(પ્રતિનિધિ)ભરૂચ, ડિસેમ્બર માસમાં અંકલેશ્વર પોલીસ દ્વારા માનસિક રીતે અસ્થિર યુવકને ભરૂચના નાઈટ શેલ્ટર હોમમાં આશ્રય માટે લાવવામાં આવ્યો હતો.જેની સારવાર અને સાર સંભાળ કરી પુનઃ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.ભરૂચ નગરપાલિકા અને સેવાયજ્ઞ સમિતિ સંચાલિત નાઈટ શેલ્ટર હોમમાં ડિસેમ્બર માસમાં અંકલેશ્વર પોલીસ દ્વારા માનસિક રીતે અસ્થિર યુવક આશ્રય માટે લાવવામાં આવ્યો હતો.સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખ દ્વારા તેમની સારવાર ડૉ.સુનિલ શ્રોત્રીય પાસે શરૂ કરવામાં આવી હતી.થોડા દિવસોની સારવારમાં યુવકે પોતાનું નામ ભુવનેશ્વર મહતો ઉંમર ૪૫ વર્ષ ગિરિડીહ જીલ્લો ઝારખંડ હોવાનું જણાવ્યું હતું.જેથી પરિવાર સાથે સંપર્ક કરતા તેનો ભત્રીજાના જણાવ્યા અનુસાર તેના કાકાને પત્ની અને બાળકો છે.ડિસેમ્બર મહિનામાં સુરત તરફ કામ માટે…
Author: gujarat
તમામ અદાલતોમાં એ-૪ સાઈઝના પેપર અને ફોન્ટનો અમલ મોકૂફ રાખવા માંગણી(એજન્સી)અમમદાવાદ, ૧ લી જાન્યુઆરી ર૦ર૬થી રાજયની તમામ જીલ્લા અદાલતો કોર્ટોમાં તમામ પ્રકારની પિટીશન અપીલ એફીડેવીટ એપ્લીકેશન, ઓર્ડર જજમેન્ટ વગેરે એ-૪ સાઈઝના પેપેર પર જ દાખલ કરવાના નિર્ણયનો અમલ કરવાનો છે ત્યારે ગુજરાત બાર કાઉન્સીલ તરફથી હાઈકોર્ટના ચીફ જસ્ટીસને આ મામલે રજુઆત કરી પ્રક્રિયાથી વાકેફ થવા થોડો સમય આપવા અને ત્યા સુધી અમલ મોકુફ રાખવા માગણી કરાઈ છે.ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન અને ફાઈનાન્સના કમીટીમાં ચેરમેને જણાવ્યું હતુંકે, ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં જે એક પરીપત્ર જારી કરી રાજયની તમામ જીલ્લા અદાલતો કોર્ટોમાં તમામ પ્રકારની પીટીશન અપીલ એફેડીવીટ એપ્લીકેશન ઓર્ડર જજમેન્ટ વગેરે એ -૪…
ગાંધીનગર, કલોલ તાલુકાના ભાડજથી રણછોડપુરા જવાના રોડનું રૂ.૬ કરોડના ખર્ચે નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતની બાંધકામ શાખા દ્વારા રોડના કામો હાથ ધરવામાં આવ્યા છે તેના ભાગરૂપે ભાડજ- રણછોડપુરા તરફનો આ પ કિ.મી. લંબાઈ ધરાવતો માર્ગ નવો બન્યા બાદ વાહન ચાલકોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે અને હરેકૃષ્ણ મંદિરે જનારા દર્શનાર્થીઓને પણ સારા રસ્તાથી રાહત મળશે.કલોલ વિધાનસભાના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર (બકાજી)ના હસ્તે બુધવારે ભાડજ- રણછોડપુરા જોઈનિંગ કલોલ-સાણંદ રોડને વિકાસની નવી ઉંચાઈ આપતા પ કિ.મી. લંબાઈના માર્ગને રૂ.૬ કરોડના ખર્ચે ૧૦ મીટર પહોળો બનાવવાના મહત્વપૂર્ણ વિકાસકાયર્નું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું.ધારાસભ્ય લક્ષ્મણજી દ્વારા વિસ્તારના રોડ- રસ્તાના વિકાસ માટે લેવાતી પહેલના…
નાના શહેરોના સર્વાંગી વિકાસથી વિકસિત ગુજરાત@૨૦૪૭ના વિઝન તરફ હરણફાળ૨૦૩૦ સુધીમાં સાણંદ, કલોલ, સાવલી, બારડોલી અને હીરાસરને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસિત કરવામાં આવશેAhmedabad, વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને ભારતના દરેક રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટિયર-૨ અને ટિયર-૩ શહેરોના વ્યૂહાત્મક વિકાસને વેગ આપવાનું વિઝન રજૂ કર્યું છે. આ વિઝનને અનુરૂપ રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઓક્ટોબર ૨૦૨૫માં પાંચ સેટેલાઇટ ટાઉન વિકસિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ નિર્ણયના અમલીકરણના ભાગરૂપે હવે શહેરોના માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે અર્બન પ્લાનર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેના માટે ટેન્ડર દ્વારા અર્બન પ્લાનર્સની નિમણૂક કરવાની…
સામાન્ય વાવેતરની સરખામણીમાં અત્યાર સુધીમાં ૯૬ ટકા એટલે કે,૪૪.૭૪ લાખ હેક્ટરમાં વાવેતર સંપન્નચાલુ સીઝનમાં ચણાના વાવેતરમાં ૧૩ ટકા અને બટાટાના વાવેતરમાં ૧૮ ટકા વૃદ્ધિ નોંધાઈ –ધાન્ય પાકો,કઠોળ પાકો,તેલીબિયાં પાકો અને મસાલા પાકોનું પણ પુષ્કળ વાવેતરગાંધીનગર, ગુજરાત રાજ્યમાં ખરીફ સીઝન બાદની મહત્વની ગણાતી રવિ કૃષિ સીઝન હવે તેના અંતિમ તબક્કામાં છે. ગત વર્ષે ખેડૂતોને રવિ પાકના મળેલા રેકોર્ડ બ્રેક ભાવના પરિણામે ચાલુ વર્ષે રવિ પાકોના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.ગુજરાતમાં ગત ત્રણ વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ ૪૬.૪૩ લાખ હેક્ટર રહ્યો છે,જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જ ગુજરાતના ખેડૂતોએ ૯૬ ટકાથી વધુ એટલે કે,૪૪.૭૪ લાખ હેક્ટર…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસ,વિશ્વાસ અને વિઝન સાથે નવા વર્ષની વિકાસ ભરી શરૂઆત: વિરમગામ વિધાનસભા વિસ્તારમાં વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત સંપન્નએક સમયે ટાંચા સંસાધનો-વરસાદ આધારિત ખેતી અને રોજગારી માટે યુવાનોનું સ્થળાંતર ધરાવતો માંડલ વિરમગામ બેચરાજી વિસ્તાર વડાપ્રધાનશ્રીના વિકાસ વિઝનથી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ઓટો હબ બન્યો છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 2026ના વર્ષના પ્રથમ દિવસે વિરમગામ વિધાનસભા મત વિસ્તારના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર,રેલ્વે,ઓવરબ્રીજ સહિતના497કરોડ રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા.મુખ્યમંત્રીશ્રી આ અવસરે જન મેદનીને સંબોધતા કહ્યું કે,એક સમયે ટાંચા સંસાધનો,વરસાદ આધારિત ખેતી,રોજગારી માટે યુવાઓનું સ્થળાંતર જેવી વિકટ સ્થિતી ધરાવતો માંડલ-બેચરાજી-વિરમગામ વિસ્તાર આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ વિઝનથી…
અમરેલી જિલ્લાના જંગરની મહિલાએ માસિક રૂ.૧પ હજારની આવક મેળવીઅમરેલી, અમરેલી જિલ્લાના જંગર તાલુકાની એક મહિલાએ તેલ, મીઠું અને ખાંડ વગરના આરોગ્યપ્રદ અથાણાં બનાવી આગવી ઓળખ ઉભી કરી છે. આ મહિલા સેજલબેન વિથલભાઈ ભાયાણી જણાવે છે કે તેઓએ ગ્રેજયુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સ્વરોજગાર તરફ આગળ વધવાનો વિચાર આવ્યો હતો. અથાણાં બનાવવા માટેની તેમણે સતત ૬ મહિના સુધી તાલીમ મેળવી હતી. શરૂઆતમાં શીખવાની પ્રક્રિયા ઘણી જ મુશ્કેલ લાગી હતી, પરંતુ આત્મવિશ્વાસ અને ધીરજ સાથે તેમણે આગળ વધવાનું નકકી કર્યું હતું.નોકરી કરવા કરતા પોતાનો જ કોઈ વ્યવસાય કરવાનું મન હતું તે આ સ્ટાર્ટઅપ ચાલુ કરી ઓનલાઈન તેમજ ઓફલાઈન…
બીજી બાજુ અનેક વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિતબોટાદ, બોટાદ શહેરી વિસ્તારને વધુ સુવિધા યુકત બનાવવા નગરપાલિકા જાણે બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યું હોય તેમ સારા સીસી રોડ તોડી નવા રોડ રસ્તા બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ શહેરના ઘણા એવા વિસ્તારો છે કે જે મૂળભૂત સુવિધાથી વંચિત છે.શહેરમાં વિકાસના નામે ચાલી રહેલી કામગીરી સામે હવે જાહેરમાં અસંતોષ વ્યકત થવા લાગ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં આજે પણ મૂળભૂત સુવિધાનો અભાવ જોવા મળે છે. ત્યારે નગરપાલિકા દ્વારા સારા અને મજબૂત સીસી રોડ તોડી ફરીથી નવા રોડ બનાવવાનું કામ હાથ ધરવામાં આવતા નાગરિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.લોકોનો સ્પષ્ટ પ્રશ્ર છે કે, જયાં પહેલેથી…
ભાવનગર, ભાવનગર ડિવિઝનમાં સ્ટેશન અધિક્ષક (ભાવનગર ટર્મિનસ) તરીકે કાર્યરત દીપક કુમાર ગુપ્તાને ઉત્તમ સેવા, કર્તવ્યનિષ્ઠા અને વ્યાવસાયિક ઉત્કૃષ્ટતા બદલ દેશના બે અતિ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કારો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.રાષ્ટ્રીય સુરક્ષા અને જનસેવાના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ તેમને રાષ્ટ્રપતિ પદક (વિશિષ્ટ સેવા) તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી કાર્યક્ષમતા પદક (તપાસમાં ઉત્કૃષ્ટતા) એનાયત કરવામાં આવ્યા છે.મંડળ વાણિજય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે આ પુરસ્કારો નવી દિલ્હીમાં અલંકાર સમારંભ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ગૃહ રાજય મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ તથા વિવિધ કેન્દ્રીય સુરક્ષા અને તપાસ એજન્સીઓના પ્રતિનિધિઓની ઉપસ્થીતિમાં પ્રદાન કરવામાં આવ્યા હતા. મંડળ રેલવે પ્રબંધક દિનેશ વર્માએ ગુપ્તાને અભિનંદન પાઠવ્યા…
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરને ર૦ર૬ના વર્ષમાં ટુરીઝમ ક્ષેત્રે અગ્રેસર બનાવવા તેમજ ટ્રાફિક, પ્રદુષણ, પા‹કગ જેવી સમસ્યાઓના ઝડપી નિકાલ માટે કમિશનરના અધ્યક્ષસ્થાને મળતી રીવ્યુ બેઠકમાં ચર્ચા થઈ હતી.શહેરીજનોને નવા વર્ષમાં ટ્રાફિક, પ્રદુષણ, પાર્કિગ જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળે તે માટે રીવ્યુ બેઠકમાં સઘન ચર્ચા થઈ હતી. કમિશનરે અધિકારીઓને સુચના આપતા જણાવ્યું હતું કે નગરજનોને ટ્રાફિક સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે વહેલામાં વહેલી તકે લેફટ કી ખુલ્લી કરવી જરૂરી છે. જેના માટે ડીઝાઈન સેલ દ્વારા ડીઝાઈન તૈયાર કરાવી તેનો સમગ્ર શહેરમાં અમલ કરવો પડશે.ડેપ્યુટી કમિશ્નરોએ રોજ સવારે એક જંકશનની મુલાકાત લે અને લેફટ કી ઓપન બાબતે પણ તાકીદે પગલાં લે તેમ…
