Author: gujarat

Anant Ambani Salangpur Hanumanji Temple: વર્ષ ૨૦૨૫ માં વનતારા અને પોતાની પદયાત્રાને કારણે સુરખીઓમાં રહેલા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ફરી સુરખીઓમાં છે. ગુજરાતમાં સોમનાથ મંદિરે નવા વર્ષ પર મુકેશ અંબાણીએ પરિવાર સાથે પૂજા કરીને દાદાના આશીર્વાદ લીધા હતા. સોમનાથ દાદાની આગળ શીશ ઝુકાવ્યા બાદ અનંત અંબાણી પોતાના પિતા મુકેશ અંબાણી સાથે બોટાદના સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે પહોંચ્યા હતા. અનંત અંબાણીએ પિતા સાથે હનુમાન દાદાના ચરણોમાં માથું ટેકવીને આશીર્વાદ લીધા. વિધિ-વિધાનથી પૂજા કર્યા બાદ અંબાણીએ મંદિર ટ્રસ્ટને પાંચ કરોડની મોટી રાશિ ડોનેટ કરી. અનંત અંબાણી દ્વારા આપવામાં આવેલી ધનરાશિ મંદિરના વિકાસ અને ભક્તોની સુવિધાઓ પર ખર્ચ…

Read More

અત્યાધુનિક પ્રોસ્થેટિક પગની મદદથી હવે ગજવશે મેદાનબનાસકાંઠા: ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ વિસ્તારના જેતડા ગામના પેરા-એથલીટ ગગદાસ પરમારને ગુજરાત સરકાર તરફથી મહત્વની સહાય પ્રાપ્ત થઈ છે. વર્ષ 2017માં કરંટ લાગવાના એક ગંભીર અકસ્માતમાં ગગદાસે પોતાના બંને પગ ગુમાવ્યા હતા. જોકે, તેમની હિંમતને દાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશથી CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) હેઠળ તેમને 14 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.અત્યાધુનિક પગ સાથે નવી ઉડાન આ સહાયની રકમમાંથી ગગદાસને અત્યાધુનિક ‘હાઈ-સ્પીડ પ્રોસ્થેટિક’ (કૃત્રિમ) પગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. નવા પ્રોસ્થેટિક પગ મળ્યા બાદ ગગદાસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શનનું લક્ષ્ય હાલમાં…

Read More

Gujarat BJP New Organization Team: વર્ષ 2025ના અંતમાં ભાજપે સી.આર. પાટીલના સ્થાને જગદીશ પંચાલને પ્રદેશ પ્રમુખ બનાવ્યા બાદ સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. નવા પ્રમુખની નિમણૂક સાથે જ તેમની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. આ ટીમમાં અનુભવ અને જૂના સંગઠનના ચહેરાઓને ફરી મહત્વ આપવામાં આવ્યું છે. બદલાતી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ રચના કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.જૂના જોગીઓની વાપસીથી કાર્યકર્તાઓમાં સંદેશનવી ટીમમાં ફરી એકવાર સંગઠનના અનુભવી અને જૂના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ઘણા સમયથી સાઈડલાઈન થયેલા નેતાઓને મહત્વપૂર્ણ પદો મળ્યા છે. સંગઠનના તળિયાના કાર્યકર્તાઓ સુધી એક સકારાત્મક સંદેશ પહોંચે તે હેતુ આ નિર્ણય પાછળ હોવાનું કહેવાય…

Read More

અમદાવાદ, ગુજરાતમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા જ રાજ્યભરમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં બદલાયેલા હવામાનની અસર હવે ગુજરાત પર પણ વર્તાઈ રહી છે. હાલ રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે પરોઢિયે અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન મુજબ, હાલ ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વાતાવરણ શુષ્ક રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા પણ નીચે પહોંચી ગયું છે. જોકે, આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ધીમે-ધીમે…

Read More

Bagdana History Conflict: ૧૯૪૦ના દાયકાની શરૂઆતમાં જ્યારે બજરંગદાસ બાપા બગદાણા પહોંચ્યા, ત્યારે આ સ્થળ કોઈ ધાર્મિક કેન્દ્ર તરીકે ઓળખાતું નહોતું. ત્યાં ન મંદિર હતું, ન સંસ્થા હતી અને ન કોઈ વ્યવસ્થિત માળખું હાજર હતું. એકાંતમાં રહેતો એક રામાનંદી સાધુ જ આ વિસ્તારની ઓળખ હતો. તેમણે સમાજની માન્યતાઓ, ઓળખ અને સત્તાથી દૂર રહી જીવન પસંદ કર્યું હતું.ભક્તિમાંથી વિકસેલું તીર્થસ્થાનસમયની સાથે બગદાણા એક શાંતિભર્યા આશ્રમમાંથી વિશાળ તીર્થસ્થાનમાં પરિવર્તિત થયું. આઠ દાયકામાં અહીં ભક્તોની સંખ્યા વધી, માળખાં ઊભાં થયા અને વ્યવસ્થા વિકસતી ગઈ. આજે બગદાણા ગુજરાતના પ્રભાવશાળી ધાર્મિક સ્થળોમાં સ્થાન પામે છે. પરંતુ આ વિસ્તરણ સાથે કેટલાક પ્રશ્નો અને વિવાદો પણ સામે આવ્યા…

Read More

રાજ્યપાલશ્રીના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ રાજકોટના ટ્રસ્ટી શ્રી મનુભાઈ પટોલિયા દ્વારા લિખિત ‘From Startups to Success’પુસ્તકનું વિમોચનરાજકોટ, ગાંધીનગર લોકભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ રાજકોટના ટ્રસ્ટી શ્રી મનુભાઈ પટોલિયા દ્વારા લિખિત ‘From Startups to Success’પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ તકે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે,જીવનમાં સફળતા માત્ર આર્થિક પ્રગતિ સુધી જ સિમિત નથી પરંતુ સંસ્કાર,નૈતિકતા અને માનવીય મૂલ્યોનું જતન પણ એટલું જ જરૂરી છે. ગ્રામ્ય જીવનમાંથી આગળ વધીને વૈશ્વિક સ્તરે સફળતા પ્રાપ્ત કરનાર શ્રી મનુભાઈ પટોલિયાનું જીવન યુવા પેઢી માટે પ્રેરણાદાયક છે. તેમના 72 વર્ષના અનુભવોના આધારે લખાયેલ ‘ફ્રોમ સ્ટાર્ટઅપ ટુ સક્સેસ’ પુસ્તક સંઘર્ષ કરતા યુવાનોને સાચી દિશા અને…

Read More

અમદાવાદ-ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજ પર તિરાડો હોવા અંગેના અહેવાલ અંગે સ્પષ્ટતાઅમદાવાદ, તાજેતરમાં વિવિધ માધ્યમોમાં અમદાવાદ-ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજ પર તિરાડો હોવા અંગેના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે, જે બાબતે પાટનગર યોજના વિભાગ-૩ ના કાર્યપાલક ઇજનેરશ્રી તથા પેટા વિભાગ-૧૮ ના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા સંયુક્ત રૂબરૂ ચકાસણી કરતા માલુમ પડેલ છે કે ન્યૂઝમાં દર્શાવેલ વિગતો તદ્દન ખોટી અને ભ્રામક છે.વાસ્તવમાં જેને તિરાડ ગણાવવામાં આવી રહી છે તે કોઈ સ્ટ્રક્ચરલ ક્ષતિ નથી પરંતુ બ્રિજના બે સ્પાન વચ્ચે રાખવામાં આવેલ ‘એક્સપાન્શન જોઈન્ટ’ છે, જે ઋતુ મુજબ તાપમાનમાં થતા ફેરફારને કારણે મટીરીયલમાં થતી વધઘટને નિવારવા માટે સિવિલ એન્જિનિયરિંગના નિયમ મુજબ મૂકવામાં આવે છે.આ બ્રિજની વિભાગ…

Read More

રાજ્યના વિવિધ જળ પ્લાવિત વિસ્તારોમાં વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજે કુલ ૮.૩૩ લાખથી વધુ પક્ષીઓ બન્યા ગુજરાતના મહેમાનØ ખિજડીયા પક્ષી અભયારણ્યમાં ૩૩૪ પ્રજાતિઓના ત્રણ લાખથી વધુ પક્ષીઓ નોંધાયાØ નળ અને થોળ પક્ષી અભયારણ્યમાં અંદાજે કુલ ૪.૬૭ લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યાØ વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં ૫૪ હજારથી વધુ પક્ષીઓ નોંધાયાØ કચ્છ વિસ્તારમાં વર્ષ ૨૦૨૫માં અંદાજે ૨,૫૬૪ પક્ષીઓ જોવા મળ્યાસમગ્ર વિશ્વમાં આશરે ૯,૦૦૦ જેટલા વિવિધ જાતિના પક્ષીઓમાંથી ૧,૨૦૦ જાતિના પક્ષીઓ ભારતમાં જોવા મળે છે. જેમાંથી ૪૦૦થી વધુ પ્રજાતિઓ પરદેશી પ્રવાસી પંખીઓની છે. આ યાયાવર પક્ષીઓ સાયબીરીયા, પૂર્વ યુરોપ,ઉત્તર અને મધ્ય એશિયામાંથી ગુજરાત સહિત ભારતમાં આવે છે.રાજ્યમાં પક્ષી-પ્રાણી સૃષ્ટિના સંરક્ષણ અને સંવર્ધનની સાથે પર્યાવરણના જતન…

Read More

મુખ્યમંત્રીના વિશેષ પ્રયાસોથી એડવાન્સ પ્રોસ્થેટિક પગ પ્રાપ્ત કરનાર ગગદાસ પરમાર જુએ છે ઓલિમ્પિકનું સપનુંઅમદાવાદ, ગગદાસ પરમારના બન્ને પગ કપાઈ ગયા હોવા છતાં આજે આ યુવાનની આંખોમાં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું રમે છે. આ શક્ય બન્યું છે ગગદાસના સાહસ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સાથ-સહકારથી.ગગદાસ રોજ સવારે100અને200મીટર રેસની તૈયારી કરી રહ્યો હોય છે ત્યારે તેના મનમાં એક જ સંકલ્પ હોય છે – ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને રાજ્યને ગૌરવ અપાવવું.દિવ્યાંગ ગગદાસ પરમારની કરુણ કહાણી તેના પોતાના આત્મવિશ્વાસ,પરિવારની હૂંફ અને સરકારના સાથ-સહયોગથી પ્રેરણાદાયક કથામાં પરિવર્તિત રહી છે.ગગદાસના સપના કોઈ શેખચલ્લીનાં સપનાં નથી,કારણ કે તે રાષ્ટ્રીય સ્તરે સ્વર્ણ અને કાંસ્ય પદક જીતી લાવ્યો…

Read More