Author: gujarat

અમદાવાદ, નિકોલ વિસ્તારમાં માતા અને ભાઈ સાથે રહેતી યુવતી ખાનગી કોલેજમાં અભ્યાસ કરે છે અને તે મિત્ર મારફતે એક પરિણીત યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે લગ્ન કરવાની લાલચ આપી યુવતીને અનેક વખત આબુ, ઉદેપુર, મહારાષ્ટ્ર અને ગોવાના મોંઘાદાટ રિસોર્ટ તથા હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.આ ઉપરાંત આરોપીએ હોટલમાં યુવતીને “હું તારી સાથે લગ્ન કરીશ” કહી મંગળસૂત્ર પહેરાવી લગ્નનો ઢોંગ રચી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.મૂળ અમરેલીની અને હાલ નિકોલમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી ખાનગી કોલેજમાં બીબીએમાં અભ્યાસ કરે છે.ગત જાન્યુઆરી ૨૦૨૪માં તે નિકોલ ખાતે થિયેટરમાં મૂવી…

Read More

બગીચા ખાતા દ્વારા રુપિયા ૬૯ કરોડના મંજૂર કરાયેલ ટેન્ડર સામે રુપિયા ૧૩૫ કરોડનો ખર્ચ કરાયો હોવાનો વિવાદ હજુ યથાવત છે.હરેક્રીષ્ણ નર્સરી એન્ડ પ્લાન્ટેશન નામની એજન્સીએ ૩૦ ડિસેમ્બર-૨૫ના રોજ લેખિત રજૂઆત કરી ટેન્ડર પ્રક્રીયાને લઈ સવાલો તંત્રને કર્યા છે.અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.નો ગાર્ડન વિભાગ ફરી એક વખત ટેન્ડર વિવાદમાં આવ્યુ છે. રુપિયા ૨૩૫.૭૦ કરોડના ટ્રેકટર,ટ્રોલી અને લેબર સપ્લાયના ટેન્ડરમાં વ્યાપક ગેરરીતી આચરવામા આવી હોવાનો કોન્ટ્રાકટરોએ આક્ષેપ કર્યાે છે.ચોકકસ એજન્સીઓને ખોટી રીતે કવોલિફાય કરી હોવાની મ્યુનિસિપલ કમિશનર સમક્ષ લેખિત ફરિયાદ કરી નવેસરથી ટેન્ડર કરવા રજૂઆત કરી છે. બગીચા ખાતા દ્વારા રુપિયા ૬૯ કરોડના મંજૂર કરાયેલ ટેન્ડર સામે રુપિયા ૧૩૫ કરોડનો ખર્ચ કરાયો હોવાનો…

Read More

Gujarat IAS Rajendra Patel Suspend: ગુજરાત કેડરના આઈએએસ (IAS) અધિકારી ડૉ. રાજેન્દ્ર કુમાર પટેલને રાજ્ય સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકારે આ નિર્ણય રવિવારે મોડી સાંજે લીધો હતો. રાજેન્દ્ર પટેલને સુરેન્દ્રનગરમાં જમીન વપરાશ (લેન્ડ યુઝ) બદલવાના મામલે મોટા ભ્રષ્ટાચારને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDની કસ્ટડીમાં ૪૮ કલાક પૂર્ણ થતાની સાથે જ રાજ્ય સરકારે નિયમ મુજબ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કર્યા છે. આ પહેલા જ્યારે EDએ પટેલ સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો ત્યારે સરકારે તેમને કલેક્ટર પદ પરથી હટાવી દીધા હતા. પટેલની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી…

Read More

વર્ષાંતે ટેક્સ પ્લાનિંગના ભાગરૂપે દાનવીર બન્યા હોવાનો ખુલાસો-અમેરિકાની શેરબજારની નિયમનકારી સંસ્થા યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આપેલી નિયમનકારી માહિતીમાં આ અંગેનો ખુલાસો થયો વોશિંગ્ટન, વિશ્વના સૌથી ધનિક અબજોપતિ ઇલોન મસ્કે આશરે ૧૦ કરોડ ડોલર (આશરે ૯૦૦ કરોડ)ના ટેસ્લાના આશરે ૨.૧૦ લાખ શેર કેટલીક સખાવતી સંસ્થાને દાનમાં આપ્યાં છે. જોકે આ સખાવતી સંસ્થાઓના નામ જાહેર કરાયા નથી. ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ વર્ષાંતના ટેક્સ પ્લાનિંગને ભાગરૂપે મસ્કે આ દાન કર્યું હતું.અમેરિકાની શેરબજારની નિયમનકારી સંસ્થા યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આપેલી નિયમનકારી માહિતીમાં આ અંગેનો ખુલાસો થયો હતો. ટેસ્લાના સીઇઓએ આવું મોટું દાન કર્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. અગાઉ ૨૦૨૪માં તેમણે…

Read More

બોપલ પોલીસે આરોપીની કરી અટકાયત ઃ જમવા બાબતે બોલાચાલીનો કરૂણ અંજામ(એજન્સી)અમદાવાદ, અમદાવાદના બોપલ વિસ્તારમાં ગુરૂવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લોહીના સંબંધો લજવાય તેવી આ ઘટનામાં એક માસીયાઈ ભાઈએ જ પોતાના ભાઈ પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. માત્ર જમવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારે જોતજોતામાં લોહીયાળ જંગનું સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.મૃતક રામુ કુશ્વાહા અને આરોપી વિષ્ણુ કુશ્વાહા બંને મૂળ મધ્યપ્રદેશના મોરેના વતની છે અને અમદાવાદમાં રહીને કલર કામની મજૂરી કરતા હતા. ગઈકાલે સાંજે (ગુરૂવારે) બંને ભાઈઓ જ્યારે ઘરે હતા, ત્યારે જમવાની કોઈ બાબતે તેમની વચ્ચે બોલાચાલી શરૂ…

Read More

(એજન્સી)ગાંધીનગર, વર્ષ ૨૦૨૬ની શરૂઆત સીએનજી વાહનચાલકો માટે ખુશખબર લઈને આવી છે. લાંબા સમયથી ભાવવધારાનો સામનો કરી રહેલા મધ્યમ વર્ગ અને વાહન ચાલકોને મોટી રાહત આપતા અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.અદાણી દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. ૧.૨૧નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ રૂ. ૮૧.૧૭ પ્રતિ કિલોગ્રામ થયો છે. નવા વર્ષની શરૂઆતમાં જ મળેલી આ રાહતથી વાહનચાલકોમાં આનંદની લહેર જોવા મળી રહી છે.ઉલ્લેખનીય છે કે ગત વર્ષ ૨૦૨૫ વાહનચાલકો માટે આર્થિક રીતે બોજારૂપ રહ્યું હતું. વર્ષ ૨૦૨૫ દરમિયાન અદાણી દ્વારા કુલ ચાર વખત ભાવવધારો ઝીંકવામાં આવ્યો હતો. જાન્યુઆરી ૨૦૨૫ઃ…

Read More

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી તળાવોમાં થયેલ દબાણ દુર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ચંડોળા તળાવમાં મેગા ડીમોલેશન કર્યા બાદ ઈસનપુર તળાવમાંથી પણ દબાણો દુર કરવામાં આવ્યા છે.હવે ટૂંક સમયમાં વટવાના વાનરવટ તળાવમાં પણ વહેલી સવારથી જ ડીમોલેશન કરવામાં આવશે જેમાં ૪૦૦ કરતા પણ વધુ મિલકતો તોડી પાડવામાં આવશે. જયારે પાંચ ધાર્મિક સ્થાન માટે પછીથી નિર્ણય કરવામાં આવશે.મ્યુનિ. કોર્પોરેશનના દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા તળાવમાંથી મોટાપાયે દબાણો દુર કરવામાં આવી રહયા છે. ચંડોળા તળાવના સફળ ઓપરેશન બાદ ઈસનપુર તળાવમાંથી પણ બે હજાર કરતા વધારે દબાણો દુર કરવામાં આવ્યા હતાં. તે જ પધ્ધતિથી વટવાના…

Read More

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં નવા વર્ષની સાંજે જ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એલીસબ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજ પાસે પૂરપાટ ઝડપે આવતી એક અજાણી કારે મોટરસાઈકલ સવારને અડફેટે લઈ રોડ પર ઢસડ્‌યા હતા. આ ગંભીર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર બાકરોલ વિસ્તારમાં રહેતા ૪૫ વર્ષીય ચંન્દ્રકાંતભાઈ વેલજીભાઈ પંચાલ ગત ૧ જાન્યુઆરીના રોજ સાંજે આશરે ૭ઃ૩૦ વાગ્યે પોતાની મોટરસાઈકલ પર અર્ચનાબેન ઓઝાને બેસાડીને પાલડીથી ચાણક્યપુરી તરફ જઈ રહ્યા હતા.જ્યારે તેઓ ગુજરાત કોલેજ ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલી એક અજાણી કારે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી…

Read More

જામનગરના પટેલ કોલોનીમાંથી 5 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ(એજન્સી)જામનગર, તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે ભારતભર સહિત ગુજરાતમાં પણ હિન્દુ સમાજમાં ભારેલા અગ્નિ સમાન સ્થિતિ સર્જાઈ છે અને ભારત દેશમાંથી બાંગ્લાદેશી લોકોને બહાર કાઢવાની માંગ ઊઠી છે,ત્યારે જામનગર શહેરમાં ભાડે રહેતા પાંચ બાંગ્લાદેશી નાગરિકોને ત્યાં એસઓજી ત્રાટકી બે પુરુષ, ત્રણ મહિલાને ઝડપી પાડ્યા છે. આ લોકો પર ઘૂસણખોરીના આરોપ લાગ્યા હોવાની હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે, ત્યારે તેઓ ક્યારે ભારત આવ્યા અને કેવી રીતના તેમને આશરો મળ્યો તે તમામ દિશાઓમાં પોલીસે હાલ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.વિગતવાર વાત કરીએ તો, જામનગર જિલ્લો સરહદી અને લાંબો દરિયાકિનારો ધરાવતો હોવાથી…

Read More

Gandhinagar Typhoid Outbreak: ગુજરાતની રાજધાનીમાં મધ્યપ્રદેશના ઈન્દોરની જેમ જ પ્રદૂષિત પાણી બાદ લોકોના બીમાર પડવાની ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંજ્ઞાન લીધું છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં પાણીથી થતા ટાઈફોઈડની સ્થિતિને લઈને વહીવટીતંત્રને યુદ્ધના ધોરણે કામ કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કર્યા બાદ જરૂરી સૂચનાઓ અને સૂચનો આપ્યા છે. ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪, ૨૮ અને આદિવાડા વિસ્તારમાં પાણીની પાઈપલાઈન લીકેજને કારણે બાળકો અને નાગરિકોમાં દૂષિત પાણીના કારણે ટાઈફોઈડના કેસો સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ટાઈફોઈડના ૧૧૩ શંકાસ્પદ કેસ…

Read More