Author: gujarat

પ્રથમ વખત સાયબર સિક્યોરિટી અને સેફટી ઓડિટ ફરજીયાત: ધર્મસિંહ દેસાઈ(પ્રતિનિધિ) અમદાવાદ, ૧૯૪૭ થી શરૂ થયેલી AMTSની સફર આજે આધુનિક ટચ સુધી પહોંચી છે. AMTS પોતાના ૭૬ માત્ર વર્ષમાં પ્રવેશતા શહેરના જાહેર પરિવહન ઇતિહાસમાં સૌથી મોટું અને મહત્વપૂર્ણ પરિવર્તન લાવી રહી છે. એએમટીએસ દ્વારા ૨૨૫ ઈલેક્ટ્રિક બસોના ઐતિહાસિક પ્રોક્યુરમેન્ટ તરફ મહત્વપૂર્ણ પગલું છે.અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) ના ચેરમેન ધરમશીભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે એએમટીએસ પોતાના 76મા વર્ષમાં પ્રવેશતા શહેરના જાહેર પરિવહન ઈતિહાસમાં સૌથી મોટું અને મહત્વપૂર્ણ પરિવર્તન લાવી રહી છે.૨૨૫ બીઆરટીએસ-સંગત ઇલેકિટ્રક એસી મિડી બસોની ખરીદી એ શહેરને સ્વચ્છ, આધુનિક અને ભવિષ્યલક્ષી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તરફ લઈ જતું ઐતિહાસિક પગલું છે.…

Read More

નવા વર્ષે દેશનાં ૪ મુખ્ય ધાર્મિક સ્થળોએ ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચવાની શક્યતા(એજન્સી)નવી દિલ્હી, દેશના ચાર મુખ્ય ધાર્મિક સ્થળો તિરૂપતિ, અયોધ્યા, શીરડી અને વૈશ્નોદેવી ખાતે ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરી દરમિયાન આશરે ૧૦ લાખ શ્રદ્ધાળુઓ પહોંચવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને સંબંધિત મંદિરોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ તમામ ધાર્મિક સ્થાનોના મેનેજમેન્ટે શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાને નિયંત્રિત કરવાના પગલાં અત્યારથી લેવાના શરૂ કરી દીધા છે.આંધ્ર પ્રદેશ સ્થિત તિરુપતિ મંદિરમાં ૩૦ ડિસેમ્બરથી ૧૦ દિવસીય વૈકુંઠ એકાદશી ઉત્સવ શરૂ થવાનો છે. આ દરમિયાન ૧ જાન્યુઆરી એટલે કે નવા વર્ષનો પ્રથમ દિવસ પણ આવતો હોવાથી તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડ દ્વારા ભીડના મેનેજમેન્ટ માટે…

Read More

Gujarat IPS Promotion: ગુજરાતમાં નવા વર્ષના આગમન પર પોલીસ વિભાગના ટોચના અધિકારીઓ જ્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને મોરચે હતા, તે જ સમયે રાજ્ય સરકારે ૧૪ આઈપીએસ (IPS) અધિકારીઓના પ્રમોશનનો ઓર્ડર રિલીઝ કર્યો હતો. ન્યૂ યરની ડ્યુટીમાં વ્યસ્ત અધિકારીઓ માટે નવું વર્ષ સારા સમાચાર લઈને આવ્યું. રાજ્ય સરકારે ૩૧ ડિસેમ્બરે આઈપીએસ વિકાસ સહાયના નિવૃત્ત થયા બાદ ૧૯૯૨ બેચના અધિકારી કે.એલ.એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી (DGP) નિયુક્ત કર્યા, ત્યારબાદ અંદાજે પાંચ કલાક પછી મધ્યરાત્રિએ જેવું વર્ષ બદલાયું, સરકારે ૧૪ આઈપીએસના પ્રમોશનની જાહેરાત કરી દીધી. અધિકારીઓ માટે આ ક્ષણ ક્યારેય ન ભૂલી શકાય તેવી બની ગઈ.આ અધિકારીઓ બન્યા ડીજીપીગુજરાત સરકારે અલગ-અલગ રેન્કના ૧૪ અધિકારીઓને પ્રમોટ…

Read More

અમનઉલ્લા ગુલામનબી મલેકની અટકાયત કરી ખેતરમાં તપાસ કરતા ત્યાંથી ચાઇના દોરીના કુલ ૨૨૪ નંગ રીલ મળી આવ્યા હતા.(પ્રતિનિધિ) નડિયાદ, મહુધા માંથી ખેતરમાં પુળા નીચે છુપાવેલ ચાઇનીઝ રીલ રૂ ૮૯ હજારથી વધુનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરી બે વ્યક્તિઓને પકડી પાડ્‌યા છે મળતી માહિતી મુજબ મહુધા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.ગોહિલના સુપરવિઝન હેઠળ પો.સબ.ઇન્સ એસ.આઇ.ડાભી તથા પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.આ દરમિયાન બાતમી મળી હતી કે, મહુધાના ફીણાવ ભાગોળ વિસ્તારમાં અમનઉલ્લા ગુલામનબી મલેકના ખેતરમાં સૂકા પુળાની નીચે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ખાનગી વાહનમાં ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.પોલીસે બાતમી વાળી જગ્યાએથી અમનઉલ્લા ગુલામનબી…

Read More

(તસ્વીરઃ મગનજીત વણઝારા, હિંમતનગર) સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, ચિઠોડા અને વડાલી પંથકમાં આવેલ કેટલાક મંદિરોમાં ચોરીના ઈરાદે પ્રવેશતી ગેંગના મુખ્ય સૂત્રધારને સાબરકાંઠા એલસીબીએ હિંમતનગર બસ સ્ટેશન વિસ્તારમાંથી બાતમીને આધારે ઝડપી લઈતેની પાસેથી ચાંદીના છત્તર અને રોકડ મળી અંદાજે રૂ.ર૩,૯પ૦ના મુદ્દામાલ સાથે સોમવારે ઝડપી લીધા બાદ પુછપરછ કરતાં મંદિરમાં કરાયેલી ચોરીઓમાં અંબાજીના કુંભારીયામાં રહેતા અન્ય પાંચ શખ્સો સામેલ હોવાની કબુલાત કર્યા બાદ એલસીબીએ પકડાયેલા સૂત્રધારને પ્રાંતિજ પોલીસને હવાલે કર્યો હતો.આ અંગે એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા તથા તેમના સ્ટાફના જણાવાયા મુજબ પ્રાંતિજ તાલુકાના સલાલ અને પોગલુ ગામના મંદિરોમાં તાજેતરમાં ચોરી થયાની ફરીયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ એલસીબીને એવી બાતમી મળી હતી કેહિંમતનગર મુખ્ય…

Read More

(પ્રતિનિધિ)મોડાસા, છેલ્લા કેટલા સમયથી કિસાનોના પ્રશ્નો નો ઉકેલ નિરાકરણ ના આવતા. ના છૂટકે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા તારીખ ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ ગાંધીનગર ખાતે વિરાટ કિસાન શક્તિ પ્રદર્શન રાખેલ હોય તેમાં રાજ્યના દરેક ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાના છેતે મુજબ આજરોજ ખેડબ્રહ્મા એપીએમસી ખાતે ભારતીય કિસાન સંઘના કાર્યાલયમાં હોદ્દેદારોની મીટીંગ માં મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા અને દરેક ગામમાં મીટીંગ માટેનું આયોજન થયેલ છે અને દરેક ગામમાંથી સાધનની વ્યવસ્થા કરી દરેક ખેડૂતને ઉપસ્થિત રહેવા આહવાન કરેલ છેઆજની મિટિંગમાં તાલુકા પ્રમુખશ્રી જશુભાઈ મંત્રી શ્રી અરવિંદભાઈ ઉપપ્રમુખ શ્રી નારાભાઈ કોષાધ્યક્ષ શ્રી રેવાભાઇ પૂર્વ મામલતદાર શ્રી પ્રકાશ પટેલ પૂર્વ…

Read More

અરવલ્લીમાં દારૂ પકડતી પોલીસ દારૂ પહોંચાડતી જોવા મળી ઃ દારૂની હેરાફેરી કરતા બે કોન્સ્ટેબલ ઝડપાયાબાયડ, અરવલ્લી જિલ્લા પોલીસ માટે ફરીથી ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ છે. ૩૧ ડિસેમ્બર પૂર્વે વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા માટે જિલ્લા પોલીસે ધોંસ વધારી છે ત્યારે શામળાજીના અણસોલ ગામે જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવા રેઈડ કરી હતી. ત્યારે ખુદ એલસીબીના પોલીસ અધિકારીઓ જ ચોંકી ઉઠયા હતા.જેમાં શામળાજી પોલીસ મથકનો અનાર્મ કોન્સ્ટેબલ અને અન્ય અકે સસ્પેન્ડેડ એસઆરપી જવાન મળી બે પોલીસ કર્મચારીઓ વિદેશી દારૂની હેરાફેરી કરતાં રંગેહાથ ઝડપાઈ જતાં ખળભળાટ મચી ગયો હતો. ભુતકાળમાં પણ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ વિદેશી દારૂની…

Read More

(પ્રતિનિધિ) હિંમતનગર, હિંમતનગર નાગરિક બેંકની ચુંટણીના પડઘમ વાગી ચુકયા છે ત્યારે બેંકના ચુંટણી અધિકારીએ તાજેતરમાં ચુંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યા બાદ હિંમતનગરના રાજકીય અને સહકારી ક્ષેત્રમાં હલચલ શરૂ થઈ ચુકી છે ત્યારે હિંમતનગરના એક જાગૃત નાગરિકે સોમવારે બેંકની ચુંટણી સંદર્ભે પેટા કાયદાની જોગવાઈ મુજબ મનાઈ અરજી રજુ કરી હતી.પરંતુ સામે પક્ષે નાગરિકે બેંકે પણ મહેસાણા નોમીનીઝ કોર્ટમાં કેવીયટ દાખલ કરેલી હોવાથી આ મામલે નોમીનીઝ કોર્ટના સક્ષમ અધિકારીએ મંગળવારે હિંમતનગર નાગરિક બેંકને શો-કોઝ કારણ દર્શક નોટીસ આપતાની સાથે જ નાગરિક બેંકની ચુંટણી હવે વિવાદમાં આવી ગઈ છે. જોકે આ મામલે તા.ર જાન્યુઆરીના રોજ નોમીનીઝ કોર્ટમાં સુનાવણી થયા બાદ બેંકની ચુંટણીનું ભાવિ નક્કી…

Read More

(પ્રતિનિધિ)દમણ, સેલ્યુટ તિરંગાના યુકેના પ્રમુખ એનઆરઆઈ કેશવ બટાકે બાંગ્લાદેશમાં ઉગ્ર લોકોના ટોળા દ્વારા દીપુ દાસ નામના નિર્દોષ યુવાનને જીવતો સળગાવી દેવાની ઘટના અંગે પીએમ મોદીને પત્ર લખ્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ બાંગ્લાદેશ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.એનઆરઆઈ ગ્રુપ લંડન-યુકેના કન્વીનર એનઆરઆઈ કેશવ બટાકે પીએમ મોદીને પત્ર લખીને છેલ્લા ૨-૩ વર્ષથી બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓના ચાલી રહેલા નરસંહાર અંગે ચિંતા વ્યક્ત કરી છે. એનઆરઆઈ કેશવ બટાકે PM મોદીને લખેલા પત્રમાં લખ્યું છે કે ૩,૯૦૦ ભારતીય સૈનિકોના બલિદાનથી મુક્ત થયેલ બાંગ્લાદેશ, હિન્દુઓનો નરસંહાર કરીને પોતાની કૃતઘ્‌નતા દર્શાવી રહ્યું છે.બાંગ્લાદેશ ભારત પર ખૂબ નિર્ભર છે. જો ભારત હવે નિકાસ બંધ કરે તો…

Read More

સુરતના વેપારીઓને તામિલનાડુ પોલીસ પરેશાન કરી રહી છે -ખોટી રીતે પૈસા જમા થયા હોવાનું જણાવી એકાઉન્ટ ફ્રિઝ કરી રહી છે જેથી વેપારી પરેશાનસુરત, તામિલનાડુની પોલીસ સુરતના વેપારીઓને પરેશાન કરી હોવાનો આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ તામિલનાડુ પોલીસ ગુજરાતના સોની વેપારીઓના એકાઉન્ટમાં ખોટા રૂપિયા જમા થયા હોવાના નામે એકાઉન્ટ ફ્રિઝ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે જ્વેલર્સે સરકારને રજૂઆત પણ કરી છે.સુરતના વેપારીઓ હાલ તામિલનાડુ પોલીસના ગેરવર્તનનો સામનો કરી રહી છે. પોલીસ તેમના એકાઉન્ટમાં ખોટી રીતે પૈસા જમા થયો હોવાનું જણાવી એકાઉન્ટ ફ્રિઝ કરી રહી છે જેના કારણે વેપારીઓ તેમની નાણાંકીય લેવડ-દેવડ માટે એકાઉન્ટનો ઉપયોગ કરી શકતા નથી અને…

Read More