોહીલનાઓએ સાબરકાંઠા જીલ્લામાં ચાઈનીઝ દોરીના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે સંદર્ભે ઇડર વિભાગીય પોલીસ અધિકારીશ્રી સ્મીત ગોહીલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ ડી.આર.પઢેરીયા તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસ કાર્યરત રહેલ.જે દરમિયાન તા.૦૫/૦૧/૨૦૨૫ ના રોજ ડી-સ્ટાફના માણસો કે.એલ. જાડેજા પીએસઆઇ વડાલી, અહેકો હીરણસિંહ જગતસિંહ, અપોકો સુરેશસિહ જગતસિંહ, તથા અપકો નરેશકુમાર મોતીભાઈ હાલ અગામી સમયમાં આવતા ઉતરાયણના તહેવાર અનુસંધાને ગેર કાયદેસર રિતે ચાઇના દોરીનું વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ જીલ્લા.મેજી. સા.શ્રી સાબરકાંઠા-હિંમતનગર નાઓએ જાહેરનામાની…

Read More

(એજન્સી) જામનગર, જામનગર-લાલપુર ધોરીમાર્ગ જાણે યમરાજનો માર્ગ બની રહ્યો હોય તેમ મધરાત્રે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો છે. રસ્તા પર ઉભા રહી પોતાની ગાડીનું ટાયર બદલી રહેલા ચાર વ્યક્તિઓને પાછળથી પૂરપાટ ઝડપે આવતી અન્ય એક બોલેરોએ અડફેટે લેતા ત્રણના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.આ અકસ્માત એટલો ભયાનક હતો કે હાઇવે રોડ મરણ ચિચિયારીઓથી ગુંજી ઉઠ્‌યો હતો. મળતી વિગતો મુજબ, લાલપુર તાલુકાના ખાયડી ગામના કમલેશભાઈ નારણભાઈ ગાગીયા (ઉં.વ. ૩૬), શ્રુદીપ દિનેશભાઈ ગોજીયા (ઉં.વ. ૧૬), ભરત લખમણભાઈ ડાંગર (ઉં.વ. ૨૧) અને શ્યામભાઈ અશોકભાઈ ગાગીયા (ઉં.વ. ૧૬) પોતાની બોલેરો (ય્ત્ન-૨૫-ેં-૫૮૦૩) માં જઈ રહ્યા હતા.સણોસરા ગામના પાટિયા પાસે રાત્રિના ૧૨ વાગ્યાના અરસામાં તેમની ગાડીનું…

Read More

ગાંધીનગરના ગિફટ સિટી વિસ્તારમાં ગટરમાં પડેલા ૬ વર્ષના બાળકનું મોત -સીપીઆર આપ્યું છતાં ન બચ્યો જીવ(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરમાં આવેલી ગિફ્‌ટ સિટી વિસ્તારમાં ૬ જાન્યુઆરી એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. ફાયર સ્ટેશન પાછળ આવેલી લેબર કોલોનીમાં રમતા-રમતા એક ૬ વર્ષીય માસૂમ બાળક બોરવેલ જેવી ઊંડી ગટરમાં ખાબક્યું હતું.ઘટનાની જાણ થતા જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બાળકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્‌યું હતું, પરંતુ કમનસીબે બાળકે દમ તોડ્‌યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. ઝારખંડના શ્રમિક પરિવારનો બાળક પ્રિયાંશ રાજકુમાર રામ રમતા રમતા ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયો હતો.પ્રિયાંશ ગટરમાં પડતા…

Read More

અમદાવાદ: ગુજરાતીઓમાં વિદેશ જવાનો મોહ સતત વધી રહ્યો છે. ભલે અમેરિકામાં વિઝા નિયમો કડક થયા હોય, પણ હવે ગુજરાતી યુવાનો કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશો તરફ વળ્યા છે. અમદાવાદ રિજયોનલ પાસપોર્ટ ઓફિસ (RPO) ના આંકડા મુજબ, વર્ષ 2025માં દર બે મિનિટે સરેરાશ ત્રણ પાસપોર્ટ અરજીઓ મળી હતી.પાસપોર્ટ સેવા પ્રોગ્રામ 2.0 અને ઈ-પાસપોર્ટની શરૂઆત19 મે, 2025 થી અમદાવાદમાં ‘પાસપોર્ટ સેવા પ્રોગ્રામ 2.0’ અમલી બનાવવામાં આવ્યો છે. આ નવી સિસ્ટમ હેઠળ:RPO દ્વારા ગુજરાત યુનિવર્સિટી અને અન્ય કોલેજોમાં ખાસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી પ્રક્રિયા અને દસ્તાવેજો વિશે જાગૃત કરવાનો હતો. આ ઉપરાંત, દસ્તાવેજોની ચકાસણી માટે ડિજીલોકર…

Read More

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના સબ ડિવિઝન રેલવે હોસ્પિટલ, ગાંધીધામમાં05જાન્યુઆરી2026ના રોજ પ્રથમ વાર ટોટલ ની રિપ્લેસમેન્ટ(TKR)સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી.આ મૂશ્કેલ ઑપરેશન56વર્ષના મહિલા રેલવે લાભાર્થીનું સબ ડિવિઝન રેલવે હોસ્પિટલ, ગાંધીધામના અતિઆધુનિક ઑપરેશન થિયેટરમાં કરવામાં આવ્યું. કેસ-ટૂ-કેસ આધાર પર નિમાયેલા ઑર્થોપેડિક સર્જન અને એનેસ્થેટિસ્ટની નિષ્ણાંત ટીમ દ્વારા આ સર્જરી પૂર્ણપણે સુરક્ષિત, સુગમ અને સફળતાપૂર્વક કરવામાં આવી.આ મહત્વપૂર્ણ સિદ્ધિ ડૉ. રમેશ જાંગિડ, ડિવિઝનલ મેડિકલ ઓફિસર(DMO),ગાંધીધામના માર્ગદર્શનમાં પ્રાપ્ત થઈ છે, જે સબ-ડિવિઝન રેલવે હોસ્પિટલ, ગાંધીધામમાં અપગ્રેડેડ ઑર્થોપેડિક સેવાઓના સુદ્રઢીકરણની દિશામાં એક મોટું પગલું છે. આ પહેલથી ભવિષ્યમાં રેલવે લાભાર્થીઓને ઉચ્ચ સ્તરની મેડિકલ સુવિધાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થઈ શકશે.અમદાવાદ મંડળ, પશ્ચિમ રેલવે દ્વારા સ્વાસ્થ્ય સેવાઓના સતત…

Read More

IAS Arun Mahesh Babu: “ક્યાં છો ભાઈ? કમિશનર સાહેબ આવી ગયા છે!” – જી હા, વડોદરામાં બુધવારે કંઈક આવું જ જોવા મળ્યું, જ્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અચાનક વોર્ડ ઓફિસમાં ધસી ગયા. કમિશનરના આ ઓચિંતા નિરીક્ષણને કારણે નીચેથી ઉપર સુધીના સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ચા-પાણી માટે બહાર નીકળેલા કર્મચારીઓ અને અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કમિશનર માત્ર વોર્ડ ઓફિસ ગયા જ નહીં, પણ ત્યાં જઈને વોર્ડ ઓફિસરના કામકાજના રેકોર્ડ પણ તપાસ્યા. તેમણે સ્ટાફને ચેતવણી આપતા કહ્યું કે, બેદરકારી અને ગેરહાજરી કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. છેલ્લા કેટલાક વર્ષોમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે વડોદરાના…

Read More

રાજ્યભરમાં મતદારો માટે તા.3 અને 4 જાન્યુઆરીના રોજ યોજાયેલા ખાસ કેમ્પને વ્યાપક પ્રતિસાદનવા મતદાર તરીકે જોડાવા, નામ કમી કરાવવા કે ટ્રાન્સફર અથવા સુધારા માટેના ફોર્મ ભરવા માટે નાગરિકોનો અભુતપૂર્વ ઉત્સાહભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.હવે તા. 18 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા…

Read More

અમદાવાદમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના આદેશાનુસાર ઓઢવ પોલીસ દ્વારા આરોપીઓને હાજર થવા આદેશ કરતુ જાહેરનામુંઅમદાવાદ, ક્રીમીનલ પ્રોસીજર કોડ (CRPC1973)ની કલમ- ૮૨ હેઠળ આરોપી આફતાબ ઉર્ફે અલ્તાફ ઉર્ફે કાલુ સ/ઓ આમીરાઅલી સાગીરલી ઉમર વર્ષ ૧૮ છે, ચંડોળા તળાવના છાપરા બી.ગલી શાહઆલમ ઈસનપુરમાં રહે છે. અમદાવાદ શહેર દ્રારા ઓઢવ પોલીસ સ્ટેશન ફ.ગુ.૨નં.૧૮૬/૨૦૧૯ ધી ઈ.પી.કો.કલમ ૩૭૯(એ)(૩)અનુસાર સજાપાત્ર ગુનો કરેલ છે, (અથવા એવો ગુનો કરેલ હોય તેવો શક છે) અને તેના ઉપર કાઢવામા આવેલ ગિરફતારીનું વોરંટ એવા શેરા સહિત પાછુ આવેલ છે કે ઉપર જણાવેલ આરોપી મળી આવતો નથી અને નામદાર કોર્ટે ખાતરી કરાવતા આરોપી આકૃતાબ ઉર્ફે અલ્તાફ ઉર્ફે કાલુ સ/ઓ આમીરાઅલી સાગીરલી…

Read More