ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં શુક્રવાર (પહેલી જાન્યુઆરી) વહેલી સવારે કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ હતી. ગોધરાના ડોક્ટરના મુવાડા ગામ નજીક બે ટ્રકો વચ્ચે થયેલી જોરદાર ટક્કર બાદ એક ટ્રકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.આ અકસ્માતમાં ટ્રકની કેબિનમાં ફસાયેલા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું.મળતી માહિતી મુજબ, અકસ્માત વહેલી સવારે સર્જાયો હતો જ્યારે એક ટ્રક રોંગ સાઈડથી પૂરઝડપે આવી રહી હતી. રોંગ સાઈડથી આવતી ટ્રકે સામેથી આવતી બીજી ટ્રકને જોરદાર ટક્કર મારી હતી.આ ટક્કર એટલી ભયાનક હતી કે બંને ટ્રકની કેબિનનો આગળનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો અને કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત થયાની ગણતરીની મિનિટોમાં જ એક ટ્રકમાં…
Author: gujarat
Political Corruption in Gujarat: ચૂંટણી સમયે પ્રજાના દ્વારે જઈને આજીજી કરતા રાજનેતાઓ સત્તા મળતા જ ભ્રષ્ટાચારના માર્ગે વળી જતા હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે. પ્રજાના વિકાસના નામે સત્તામાં આવતા નેતાઓ પોતાની સંપત્તિ વધારવામાં વ્યસ્ત થઈ જાય છે, જ્યારે સામાન્ય નાગરિક પાયાની સુવિધાઓ માટે ઝઝૂમતો રહે છે. દેશની જાહેર સંપત્તિઓને ખાનગી કંપનીઓના હવાલે કરવાની નીતિ અને ભ્રષ્ટાચારની ઉધઈ દેશના અર્થતંત્રને પોલાણ કરી રહી છે. સત્તામાં આવ્યા બાદ નેતાઓ પ્રજાના સેવક બનવાને બદલે શાસક બનીને પોતાની પેઢીઓ તરે તેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં મશગૂલ બની જાય છે.ગુજરાતના સાંસદોની મિલકતમાં કરોડોનો વધારોએસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ છેલ્લા ૧૦ વર્ષમાં રિપીટ…
ગાંધીનગરમાં ટાઇફોઇડના ૧૪ નવા દર્દી સાથે કેસનો આંકડો ૧૬૭ પહોંચ્યો-ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓમાં હજુ પણ દર્દીઓનો ભારે ધસારો(એજન્સી)અમદાવાદ, દૂષિત પાણીના કારણે ગાંધીનગર શહેરના ૬થી વધુ વિસ્તારોમાં વકરી રહેલા ટાઇફોઇડના રોગચાળામાં ગુરૂવારે વધુ ૧૪ નવા કેસ નોંધાયા છે. તેની સાથે કેસનો આંકડો ૧૬૭ પહોંચ્યો છે. દર્દીઓના આ આંકડા મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યા છે, પરંતુ ખાનગી હોસ્પિટલો અને નાના મોટા દવાખાનાઓમાં હજુ પણ દર્દીઓનો ધસારો હોવાની વાસ્તવિક સ્થિતિ પ્રવર્તે છે.જ્યારે હજુ પણ રોગચાળાગ્રસ્ત વિસ્તારો સહિત અન્ય વિસ્તારોમાં પણ દૂષિત પાણીની ફરિયાદો યથાવત છે. તે ઉપરાંત પાણી અને ગટરની લાઇનના લિકેઝ શોધવામાં તંત્રની ઢીલી નિતી સામે શહેરીજનો આક્રોશ ઠાલવી રહ્યાં છે.…
પાણીપૂરીનાં પાણી-ચટણી વગેરેનાં નમૂના લેવાની ઝુંબેશ પૂરજોશમાંજગ-કેરબામાં પાણી ભરી વેચનારાઓએ ક્લોરીનેશન સિસ્ટમ લગાવવી પડશે -ટૂંક સમયમાં નિયમનો અમલ નહીં કરાય તો ધંધાનાં સ્થળોને સીલ મારવામાં આવશે તેમ સ્પષ્ટપણે તાકિદ કરવામાં આવી(એજન્સી)અમદાવાદ, પાણીપુરી બનાવવામાં સડેલા બટાકા તથા ગંદા પાણીના ઉપયોગથી રાજ્યનું આરોગ્ય વિભાગ ચોંકી ઉઠયું છે અને આ અંગે સ્થાનિક પ્રશાસન તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપતાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે. હાલમાં પાણીપુરીની લારીઓ ઉપર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કેરબામાં પાણી ભરીને વેચનારાઓએ કલોરીનેશન સિસ્ટમ લગાવવાની ફરજિયાત કરવામાં આવી છે.શહેરમાં પીવાનાં પાણી થકી ફેલાતાં રોગચાળાને ડામવાનાં પ્રયાસોનાં ભાગરૂપે મ્યુનિ. હેલ્થ અને…
યુવકનો અંગત પળોનો વીડિયો ઉતારી ૧૦ કરોડ માગ્યા, -યુવકને પ્રેમજાળમાં ફસાવીને છૂપી રીતે અંગતપળનો વીડિયો બનાવ્યોએક યુવકને યુવતી સાથે પ્રેમમાં ફસાવી તેનો ન્યુડ વીડિયો બનાવીને રૂપિયા ૧૦ કરોડની ખંડણી માંગનારા એક મહિલા અને સ્થાનિક અખબારના તંત્રીની પોલીસે ધરપકડ કરી છે.(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં હનીટ્રેપથી લોકોને ફસાવી મોટી રકમનો તોડ કરવો બે પત્રકારોને ભારે પડ્યો છે. એક યુવકને પ્રેમમાં ફસાવી તેનો ન્યુડ વીડિયો બનાવીને રૂપિયા ૧૦ કરોડની ખંડણી માંગનારા એક મહિલા અને સ્થાનિક અખબારના તંત્રીની પોલીસે ધરપકડ કરી છે. આ બંનેએ એક યુવકને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી કરોડો રૂપિયાની ઉઘરાણી કરવાનો પ્લાન બનાવ્યો હતો.મુખ્ય આરોપી મહિલાએ યુવકને પ્રેમ જાળમાં ફસાવ્યો હતો. મહિલાએ…
ગાંધીનગર, રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય છે.જેના થકી ઘણીવાર પશુઓને આફરો અને પોઇઝનીંગ થતું હોય છે. આવા પશુ-પક્ષીઓને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યોગ્ય સારવાર પૂરી પાડી શકાય તે માટે વર્ષ ૨૦૧૫થી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ રાજ્યભરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું.મંત્રી મોઢવાડિયાએ કહ્યું…
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં ફરી એકવાર ગેંગવાર અને અસામાજિક તત્વોનો ફફડાટ જોવા મળી રહ્યો છે. અમરાઈવાડીની કુખ્યાત ‘સત્યા ગેંગ’ એ હવે વટવા જીઆઈડીસી અને હાથીજણ વિસ્તારમાં પોતાનો આતંક ફેલાવ્યો છે. કમ્પ્યૂટર ક્લાસ ચલાવતા એક નિર્દોષ યુવક અને તેના પિતા પર ગત રાત્રિના સમયે જીવલેણ હુમલો કરી આ ગેંગે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરાં ઉડાડ્યાં છે.મળતી માહિતી અનુસાર, અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ભોગ બનનાર યુવક અને તેના પિતાએ થોડા મહિનાઓ પહેલા સત્યા નામના શખ્સની દુકાન કમ્પ્યૂટર ક્લાસ ચલાવવા માટે ભાડે રાખી હતી.દુકાન જર્જરિત હોવાથી ભાડુઆતે તેમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી સમારકામ કરાવ્યું હતું. આ ખર્ચની રકમ ભાડા પેટે મજરે (સરભર) કરવાનું કહેતા મકાનમાલિક સત્યા…
માત્ર નિ:શુલ્ક સારવાર જ નહીં, પણ એક આશા વર્કર તરીકેની તેમની સેવાને બિરદાવવા માટે સાલ હોસ્પિટલ પરિવાર દ્વારા તેમનું ખાસ સન્માન પણ કરવામાં આવ્યું. અમદાવાદ, અમદાવાદની જાણીતી સાલ હોસ્પિટલ (SAL Hospital) ફરી એકવાર તેની ઉત્કૃષ્ટ તબીબી સેવા અને માનવતાવાદી અભિગમ માટે ચર્ચામાં છે. તાજેતરમાં હોસ્પિટલ ખાતે એક અત્યંત પ્રેરણાદાયી કિસ્સો જોવા મળ્યો, જે સાબિત કરે છે કે તબીબી ક્ષેત્ર માત્ર વ્યવસાય નહીં પણ સેવાનો પર્યાય છે.આ કિસ્સો એક એવા દર્દી સાથે જોડાયેલો છે જે ગંભીર બીમારીથી પીડાતા હતા અને તેમને તાત્કાલિક જટિલ સર્જરીની જરૂર હતી. દર્દીની આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં, સાલ હોસ્પિટલના તબીબો અને મેનેજમેન્ટે વિલંબ કર્યા વિના સારવાર…
Ahmedabad, January 10, 2026: અત્યંત ઝેરી અને જીવલેણ જંતુનાશક દવા પૈકીની એક પેરાક્વેટનું સેવન કરનારા સાણંદના 30 વર્ષીય યુવકનો સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે સમયસર અને આધુનિક તબીબી સારવારના કારણે જીવ બચી ગયો છે. Sterling Hospitals Successfully Treats Rare and Fatal Paraquat Poisoning Case, 30 Year Old Man Survivesઅમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં મળેલી તાત્કાલિક અને નિષ્ણાત સારવારથી આ ગંભીર હાલતમાં પણ દર્દીને નવજીવન મળ્યું છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ કેસ અતિ ગંભીર હતો અને સમયસર જો સારવાર ન મળી હોત તો તેનું મૃત્યુ પણ નીપજ્યું હોઈ શક્યું હોત.સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, અમદાવાદના ફિઝિશિયન અને ડાયાબિટોલોજિસ્ટ ડો. તપન શાહે જણાવ્યું હતું કે, પેરાક્વેટ સૌથી જીવલેણ…
ગાંધીનગરમાં વકરેલા પાણીજન્ય ટાઈફોઈડના રોગચાળાને પગલે વડોદરામાં ખાણી-પીણીના એકમો પર સઘન ચેકિંગ ખોડિયાર નગરમાં લવ્લી સ્વીટ નામની મીઠાઈ બનાવતી ફેકટરી ઉપર દરોડો પાડતા 7.50લાખની કિમતની અખાદ્ય મીઠાઈનો જથ્થો ઝડપી પાડી તેનો નાશ કરવામાં આવ્યો હતો.વડોદરા, ગાંધીનગરમાં વકરેલા પાણીજન્ય ટાઈફોઈડના રોગચાળાને કારણે સરકારના આદેશને પગલે ખાણી-પીણીના એકમો પર છેલ્લા ત્રણ ચાર દિવસથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.ફૂડ સેફટી ઓફિસર ગોહિલ અને તેમની ટીમ દ્વારા ખોડિયાર નગરમાં લવ્લી સ્વીટ નામની મીઠાઈ બનાવતી ફેકટરી ઉપર દરોડો પાડતા સાડા સાત લાખની કિમતની ૧૩ર૦૦ કિલો અખાદ્ય મીઠાઈનો જથ્થો ઝડપી પાડી તેનો નાશ કરવામાં આવ્યો હતો.અધિક આરોગ્ય અમલદાર ડૉ.મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ વડોદરા મહાનગરપાલિકાના ખોરાક…
