જામનગર, જામનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેન્ક લિ.ની જામજોધપુર શાખામાં નીરજ મગનલાલ પટેલ કેશિયર તરીકે ફરજો બજાવી રહ્યા હતા અને તેની ફરજના સમફગાળા દરમિયાન તેઓ દ્વારાતેના આઈડી તથા પાસવર્ડનો ઉપયોગ કરી બેન્કના થાપણદારોને બાંધી મુદ્દતની બોગસ અને બનાવટી થાપણો ઈસ્યુ કરી તે નાણાં બેન્કમાં જમા નહીં કરાવી તથા એક ખાતામાંથી બીજા ખાતાઓમાં રકમ ટ્રાન્સફર કરી અંદાજિત રકમ રૂ.૩,પ૦,૦૦,૦૦૦/- કરોડની ઉચાપત કરી હતીજે અંગે બેંક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તથા રકમ વસૂલાત માટે દાવા પણ કરવામાં આવ્યા હતા.આ કર્મચારીએ આચરેલી ગેરરીતિ અંગે બેન્ક દ્વારા નિયમોનુસાર કર્મચારીને ચાર્જશીટ આપી હતી અને ખાતાકીય તપાસ કરવામાં આવી હતી. તપાસના અંતે તેઓ કસૂરવાર સાબિત થતાં…
Author: gujarat
Natural Farming Benefits India: ‘એન એપલ એ ડે કીપ્સ ધ ડોક્ટર અવે’.. આ લાઇન તમે અવારનવાર સાંભળી હશે, કારણ કે સફરજન ફાઇબર, વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે, જે પાચન, રોગપ્રતિકારક શક્તિ અને હૃદયના સ્વાસ્થ્યમાં મદદ કરે છે. એટલું જ નહીં, તે વજન નિયંત્રણ, બ્લડ સુગર મેનેજમેન્ટ અને ડાયાબિટીસ તથા જૂની બીમારીઓના જોખમને ઘટાડવામાં સહાયક છે, પરંતુ સફરજન ઉગાડવા માટે બગીચાઓમાં કરવામાં આવી રહેલા પેસ્ટીસાઇડના ઉપયોગે ચિંતા વધારી દીધી છે. પાછલા દિવસોમાં ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’એ એક રિપોર્ટમાં લખ્યું હતું કે કાશ્મીરમાં સફરજનના બગીચામાં કામ કરનારા લોકો દ્વારા સતત દિવસમાં ઘણી વાર કેમિકલ સ્પ્રે કરવાથી બ્રેઈન ટ્યુમર વધી રહ્યું છે.…
નાગરિકોએ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદ નગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપર આવેલી તૂટેલી ગટરો વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમરૂપ બની હોવાનું જાણવા મળ્યું છે.તૂટેલી ગટરો ઉપર અનેક ભારદારી વાહનો તેમજ રાહદારીઓ પટકાયા હોવાના બનાવો બનતા લોકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી સામે રોષ જોવા મળી રહ્યો છે.આ ઉપરાંત નેશનલ હાઈવે ઉપર ઉડતી ધૂળની ડમરીઓથી પણ આસપાસના દુકાનદારો તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નેશનલ હાઈવે ઉપર આવેલી ગટરો ઉપરના ઢાંકણા તૂટી ગયા હોય ક્યારેક વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે ભવિષ્યમાં મોટી હોનારત સર્જે તેમ છે.જેથી તંત્ર દ્વારા…
(પ્રતિનિધિ) નાનાપોંઢા, વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામે આવેલ વોલપ્લાસ્ટ કંપનીમાં કામ કરતા કામદારોને અચાનક નોકરી પરથી છુટા કરી દેવાતા કંપનીના આ તઘલખી નિર્ણય સામે કામદારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.કહેવાય છે કે કંપની દ્વારા કોઈપણ પ્રકારની આગોતરી સૂચના કે લેખિત નોટિસ આપ્યા વગર જ કંપની દ્વારા કામદારોને નોકરીમાંથી છુટા કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. સેકડો પરિવારો કંપનીના આ નિર્ણય થી પ્રભાવિત બન્યા છે.આ નિર્ણયથી આક્રોશિત બનેલા વર્કરોએ કંપની સામે હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે અને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી છે.વોલપ્લાસ્ટ કંપનીમાં અનેક વર્કરો છેલ્લા ૧૫થી ૧૭ વર્ષથી વધુ…
પીઆઈની બદલી કરી લીવ રિઝર્વમાં મૂકી દેવાયાઃ મહુવા ટાઉન પીઆઈ પટેલને સોંપાઈ તપાસમાયાભાઈ આહીરનાના પુત્ર જયરાજ સાથે વાતચીત બાદ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો જેને લઈને કોળી સમાજ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.ભાવનગર, ભાવનગર જિલ્લાના બગદાણા ગામે રહેતા અને બગદાણા આશ્રમના સેવક ઉપર થયેલા હુમલાના બનાવ અંગે પોલીસે આઠ શખ્સને ઝડપી લીધા છે. બીજી તરફ બગદાણાના પીઆઈની બદલી કરવામાં આવી છે.બગદાણા ગામે રહેતા નવનીતભાઈ બાલધિયાને બે દિવસ અગાઉ મોણપર ગામ નજીક બાઈક ઊભું રખાવી બે કારમાં આવેલા આઠ જેટલા અજાણ્યા શખ્સે ફિલ્મી સ્ટાઈલે મારમારી, ઈજા કરી ફરાર થયા હતા.જે મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર નાજુ ધિંગુભાઈ કામળિયાની ધરપકડ કરી હતી. જ્યારે…
સુરતના સ્વાદપ્રિય લોકોમાં ઉંબાડિયાનું આકર્ષણ વધ્યું -હાઈવે પરના ઢાબાઓ, વાડીઓ અને રેસ્ટોરામાં ઉંબાડિયાનો આસ્વાદ માણતા સુરતીલાલાઓસુરત, ઠંડીની સિઝન શરૂ થતાં સુરતમાં આરોગ્યપ્રદ વાનગી તરીકે જાણીતા ઉંબાડિયાના સ્ટોલો શરૂ થયા છે. ખાવાના શોખીન સુરતીલાલાઓ અને બહારગામથી સુરતની મુલાકાતે આવતા લોકો ઉંબાડિયાનો આસ્વાદ માણતા હોય છે.ઠંડીમાં શરીરમાં પાચન સુધારવા, પોષણ મેળવવા અને શરીરને ગરમાવો આપવા માટે ઉંબાડિયું આરોગવું એ ઉત્તમ અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. ઘણા વખતથી સુરતી ઉંબાડિયું રેસ્ટોરાં, હાઈવે પરના ઢાબા, વાડીઓમાં ઉજાણીમાં મુખ્ય ડીશ બન્યું છે.સુરતના કતારગામ વિસ્તારના ઉંબાડીયાની દુકાન ચલાવતા પ્રિતિબેન પટેલ કહે છે કે અમે છેલ્લા ૧ર વર્ષથી ઉંબાડિયું બનાવવાનું કામ કરીએ છીએ. છેલ્લા બે વર્ષથી સુરતમાં પણ…
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) દાહોદ શહેરમાં પૈસાની લાલચે મિત્રોએ જ મિત્ર સાથે અમાનવીય વર્તન કરી તેને ગોંધી રાખી માર મારી ખંડણી માંગ્યાનો ગંભીર બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. દાહોદ શહેર સ્થિત બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં બનેલા આ કિસ્સામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજસ્થાનનો રહેવાસી અને હાલ દાહોદ ખાતે સુથારી કામ માટે આવેલ શ્યામલાલ રાવ નામનો યુવક છેલ્લા કેટલાક સમયથી દાહોદમાં રહેતો હતો. આ દરમિયાન તેની મિત્રતા દાહોદમાં રહેતા કૃણાલ રવિ સાંસી, શંકર સાંસી અને તોસિફ અન્સારી સાથે થઈ હતી. ચારેય યુવકો…
ઉત્તરાયણના માંજા અંગેની પીઆઈએલમાં હાઈકોર્ટનો મહત્વનો હુકમ(એજન્સી)અમદાવાદ, ઉત્તરાયણમાં ચાઈનીઝ, નાયલોન અને કાચ પામેલા માંજા પરના પ્રતીબંધ અંગેની રીટમાં હાઈકોર્ટ દ્વારા વિવિધ હુકમ કરવામાં આવ્યા છે. અને એના પગલે સરકાર દ્વારા વિવિધ પરીપત્રો અને નીદેશો કરવામાં આવ્યા છે. જે મુજબ હવે પતંગના દોરા પર કોટીગ માટેની કાચનો પાવડર ૧૦%થી વધુ ન હોવો જોઈએ. આ સહીતના વિવિધ મુદા સામે આવ્યા છે.જેની માહિતી ગુજરાત એનીમલ વેલફેર બોર્ડના સભ્ય અને અહિસા મહાસંઘ એનીમલ વેલફેર ફાઉન્ડેશન ગ્રાઉન્ડ રીયાલીટી ફાઉન્ડેશનના ટ્રસ્ટી પંકજ બુચ દ્વારા કરવામાં આવેલી પીઆઈએલમાં એડવોકેટ નીમીષ એમ. કાપડીયાએ આપી છે.તેમણે જણાવ્યું છે કે આ કેસની સુનાવણીમાં અરજદાર તરફથી રજુઆત કરી લેખીત સુચનો આપવામાં…
અમદાવાદ ખાતે વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ: આશરે રૂ. ૪૦ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્તઅમદાવાદ, રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ આકસ્મિક દરોડા પાડીને ગેરકાયદેસર – બનાવટી દવાના વેચાણ સાથે સંકળાયેલ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ ખાતે વગર પરવાને દવાના વેચાણ અર્થે સંગ્રહ કરવામાં આવેલ આશરે રૂ. ૪૦ લાખથી વધુની કિંમતની દવાઓ જપ્ત કરવામાં આવી છે.આ અંગે વધુ વિગતો આપતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણે જણાવ્યું હતું કે,રાજ્યના અલગ અલગ સ્થળોએ દવાના નમૂનાઓનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં અને કાયદાનું ઉલ્લંઘન કરનાર ઇસમો સામે કડકમાં કડક…
અમદાવાદની બોપલ-ઘુમા ડમ્પ સાઇટ તેમજ રાજકોટની નાકરાવાડી ડમ્પ સાઇટનો નિકાલ કરી મિયાવાકી ફોરેસ્ટ બનાવવામાં આવ્યું છે. ‘લેગસી વેસ્ટ મુક્ત ગુજરાત’ની દિશામાં આગેકૂચ, અત્યાર સુધીમાં કુલ273.33લાખ મેટ્રિક ટન લેગસી વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યોમાર્ચ2026સુધીમાં રાજ્યમાં100% લેગસી વેસ્ટ નિકાલનુંલક્ષ્યનિર્મળ ગુજરાત2.0 યોજના અંતર્ગત શહેરી સ્થાનિક સંસ્થાઓ(ULBs)માટે લેગસી વેસ્ટના વૈજ્ઞાનિક નિકાલ માટે₹75કરોડની ફાળવણીવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં શહેરીકરણને એક નવી દિશા આપી હતી. તેમણે ગુજરાતમાં આયોજનબદ્ધ શહેરી વિકાસ,મજબૂત નગરપાલિકા વ્યવસ્થા અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મજબૂત પાયા નાખ્યા હતા. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ‘શહેરીકરણ સમસ્યા નહીં,પરંતુ અવસર’ના મંત્ર સાથે શહેરોને ગ્રીન,ક્લીન અને રહેવા યોગ્ય બનાવવા સતત કાર્ય કરી રહી…
