આ ઝુંબેશ દરમિયાન સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમમાં વપરાતા વજનકાંટાની તપાસ રાજ્યના ૨૫ જિલ્લાઓમાં વિવિધ એકમો ઉપર ૨૫૩ જેટલા પ્રોસિક્યુશન કેસ કરીને રૂ. ૬.૭૯ લાખની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલાઈગત વર્ષ દરમિયાન વિવિધ વેપારીઓ પાસેથી વિવિધ ગેરરીતિ બદલ કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા કુલ રૂ.૧૮.૭૭ લાખથી વધુની માંડવાળ ફી વસૂલ કરાઈઅમદાવાદ, ગ્રાહકોના હિતોની રક્ષા,વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે કાર્યવાહીની સાથે ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે.આ અભિયાનના ભાગરૂપે ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી શ્રી રમણ સોલંકી તેમજ રાજ્ય મંત્રી શ્રી પી.સી બરંડાના નેતૃત્વમાં તોલમાપ…
Author: gujarat
રાજ્યમાં રાજપીપળા,મોરબી,નવસારી,ગોધરા અને પોરબંદર એમ પાંચ મેડિકલ કોલેજ,હોસ્પિટલ્સ અને હોસ્ટેલ્સના નિર્માણ કાર્યો આ2026ના વર્ષના ડિસેમ્બર માસ સુધીમાં પૂર્ણ થઈ જશે. 2026ના અંત સુધીમાં ગુજરાતમાં પાંચ મેડિકલ કોલેજો અને હોસ્પિટલોના નિર્માણ કામો પૂર્ણ થશે-કેન્દ્ર પુરસ્કૃત આરોગ્યલક્ષી 10મુખ્ય યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલઆયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-માં ના પારદર્શી-ઝડપી અને એ.આઈ. બેઝ્ડ ટેક્નોલોજીથી અમલીકરણ કરવા મુખ્યમંત્રીશ્રીનું સૂચનગ્રામીણ સ્તર સુધી હોલિસ્ટીક હેલ્થકેરનો વડાપ્રધાનશ્રીનો અભિગમ ગુજરાતમાં ૭૭૩૩ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા સાકાર થઈ રહ્યો છેગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારો તથા તાલુકાઓ સુધીની આરોગ્ય સુખાકારીની યોજનાઓની પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક…
વૈશ્વિક સિરામિક હબ: ભારતની કુલ સિરામિક નિકાસમાં મોરબીનો હિસ્સો 90% જેટલોપોલીપેક ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે પણ મોરબી બની શકે છે ગુજરાત રાજ્યનો અગ્રણી જિલ્લોગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)કચ્છ-સૌરાષ્ટ્રની બીજી આવૃત્તિ માટે સજ્જ થઈ રહ્યું છે. તારીખ 11 અને 12 જાન્યુઆરી 2026 દરમિયાન રાજકોટ ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગરૂપે રાજ્યમાં વિવિધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનો મોરબી જિલ્લો આજે ભારતની સિરામિક અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ બની ગયો છે. ગુજરાતના કુલ સિરામિક ઉત્પાદનમાં એકલા મોરબીનો જ લગભગ 90% હિસ્સો છે અને વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે.કુંભારના ચાકથી વૈશ્વિક…
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની આર્થિક પ્રગતિ અને સોમનાથ મંદિરના ઐતિહાસિક પુનઃનિર્માણ વચ્ચે સમાંતર રેખા દોરી હતી. ભાજપે જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમયે જે સમૃદ્ધિની કલ્પના કરવામાં આવી હતી, તે હવે વર્તમાન સરકારના કાર્યકાળમાં પૂર્ણ થવા જઈ રહી છે.૧૦૦૦ વર્ષ પહેલાં થયો હતો પ્રથમ હુમલો નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૬ એ ૧૦૨૬માં સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ મોટા હુમલાના ૧૦૦૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ પ્રસંગને સોમનાથની અદમ્ય ભાવના અને ભારતની સાંસ્કૃતિક લડાયકતાના પ્રતીક તરીકે જોવામાં આવી રહ્યો છે. સદીઓ સુધી આક્રમણકારો દ્વારા નાશ પામવા છતાં આ મંદિર વારંવાર બેઠું…
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું રાજકોટમાં કલેકટર કચેરી ખાતે પત્રકારોને સંબોધનવી.જી.આર.સી.થી સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાપાયે રોકાણ આવશે: શ્રી હર્ષભાઈ સંઘવીઉદ્યોગકારો સાથે બેઠક યોજીને તેમના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ લાવવાનો ગુજરાત સરકારનો અભિગમ આવકાર્ય: પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,રાજ્યના નાના-મોટા ઉદ્યોગકારોની મુશ્કેલીઓ,પ્રશ્નો અને રજૂઆતોનો તત્કાલ હલ કરીને તેઓ વધુ રોકાણ કરીને ઉદ્યોગ-ધંધાનો વિકાસ કરી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ સાથે તમામ વિભાગો સાથે ગ્રુપ બેઠક પણ યોજવામાં આવી હતી. તેમણે કહ્યું હતું…
અમદાવાદ, અમદાવાદ સહિત દેશભરમાં સાયબર ગઠિયા નિવૃત્ત લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યારે જ સિનિયર સિટીઝનને ઠગવાનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. શેરબજારમાં ટૂંકા સમયમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી સેટેલાઈટની નિવૃત્ત મહિલા સાથે ૮૬.૭૧ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. સેટેલાઈટ વિસ્તારમાં રહેતા પારૂલબેન ગોપાણી (૬૧) એક જાણીતી ફાર્મા કંપનીમાં ક્વોલિટી હેડ તરીકે કામ કરતા હતા તેઓ થોડા સમય પહેલા જ નિવૃત્ત થયા છે.થોડા સમય પહેલા પારૂલબેને ફેસબુક પર વિક્રમ કપૂર નામના વ્યક્તિની પ્રોફાઈલ પરથી શેરબજારના રોકાણ સંબંધિત જાહેરાત જોઈ હતી. ક્લિક કરતા તેઓ એક વ્હોટ્સએપ ગ્‰પમાં જોડાયા હતા, જ્યાં વિક્રમે પોતાની ઓળખ એનાલિસ્ટ તરીકે આપી ગ્‰પમાં એડ…
અમરેલી, જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામના વાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક સિંહણે ચાર વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધાની ઘટના સામે આવી છે. વહેલી સવારથી ગુમ બાળકનો મૃતદેહ ઝાડી ઝાંખરામાંથી ફાડી ખાધેલી હાલતમાં મળતા અરેરાટી ફેલાઈ છે.વન વિભાગે હુમલાખોર સિંહણને પકડવા માટે કવાયત શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર નાની મોણપરી ગામની સીમમાં આવેલી વાડીમાં ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારનો ચાર વર્ષનો પુત્ર આજે વહેલી સવારે અચાનક ગુમ થયો હતો.પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં બાળક ન મળતા વાડી માલિકે વન વિભાગને જાણ કરી હતી. હિંસક પ્રાણી દ્વારા બાળકને ઉપાડી ગયાની આશંકા વચ્ચે વનકર્મીઓએ શોધખોળ હાથ ધરતા નજીકની ઝાડીઓમાંથી બાળક…
મોરબી, મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષીય યુવકે પોતાની લિવ ઇન પાર્ટનરને વીડિયો કોલ કરી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પરિચયમાં આવેલી મહિલા મૈત્રી કરાર કરીને યુવક સાથે રહેતી હતી, પરંતુ થોડા દિવસો પૂર્વે પિતાના ઘરે ગયેલી મહિલા પરત ન આવતા યુવકે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શહેરના લાયન્સનગરમાં રહેતા હિતેશ મનસુખભાઈ ધમાલ નામના ૨૬ વર્ષીય યુવાને પોતાના ઘરમાં જ પંખા સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતા મોરબી બી ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.પોલીસ તપાસમાં સામે…
ભાવનગર, ભાવનગર જિલ્લાના મહુવામાં પાંચ વર્ષ પૂર્વે દિવાળીના સમયે ફટાકડાની લારી ધરાવતા યુવાનની હત્યાના કેસમાં કોર્ટે ચાર આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે અન્ય બે આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દાેષ જાહેર કરવામાં આવ્યા છે.કોર્ટે તમામ દોષિતોને પચાસ હજાર રૂપિયાનો દંડ પણ કર્યાે છે, જે રકમ વળતર પેટે મૃતકના પરિવારને ચૂકવવામાં આવશે.૧૪ નવેમ્બર ૨૦૨૦ના રોજ રાત્રિના સમયે મહુવા ગાંધીબાગ પાસે ફટાકડાનો વેપાર કરતા ગોપાલભાઈ દેવજીભાઈ કોડિયા પર છ શખ્સોએ હુમલો કર્યાે હતો. જૂની અદાવત અને બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા શખ્સોએ ગોપાલભાઈને છરીના ઘા ઝીંકી દઈ મોતને ઘાટ ઉતાર્યા હતા.આ મામલે દીપકભાઈ બારૈયાએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હરેશ…
સુરત, સુરત શહેરમાં આવેલી જીઆઇડીસી વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષિય સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી તેને ગોવા તેમજ બિહાર લઈ જઈ દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોક્સોની સ્પેશ્યલ કોર્ટે ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૨૦ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યાે હતો.આ કેસની વિગત અનુસાર જીઆઇડીસી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ૧૪ વર્ષીય પુત્રી ૯-૧૧-૨૦૨૪નાં રોજ સાંજના સમયે માતા શાકભાજી લેવા ગયા બાદ લાપતા થઈ હતી. પરત ઘરે આવતા પુત્રી હાજર ન હતી ટેરેસ પર પણ તેણી મળી આવી ન હતી. પરિવારજનો દ્વારા શોધખોળ કરાઈ હતી.જોકે, ભાળ નહીં મળતા આ અંગે સચીન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું…
