ખેતી નિયામક કચેરીએ કપાસના પાકમાં રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ પગલા સૂચવ્યાખેડૂતો પોતાના ઉભા પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતોના હિતાર્થે વિવિધ રોગ-જીવતના વ્યવસ્થાપન માટેના પગલા સૂચવવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ સિઝનમાં કપાસના ઉભા પાકમાં ગુલાબી ઈયળ,ટપકાવાળી ઈયળ અને લીલી ઈયળ સહિતના રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે કેટલાક મહત્વપૂર્ણ પગલા સૂચિત કરવામાં આવ્યા છે.કપાસના પાકમાં રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે આટલું જરૂર કરો:·ગુલાબી ઇયળની મોજણી માટે નર ફુદાને આકર્ષતા લ્યુર સાથેના ફેરોમોન ટ્રેપ પ્રતિ એકર બે લગાડવા,રોજ ફુદાની સંખ્યા તપાસવી અને શરૂઆતથી લઇ કપાસની છેલ્લી વીણી સુધી આવા ફેરોમોન ટ્રેપ કપાસ…
Author: gujarat
ફોટો –એર ઈન્ડિયા એક્સપ્રેસનું નવુ એરક્રાફ્ટ ગુજરાતના બાંધણીથી પ્રેરિત લિવરીથી શણગારેલું ટેલ્સ ઓફ ઇન્ડિયા પહેલના ભાગ રૂપે ઉડાન ભરે છે, જે આ પ્રદેશના રંગો, રિવાજો અને કાલાતીત વાર્તાઓને જીવંત બનાવે છે.એરઈન્ડિયાએક્સપ્રેસનું58સ્થળોમાંનેટવર્કવિસ્તરિતથયું,અમદાવાદ,ચંદીગઢ,દહેરાદૂનનોઉમેરોનેશનલ, 14ઓગસ્ટ, 2025: 116 વિમાનોના કાફલા સાથે દેશની સૌથી ઝડપથી વિકસતી એરલાઇન તરીકેની સ્થિતિને મજબૂત બનાવતી એર ઇન્ડિયા એક્સપ્રેસ તેના નેટવર્કમાં ત્રણ નવા શહેરો – અમદાવાદ, ચંદીગઢ અને દહેરાદૂનના ઉમેરા સાથે તેની હાજરીનો વિસ્તાર કરી રહી છે. પ્રથમ તબક્કામાં, એરલાઇન 1 સપ્ટેમ્બર, 2025થી આ શહેરોને તેના બેંગલુરુ હબ સાથે જોડશે. ફ્લાયર્સ એર ઇન્ડિયા એક્સપ્રેસની એવોર્ડ વિજેતા વેબસાઇટ airindiaexpress.com અને અન્ય બુકિંગ ચેનલ્સ પર આકર્ષક ભાડા (રૂ. 4100થી શરૂ થતી એક…
Gujarat Pradesh Congress President appointment: ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જેમ, હવે ગુજરાતના પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં પણ વિલંબ થવાની શક્યતા છે. આગામી થોડા મહિનામાં રાજ્યમાં યોજાનારી શહેરી વિસ્તારોની ચૂંટણીઓ વર્તમાન પ્રમુખ સીઆર પાટીલના નેતૃત્વમાં લડવામાં આવે તેવી શક્યતા છે. ભાજપ હાઇકમાન્ડ ઉપપ્રમુખની ચૂંટણી અને ત્યારબાદ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે જેપી નડ્ડા હાલમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે. ઉપપ્રમુખ પદ માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નામ પણ વિચારવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, એવી શક્યતા છે કે ભાજપ થોડા વધુ મહિનાઓ માટે ગુજરાતમાં તેના સૌથી સફળ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને જવાબદારી સોંપી શકે છે. નવસારીના સાંસદ અને…
અમદાવાદ સ્કૂલ બોર્ડ દ્વારા ‘એલ્યુમની કનેક્ટ સ્કીમ’ લોન્ચ –IIT ગાંધીનગરના સહયોગથી મ્યુનિસિપલ શાળાના તમામ શિક્ષકોને ૩૦ કલાકની CPD (Continuous Professional Development) તાલીમ અપાશેઅમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી અને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન અને પદાધિકારીઓના માર્ગદર્શનમાં શતાબ્દી વર્ષની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે સ્કૂલ બોર્ડ દ્વારા ‘ ૧૦૦ શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓ’ ની પસંદગી કરીને શાળા પરિવારને જાહેર કાર્યક્રમમાં સન્માનિત કરાશે. આ સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ના અમલને આગળ ધપાવતાં નવા પ્રયોગરૂપે આઈ.આઈ.ટી. ગાંધીનગર સાથેના સહયોગથી તાલીમ કાર્યક્રમો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જોડતી “એલ્યુમની…
Gujarat IPS Officer Transfer : લાંબા સમયથી નહીં પરંતુ મહિનાઓથી જેમની બદલી ટ્રાન્સફરની અટકળો કરવામાં આવતી હતી તેવા ગુજરાત રાજ્યમાં IPS કેડરમાં આજે સોમવારે મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 105 IPS અને સ્ટેટ પોલીસ સર્વિસના ઓફિસર્સને બદલી નાખવામાં આવ્યા છે. સોમવારે બપોર બાદથી જ ગાંધીનગરમાં ગૃહ વિભાગમાં હલચલ થઈ રહી હોવાનો પત્રકારોના વોટ્સએપ ગ્રુપમાં દાવાઓ થઈ રહ્યાં હતા. જે ફાઈનલી આજે સાચા પડયા છે. જે રીતે લાંબા સમય બાદ અને ખાસ્સી એવી ગડમથલ પછી IPS અધિકારીઓને બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેને જોતા ગુજરાત રાજ્યમાં, ભાજપની સત્તામાં પોલીસ અધિકારીઓનું કેટલું અને શા માટે આટલું બધું મહત્વ રહેલું છે તે…
સુરત, સુરતમાં તહેવારોના ૪૮ કલાકમાં ૩ હત્યાના બનાવ સામે આવ્યા છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં સગીર પુત્રએ જ પિતાની ઘાતકી હત્યા કરી હતી. મહિધરપુરા વિસ્તારમાં સુતેલા યુવકને ઊંઘમાં ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો, જ્યારે ડિંડોલી વિસ્તારમાં એક યુવકની હત્યા કર્યા બાદ તેને ખેતરમાં પાણીની નીકમાં ફેંકી દેવાયો હતો.૧૮ વર્ષીય રાજા રાઠોડ સરદાર માર્કેટમાં હમાલી કરીને પરિવારને આર્થિક રૂપે મદદ કરતો હતો. ૧૫ ઓગસ્ટની રાત્રે રાજા બે મિત્રો સાથે ગયો હતો અને ત્યાં જ સુઈ ગયો હતો, ઊંઘમાં હતો ત્યારે જ તેની હત્યા કરવામાં આવી હતી.મૃતક રાજાની માતા આશાબેને જણાવ્યું હતું કે, મને હવે માત્ર ન્યાય જોઇએ. મારે બીજું…
સુરેન્દ્રનગર , રાજકોટ- અમદાવાદ હાઈવે પર બલદાણા ગામ પાસે હોટેલના કમ્પાઉન્ડમાં ટ્રકમાંથી એસએમસીની ટીમે રૂ. ૧.૭૯ કરોડના દારૂની ૧૩,૯૩૧ બોટલો સહિત રૂ. ૨.૦૮ કરોડના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા.એસએમસીના દરોડામાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાતા અનેક સવાલો ઉભા થયા છે.આ અંગે એસએમસી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ-અમદાવાદ હાઈવે પર બલદાણા ગામ પાસે આવેલ પંચદેવ હોટલના કંમ્પાઉન્ડમાંથી શંકાસ્પદ હાલતમાં એક ટ્રક મળી આવ્યો હતો.જેની તલાસી લેતા ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂની કુલ ૧૩,૯૩૧ બોટલો કિંમત રૂ.૧,૭૮,૬૭,૯૦૦, ટ્રક કિંમત રૂ.૩૦,૦૦,૦૦૦, ત્રણ મોબાઈલ કિંમત રૂ.૧૫,૦૦૦, રોકડ કિંમત રૂ.૫,૮૨૫ સહિત કુલ રૂ.૨,૦૮,૯૦,૭૨૫ના મુદ્દામાલ સાથે બે શખ્સો (૧) ધર્મેશ ઉર્ફે ધૃÙવ દિનેશભાઈ સતાપરા રહે.જોરાવરનગર(દારૂ મંગાવનારનો…
Gujaratis trapped in Myanmar job scam બેંગકોકમાં આઇટી કંપનીમાં નોકરીની લાલચ આપીને થાઇલેન્ડમાં ટુરિસ્ટ વીઝાના આધારે બોલાવ્યા બાદ મ્યાનમાર અને કમ્બોડિયામાં લઈ જઈને ત્યાં કૉલ સેન્ટર દ્વારા સાયબર ક્રાઇમ કરવા મજબૂર કર્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાંથી છૂટીને આવેલા યુવકની પૂછપરછમાં સાયબર ક્રાઇમ સામે અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ કેસમાં જાણવા મળ્યું હતું કે, અભિષેકસિંગ નામનો મુખ્ય આરોપી દુબઈમાં બેઠા બેઠા ચાઇનીઝ ગેંગ સાથે મળીને સમગ્ર કૌભાંડ ચલાવતો હતો. બેંગકોકથી છૂટકારો મેળવીને પરત આવનાર યુવકે મ્યાનમારના કૉલ સેન્ટરમાં અનેક ગુજરાતી યુવકો ફસાયા હોવાનો અને ડરના કારણે સાયબર ક્રાઇમ કરતો હોવાનો ખુલાસો કર્યો છે. હવે આ મામલે…
અમદાવાદ, અમદાવાદથી દુબઇ જતી ફ્લાઇટના એક પેસેન્જરની બેગમાંથી જીવતો કારતૂસ મળી આવ્યો હતો. જેથી તેની સિક્યુરિટી એજન્સીએ પૂછપરછ કરી હતી. પરંતુ યુવક આ અંગે કંઇ જ જાણતો ન હોવાનું રટણ જારી રાખ્યું હતું.આ મામલે એરપોર્ટ પોલીસે યુવક સામે ફરિયાદ નોંધી ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. શહેરના નરોડા વિસ્તારમાં રહેતા વિવેકાનંદ કૈલાસભાઇ યાદવ એરપોર્ટ ખાતે બે વર્ષથી સીઆઇએસએફમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે.ગઇકાલે તેઓ નિત્યક્રમ મુજબ પોતાની ડ્યુટીએ પહોંચ્યા હતા. તેમની નોકરીનો સમય પૂર્ણ થઇ ગયો હતો પરંતુ રિલિવર આવ્યો ન હોવાથી તેઓ ત્યાં હાજર હતા. તે સમયે અમદાવાદથી દુબઇ જતી ફ્લાઇટના પેસેન્જરોનું બો‹ડગ થઇ રહ્યું હતું. ત્યારે લગેજ…
ગુજરાતમાં મેઘમહેર, ખેડૂતો ખુશ ખુશાલ -અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાંગાંધીનગર, ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. શનિવારે (૧૬ ઓગસ્ટ) રાજ્યભરમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યના ૧૧૫ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં નોંધાયો હતો. દરમિયાન શનિવારે બપોરના સમયે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યોહતો. ભારે વરસાદને પગલે અમદાવાદના ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. આ સિવાય ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો.હવામાન વિભાગના…
