Author: gujarat

Kalupur Gadi Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ફાંટાઓમાં કાલુપુર ગાદી લાંબા સમયથી વિવાદના કેન્દ્રમાં રહી છે. એક સમય એવો હતો જ્યારે આ સંસ્થાનું નેતૃત્વ આચાર્ય તેજેન્દ્રપ્રસાદજી મહારાજ સંભાળતા હતા અને સંસ્થામાં શિસ્ત તથા સંયમ દેખાતો હતો. સાધુઓ અને હરિભક્તો સાથે તેમનો સ્નેહભાવ પણ ચર્ચાસ્પદ રહ્યો હતો. પરંતુ સમય જતા નેતૃત્વ બદલાતા જ સંસ્થાના આંતરિક માહોલમાં ફેરફાર આવતો ગયો.નેતૃત્વ પરિવર્તન બાદ સંસ્થામાં વધતી અસંતોષની લાગણીતેજેન્દ્રપ્રસાદજી બાદ તેમના પુત્ર કૌશલેન્દ્રજી અને ત્યારબાદ લાલજી વજેન્દ્ર પાંડેએ આગેવાની સંભાળતા સંસ્થામાં અસંતોષ વધતો ગયો. અનેક સાધુઓ અને હરિભક્તોએ પોતાને અવગણવામાં આવતા હોવાની લાગણી વ્યક્ત કરી. પરિણામે કેટલાકે સંસ્થાથી અંતર પણ રાખ્યું. આ સ્થિતિએ કાલુપુર ગાદીની છબી…

Read More

રાજ્યની તમામ નદીઓનાબંન્ને કાંઠાની જમીન પર વનસંરક્ષણ-સંવર્ધનની કામગીરી વન વિભાગને સોંપાઈનિર્ણયના અન્ય મહત્વના બિંદુઓ :·વૃક્ષ ઉછેર પહેલા જમીનનું સિમાંકન–GISમેપિંગ કરીને કાર્યક્ષેત્ર–જમીનની ઓળખ કરાશે·ઓળખ કરેલી જમીનનો ઉપયોગ માત્ર ગ્રીન કવર–વૃક્ષ ઉછેર માટે જ કરવાનો રહેશે·આવી જમીનના રક્ષણ–જાળવણીની જવાબદારી વન વિભાગની રહેશે·આ પ્રકારની જમીન પર દબાણ હશે તો તે દૂર કરવાની સત્તા વન વિભાગ પાસે રહેશે·સામાજિક વનીકરણ હેઠળ શરતોને આધિન–જેતે જિલ્લા કલેકટરની કચેરી દ્વારા જગ્યાની પસંદગી કરાશે·આ ઝુંબેશ થકી વરસાદ વધવાની સાથે નદીઓના બન્ને કાંઠાની જમીનનું ધોવાણ અટકશે અને ભૂગર્ભ જળ સ્તર પણ ઊંચા આવશેવાયુ પ્રદુષણ અને કલાઈમેટ ચેન્જની વૈશ્વિક સમસ્યા વચ્ચે પર્યાવરણ જતનના હેતુથી વૃક્ષ ઉછેર અને સંવર્ધન ખૂબ જરૂરી છે.…

Read More

Science City Real Estate Ahmedabad: અમદાવાદનું રિયલ એસ્ટેટ બજાર છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપથી બદલાયું છે, અને આ બદલાવનો સૌથી ચમકતો સિતારો સાયન્સ સિટી (Science City) વિસ્તાર છે. આ ક્ષેત્ર માત્ર પોતાની વૈજ્ઞાનિક ઓળખ માટે જ નથી જાણીતું, પરંતુ હવે તે શહેરના સૌથી મનપસંદ રહેણાંક પોકેટ્સમાંનું એક બની ચૂક્યું છે.સાયન્સ સિટી હવે માત્ર પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર નથી રહ્યું, પરંતુ તે મધ્યમ અને ઉચ્ચ-મધ્યમ વર્ગના પરિવારો માટે એક પ્રાઇમ રેસિડેન્શિયલ એરિયા બની ગયો છે. અહીંનો આયોજિત વિકાસ અને પહોળા રસ્તાઓ તેને ભીડભાડવાળા જૂના શહેરથી અલગ એક શાંત અને આધુનિક ઓળખ આપે છે.અમદાવાદમાં ફ્લેટ ખરીદવાની ઈચ્છા રાખનારા લોકો હવે સાયન્સ સિટીને માત્ર એક…

Read More

MT-5 ટનલ બંને બાજુથી ખોદવામાં આવી હતી અને અત્યાધુનિક ડ્રિલ અને બ્લાસ્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને 18 મહિનામાં પૂર્ણ કરવામાં આવી હતી. આ પદ્ધતિ ખોદકામ દરમિયાન જમીનની વર્તણૂકનું વાસ્તવિક સમયનું નિરીક્ષણ કરવાની મંજૂરી આપે છે અને વાસ્તવિક સ્થળની સ્થિતિના આધારે શોટક્રીટ,રોક બોલ્ટ અને જાળીના ગર્ડર જેવી સપોર્ટ સિસ્ટમ્સ મૂકવાની મંજૂરી આપે છે. ટનલ બનાવતી વખતે,વેન્ટિલેશન,આગ નિવારણ પગલાં અને યોગ્ય બહાર નીકળવાના વ્યવસ્થાપન સહિતની તમામ જરૂરી સલામતી સાવચેતીઓનું કડક પાલન કરવામાં આવ્યું હતું.અગાઉ,થાણે અને બીકેસી વચ્ચે આશરે 5 કિમી લાંબી પહેલી ભૂગર્ભ ટનલ સપ્ટેમ્બર 2025માં પૂર્ણ થઈ હતી. મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ (MAHSR)પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિમી છે,જેમાં કુલ ટનલ લંબાઈ 27.4…

Read More

Gujarat DGP Appointment Shamsher Singh: ગુજરાતમાં નવા ડીજીપી (DGP) ને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. કેન્દ્રની પ્રતિનિયુક્તિ (ડેપ્યુટેશન) પર ગયેલા ૧૯૯૧ બેચના આઈપીએસ (IPS) અધિકારી ડૉ. શમશેર સિંહને ગુજરાત પરત મોકલી દેવામાં આવ્યા છે. તેઓ અત્યારે ભારતીય સીમા સુરક્ષા દળ (BSF) માં એડિશનલ ડીજીની પોસ્ટ પર તૈનાત હતા. શમશેર સિંહના ગુજરાત પરત ફર્યા બાદ ચર્ચા જાગી છે કે તેઓ રાજ્યના નવા ડીજીપી બની શકે છે, જોકે તેમનું રિટાયરમેન્ટ ૩૧ માર્ચના રોજ છે. ગુજરાતમાં ૧૯૯૦ બેચના આઈપીએસ અધિકારી વિકાસ સહાય ૩૧ ડિસેમ્બરના રોજ ડીજીપીના પદ પરથી નિવૃત્ત થયા હતા. ત્યારબાદ ગુજરાત સરકારે ૧૯૯૨ બેચના આઈપીએસ અધિકારી…

Read More

૨૦૨૩માં ધો. ૧૦થી ડિપ્લોમા સુધીના ૩૮૭૬ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી(એજન્સી)ગાંધીનગર, સમગ્ર દેશમાં ગુજરાત પણ આપઘાતની સંખ્યામાં મોખરે છે. વર્ષ ૨૦૨૩ના જારી આંકડા મુજબ ગુજરાતમાં કુલ ૮૯૪૮ લોકોએ જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર દેશમાં થતી આત્મહત્યાઓમાં ગુજરાતમાં ૫.૨ ટકા લોકોએ આપઘાત કર્યાનું પ્રમાણ છે. ગુજરાતમાં આપઘાત કરનારામાં ૬૨૬૦ પુરુષ, ૨૬૮૫ મહિલા અને ૩ ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે.વિદ્યાર્થીઓમાં વિવિધ કક્ષાએ માનસિક તણાવ સહિતના કારણોથી આપઘાત નોંધાયા છે. ૨૦૨૩માં ધો. ૧૦થી ડિપ્લોમા સુધીના ૩૮૭૬ વિદ્યાર્થીની આત્મહત્યા નોંધાઇ છે. ગુજરાતમાં આપઘાત કરનારામાં વિદ્યાર્થીઓનું પ્રમાણ પણ નોંધપાત્ર છે. ૨૦૨૩માં ધોરણ ૧૦ સુધીના ૧૪૫૫ પુરુષ, ૬૦૮ મહિલા અને ૨ ટ્રાન્સજેન્ડર મળીને કુલ ૨૦૬૫એ આપઘાત કર્યાે હતો.ધોરણ ૧૨ સુધીના…

Read More

કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર ખાતે યોજાયેલા પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું ઉદ્દઘાટન કરતાં આચાર્ય દેવવ્રતપ્રત્યેક મંગળવારે બપોરના ૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર (એટીક) ખાતે પ્રાકૃતિક ખેત પેદાશો મળી શકશેઆણંદ કૃષિ યુનિવર્સિટીના ૨૨ પદવીદાન સમારંભમાં પ્રેરક ઉપસ્થિત રહેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી બોરસદ ચોકડી સ્થિત કૃષિ તજજ્ઞતા માહિતી કેન્દ્ર (એટીક) ના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્રનું ઉદ્દઘાટન કરી પ્રાકૃતિક ખેત પેદાશોના વેંચાણ માટે આવેલા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો.આણંદવાસીઓને ઘરઆંગણે પ્રાકૃતિક ખેત પેદાશો ઉપલબ્ધ બની રહે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી એટીક ખાતે શુભારંભ કરવામાં…

Read More

(એજન્સી)અંબાજી, વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આવતા લાખો માઈભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એક મહત્ત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મંદિરના સુવર્ણ શિખરની સુરક્ષા અને યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને, હવેથી શિખર પર વધુમાં વધુ ૫ મીટર લંબાઈની જ ધજા ચઢાવી શકાશે.આ નવા નિયમનો અમલ આગામી પહેલી જાન્યુઆરી ૨૦૨૬ થી કરવામાં આવશે. ધજા ચઢાવવા માટે ભક્તોએ પૂર્વનિર્ધારિત ઓનલાઈન અથવા ઓફલાઈન સ્લોટ બુક કરાવવાના રહેશે.મંદિર વહીવટીતંત્ર અને ટેકનિકલ નિષ્ણાતોના સર્વેક્ષણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મંદિરના મુખ્ય શિખર પર રહેલા ધ્વજદંડને આશરે ૧૫ વર્ષ પૂર્ણ થયા છે.ટેકનિકલ તપાસમાં જાણવા મળ્યું છે કે દૈનિક સ્તરે ચઢતી ૫૦થી ૬૦ ધજાઓના વજન અને પવનના…

Read More

અમદાવાદમાં ૧ જાન્યુઆરીથી ફ્‌લાવર શોનો પ્રારંભ-૧૦ લાખથી વધુ ફૂલ-છોડનો ઉપયોગ(તમામ તસવીરોઃ જયેશ મોદી) (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય ઇન્ટરનેશનલ ફ્‌લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ૧ જાન્યુઆરીના રોજ સવારે ૯ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન થશે, જે ૨૫ જાન્યુઆરી સુધી ચાલશે.આ વખતે ફ્‌લાવર શો સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે સરદાર બ્રિજથી સ્વામી વિવેકાનંદ બ્રિજની વચ્ચે આવેલા ઇવેન્ટ સેન્ટર અને ફ્‌લાવર ગાર્ડનમાં કુલ ૭૩,૦૦૦ ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે.આ વર્ષની વિશેષતા એ છે કે સમગ્ર આયોજન ‘ભારત એક ગાથા’ થીમ પર આધારિત છે, જેમાં ભારતની સંસ્કૃતિ, પરંપરા અને આધુનિક સિદ્ધિઓની…

Read More

અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઈન્સ્ટિટ્યૂટે નવો વિક્રમ સ્થાપિત કરતાં વર્ષ 2025માં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાઆર્થિક રીતે નબળા લોકો માટે આશીર્વાદ અને ટેકનોલોજીમાં અગ્રેસર એવી કિડની ઇન્સ્ટિટ્યૂટે પબ્લિક હોસ્પિટલ્સમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યુંગુજરાત સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ 24*7 કાર્યરત રહેતું ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝિસ એન્ડ રીસર્ચ સેન્ટરઅમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDRC-ITS)એ કિડની પ્રત્યારોપણના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.*ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હેઠળ કાર્યરત આ સંસ્થાએ માત્ર વર્ષ 2025માં જ 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.*આ ભવ્ય સફળતા સાથે ઇન્સ્ટિટયૂટ ઑફ કિડની ડિસિઝિસ એન્ડ રિસર્ચ સેન્ટરે સમગ્ર દેશમાં પબ્લિક…

Read More